ખંડ ૨૦

વિકરી, વિલિયમથી વૈંપટિ, ચિન્ન સત્યમ્

વિકરી, વિલિયમ

વિકરી, વિલિયમ (જ. 1914, વિક્ટૉરિયા, બ્રિટિશ કોલંબિયા, કૅનેડા; અ. 13 ઑક્ટોબર 1996, ન્યૂયૉર્ક) : અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા અમેરિકન અર્થશાસ્ત્રી. માત્ર અસમમિતીય માહિતી (asymetric information) જ ઉપલબ્ધ હોય તેવા સંજોગોમાં લેવાતા નિર્ણયો પાછળ કયા પ્રકારનાં પરિબળો કામ કરતાં હોય છે તેનું વિશ્લેષણ કરતો સિદ્ધાંત તારવવા બદલ 1996નું અર્થશાસ્ત્ર માટેનું…

વધુ વાંચો >

વિકલ, શ્રીવત્સ

વિકલ, શ્રીવત્સ (જ. 1930, રામનગર, જમ્મુ; અ. 1970, તેજપુર, આસામ) : ડોગરી વિદ્વાન. પંડિત પરિવારમાં જન્મ. તેમણે નાની ઉંમરમાં તેમનાં માતાપિતા ગુમાવેલાં. તેથી અનુકૂળ સંજોગો માટે એક સ્થળેથી બીજા સ્થળે તેમને ભટકવું પડેલું. તે દરમિયાન તેઓ ક્ષયરોગનો ભોગ બન્યા હતા. તેમણે 20 વર્ષની વયે ટૂંકી વાર્તાઓ અને કાવ્યો લખવાનો પ્રારંભ…

વધુ વાંચો >

વિકલ સમીકરણો

વિકલ સમીકરણો : x, y અને y ના x વિશેના વિકલન ફળોને સમાવતું કોઈ પણ સમીકરણ. દા.ત., વગેરે વિકલ સમીકરણો છે. વિકલ સમીકરણોનું જ્ઞાન ગણિત સિવાયની વિજ્ઞાનની અન્ય શાખાઓ તથા સમાજવિદ્યાની શાખાઓના અભ્યાસમાં પણ ઘણું ઉપયોગી છે. વિકલ સમીકરણમાં આવતા મહત્તમ કક્ષાના વિકલનફળની કક્ષાને વિકલ સમીકરણની કક્ષા (order) કહેવાય છે.…

વધુ વાંચો >

વિકસિત અને વિકાસશીલ દેશો

વિકસિત અને વિકાસશીલ દેશો : માથાદીઠ આવકની કસોટીના આધાર પર કરવામાં આવેલું દુનિયાના દેશોનું વર્ગીકરણ. 1950-60ના દસકામાં દુનિયાના ગરીબ દેશોના આર્થિક વિકાસના પ્રશ્નોની ચર્ચા અર્થશાસ્ત્રીઓએ હાથ ધરી ત્યારે તેમણે વિશ્લેષણના હેતુ માટે દુનિયાના દેશોને બે વિભાગમાં વહેંચ્યા હતા. એ દસકાના ઉત્તરાર્ધમાં દુનિયાની માથાદીઠ આવક અમેરિકાના 200 ડૉલર જેટલી અંદાજવામાં આવી…

વધુ વાંચો >

વિકળો

વિકળો : દ્વિદળી વર્ગમાં આવેલા સિલેસ્ટ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gymnosporia montana (Roth) Benth syn. spinosa (Forsk.) Flori (l syn – Maytenus emarginata) (સં. વિકંકત્; હિં. કંટાઈ, વંજ, બૈકલ; ગુ. વિકળો, બહેકળ) છે. તે ક્ષુપ કે નાના વૃક્ષ-સ્વરૂપે સમગ્ર ભારતમાં, ખાસ કરીને ડુંગરાળ જમીનમાં થાય છે. પર્ણપાતી (deciduous)…

વધુ વાંચો >

વિકાચીભવન (devitrification)

વિકાચીભવન (devitrification) : કાચમય કણરચનાવાળા ખડકોની અમુક ચોક્કસ ખનિજ-ઘટકોમાં છૂટા પડવાની ઘટના. છૂટા પડતા ઘટકોમાં સામાન્ય રીતે ક્વાર્ટ્ઝ અને ફેલ્સ્પારના અતિસૂક્ષ્મ સ્ફટિકો હોય છે. કાચમય સ્થિતિમાં ઘનીભવન થયા પછીથી સ્ફટિકમય સ્થિતિમાં થતો ફેરફાર આ ઘટનાની ખાસિયત છે. ઑબ્સિડિયન કે પિચસ્ટૉન જેવા મળૂભૂત કાચમય અગ્નિકૃત ખડકમાંથી નાના પાયા પર થતા આ…

વધુ વાંચો >

વિકાસ

વિકાસ : લોકોના જીવનધોરણને ઊંચે લઈ જતાં પરિવર્તનો. વિકાસનો ખ્યાલ આદર્શલક્ષી (normative) છે. તેથી તેમાં કયાં અને કેવાં પરિવર્તનોને વિકાસ ગણવો એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. આને કારણે અર્થશાસ્ત્રીઓ વિકાસને બદલે આર્થિક વૃદ્ધિ (economic growth) કે વૃદ્ધિ(growth)ના ખ્યાલને પસંદ કરે છે; જેમાં કોઈ આદર્શ અભિપ્રેત નથી. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રના…

વધુ વાંચો >

વિકાસનાં સોપાનો

વિકાસનાં સોપાનો : જુઓ સોપાનો, બાળવિકાસનાં.

