વ્યાસ, કાન્તિલાલ બ.
વ્યાસ, કાન્તિલાલ બ. (જ. 21 નવેમ્બર 1910, હાજીપુર; અ. 23 જુલાઈ 1991, વીરમગામ) : ગુજરાતના અગ્રણી ભાષાશાસ્ત્રી અને સંશોધક. વતન વીરમગામ. અમદાવાદની ગુજરાત કૉલેજમાંથી ઈ.સ. 1930માં બી. એ. થયા અને સૂરતની એમ. ટી. બી. કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે અને સમાજવિદ્યા વિષયમાં એમ બે વાર એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. સાક્ષર શ્રી…
વધુ વાંચો >વ્યાસ, કિરણભાઈ લાભશંકર
વ્યાસ, કિરણભાઈ લાભશંકર (જ. 31 માર્ચ 1944, લખતર, જિ. સુરેન્દ્રનગર) : વિદેશસ્થિત ભારતીય સંસ્કૃતિના પ્રસારક. મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વતની. ત્યાં જ રૂઢિચુસ્ત બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. એમના પિતાનું નામ લાભશંકર. એ સ્વાતંત્ર્ય-સેનાની હતા. માતાનું નામ ચંદ્રકલાબહેન. લાભશંકર વ્યાસ થામણાની સ્કૂલમાં શિક્ષક હતા. ત્યાંથી સાબરમતી ગયા. 1942માં જેલ ભોગવી. પછી…
વધુ વાંચો >વ્યાસ, કિશોરભાઈ દયાશંકર
વ્યાસ, કિશોરભાઈ દયાશંકર (જ. 13 નવેમ્બર 1942, સાવરકુંડલા, જિ. અમરેલી; અ. 16 જૂન 1999, ડૂસલડૉફ, જર્મની) : ભારતના ઉદ્યોગક્ષેત્રના એક અગ્રણી. માતા મોંઘીબહેન, પિતા દયાશંકર વ્યાસ. 1972માં હર્ષદાબહેન સાથે લગ્ન થયાં. ધોરણ નવ સુધીનો અભ્યાસ ખડસલી લોકશાળામાં કર્યો. ધોરણ દસ-અગિયાર સાવરકુંડલા હાઈસ્કૂલમાં ભણ્યા. બેચલર્સ ડિગ્રી ઇન મિકેનિકલ ઍૅન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર.…
વધુ વાંચો >વ્યાસ, ગિજુભાઈ
વ્યાસ, ગિજુભાઈ (જ. 23 એપ્રિલ 1922, દીવ; અ. 6 માર્ચ 2002) : ઉચ્ચરિત શબ્દોના બેતાજ બાદશાહ. એમનું કુટુંબ મુંબઈ આવ્યું. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની વિવિધ શાળાઓમાં લીધું. 1944માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક થયા. આગળ ભણવાની હોંશ હતી, પણ એ જ વખતે પિતાને ધંધામાં ભારે ખોટ ગઈ. પોતાનાં…
વધુ વાંચો >વ્યાસ, ગૌરાંગ
વ્યાસ, ગૌરાંગ (જ. 24 નવેમ્બર, 1938) : ગુજરાતી ચલચિત્રસંગીત તથા સુગમસંગીતના અગ્રણી પ્રયોગશીલ સ્વરનિયોજક અને ગાયક કલાકાર. સંગીતના ક્ષેત્રમાં પિતાનો વારસો પુત્રે દીપાવ્યો હોય એવી વિરલ ઘટના ગૌરાંગ વ્યાસના નામ સાથે જોડાયેલી છે. પિતાનું નામ અવિનાશ અને માતાનું નામ વસુમતી. ગળથૂથીમાંથી સંગીતના સંસ્કાર પ્રાપ્ત કરેલ ગૌરાંગ પાંચ વર્ષની વયે હાર્મોનિયમ…
વધુ વાંચો >વ્યાસ, ચિન્તામણિ
વ્યાસ, ચિન્તામણિ (જ. 1933, ખિમ્લાસા; જિલ્લો સોગાર, મધ્ય પ્રદેશ) : આધુનિક ભારતીય ચિત્રકાર. નવી દિલ્હીની કૉલેજ ઑવ્ ફાઇન આર્ટમાંથી ચિત્રકારનો ડિપ્લોમા મેળવ્યો. આધુનિક નગરજીવનની વિટંબણાઓને ચીતરવા માટે તે જાણીતા છે. તેમણે પોલૅન્ડ, દિલ્હી, મુંબઈ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હૈદરાબાદ અને અમેરિકામાં પોતાનાં ચિત્રોનાં ઘણાં વૈયક્તિક પ્રદર્શનો કર્યાં છે. 1983થી 1987 સુધી અમેરિકામાં…
વધુ વાંચો >વ્યાસ, જયનારાયણ
વ્યાસ, જયનારાયણ (જ. 1898; અ. 1963) : અગાઉના જોધપુર રાજ્યના વડાપ્રધાન અને રાજસ્થાનના મુખ્યમંત્રી. તેમના પિતાશ્રી સેવારામ વ્યાસ અગાઉના જોધપુર રાજ્યના રેલવે ખાતામાં સામાન્ય અધિકારી હતા. તે રૂઢિચુસ્ત પુષ્કર્ણા જ્ઞાતિના હતા. તે પંજાબ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા આપવા માર્ચ 1919માં દિલ્હી ગયા, ત્યાં સુધી ખાસ બહાર ગયા ન હતા. દિલ્હીમાં 30…
