ખંડ ૨૦

વિકરી, વિલિયમથી વૈંપટિ, ચિન્ન સત્યમ્

વિકરી, વિલિયમ

વિકરી, વિલિયમ (જ. 1914, વિક્ટૉરિયા, બ્રિટિશ કોલંબિયા, કૅનેડા; અ. 13 ઑક્ટોબર 1996, ન્યૂયૉર્ક) : અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. માત્ર અસમમિતીય માહિતી (asymetric information) જ ઉપલબ્ધ હોય તેવા સંજોગોમાં લેવાતા નિર્ણયો પાછળ કયા પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે તેનું વિશ્લેષણ કરતો સિદ્ધાંત તારવવા બદલ 1996નું અર્થશાસ્ત્ર માટેનું…

વધુ વાંચો >

વિકલ, શ્રીવત્સ

વિકલ, શ્રીવત્સ (જ. 1930, રામનગર, જમ્મુ; અ. 1970, તેજપુર, આસામ) : ડોગરી વિદ્વાન. પંડિત પરિવારમાં જન્મ. તેમણે નાની ઉંમરમાં તેમનાં માતાપિતા ગુમાવેલાં. તેથી અનુકૂળ સંજોગો માટે એક સ્થળેથી બીજા સ્થળે તેમને ભટકવું પડેલું. તે દરમિયાન તેઓ ક્ષયરોગનો ભોગ બન્યા હતા. તેમણે 20 વર્ષની વયે ટૂંકી વાર્તાઓ અને કાવ્યો લખવાનો પ્રારંભ…

વધુ વાંચો >

વિકલ સમીકરણો

વિકલ સમીકરણો : x, y અને y ના x વિશેના વિકલન ફળોને સમાવતું કોઈ પણ સમીકરણ. દા.ત., વગેરે વિકલ સમીકરણો છે. વિકલ સમીકરણોનું જ્ઞાન ગણિત સિવાયની વિજ્ઞાનની અન્ય શાખાઓ તથા સમાજવિદ્યાની શાખાઓના અભ્યાસમાં પણ ઘણું ઉપયોગી છે. વિકલ સમીકરણમાં આવતા મહત્તમ કક્ષાના વિકલનફળની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા (order) કહેવાય છે.…

વધુ વાંચો >

વિકસિત અને વિકાસશીલ દેશો

વિકસિત અને વિકાસશીલ દેશો : માથાદીઠ આવકની કસોટીના આધાર પર કરવામાં આવેલું દુનિયાના દેશોનું વર્ગીકરણ. 1950-60ના દસકામાં દુનિયાના ગરીબ દેશોના આર્થિક વિકાસના પ્રશ્નોની ચર્ચા અર્થશાસ્ત્રીઓએ હાથ ધરી ત્યારે તેમણે વિશ્લેષણના હેતુ માટે દુનિયાના દેશોને બે વિભાગમાં વહેંચ્યા હતા. એ દસકાના ઉત્તરાર્ધમાં દુનિયાની માથાદીઠ આવક અમેરિકાના 200 ડૉલર જેટલી અંદાજવામાં આવી…

વધુ વાંચો >

વિકળો

વિકળો : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnosporia montana (Roth) Benth syn. spinosa (Forsk.) Flori (l syn – Maytenus emarginata) (સં. વિકંકત્; હિં. કંટાઈ, વંજ, બૈકલ; ગુ. વિકળો, બહેકળ) છે. તે ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ડુંગરાળ જમીનમાં થાય છે. પર્ણપાતી (deciduous)…

વધુ વાંચો >

વિકાચીભવન (devitrification)

વિકાચીભવન (devitrification) : કાચમય કણરચનાવાળા ખડકોની અમુક ચોક્કસ ખનિજ-ઘટકોમાં છૂટા પડવાની ઘટના. છૂટા પડતા ઘટકોમાં સામાન્ય રીતે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના અતિસૂક્ષ્મ સ્ફટિકો હોય છે. કાચમય સ્થિતિમાં ઘનીભવન થયા પછીથી સ્ફટિકમય સ્થિતિમાં થતો ફેરફાર આ ઘટનાની ખાસિયત છે. ઑબ્સિડિયન કે પિચસ્ટૉન જેવા મળૂભૂત કાચમય અગ્નિકૃત ખડકમાંથી નાના પાયા પર થતા આ…

વધુ વાંચો >

વિકાસ

વિકાસ : લોકોના જીવનધોરણને ઊંચે લઈ જતાં પરિવર્તનો. વિકાસનો ખ્યાલ આદર્શલક્ષી (normative) છે. તેથી તેમાં કયાં અને કેવાં પરિવર્તનોને વિકાસ ગણવો એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. આને કારણે અર્થશાસ્ત્રીઓ વિકાસને બદલે આર્થિક વૃદ્ધિ (economic growth) કે વૃદ્ધિ(growth)ના ખ્યાલને પસંદ કરે છે; જેમાં કોઈ આદર્શ અભિપ્રેત નથી. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રના…

વધુ વાંચો >

વિકાસનાં સોપાનો

વિકાસનાં સોપાનો : જુઓ સોપાનો, બાળવિકાસનાં.