વધુ વાંચો >

વિકાસ બૅંકો

વિકાસ બૅંકો : આર્થિક વિકાસ માટે સહાયરૂપ બનતી બૅંકો. વિકાસ બૅંક અવિકસિત મૂડીબજાર તેમજ વ્યાપારી બૅંકોનું લાંબાગાળાનું ધિરાણ પૂરું પાડવાના આશયથી અસ્તિત્વમાં આવેલી સંસ્થા છે. તેનું કાર્ય મુખ્યત્વે નાણાકીય અછતને અનુરૂપ સહાય પૂરી પાડવાનું છે. આ ઉપરાંત તે તકનીકી સહાય તેમજ વિકાસ માટે તજ્જ્ઞો દ્વારા સલાહની પણ વ્યવસ્થા ગોઠવી આપે…

વધુ વાંચો >

વિકાસ-વળતર

વિકાસ-વળતર : આયકર અધિનિયમ 1961 હેઠળ નવાં યંત્રો અને વહાણોની ખરીદકિંમતના નિર્દિષ્ટ દરે ધંધાની કરપાત્ર આવકમાંથી આપવામાં આવતી કપાત. દેશના ઝડપી ઔદ્યોગિક વિકાસ માટે વિશ્વભરની સરકારો જાહેર વિત્તવ્યવસ્થા હેઠળ વિવિધ યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવે છે. ભારત સરકારે પણ તેવી યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી છે. સીધા કરવેરા હેઠળ સરકારે આવકવેરા દ્વારા આવી પ્રયુક્તિ અજમાવી છે.…

વધુ વાંચો >

વીરમગામ

Feb 23, 2005

વીરમગામ : અમદાવાદ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને નગર. ભૌગોલિક સ્થાન : તે 23° 07´ ઉ. અ. અને 72° 03´ પૂ. રે.ની આજુબાજુનો 1,714 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકો જિલ્લાના વાયવ્ય ભાગમાં આવેલો છે. તેની  ઉત્તરે અને પૂર્વે મહેસાણા  જિલ્લાની સીમા, અગ્નિકોણ તરફ સાણંદ તાલુકો, દક્ષિણે ધોળકા તાલુકો,…

વધુ વાંચો >

વીરમગામ સત્યાગ્રહ

Feb 23, 2005

વીરમગામ સત્યાગ્રહ (1930-32) : સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન વીરમગામ મુકામે મીઠાના કાનૂનભંગ માટે થયેલ સત્યાગ્રહ. ‘સૌરાષ્ટ્ર’ અખબારના તંત્રી અમૃતલાલ શેઠ તથા ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના મંત્રી મણિલાલ કોઠારી સત્યાગ્રહ-સંગ્રામ અંગે ગાંધીજીનું માર્ગદર્શન મેળવવા ગયા અને ગાંધીજીએ અમદાવાદ જિલ્લાના ધોલેરા અને વીરમગામમાં મીઠાના કાનૂનભંગના સત્યાગ્રહ માટે મંજૂરી આપી અને વીરમગામ સત્યાગ્રહની…

વધુ વાંચો >

વીરમ મુનિવર

Feb 23, 2005

વીરમ મુનિવર (જ. 1680, કેસ્ટિગ્લિયૉન ડેલ્લા સ્ટિવિયેરા, વેનિસ, ઇટાલી; અ. 1742) : જાણીતા ઇટાલિયન મિશનરી અને તમિળ લેખક. તેઓ 18 વર્ષની વયે વક્તૃત્વશાસ્ત્ર, ફિલસૂફી અને ખ્રિસ્તી ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરીને 1709માં પાદરી નિમાયા. ઇટાલી છોડીને 1711માં તેઓ ભારત આવ્યા, અને મદુરાઈ મિશનમાં જોડાયા. 1712માં તેમણે તાંજાવૂરમાં તેમનું મંત્રાલય શરૂ કર્યું અને…

વધુ વાંચો >

વીર માંગડાવાળો (ચલચિત્ર)

