ખંડ ૨૨

સઆદત યારખાન ‘રંગીન’થી સાગ

સચિવ/સચિવો

સચિવ/સચિવો : વહીવટી કચેરીનો વડો યા વહીવટી કચેરીના ઉચ્ચ કક્ષાના અમલદારોનો વર્ગ. કોઈ પણ સરકાર અને તેનું વહીવટીતંત્ર બહુધા સચિવો દ્વારા ચાલે છે. સચિવોનું કાર્યાલય તે સચિવાલય. સચિવોને ઊંચી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતા ધરાવનારા અનુભવી અને કાબેલ વ્યક્તિઓ માનવામાં આવે છે. સામાન્ય રીતે જાહેર સનદી સેવાની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તાલીમ…

વધુ વાંચો >

સચિવાલય

સચિવાલય : વહીવટીતંત્રનો સર્વોચ્ચ એકમ અને કોઈ પણ સંસ્થા કે સરકારનું મુખ્ય વહીવટી કાર્યાલય. તેના વહીવટી વડા સચિવો હોવાથી સચિવોનું કાર્યાલય તે સચિવાલય. રોજબરોજનાં વહીવટી કાર્યોનું સંચાલન સરળ અને કાર્યક્ષમ બને તે માટે સચિવાલય હોય છે. આથી તેની કામગીરીમાં વહીવટની વિવિધ અને વ્યાપક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. તેની રચના સોપાનિક…

વધુ વાંચો >

સચ્ચિદાનંદન, કે.

સચ્ચિદાનંદન, કે. (જ. 28 મે 1946, પુલ્લુટ, જિ. થ્રિસુર, કેરળ) : મલયાળમ કવિ અને વિવેચક. તેમણે કાલિકટ યુનિવર્સિટીમાંથી પ્રાણીશાસ્ત્રમાં બીએસ.સી.; કેરળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. તથા કાલિકટ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી છે. હાલ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીમાં સેક્રેટરી. 1979-92 સુધી ક્રિસ્ટ કૉલેજ ઇરિન્જલકુડામાં અંગ્રેજીના પ્રાધ્યાપક; કાલિકટ યુનિવર્સિટીની ભાષાવિદ્યાશાખાના સભ્ય; મલયાળમ…

વધુ વાંચો >

સચ્ચિદાનંદન, પી.

સચ્ચિદાનંદન, પી. (જ. 17 ઑક્ટોબર 1936, ઇરિંજલકુડા, જિ. તિસ્સાર, કેરળ) : મલયાળમ લેખક. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી બી.ઈ.ની ડિગ્રી મેળવી, ઇજનેર તરીકે જોડાયા અને સેવાનિવૃત્ત થયા. તેમણે સેન્ટ્રલ વૉટર કમિશનના ડિરેક્ટર તરીકે કામગીરી કરી. ‘આનંદ’ તેમનું તખલ્લુસ છે. તેમણે અત્યાર સુધીમાં 14 ગ્રંથો આપ્યા છે. ‘અલ્ક્કુટમ્’ (1970); ‘મરણ સર્ટિફિકેટ’ (1974); ‘ઉત્તરાયણમ્’…

વધુ વાંચો >

સજાગતા (ચેતના – consciousness) અને તેની અવસ્થાઓ

સજાગતા (ચેતના – consciousness) અને તેની અવસ્થાઓ : વ્યક્તિની સચેતતા અને તેની વિવિધ સ્થિતિઓ. સજાગતા અથવા ચેતના અથવા બોધસ્તરની ચર્ચા તત્વજ્ઞાનીઓ માટે ઊંડી ચર્ચાનો વિષય રહી છે. સજાગતા અને અજાગ્રતતા, ચેતન અને જડ, મન અને શરીરના સંબંધ વિશેની ચર્ચાઓમાંથી તત્વજ્ઞાનમાં એકતત્વવાદ, દ્વૈતવાદ, વિચારવાદ, ભૌતિકવાદ, ચૈતન્યવાદ, યંત્રવાદ જેવી અનેક વિચારધારાઓ ઊપજી…

