શાહ, ભાનુભાઈ

શાહ, ભાનુભાઈ (જ. 1935, અમદાવાદ, ભારત) : આધુનિક ભારતીય ચિત્રકાર અને અમદાવાદના પતંગ-મ્યુઝિયમના સ્થાપક ક્યુરેટર. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ચિત્રકલાની સ્નાતક તથા મ્યુઝિયોલૉજીની અનુસ્નાતક પદવીઓ હાંસલ કરી. ત્યારબાદ 1965થી તેઓ અમદાવાદના પ્રસિદ્ધ ગુજરાત મ્યુઝિયમ સોસાયટીના ક્યુરેટર બન્યા. આ પદે તેઓ 1992 સુધી ચાલુ રહ્યા. આ સાથે…

વધુ વાંચો >

શાહ, મધુરીબહેન

શાહ, મધુરીબહેન (જ. 13 ડિસેમ્બર 1919, રાણપુર, સૌરાષ્ટ્ર; અ. 29 જૂન 1989) : કેળવણીકાર અને શિક્ષણના વહીવટદાર. જૈન ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પિતા છોટાલાલ કોઠારી અને માતા સમતાબહેન કોઠારી. શાળાના ઔપચારિક શિક્ષણ પૂર્વે મધુરીબહેનને એક પારસી શિક્ષિકા પાસેથી ઘરમાં જ અનૌપચારિક શિક્ષણ મળેલું. શાલેય શિક્ષણ મુંબઈની ઍલેક્ઝાન્ડ્રા ઇંગ્લિશ સ્કૂલમાં લીધું. વિદ્યાર્થિની…

વધુ વાંચો >

શાહ, મનુભાઈ દલસુખભાઈ

શાહ, મનુભાઈ દલસુખભાઈ (જ. 25 ઑગસ્ટ 1930, વઢવાણ સિટી) : કાપડ-ઉદ્યોગના વ્યવસ્થાપનક્ષેત્રે કીર્તિ પ્રાપ્ત કરનાર નિષ્ણાત તથા ગ્રાહક સુરક્ષાના ભેખધારી. પિતા દલસુખભાઈ અમદાવાદમાં કાપડનો વ્યાપાર કરતા હતા. માતાનું નામ દીપુબહેન. વર્ષ 1948માં અમદાવાદની ન્યૂ હાઈસ્કૂલ શાળામાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા  પછી ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસાર્થે 1948માં દાખલ થયા અને વર્ષ…

વધુ વાંચો >

શાહ, મનુભાઈ મનસુખલાલ

શાહ, મનુભાઈ મનસુખલાલ (જ. 1 નવેમ્બર 1915, સુરેન્દ્રનગર; અ. 28 ડિસેમ્બર 2000, ન્યૂ દિલ્હી) : ગુજરાતના સ્વાતંત્ર્યસેનાની, દેશના ઉદ્યોગ-વિકાસના પ્રણેતા અને દૂરંદેશી રાજપુરુષ. પિતા મનસુખલાલ. માતા ઇચ્છાબહેન. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણ કૅમ્પ ઇંગ્લિશ નિશાળમાં લીધું હતું. કાયમ અવ્વલ નંબર રાખતા. મુંબઈ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ ટૅક્નૉલૉજી(UDTC)માંથી ભૌતિકશાસ્ત્ર અને રસાયણ-શાસ્ત્રના…

વધુ વાંચો >

શાહમૃગ (ostrich)

શાહમૃગ (ostrich) : આજે હયાતી ધરાવતું સૌથી મોટા કદનું જાણીતું પક્ષી. ત્રણ મીટર જેટલી ઊંચાઈ ધરાવતા આ પક્ષીનો સમાવેશ Struthioniformes શ્રેણીનાં Struthionidae કુળમાં થાય છે. શાસ્ત્રીય નામ છે Struthio camelus. તે મુખ્યત્વે પૂર્વ અને દક્ષિણ આફ્રિકાનાં ડુંગર, રણ અને વનસ્પતિની અછત હોય તેવા પ્રદેશમાં વસે છે. તેની પાંખ અત્યંત નાની…

