ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સઆદત યારખાન ‘રંગીન’

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >

સક્સેના, મહેશનારાયણ

Jan 1, 2007

સક્સેના, મહેશનારાયણ (જ. 7 ઑગસ્ટ 1917, પ્રયાગ અલ્લાહાબાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના જાણીતા શાસ્ત્રકાર. પિતાનું નામ દેવીદયાલ. પરિવારમાં સંગીત જેવી કલાઓ પ્રત્યે વાતાવરણ અનુકૂળ, તેથી બાલ્યાવસ્થાથી મહેશનારાયણને શાસ્ત્રીય સંગીત પ્રત્યે લગાવ રહ્યો. તેમના સંગીતના સર્વપ્રથમ ગુરુ નીલુ બાબુ હતા, પરંતુ ગાયનની રીતસરની તાલીમ તેમણે પ્રયાગ સંગીત સમિતિના જગદીશનારાયણ પાઠક,…

વધુ વાંચો >

સક્સેના, રામબાબુ

Jan 1, 2007

સક્સેના, રામબાબુ (જ. 1897, બરેલી; અ. 1957) : ઉર્દૂના લેખક. તેઓ વિદ્વાનો તથા કવિઓના જાણીતા પરિવારમાં જન્મ્યા હતા. તેમનું અંગ્રેજીનું જ્ઞાન વિશાળ હતું. અરબી અને ઉર્દૂના પણ તેઓ ઉત્તમ જ્ઞાતા હતા. ‘મૉડર્ન ઉર્દૂ પોએટ્રી’ નામના અંગ્રેજીમાં લખાયેલા તેમના પુસ્તકમાં આધુનિક ઉર્દૂ કવિઓની વિગતે છણાવટ છે. જીવનના ઉત્તરાર્ધમાં તેમણે મીર વિશે…

વધુ વાંચો >

સક્સેના, શિબ્બનલાલ

Jan 1, 2007

સક્સેના, શિબ્બનલાલ (જ. 1 જાન્યુઆરી 1907, આગ્રા; અ. ?) : સ્વાતંત્ર્યસૈનિક, સંસદસભ્ય, ખેડૂતો અને મજૂરોના નેતા. શિબ્બનલાલનો જન્મના મધ્યમ વર્ગના કાયસ્થ કુટુંબમાં થયો હતો. તેમણે દેહરાદૂન, સહરાનપુર, કાનપુર અને અલ્લાહાબાદમાં શિક્ષણ લીધું. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્ર વિષયમાં બી.એ. તથા એમ.એ.ની પરીક્ષાઓ અને આગ્રા યુનિવર્સિટીમાંથી તત્ત્વજ્ઞાન વિષય સાથે એમ.એ.ની પરીક્ષા પાસ…

વધુ વાંચો >

સક્સેના, સર્વેશ્વર દયાલ

Jan 1, 2007

સક્સેના, સર્વેશ્વર દયાલ (જ. 15 સપ્ટેમ્બર 1927, બસ્તી, ઉત્તર-પ્રદેશ; અ. 24 સપ્ટેમ્બર 1983) : હિંદીના કવિ, નાટ્યકાર અને પત્રકાર. તેમના કાવ્યસંગ્રહ ‘ખૂંટિયા પર ટાંગે લોગ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે શિક્ષક, કારકુન તથા આકાશવાણીના કાર્યક્રમ-નિર્માતા તરીકે વિવિધ કામગીરી…

વધુ વાંચો >

સખારૉવ, આંદ્રે ડિમિટ્રિયેવિચ

Jan 1, 2007

સખારૉવ, આંદ્રે ડિમિટ્રિયેવિચ (જ. 21 મે 1921, મૉસ્કો; અ. 1989, મૉસ્કો) : સોવિયેત સંઘના અગ્રણી ભૌતિકશાસ્ત્રી; સોવિયેત સંઘના હાઇડ્રોજન બૉમ્બના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપનાર વૈજ્ઞાનિક; વ્યક્તિસ્વાતંત્ર્ય, માળખાગત રાજકીય સુધારણા અને માનવ-અધિકારોના પ્રખર હિમાયતી તથા વર્ષ 1975ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પિતા પણ ભૌતિકશાસ્ત્રના વિદ્વાન હતા. તેમની પાસેથી પ્રેરણા લઈને…