વધુ વાંચો >

સજાતીયતા (homosexuality)

સજાતીયતા (homosexuality) : સમાન લિંગની વ્યક્તિઓ (પુરુષ અને પુરુષ અથવા સ્ત્રી અને સ્ત્રી) વચ્ચે ઊપજતા જાતીય આકર્ષણ અને જાતીય સમાગમ સુધીના સંબંધો. પુરુષ અન્ય પુરુષમાં અથવા સ્ત્રી અન્ય સ્ત્રીમાં કામુક રસ લે અને એની સાથે પ્રગટ કામુક વ્યવહારો કરે તે સજાતીયતા. આધુનિક મત પ્રમાણે, જે વ્યક્તિની પ્રાથમિક મનોવૈજ્ઞાનિક, આવેગિક, સામાજિક…

વધુ વાંચો >

સજાના સિદ્ધાંતો

સજાના સિદ્ધાંતો : રાજ્યે જે કરવા પર નિષેધ ફરમાવ્યો હોય તે કાર્ય એટલે કે અપરાધ કરવા સામે તેમ કરનારને રાજ્ય દ્વારા દુ:ખ પહોંચાડવાનાં અધિકૃત સામાજિક કાર્યોને લગતા રાજ્ય દ્વારા વખતોવખત નિર્ધારિત કરાતા નિયમો. અપરાધ નિષિદ્ધ કાર્ય કરીને (દા.ત., હુમલો, ચોરી) અથવા કાર્યલોપ કરીને (by omission to do) દા.ત., બાળકને ખોરાક…

વધુ વાંચો >

સજાશાસ્ત્ર (penology)

સજાશાસ્ત્ર (penology) : ગુનાઓને અટકાવવા માટે અને/અથવા ઘટાડવા માટેના સજા અને ઉપચાર સ્વરૂપના ઉપાયો સંબંધી અભ્યાસ કરતું શાસ્ત્ર. આધુનિક સજાશાસ્ત્ર ગુનાશાસ્ત્રની એક એવી શાખા છે, જે ગુનાઓની શક્ય રોકથામ અને નિયંત્રણના હેતુથી ન્યાયિક કાર્યવહી દ્વારા ગુનેગાર ઠરેલી વ્યક્તિઓ સાથે સજા, ઉપચાર કે તાલીમ (નવઘડતર) સ્વરૂપે વહેવાર કરવા અંગેની નીતિઓ તથા…

વધુ વાંચો >

સજીવ ખેતી

સજીવ ખેતી : સજીવો (સચેતનો, સેન્દ્રિયો) દ્વારા થતી ખેતી. અપ્રાકૃતિક, પરાવલંબી રાસાયણિક ખેતીથી જુદી આ સ્વાવલંબી પ્રાકૃતિક પદ્ધતિ છે – તેમ તે ચીંધે છે. આને ‘પ્રાકૃતિક’, ‘પર્યાવરણ-મિત્ર’ કે ‘બિન-રાસાયણિક’ ખેતી પણ કહે છે. ચિરંતન પરંપરાગત ખેતી પાછળનું તત્વદર્શન અને સૃદૃષ્ટિવિજ્ઞાન પારખીને, પ્રસંગવશાત્ સુધારાતી રહેતી આ પદ્ધતિ વીસમી સદીની છેલ્લી વીશીથી…

વધુ વાંચો >

સજ્જાદ હૈદર, યલદ્દમ

સજ્જાદ હૈદર, યલદ્દમ (જ. 1880, લખનૌ; અ. 11 એપ્રિલ 1943, લખનૌ) : ઉર્દૂ ગદ્યના શ્રેષ્ઠ શૈલીકાર અને ઉર્દૂ ટૂંકી વાર્તાના અગ્રયાયી. તેમણે 1901માં અલીગઢની એમ.એ.ઓ. કૉલેજમાંથી સ્નાતકની પદવી મેળવી. 1904થી 1907 તેઓ બગદાદ ખાતે બ્રિટિશ કૉન્સલમાં તુર્કીના દુભાષિયા તરીકે અને 1908થી 1914 સુધી અફઘાનિસ્તાનના પદભ્રષ્ટ સુલતાન અમીર યાકુબખાનના આસિસ્ટન્ટ પોલિટિકલ…