Feb 23, 2005

વીર માંગડાવાળો (ચલચિત્ર) : હિન્દી ફિલ્મોના જાણીતા નિર્માતા-દિગ્દર્શક શ્રી રામાનંદ સાગરની જાણીતી નિર્માણસંસ્થા સાગર આર્ટ કૉર્પોરેશને સૌપ્રથમ 1976માં નિર્મિત કરેલું ગુજરાતી ચિત્ર. ચિત્રના નિર્માતા સુભાષ સાગર, સહનિર્માતા ઉપેન્દ્ર ત્રિવેદી. દિગ્દર્શક બાબુભાઈ મિસ્ત્રી. કથા-પટકથા-સંવાદ રામજીભાઈ વાણિયા અને ગીત-સંગીત અવિનાશ વ્યાસનાં હતાં. વીર માંગડાવાળો અને પદ્માવતીની શૌર્ય અને વીરતાથી સભર આ અમર…

વધુ વાંચો >

વીરરાજુ, શીલ

Feb 23, 2005

વીરરાજુ, શીલ (જ. 22 એપ્રિલ 1939, રાજમુંદ્રી, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને લેખક. બી.એ.ની પદવી મેળવ્યા પછી તેઓ અનુવાદક તરીકે રાજ્યની સરકારી સેવામાં જોડાયા. તેમાંથી સેવાનિવૃત્ત થયા બાદ લેખનકાર્ય અને ચિત્રકામ-પ્રવૃત્તિ શરૂ કરી. તેમણે 20 ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘સમાધિ’ (1959); ‘માબ્બુ તેરાલુ’ (1959); ‘પગા…

વધુ વાંચો >

વીરશૈવ દર્શન

Feb 23, 2005

વીરશૈવ દર્શન : દક્ષિણમાં કલ્યાણના રાજા બિજ્જલ કે વિજ્જલ(ઈ. સ. 1157-1167)ના મંત્રી આચાર્ય બસવે સ્થાપેલ સંપ્રદાય જે લિંગાયતને નામે પ્રસિદ્ધ થયેલો તેનું ‘શક્તિવિશિષ્ટાદ્વૈત’ દર્શન. આચાર્ય બસવ અને તેમના સમકાલીન રામય્યા તેમજ બીજા આચાર્યોએ વીરશૈવ સંપ્રદાયના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો હતો. બસવે આ સંપ્રદાયના આચાર અને સિદ્ધાંતને વ્યવસ્થિત સ્વરૂપ આપી એના…

વધુ વાંચો >

વીરસિંહ

Feb 23, 2005

વીરસિંહ : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો નરસિંહનો ઉત્તર-સમકાલીન કવિ. એની પાસેથી એકમાત્ર કૃતિ પ્રાપ્ત થાય છે તે ‘ઉષાહરણ’. આ કૃતિમાં પાંચેક સ્થળે ‘વરસંગ’ એવો ઉલ્લેખ આવે છે. આ સિવાય કૃતિમાં કે અન્યત્ર એના વિશે કોઈ માહિતી પ્રાપ્ત થતી નથી. ‘ઉષાહરણ’ની જૂનામાં જૂની હસ્તપ્રત ઈ. 1513ની પ્રાપ્ત થાય છે. એનો અર્થ એવો…

વધુ વાંચો >

વીરસેન

Feb 23, 2005

વીરસેન : અપભ્રંશના મહાન લેખક. તેઓ દિગંબર આચાર્ય હોવા છતાં શ્વેતામ્બરોના મહાગ્રંથોના પણ નિષ્ણાત અભ્યાસુ હતા. ‘છક્ખંડાગમ’- (ષટ્ખંડાગમ)ને ‘ખંડસિદ્ધાન્ત’ કે ‘ષડ્ખંડસિદ્ધાંત’ પણ કહે છે. આ જૈનશાસ્ત્રનો અતિમહત્વપૂર્ણ ગ્રંથ છે. તેના ઉપરની સૌથી વધારે મહત્વપૂર્ણ ટીકા ‘ધવલા’ની રચના વીરસેને કરેલી. આ ટીકાના મહત્વને કારણે જ આ સમગ્ર ગ્રંથ ‘ધવલસિદ્ધાંત’ નામથી પણ…

વધુ વાંચો >

વીરસેન

Feb 23, 2005

વીરસેન : મથુરાનો નાગવંશી રાજા (ઈ. સ.ની ત્રીજી કે ચોથી સદી). મથુરાને રાજધાની બનાવી તેણે પશ્ચિમી ઉત્તર પ્રદેશ ઉપર શાસન કર્યું હતું. કુષાણોની સત્તા નબળી પડતાં વીરસેનનો ઉદય થયો હતો. પૌરાણિક પરંપરા, સિક્કા અને લેખિત પુરાવાઓના આધારે માહિતી મળે છે કે નાગ લોકો અનાર્ય હતા અને ઈ.સ.ની ત્રીજી અને ચોથી…

વધુ વાંચો >

વીરાણી, બરકતઅલી ગુલામહુસેન

Feb 23, 2005

વીરાણી, બરકતઅલી ગુલામહુસેન : જુઓ ‘બેફામ’.

વધુ વાંચો >