વધુ વાંચો >

સખાલીન

Jan 1, 2007

સખાલીન : સાઇબીરિયાના પૂર્વ કિનારાથી દૂર આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 51° ઉ. અ. અને 143° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 87,000 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે ઉ. દ. 970 કિમી. લાંબો અને પૂ. પ. સ્થાનભેદે 26થી 160 કિમી. પહોળો છે. તેની ઉત્તર અને પૂર્વ તરફ ઓખોટસ્કનો…

વધુ વાંચો >

સખી-સંપ્રદાય

Jan 1, 2007

સખી-સંપ્રદાય : મધ્યકાલીન ભારતનો એક સંપ્રદાય. રાધાકૃષ્ણની યુગલ ઉપાસનાને કેન્દ્રમાં રાખીને 16મી સદીમાં સ્વામી હરિદાસ દ્વારા આ સંપ્રદાય શરૂ થયો હતો. તે ‘હરિદાસી સંપ્રદાય’ તરીકે પણ જાણીતો છે. સ્વામીજી શરૂમાં નિમ્બાર્ક મતના અનુયાયી હતા, પરંતુ ભગવત્પ્રાપ્તિ માટે ગોપીભાવને જ એકમાત્ર સાધન ગણીને તેમણે પોતાના અલગ મતની સ્થાપના કરી હતી. વૃંદાવનમાંથી…

વધુ વાંચો >

સગપણ-સંબંધ

Jan 1, 2007

સગપણ–સંબંધ (Kinship) : વ્યક્તિઓ વચ્ચેના કૌટુંબિક સંબંધ કે સંબંધોને ઘનિષ્ઠ બનાવતી મજબૂત ગાંઠ. આવા સંબંધો બે રીતે પ્રસ્થાપિત થાય છે. એક તો લોહીના જોડાણથી અને બીજું લગ્ન કે અન્ય જોડાણથી. બંને સ્વરૂપના સંબંધો ધરાવનારા સભ્યોમાં સ્પષ્ટ તફાવત હોય છે. અર્થાત્ લોહીના સંબંધોનું માધ્યમ જૈવકીય (biological) છે; દા.ત., પિતા-પુત્ર. તેઓ વચ્ચે…

વધુ વાંચો >

સગર્ભતા, અતિજોખમી

Jan 1, 2007

સગર્ભતા, અતિજોખમી (high risk pregnancy) : માતા, ગર્ભશિશુ (foetus) કે નવજાત શિશુ(neonate)ને જન્મ પહેલાં કે પછી માંદગી કે મૃત્યુનો ભય હોય અથવા તેવું જોખમ થવાની સંભાવના હોય તેવી સગર્ભતા (pregnancy). દરેક સગર્ભતા તથા પ્રસવ સમયે જોખમ રહેલું હોય છે; પરંતુ કેટલીક સ્થિતિઓમાં તેની સંભાવના વધે છે. આવું આશરે 20 %થી…

વધુ વાંચો >

સગર્ભતા, અન્યત્રી (ectopic pregnancy)

Jan 1, 2007

સગર્ભતા, અન્યત્રી (ectopic pregnancy) : ગર્ભાશયના પોલાણને બદલે અન્ય સ્થળે ફલિત અંડકોષનું અંત:સ્થાપન થવું અને ગર્ભશિશુ રૂપે વિકસવું તે. ફલિત થયેલો અંડકોષ ભ્રૂણ તરીકે વિકસે માટે કોઈ યોગ્ય સપાટી પર સ્થાપિત થાય તેને અંત:સ્થાપન (implantation) કહે છે. સામાન્ય રીતે ફલિત અંડકોષ ગર્ભાશયના ઘુમ્મટ(fundus)ની પાસે આગળ કે પાછળની દીવાલ પરની ગર્ભાશયાંત:કલા(endometrium)માં…

વધુ વાંચો >