વધુ વાંચો >વ્યાસ, જયનારાયણ
વ્યાસ, જયનારાયણ (જ. 14 એપ્રિલ 1947, વીરમગામ) : જનસેવામાં પ્રવૃત્ત તજ્જ્ઞ અને કુશળ વહીવટકર્તા. તેમના પિતા નર્મદાશંકર રેલવેમાં સેવા આપતા હતા. જ્યારે શિસ્તનાં આગ્રહી માતા પદ્માવતી ગૃહકાર્ય સંભાળતાં હતાં. પ્રાથમિક તથા એસ.એસ.સી. સુધીનું શિક્ષણ રાજપુર અને સિદ્ધપુરમાં પૂરું કર્યું. 1969માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી બી.ઈ.(સિવિલ)ની પદવી મેળવી. 1971માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ…
વધુ વાંચો >વ્યાસ, ત્રિભુવન ગૌરીશંકર
વ્યાસ, ત્રિભુવન ગૌરીશંકર (જ. 22 મે 1888, સેંજળ, જિ. ભાવનગર; અ. 4 જુલાઈ 1975, રાજકોટ) : ગુજરાતી કવિ. પિતાનું નામ ગૌરીશંકર સુંદરજી વ્યાસ; માતાનું નામ જયકુંવર હીરજી. જ્ઞાતિએ ખરેડી સમવાયના ઔદીચ્ય બ્રાહ્મણ. મૂળ વતન જૂના સાવર. પ્રાથમિક શિક્ષણ જૂના સાવરમાં. પણ શિક્ષકના મારકણા સ્વભાવને કારણે કંટાળીને, વતન છોડી, સાતમું ધોરણ…
વધુ વાંચો >વ્યાસ, નારાયણરાવ (પંડિત)
વ્યાસ, નારાયણરાવ (પંડિત) (જ. 4 એપ્રિલ 1902, કોલ્હાપુર; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગ્વાલિયર ઘરાણાના અગ્રણી ગાયક તથા કલાગુરુ. પિતા પંડિત શ્રીગણેશ સિતાર અને હાર્મોનિયમ વગાડવામાં નિપુણ હતા; જેમની પાસેથી બાલ્યાવસ્થામાં જ નારાયણરાવને (અને તેમના મોટા ભાઈ શંકરરાવને) શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. તેમણે…
વધુ વાંચો >વ્યારા
વ્યારા : ગુજરાત રાજ્યના સૂરત જિલ્લામાં આવેલો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 73° 24´ પૂ. રે. પર સૂરતથી પૂર્વ તરફ 65 કિમી. દૂર આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 813 ચોકિમી. જેટલું છે. તાલુકામાં વ્યારા ઉપરાંત 148 ગામો આવેલાં છે. તાલુકાનું…
વધુ વાંચો >વ્યારાવાલા, હોમાય
વ્યારાવાલા, હોમાય (જ. 9 ડિસેમ્બર 1913, નવસારી, ગુજરાત) : ગુજરાતનાં અગ્રણી મહિલા ફોટોગ્રાફર. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ ખાતેથી બી.એ. કરવા ઉપરાંત જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ ખાતેથી પેન્ટિંગનો ડિપ્લોમા અને કલાનો ટીચર્સ ડિપ્લોમા મેળવ્યા. ફોટોગ્રાફીનો શોખ અને આવડત પતિ માણેકશાના માર્ગદર્શન હેઠળ કેળવાયાં અને તેમના પાડેલા ફોટોગ્રાફ પ્રગટ થવા લાગ્યા…
વધુ વાંચો >વ્યારોધ (baffle)
વ્યારોધ (baffle) : પ્રવાહને અવરોધતું તંત્ર. ઘણાં વૈજ્ઞાનિક ઉપકરણોમાં આ પ્રકારની રચના આવશ્યક બને છે. ઉદાહરણ તરીકે, ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરતાં વિસરણ પંપ (diffusion pump) તરીકે ઓળખાતા પંપમાં આ પ્રકારની રચના દ્વારા પંપ દ્વારા ઉત્સર્જિત વાયુ(સામાન્ય રીતે પંપમાં વપરાતા તેલી પદાર્થના ઉત્કલન દ્વારા ઉદ્ભવેલ)ને શૂન્યાવકાશનું જેમાં નિર્માણ થતું હોય તે…
વધુ વાંચો >વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics)
વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics) : વ્યાવસાયિક રીતે યોગ્ય ગણાય તેવો વ્યવહાર કરવાને માટે ધારાશાસ્ત્રીઓએ તૈયાર કરેલા અમુક નિયમો. આચારસંહિતા એ નૈતિક નીતિ-નિયમોનું વિજ્ઞાન છે. આવા નિયમો કાયદાના વ્યવસાયે ઉપસ્થિત કરેલા હોય અથવા વરિષ્ઠ વકીલો પાસેથી નવા વકીલોએ મેળવેલા હોય અથવા તો બાર કાઉન્સિલના અથવા સૉલિસિટરોની શિસ્ત કમિટીના ચુકાદાઓમાંથી તારવેલા હોય.…
