અય 1-2 : શક કુલનો વાયવ્ય ભારતનો રાજા. તે સ્પલિરિષનો પુત્ર અને મોઅનો જમાઈ હતો. એ દક્ષિણ અફઘાનિસ્તાન પર સત્તા ધરાવતો હતો. તેણે યવન રાજા એઉથિદિમની રાજસત્તા નષ્ટ કરી, પૂર્વ પંજાબ પર પોતાની સત્તા પ્રવર્તાવી, ઈ. પૂ. 5થી ઈ. સ. 30 સુધી શાસન કર્યું હતું. તે ‘રાજાધિરાજ’ અને ‘મહાન’નું બિરુદ ધરાવતો. ઉત્તરાવસ્થામાં તે એના પુત્ર અયિલિષ સાથે સંયુક્ત સત્તા ધરાવતો હતો. તેના ચાંદીના ગોળ તેત્રા-કક અને દમ્મ તેમજ તાંબાના ગોળ અને ચોરસ સિક્કા ગંધાર ઉપરાંત પંજાબમાંથી મળ્યા છે.

શક કુલનો વાયવ્ય ભારતનો રાજા. તે અયિલિષનો પુત્ર અને ઉત્તરાધિકારી હતો. તેણે ઈ. 35થી 79 દરમિયાન શાસન કર્યું હતું. તેના ચાંદી તેમજ તાંબાના સિક્કા મળ્યા છે. ચાંદીના સિક્કામાં અગ્રભાગમાં હાથમાં ચાબુક ધારણ કરેલ અશ્વારૂઢ રાજાની આકૃતિ છે. તેના સમયમાં પહલવ રાજા ગોંદોફર્ણે શકોનો ઘણો પ્રદેશ પડાવી લીધો હતો.

પ્રવીણચંદ્ર પરીખ