વધુ વાંચો >

સઆદત યારખાન ‘રંગીન’

Jan 1, 2007

સઆદત યારખાન ‘રંગીન’ [જ. 1756, સરહિંદ (પંજાબ); અ. 1834, બંડા] : ઉર્દૂ કવિ. તેઓ ફારસી ઉમરાવ તહ્માસપ બેગ ખાનના પુત્ર હતા. તેમના અવસાન બાદ ‘રંગીન’ દિલ્હી ગયા અને લશ્કરમાં જોડાયા. ત્યાં તીરંદાજી અને ઘોડેસવારીમાં નિપુણતા મેળવી. તેઓ ઘોડાઓની જાતના સારા પારખુ હતા. 1787માં તેઓ નોકરી છોડી ભરતપુર ગયા અને બે…

વધુ વાંચો >

સઆલિબી

Jan 1, 2007

સઆલિબી (જ. 961, નિશાપુર; અ. 1039) : અરબી ભાષાના લેખક, કવિ અને ભાષાશાસ્ત્રી. મૂળ નામ અબૂ મન્સૂર અબ્દુલ મલિક બિન મોહમ્મદ બિન ઇસ્માઇલ સઆલિબી. તેઓ આર્થિક દૃષ્ટિએ સામાન્ય કક્ષાના હતા. તેઓ ચામડાનાં વસ્ત્રો બનાવતા હતા. વળી, દરજીકામ સાથે બાળકોને શિક્ષણ આપવાનું કામ પણ તેઓ કરતા હતા. જ્યારે સઆલિબીએ શરૂઆતમાં લહિયા…

વધુ વાંચો >

સઈદ, એડ્વર્ડ

Jan 1, 2007

સઈદ, એડ્વર્ડ (જ. 1 નવેમ્બર 1935, ?; અ. 25 સપ્ટેમ્બર 2003) : પ્રખર વિવેચક અને કર્મશીલ. મૂળ પૅલેસ્ટાઇનના ખ્રિસ્તી એડ્વર્ડ સઈદ ઇઝરાયલના જન્મ પૂર્વે જેરૂસલેમમાંથી નિર્વાસિત બન્યા હતા. પ્રારંભે કેરો યુનિવર્સિટીના અને પછી અમેરિકાની પ્રિન્સટન અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક અને અનુસ્નાતક પદવીઓ મેળવી. શિક્ષણનું ક્ષેત્ર પસંદ કરી તેઓ તુલનાત્મક સાહિત્યના…

વધુ વાંચો >

સઈદ નફીસી

Jan 1, 2007

સઈદ નફીસી (જ. તહેરાન) : આધુનિક ફારસી લેખક, વિવેચક અને ઇતિહાસકાર. વીસમા સૈકાના સૌથી વધુ પ્રભાવશાળી સાહિત્યકારોમાંના એક. અગિયાર પેઢી અગાઉ તેમનું કૌટુંબિક નામ બુરહાનુદ્દીન નફીસી હતું. આ બુરહાનુદ્દીન નવમા સૈકાના પ્રખ્યાત તબીબ હતા અને તેમણે પ્રાચીન વૈદકશાસ્ત્રના વિષયે ‘શર્હે અસ્બાબ’ નામનું પુસ્તક લખ્યું હતું, જેની ગણના ઈરાનની પ્રશિષ્ટ કૃતિઓમાં…

વધુ વાંચો >

સઈદ મિર્ઝા

Jan 1, 2007

સઈદ મિર્ઝા (જ. 30 જૂન, 1944, મુંબઈ) : ચિત્રપટસર્જક. પિતા અખ્તર મિર્ઝા હિંદી ચિત્રોના જાણીતા પટકથાલેખક હતા. સઈદ મિર્ઝાએ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી 1965માં અર્થશાસ્ત્ર અને પૉલિટિકલ સાયન્સ સાથે સ્નાતક થયા બાદ એક વિજ્ઞાપન-કંપનીમાં જોડાઈને કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ત્યાં સાત વર્ષ કામ કર્યા બાદ ચિત્રસર્જનના અભ્યાસ માટે પુણેની ફિલ્મ…