વધુ વાંચો >વ્યાવસાયિક બેદરકારી
વ્યાવસાયિક બેદરકારી : વ્યાવસાયિક કાર્ય કરતી વખતે સામાન્ય બુદ્ધિશાળી માણસ જેવું કૃત્ય કરે તેવું ન કરવું અથવા સામાન્ય બુદ્ધિશાળી માણસ ન કરે તેવું કૃત્ય કરવું તે. તેને વ્યાવસાયિક ઉપેક્ષા (professional negligence) પણ કહે છે. ઉપેક્ષા યાને બેદરકારી તે કાંઈક કરવામાં કસૂરનું કૃત્ય છે. બેદરકારીનો અર્થ અવિચારીપણું અગર ગફલત થતો નથી…
વધુ વાંચો >વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance)
વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance) : વ્યક્તિને પોતાનો વ્યવસાય (રોજગાર, નોકરી, વ્યાપારધંધો કે સ્વરોજગાર) પસંદ કરવામાં મદદ આપવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં (1) વિવિધ વ્યવસાય-ક્ષેત્રો, વ્યવસાયો અને તેની જરૂરિયાતો વિશે માહિતી મેળવવી; (2) માર્ગદર્શન માંગનાર વ્યક્તિની મુલાકાત લેવી; (3) તેની શરીરક્ષમતા, બુદ્ધિ, અભિયોગ્યતાઓ, અભિરુચિ અને વ્યક્તિત્વ માપવાં અને (4) તેના પ્રાપ્તાંકોનો અર્થ…
વધુ વાંચો >વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health)
વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health) : કામદારોની માનસિક, શારીરિક અને સામાજિક સુખાકારી(well-being)નું રક્ષણ, જાળવણી અને વર્ધન તથા તેમના કાર્યને લીધે થતા રોગો, વિકારો કે જોખમોનું પૂર્વનિવારણ. આમ તે મુખ્યત્વે પૂર્વનિવારણલક્ષી (preventive) તબીબીવિદ્યાનું એક અંગ છે. તેને વ્યાવસાયિક આરોગ્ય પણ કહે છે. સન 1950માં આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને વિશ્વઆરોગ્ય સંસ્થાની સંયુક્ત સમિતિએ…
વધુ વાંચો >વ્યાસ
વ્યાસ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા મહર્ષિ. ભગવાન વેદવ્યાસ તરીકે વિખ્યાત. ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે પણ સુશ્રુત. મહર્ષિ પરાશરના પુત્ર. માતાનું નામ સત્યવતી અથવા કાલી. કાલીના પુત્ર હોવાથી ‘કૃષ્ણ’ કહેવાયા અથવા શ્યામવર્ણના હોવાથી કૃષ્ણ કહેવાયા. એમનો જન્મ યમુનાદ્વીપમાં થયો હતો એટલે ‘દ્વૈપાયન’ કહેવાયા. આથી ‘કૃષ્ણદ્વૈપાયન’ વ્યાસ તરીકે પરંપરામાં ઓળખાય છે.…
વધુ વાંચો >વ્યાસ, અવિનાશ
વ્યાસ, અવિનાશ (જ. 21 જુલાઈ 1911; અ. 20 ઑગસ્ટ 1984, મુંબઈ) : જાણીતા સંગીતકાર ને ગીતકાર. વિસલનગરા નાગર. પિતા આનંદરાય. માતુશ્રી મણિબહેન જ્ઞાતિના સ્ત્રીમંડળનાં મંત્રી, ગરબા વગેરે કરાવે. તેમના સંસ્કાર અવિનાશ વ્યાસમાં આવ્યા. પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદમાં અભ્યાસ. થવા ઇચ્છતા હતા ક્રિકેટર. કદાચ તેથી જ જીવનના અંત સુધી મુંબઈની કોઈ પણ…
વધુ વાંચો >વ્યાસ, આદિત્યરામ
વ્યાસ, આદિત્યરામ (જ. 1819, જૂનાગઢ; અ. 1880, જામનગર) : ગુજરાતના સર્વપ્રથમ શાસ્ત્રીય સંગીતકાર. જૂનાગઢના નાગર ગૃહસ્થ કુટુંબમાં જન્મ. પિતા વૈકુંઠરામ વ્યાસ સંગીતના પ્રખર પંડિત હોવાથી સંગીતની પ્રાથમિક તાલીમ ઘરમાં જ પિતા પાસે પ્રાપ્ત કરી. વિશેષ તાલીમ માટે ખાનસાહેબ નન્નુમિયાં પાસે ગડ્ડાબંધન કરાવીને નીતિ-નિયમબદ્ધ શીખવા મોકલવામાં આવ્યા. જ્યાં ખયાલ ગાયન ઉપર…
વધુ વાંચો >