ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >અમોઘવર્ષ—1-2-3
અમોઘવર્ષ—1-2-3 : કર્ણાટકના રાષ્ટ્રકૂટ વંશમાં થઈ ગયેલા ત્રણ અમોઘવર્ષ. અમોઘવર્ષ પહેલો (ઈ. સ. 814-880), અમોઘવર્ષ બીજો (ઈ. સ. 922-23), અમોઘવર્ષ ત્રીજો (ઈ. સ. 936-939). ગોવિંદરાજ ત્રીજાના પુત્ર-અનુગામી શર્વ અમોઘવર્ષ પ્રથમ સગીરવયે ગાદી પર આવતાં લાટેશ્વર કર્કરાજે વાલી તરીકે તેનો વહીવટ સંભાળેલો. સ્વભાવે શાંતિપ્રિય, ધર્મપ્રેમી અને સાહિત્યરસિક અમોઘવર્ષના દીર્ઘ શાસનકાલ દરમિયાન…
વધુ વાંચો >અમોઘવૃત્તિ
અમોઘવૃત્તિ (નવમી સદી) : સંસ્કૃત વ્યાકરણગ્રંથ ‘શાકટાયન શબ્દાનુશાસન’ પરની ટીકા. સંસ્કૃત વ્યાકરણની જૈન પરંપરાના પાલ્યકીર્તિ નામના વૈયાકરણે ‘શાકટાયન’ ઉપનામથી ‘શાકટાયન શબ્દાનુશાસન’ રચ્યું. પોતે રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષ પહેલાના આશ્રિત હતા એટલે શબ્દાનુશાસનનાં 3,200 સૂત્રો પર, પોતે જ 18,000 શ્લોકમાં રાજા અમોઘવર્ષનું નામ જોડેલી અમોઘવૃત્તિ (અમોઘાવૃત્તિ) ટીકા રચી. તેમાં ગણપાઠ, ધાતુપાઠ, લિંગાનુશાસન…
વધુ વાંચો >અમ્બેલીફેરી
અમ્બેલીફેરી : જુઓ, એપિયેસી
વધુ વાંચો >અમ્લપિત્ત
અમ્લપિત્ત (આયુર્વેદ) : આહારમાંથી ઉત્પન્ન થતું વિષ પિત્ત સાથે ભળતાં પેદા થતું દર્દ. ખારા, ખાટા, તીખા અને દાહ કરે તેવા ભોજનના વધુ ઉપયોગની ટેવ; વિરુદ્ધ આહારની ટેવ; વાસી, ખાટું, ખરાબ ભોજન; ખૂબ તાપ-તડકામાં રખડપટ્ટી; ખોટા ઉજાગરા; શરદ ઋતુનો પ્રભાવ; માદક પદાર્થોનાં વ્યસન વગેરેથી પિત્તદોષ વિદગ્ધ (કાચો-પાકો) થાય છે અને તેને…
વધુ વાંચો >અય 1-2
અય 1-2 : શક કુલનો વાયવ્ય ભારતનો રાજા. તે સ્પલિરિષનો પુત્ર અને મોઅનો જમાઈ હતો. એ દક્ષિણ અફઘાનિસ્તાન પર સત્તા ધરાવતો હતો. તેણે યવન રાજા એઉથિદિમની રાજસત્તા નષ્ટ કરી, પૂર્વ પંજાબ પર પોતાની સત્તા પ્રવર્તાવી, ઈ. પૂ. 5થી ઈ. સ. 30 સુધી શાસન કર્યું હતું. તે ‘રાજાધિરાજ’ અને ‘મહાન’નું બિરુદ…
વધુ વાંચો >અયનગતિ
અયનગતિ (precession) : ધરીભ્રમણ કરી રહેલા પદાર્થની ઉપર લાગતા બાહ્યબળની અસર હેઠળ ધરી(અક્ષ, axis)ની ધીમી શાંક્વિક (conical) ગતિ તેમજ સંપાત બિંદુઓનું ક્રાંતિવૃત્ત ઉપર પશ્ચિમ દિશા તરફનું ધીમું ભ્રમણ (precession of equinoxes). પૃથ્વીની અયનગતિ : પૃથ્વીની ધરી તેના ભ્રમણતલ(ગ્રહણતલ, ecliptic)ની સાથે લગભગ 66.5°નો ખૂણો રચે છે એટલે પૃથ્વીનું વિષુવવૃત્ત ગ્રહણતલની સાથે…
વધુ વાંચો >અયનાંત
અયનાંત (solstices) : ક્રાંતિવૃત્ત ઉપર, (ખગોલીય) વિષુવવૃત્તથી મહત્તમ અંતરે આવેલાં બિંદુઓ. પૃથ્વીના સૂર્ય આસપાસ થતા પરિભ્રમણને કારણે પૃથ્વી ઉપરથી જોતાં, આપણને આકાશી ગોલકમાં સૂર્ય તારા-નક્ષત્રોની સાપેક્ષમાં રોજ રોજ પૂર્વ દિશા તરફ ખસતો જણાય છે. સૂર્યનું આ દેખીતું (apparent) પરિભ્રમણ એક વર્ષમાં પૂરું થાય છે. સૂર્યબિંબનું કેન્દ્ર આકાશી ગોલકમાં જે માર્ગ…
વધુ વાંચો >અયપ્પા પણિક્કરુદે કૃતિકલ
અયપ્પા પણિક્કરુદે કૃતિકલ (1974) : સાહિત્ય અકાદમી પુરસ્કૃત મલયાળમ કાવ્યસંગ્રહ. મલયાળમમાં અદ્યતન કવિતાનો સંચાર કરનાર અયપ્પા પણિક્કર(જ. 12 સપ્ટેમ્બર 1930)નો આ સંગ્રહ, એમાંનાં વિષયનાવીન્ય તથા વિદ્રોહી સૂરને કારણે યુવાન કવિઓનો પ્રેરણાસ્રોત બન્યો છે. પણિક્કર વર્ષો સુધી અમેરિકામાં રહ્યા છે. ત્યાં ઉચ્ચ અભ્યાસ કરીને અંગ્રેજીના પ્રાધ્યાપક પણ રહ્યા હોવાથી પશ્ચિમના અદ્યતન…
વધુ વાંચો >અયસ્કનું પૃથક્કરણ
અયસ્કનું પૃથક્કરણ (ore analysis) : પૃથ્વીમાં મળતાં અશુદ્ધ ખનિજો–અયસ્કો–માં રહેલ તત્વોનું પ્રમાણ નક્કી કરવા માટેની રાસાયણિક પદ્ધતિ. કુદરતમાં મળતાં ખનિજો અશુદ્ધ હોય છે જ. એક જ ખનિજના જુદા જુદા પ્રદેશના નમૂનાઓ કે એક જ સ્થાન ઉપર મળતા ખનિજના વિવિધ નમૂનાઓમાં કીમતી તત્વ તથા અશુદ્ધિઓનું પ્રમાણ જુદું જુદું હોય છે. પૃથક્કરણની…
વધુ વાંચો >