વધુ વાંચો >

શાહ, મેઘજીભાઈ પેથરાજ

શાહ, મેઘજીભાઈ પેથરાજ (જ. 15 સપ્ટેમ્બર 1904, ડબાસંગ, જામનગર; અ. 30 જુલાઈ 1964, લંડન) : સાહસિક ઉદ્યોગપતિ અને દાનવીર. જૈન ઓસવાલ જ્ઞાતિના સામાન્ય વ્યાપારી પેથજીભાઈને ત્યાં જન્મ. પ્રાથમિક શિક્ષણ ડબાસંગમાં લીધું હતું. 11મા વર્ષે માસિક રૂપિયા આઠના પગારથી શાળામાં શિક્ષક તરીકે જોડાયા હતા. 1919માં બે વર્ષની બંધણીથી ઇમ્તિયાઝ ઍન્ડ સન્સની…

વધુ વાંચો >

શાહ, રમણલાલ ચી.

શાહ, રમણલાલ ચી. (જ. 3 ડિસેમ્બર 1926, પાદરા, જિ. વડોદરા; અ. 24 ઑક્ટોબર 2005, મુંબઈ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના સંશોધક, પ્રવાસકથાઓના લેખક તેમજ જૈનદર્શનના ઊંડા અભ્યાસી. પિતાનું નામ ચીમનલાલ, માતાનું નામ રેવાબહેન. પ્રાથમિક શાળાનો અભ્યાસ પાદરાની સરકારી શાળામાં. માધ્યમિકથી મૅટ્રિક સુધીનું શિક્ષણ મુંબઈમાં. 1948માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ., 1950માં…

વધુ વાંચો >

શાહ, રમેશચંદ્ર

શાહ, રમેશચંદ્ર (જ. મે 1937, અલમોરા, ઉત્તરપ્રદેશ) : હિંદી લેખક. તેમણે અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રીઓ મેળવી. તેઓ ગવર્નમેન્ટ હમિદિયા કૉલેજ, ભોપાલમાંથી પ્રાધ્યાપક તથા અંગ્રેજી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા. હાલ તેઓ નિરાલા સૃજનપીઠ, ભારતભવન, ભોપાલના નિયામક તરીકે કાર્યરત છે. તેઓ 1996-97માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડ્વાન્સ્ડ સ્ટડીઝ, શિમલાના…

વધુ વાંચો >

શાહ, રાજેન્દ્ર કેશવલાલ

શાહ, રાજેન્દ્ર કેશવલાલ (જ. 28 જાન્યુઆરી 1913, કપડવણજ) : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતાને નવો વળાંક આપનાર પ્રમુખ કવિ. પિતા કેશવલાલ વ્યવસાયે વકીલ. સાદરામાં પ્રથમ સરકારી વકીલ તરીકે રહ્યા પછી તે કાળે વડોદરાના ભાદરવા રાજ્યમાં જજ તરીકે નિયુક્ત થયા. અહીં શ્રેયસ્સાધક વર્ગના પરિચયમાં આવ્યા અને પોતાની ધર્મપિપાસાને કારણે શ્રીમન્નૃસિંહાચાર્યના અંતરંગ વર્તુળમાં પ્રવેશ…

વધુ વાંચો >

શાહ રૂખ મીર તાજમોહમદ ખાન 

શાહ રૂખ મીર તાજમોહમદ ખાન  (જ. 2 નવેમ્બર 1965, દિલ્હી) : ફિલ્મ અભિનેતા. એસ.આર.કે. તરીકે જાણીતા અભિનેતા શાહરૂખ ખાનના પિતા મીર તાજમોહમદ પેશાવરના એક સ્વાતંત્ર્યસેનાની હતા. અને ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ સાથે સંકળાયેલી તથા ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાતા ખાન અબ્દુલ ગફારખાનની સંસ્થા ‘ખુદાઈ ખીતમગાર’ના સક્રિય સભ્ય હતા. એમણે આઝાદીના આંદોલનમાં પણ…

વધુ વાંચો >

શાહ, કે. ટી.