વધુ વાંચો >

વિકાસ બૅંકો

વિકાસ બૅંકો : આર્થિક વિકાસ માટે સહાયરૂપ બનતી બૅંકો. વિકાસ બૅંક અવિકસિત મૂડીબજાર તેમજ વ્યાપારી બૅંકોનું લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડવાના આશયથી અસ્તિત્વમાં આવેલી સંસ્થા છે. તેનું કાર્ય મુખ્યત્વે નાણાકીય અછતને અનુરૂપ સહાય પૂરી પાડવાનું છે. આ ઉપરાંત તે તકનીકી સહાય તેમજ વિકાસ માટે તજ્જ્ઞો દ્વારા સલાહની પણ વ્યવસ્થા ગોઠવી આપે…

વધુ વાંચો >

વિકાસ-વળતર

વિકાસ-વળતર : આયકર અધિનિયમ 1961 હેઠળ નવાં યંત્રો અને વહાણોની ખરીદકિંમતના નિર્દિષ્ટ દરે ધંધાની કરપાત્ર આવકમાંથી આપવામાં આવતી કપાત. દેશના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વભરની સરકારો જાહેર વિત્તવ્યવસ્થા હેઠળ વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવે છે. ભારત સરકારે પણ તેવી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી છે. સીધા કરવેરા હેઠળ સરકારે આવકવેરા દ્વારા આવી પ્રયુક્તિ અજમાવી છે.…

વધુ વાંચો >

વૈદિક સાહિત્ય

Feb 28, 2005

વૈદિક સાહિત્ય પ્રાચીન ભારતીય વેદગ્રંથો અને તેની સાથે સંકળાયેલું સાહિત્ય. જગતભરમાં પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ છે. ઋગ્વેદ ‘ઋચા’ કે ‘ઋચ્’ નામથી ઓળખાતા મંત્રોનો વેદ છે. ઋગ્વેદમાં ઇન્દ્ર, અગ્નિ, વરુણ વગેરે દેવતાઓની મુખ્યત્વે સ્તુતિ કરવામાં આવે છે. ‘ઋચ્’(ઋચ્-ઋક્)નો વેદ તે ઋગ્વેદ. સ્તુતિઓ ઉપરાંત, ઋગ્વેદમાં દાનસૂક્તો, અક્ષ-(જુગાર)સૂક્ત, વિવાહસૂક્ત, અંત્યેદૃષ્ટિસૂક્ત, દાર્શનિક સૂક્ત વગેરે વિવિધ…

વધુ વાંચો >

વૈદૂર્યમાણ

Feb 28, 2005

વૈદૂર્યમાણ : જુઓ બેરિલ તેમજ રત્નો.

વધુ વાંચો >

વૈદેહી (જાનકી શ્રીનિવાસ મૂર્તિ) (શ્રીમતી)

Feb 28, 2005

વૈદેહી (જાનકી શ્રીનિવાસ મૂર્તિ) (શ્રીમતી) (જ. 12 ફેબ્રુઆરી 1945, કુન્દાપુર, જિ. દક્ષિણ કન્નડ, કર્ણાટક) : કન્નડ કવયિત્રી. તેમણે બી.કૉમ.ની પદવી મેળવ્યા પછી લેખનકાર્ય કર્યું. તેમણે કન્નડમાં 24 ગ્રંથો આપ્યા છે : ‘અંતરંગદા પુટગલુ’ (1984), ‘ગોલા’ (1986) અને ‘સમાજ શાસ્ત્રજ્ઞેય ટિપ્પણીગે’ (1991) તેમના વાર્તાસંગ્રહો છે. ‘બિંદુ બિંદીગે’ (1990) કાવ્યસંગ્રહ અને ‘અસ્પૃશ્યરુ’…

વધુ વાંચો >

વૈદ્ય, અનુરાધા શશીકાન્ત (શ્રીમતી)

Feb 28, 2005

વૈદ્ય, અનુરાધા શશીકાન્ત (શ્રીમતી) (જ. 9 જુલાઈ 1944, લાતુર, મહારાષ્ટ્ર) : મરાઠી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1964માં મરાઠાવાડ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી મેળવી. પછી તેઓ મરાઠાવાડ સાહિત્ય પરિષદ અને મહિલા મંડળ, ઔરંગાબાદ સાથે સક્રિયપણે સંકળાયેલાં છે. તેમણે મરાઠીમાં 15 ગ્રંથો આપ્યા છે. ‘ઉત્તર રાત્ર’ (1985), ‘બાકી ક્ષેમ’ (1991), ‘જોગ્વા’ (1991), ‘મનુષ્યહાટ’…

વધુ વાંચો >

વૈદ્ય, અરવિંદ ગોપાળરાવ

Feb 28, 2005

વૈદ્ય, અરવિંદ ગોપાળરાવ (જ. 3 મે 1941) : નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદ ખાતે. ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં નાટ્યવિદ્યાનો ડિપ્લોમા મેળવી એચ. કે. આર્ટ્સ કૉલેજના નાટ્યવિભાગમાં છ વર્ષ વ્યાખ્યાતા તરીકે કામ કર્યા પછી બે વર્ષ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં પ્રૉજેક્ટ ઑફિસર તરીકે, છ…

વધુ વાંચો >

વૈદ્ય, અરુણભાઈ મ.