વધુ વાંચો >

સઈદ્દીન, ખ્વાજા ગુલામ-ઉસ

Jan 1, 2007

સઈદ્દીન, ખ્વાજા ગુલામ–ઉસ (જ. 1904, પાણિપત [હરિયાણા]; અ. 1971) : ઉર્દૂ શિક્ષણશાસ્ત્રી અને ગદ્યલેખક. તેમને તેમના ‘આંધી મેં ચિરાગ’ નામક નિબંધસંગ્રહ (1962) માટે 1963ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. 1921માં તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. પાછળથી તેમણે લીડ્ઝ યુનિવર્સિટી(યુ.કે.)માંથી એમ.એડ. કર્યું. 1962માં તેમણે મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ડી.લિટ.(સન્માનાર્થે)ની…

વધુ વાંચો >

સકમારિયન કક્ષા

Jan 1, 2007

સકમારિયન કક્ષા : રશિયાની નિમ્ન પર્મિયન શ્રેણીના પશ્ચાત્ ઍસ્સેલિયન નિક્ષેપોની જમાવટનો કાળ તથા તે અવધિ દરમિયાન થયેલી દરિયાઈ જમાવટની કક્ષા. પર્મિયન કાળ વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થઈને વ. પૂ. 22.5 કરોડ વર્ષ સુધી ચાલેલો. આ કક્ષાને દુનિયાભરની સમકક્ષ જમાવટો માટે પ્રમાણભૂત દરિયાઈ કક્ષા તરીકે ઘટાવાય છે. સકમારિયન…

વધુ વાંચો >

સકરટેટી (ખડબૂચું)

Jan 1, 2007

સકરટેટી (ખડબૂચું) : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબિટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cucumis melo Linn. (સં. ષડ્ભુજા, મધુપાકા; મ. ખરબૂજ, કાંકડી, અકરમાશી; હિં. ખરબૂજા; ગુ. સકરટેટી, ખડબૂચું; બં. ખરમુજ; ક. ષડ્ભુજા સૌતે; તે. ખરબૂનાડોસા, પુત્ઝાકોવા; તા. મુલામ્પાઝામ; ફા. ખુરપુજા; અં. મસ્ક મેલન, સ્વીટ મેલન) છે. તે એકવર્ષાયુ, આરોહી કે…

વધુ વાંચો >

સકાળ

Jan 1, 2007

સકાળ : મરાઠી દૈનિક. પ્રારંભ 1-1-1932. સ્થાપક તંત્રી નાનાસાહેબ પરુળેકર. દેશ સ્વતંત્ર થયો તે અગાઉ લગભગ 17 વર્ષ પહેલાં પુણેમાં શરૂ થયેલું અખબાર ‘સકાળ’ (‘સકાળ’ એટલે વહેલી સવાર), હાલ વર્ષ 2006માં 74 વર્ષ પૂરાં કરી 75મા વર્ષમાં પ્રવેશ્યું છે અને તેનો અમૃત મહોત્સવ ઊજવાઈ રહ્યો છે. ‘સકાળ’ માત્ર એક અખબાર…

વધુ વાંચો >

સક્કારી બાલાચાર્ય

Jan 1, 2007

સક્કારી બાલાચાર્ય (જ. 1856, સકેતનહલ્લી, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 1920) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેઓ સનાતની વૈષ્ણવ પરિવારના હતા અને તેમનું તખલ્લુસ ‘શાંત કવિ’ હતું. તેમણે ઘર- મેળે સંસ્કૃતનું શિક્ષણ મેળવ્યું હતું. તેમને કન્નડ અને સંસ્કૃતમાં સારું એવું શિક્ષણ અને ધારવાડની શિક્ષક અધ્યાપન કૉલેજમાં તાલીમ મેળવ્યાં હતાં. 40 વર્ષ…

વધુ વાંચો >