Jan 12, 2006

શાહ, કે. ટી. (જ. 20 ફેબ્રુઆરી 1888, માંડવી, કચ્છ; અ. 10 માર્ચ 1953, મુંબઈ) : ભારતના અગ્રણી અર્થશાસ્ત્રી, પ્રખર દેશભક્ત તથા આર્થિક આયોજનના હિમાયતી. મૂળ ગુજરાતના કચ્છ પ્રદેશના વતની. આખું નામ ખુશાલ તલકસી શાહ. પ્રાથમિક, માધ્યમિક અને અર્થશાસ્ત્રમાં બી.એ. સુધીનું ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં લીધા બાદ વધુ શિક્ષણ…

વધુ વાંચો >

શાહ, ગજેન્દ્ર

Jan 12, 2006

શાહ, ગજેન્દ્ર (જ. 1937, સાદરા, ગુજરાત) : ગુજરાતના આધુનિક  ચિત્રકાર. મૅટ્રિક્યુલેશન પછી 1956માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1961માં ત્યાંથી ચિત્રકલાનો ડિપ્લોમા હાંસલ કર્યો. ત્યારબાદ પહેલાં દિલ્હીમાં અને પછી અમદાવાદમાં 1961થી 1996 સુધી મકાનોની સજાવટ કરવાનો ઇન્ટિરિયર ડિઝાઇનરનો હુન્નર સ્વીકાર્યો અને 35 વરસ આ…

વધુ વાંચો >

શાહ ગઝની

Jan 12, 2006

શાહ, ગઝની (જ. ?, અ. ઈ.સ. 1512, અમદાવાદ) : અમદાવાદના સોળમી સદીના મુસ્લિમ સંત. ગુજરાતના સ્વતંત્ર સુલતાનોના શાહ ગઝની ઘણા જ નજીકના સગા થતા હતા. પરિણામે તેઓ અત્યંત ગર્વિષ્ઠ બની ગયેલા અને આમપ્રજાને પજવતા હતા. એક વખત તો તેમણે સંત શાહઆલમસાહેબના એક મુરીદ (સેવક) શેખ અહમદ પાસેથી પૈસા ખૂંચવી લીધા…

વધુ વાંચો >

શાહ, ગુણવંત

Jan 12, 2006

શાહ, ગુણવંત (જ. 12 માર્ચ 1937, સૂરત) : જાણીતા ગુજરાતી સાહિત્યકાર. સારા વક્તા અને ચિંતક. લલિત નિબંધોના લેખનમાં તેમણે એક આગવી મુદ્રા ઉપસાવી છે. માતાનું નામ પ્રેમીબહેન. પિતાનું નામ ભૂષણલાલ. પિતા વ્યવસાયે શિક્ષક હોવાના કારણે સદ્વાચન, શિક્ષણ અને સાહિત્યના સંસ્કાર તેમને બાળપણથી જ મળ્યા. બી.એસસી. અને એમ.એડ. સુધીનો ઉચ્ચ અભ્યાસ…

વધુ વાંચો >

શાહ, ચુનીલાલ વર્ધમાન

Jan 12, 2006

શાહ, ચુનીલાલ વર્ધમાન (જ. 2 મે 1887, વઢવાણ, સૌરાષ્ટ્ર; અ. 12 મે 1966, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, પત્રકાર વાર્તાકાર અને વિવેચક. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વઢવાણમાં. 1903માં મૅટ્રિક થયા બાદ કર્મભૂમિ તરીકે અમદાવાદ પસંદ કર્યું. તેમણે ‘રાજસ્થાન’ અને ‘જૈનોદય’ પત્રોનું સંપાદનકાર્ય કરેલું. એના સંપાદકીય અનુભવોના આધારે 1919માં ‘ગુજરાત સમાચાર’ તરફથી…