Feb 28, 2005

વૈદ્ય, અરુણભાઈ મ. (જ. 14 ઑક્ટોબર, 1935, જામનગર) : જાણીતા ગણિતશાસ્ત્રી.  જામનગરના નાગરકુટુંબમાં જન્મ. પિતાશ્રી મધુસૂદનભાઈ વૈદ્યે મુંબઈ યુનિવર્સિટીની એમ.એ.ની ઉપાધિ ગણિતશાસ્ત્ર સાથે મેળવી હતી. તેમના કાકા ડૉ. પી. સી. વૈદ્ય ખ્યાતનામ ગણિતશાસ્ત્રી છે. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી અરુણભાઈએ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સ – મુંબઈથી 1956માં બી.એસસી.ની પદવી ગણિતશાસ્ત્ર સાથે…

વધુ વાંચો >

વૈદ્ય, એ. એસ., જનરલ

Feb 28, 2005

વૈદ્ય, એ. એસ., જનરલ (નિવૃત્ત) (જ. 27 જાન્યુઆરી 1926, મુંબઈ; અ. 10 ઑગસ્ટ 1986, પુણે) : ભારતીય લશ્કરના બાહોશ સેનાપતિ અને પૂર્વ સ્થલ-સેના-અધ્યક્ષ. આખું નામ અરુણ શ્રીધર વૈદ્ય. માતાનું નામ ઇન્દિરા. સમગ્ર શિક્ષણ મુંબઈમાં. 1944માં ભારતના લશ્કરના સૌથી નીચલી પાયરીના અધિકારી સેકન્ડ લેફ્ટનન્ટના હોદ્દા સાથે સેનામાં જોડાયા અને બેતાલીસ વર્ષની…

વધુ વાંચો >

વૈદ્ય, કૃષ્ણ બળદેવ (ડૉ.)

Feb 28, 2005

વૈદ્ય, કૃષ્ણ બળદેવ (ડૉ.) [જ. 27 જુલાઈ 1927, ડિંગા, જિ. ગુજરાત (હાલ પાકિસ્તાન)] : હિંદી લેખક અને અનુવાદક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1962-66 દરમિયાન તેઓ પંજાબ યુનિવર્સિટીમાં અંગ્રેજીમાં રીડર; 1966-85 દરમિયાન સ્ટેટ યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં અંગ્રેજીના પ્રાધ્યાપક; 1968-69માં બ્રાન્ડિસ યુનિવર્સિટીમાં મુલાકાતી…

વધુ વાંચો >

વૈદ્ય, કે. એલ.

Feb 28, 2005

વૈદ્ય, કે. એલ. (જ. 2 માર્ચ 1937, મંડી, હિમાચલ પ્રદેશ) : હિંદી લેખક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પૉલિટિકલ સાયન્સમાં એમ.એ.ની ડિગ્રી તથા બી.એડ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ 1960-62 સુધી હિમાચલ પ્રદેશ સરકારના શિક્ષણવિભાગમાં સિનિયર શિક્ષક રહ્યા. ત્યારબાદ 1962-1974 દરમિયાન ઉક્ત સરકારના જાહેર સંપર્ક વિભાગમાં સહસંપાદક; 1974-82 સુધી જિલ્લા જાહેર સંપર્ક- અધિકારી;…

વધુ વાંચો >

વૈદ્ય, ગોવિંદપ્રસાદ હરિદાસ

Feb 28, 2005

વૈદ્ય, ગોવિંદપ્રસાદ હરિદાસ (જ. 19 સપ્ટેમ્બર 1919, સૌરાષ્ટ્ર; અ. 23 ઑક્ટોબર 1986, અમદાવાદ) : આયુર્વેદના જાણીતા વિદ્વાન અને ચિકિત્સક. તેમણે અમદાવાદ શહેરને કર્મભૂમિ બનાવી, આયુર્વેદ માટે આજીવન ઐતિહાસિક મૂલ્યવાન સેવા બજાવી હતી. તેમનો જન્મ સૌરાષ્ટ્રના એક ગરીબ, શિવભક્ત, સંસ્કારી સાધુ પરિવારમાં થયેલ. પિતા એક સામાન્ય વૈદ્ય હતા, પણ પુત્રને તેઓ…

વધુ વાંચો >