વધુ વાંચો >

શાહ, જગુભાઈ

Jan 12, 2006

શાહ, જગુભાઈ (જ. 1916, ટીંબડી, ગિરનાર નજીક, ગુજરાત; અ. 22 મે 2001, અમેરિકા) : ગુજરાતના ચિત્રકાર અને કલાગુરુ. માતા લાધીબાઈ અને પિતા ભીમજીભાઈ આઝાદીના લડવૈયા હતા; પરંતુ જગુભાઈના બાળપણ દરમિયાન જ તેમનાં માબાપનું મૃત્યુ થયું; તેથી માંગરોળ(સૌરાષ્ટ્ર)માં રહેલાં તેમનાં માશીએ તેમને પોતાને ત્યાં જ બોલાવી લઈને તેમને અંગ્રેજી ધોરણ પાંચ…

વધુ વાંચો >

શાહ, જયાબહેન વજુભાઈ

Jan 12, 2006

શાહ, જયાબહેન વજુભાઈ (જ. 1 ઑક્ટોબર 1922, ભાવનગર) : સ્વાતંત્ર્યસૈનિક તથા હિન્દીપ્રચાર, ખાદીપ્રચાર, હરિજનસેવા, મહિલાવિકાસપ્રવૃત્તિ અને ગ્રામવિદ્યાપીઠમાં મહત્વનું યોગદાન આપનાર ગુજરાતનાં ગાંધીવિચારનિષ્ઠ મહિલા કાર્યકર. પિતા ત્રિભુવનદાસ અને માતાનું નામ લક્ષ્મીબહેન હતું. રાજનીતિ અને અર્થશાસ્ત્ર સાથે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ગુજરાતના જાણીતા રાજકીય આગેવાન અને રચનાત્મક કાર્યકર શ્રી વજુભાઈ શાહ…

વધુ વાંચો >

શાહજહાનપુર

Jan 12, 2006

શાહજહાનપુર : ઉત્તરપ્રદેશના ઉત્તર ભાગમાં નૈર્ઋત્ય નેપાળની દક્ષિણે રોહિલખંડ વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 27° 28´થી 28° 28´ ઉ. અ. અને 79° 17´ થી 80° 23´ પૂ. રે. વચ્ચેનો 4,575 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાની સરહદ રાજ્યના બીજા…

વધુ વાંચો >

શાહજહાં

Jan 12, 2006

શાહજહાં : જાણીતા બંગાળી નાટકકાર કવિ દ્વિજેન્દ્રલાલ રાય(1863-1913)નું પ્રસિદ્ધ ઐતિહાસિક નાટક. તેમનું રામાયણ-આધારિત ‘સીતા’ નાટક પણ અત્યંત વિખ્યાત છે. રાજપૂત ઇતિહાસના આધારે તેમણે ‘પ્રતાપસિંહ’ નાટક લખ્યું છે. ગુજરાતીમાં તેનો ઝવેરચંદ મેઘાણીએ ‘રાણો પ્રતાપ’ (1923) નામથી અનુવાદ કર્યો છે. દ્વિજેન્દ્રલાલનું મૂળ ‘સાજાહન’(1910)નો ‘શાહજહાં’ (1927) નામે મેઘાણીનો જ અનુવાદ મળે છે. આ…

વધુ વાંચો >

શાહજહાં

Jan 12, 2006

શાહજહાં (જ. 15 જાન્યુઆરી 1592, લાહોર; અ. 22 જાન્યુઆરી 1666, આગ્રા) : શહેનશાહ જહાંગીરનો પુત્ર અને પાંચમો મુઘલ સમ્રાટ. તેનું મૂળ નામ ખુર્રમ હતું. તેની માતા મારવાડના નરેશ ઉદયસિંહની પુત્રી હતી. ખુર્રમ અકબરને બહુ પસંદ હતો. તેણે સૂફી વિદ્વાનો પાસે અભ્યાસ કર્યો હતો. તેને તીરંદાજી, પટ્ટાબાજી અને ઘોડેસવારીમાં વધુ રસ…

વધુ વાંચો >