ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અંબાણી, નીતા

Feb 1, 1989

અંબાણી, નીતા (જ. 1 નવેમ્બર 1963, મુંબઈ) : રિલાયન્સ ફાઉન્ડેશનનાં અને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલનાં સ્થાપક અને અધ્યક્ષા તથા  રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીનાં પત્ની. નીતા અંબાણીનો જન્મ મુંબઈના મધ્યમવર્ગીય પરિવારમાં થયો. પિતા રવીન્દ્ર દલાલ અને માતા પૂર્ણિમા દલાલ. નીતાએ નરસી મોનજી કૉલેજમાંથી કૉમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી. સૌંદર્યના…

વધુ વાંચો >

અંબાણી મુકેશ

Feb 1, 1989

અંબાણી મુકેશ (જ 19 એપ્રિલ 1957) : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર તથા એશિયાના સૌથી ધનિકોની યાદીમાં  પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ. એશિયાના સૌથી ધનવાન વ્યક્તિઓની ફોર્બ્સ ઈન્ડિયાની ઑક્ટોબર  2023ની યાદીમાં પ્રથમ ક્રમાંકે સૂચિબદ્ધ થયેલા મુકેશ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડાયરેક્ટર  છે. ફોર્બ્સ ઇન્ડિયા મુજબ મુકેશ…

વધુ વાંચો >

અંબાડી

Feb 1, 1989

અંબાડી : દ્વિદળી વર્ગના માલ્વેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Hibiscus cannabinus Linn. (હિં. अंबोकी, अंबोष्ठि; મ. અંબાડી, અંબાડા; ગુ. અંબાડી; અં. Deccan hemp, Ambari hemp, Kenaf, Bimli Jute) છે. ગુજરાતમાં તેની 15 જેટલી જાતો થાય છે. કપાસ, ખપાટ અને ભીંડી તેનાં સહસભ્યો છે. તે એકવર્ષાયુ ઝીણા કાંટાવાળી 2.5થી…

વધુ વાંચો >

અંબારામ મહારાજ

Feb 1, 1989

અંબારામ મહારાજ (જ. ઈ. સ. 1863, અનગઢ, જિ. વડોદરા; અ. 1933, ધર્મજ) : આત્મજ્ઞાની સિદ્ધ પુરુષ. મહીનદીને કાંઠે આવેલા અનગઢ ગામમાં સોળ વર્ષની વયે ભગવાનદાસ નામના સિદ્ધ પુરુષનો સમાગમ થતાં સાધનાના માર્ગે પ્રસ્થાન કર્યું અને એ માટે વતનનો ત્યાગ કરીને ધર્મજમાં જઈ એકાંતવાસ કર્યો. લોકોએ તેમને મઢી બનાવી આપી. ધર્મજમાં…

વધુ વાંચો >

અંબાલા

Feb 1, 1989

અંબાલા : ભારતના હરિયાણા રાજ્યનો જિલ્લો અને તેનું વડું મથક. ભૌગોલિક સ્થાન : 30° 21´ ઉ. અ. અને 76° 50´ પૂ. રે. વિસ્તાર : 3,832 ચોકિમી. વસ્તી : જિલ્લો 11,36,784 (2011). ઉત્તરે હિમાચલ પ્રદેશ, પૂર્વમાં ઉત્તરપ્રદેશ, દક્ષિણે રાજ્યનો કુરુક્ષેત્ર જિલ્લો અને પશ્ચિમે પંજાબ રાજ્યની સરહદો આવેલી છે. અંબાલા શહેર અનાજ,…

વધુ વાંચો >

અંબાલાલ સારાભાઈ

Feb 1, 1989

અંબાલાલ સારાભાઈ (જ. 23 ફેબ્રુઆરી 1890, ચંદ્રસૂરજ મહેલ, ખાનપુર, અમદાવાદ; અ. 13 જુલાઈ 1967) : ભારતના વિખ્યાત ઉદ્યોગપતિ અને અમદાવાદ શહેરના અગ્રગણ્ય નાગરિક. વ્યક્તિગૌરવ, વ્યક્તિસ્વાતંત્ર્ય તથા વ્યક્તિવિકાસ – આ ત્રણ સિદ્ધાંતોમાં અટળ શ્રદ્ધા અને તેને અનુરૂપ જીવનવ્યવહારની ગોઠવણ કરેલી. સમાજ કે જ્ઞાતિના જે રિવાજો બુદ્ધિગમ્ય ન હોય, વિકાસને રૂંધનારા હોય,…

વધુ વાંચો >

અંબિકા

Feb 1, 1989

અંબિકા : હિંદુ ધર્મમાં અંબા, અંબામાતા, અંબાજી, ઉમા, દુર્ગા વગેરે નામોથી પૂજાતાં લોકપ્રિય દેવી. વેદમાં અંબિકાને રુદ્રની ભગિનીરૂપે વર્ણવવામાં આવી છે ને રુદ્ર સાથે બલિદાનનો અંશ ગ્રહણ કરવા માટે એનું પણ આવાહન કરવામાં આવતું. મૈત્રાયણી સંહિતામાં તેને રુદ્રની અર્ધાંગિની કહી છે. ઉત્તરકાલમાં તેની ઉમા અને દુર્ગા સ્વરૂપે પૂજા થવા લાગી.…

વધુ વાંચો >

અંબિકા (જૈન)

Feb 1, 1989

અંબિકા (જૈન) : જૈન ધર્મના બાવીસમા તીર્થંકર નેમિનાથની યક્ષિણીનું નામ અંબિકા છે. શ્વેતાંબર સંપ્રદાય પ્રમાણે તે સુવર્ણ સમાન કાંતિવાળી, સિંહના વાહન પર બેસનારી ચતુર્ભુજ છે. તેના ચાર હાથોમાં આંબાની લૂમ, પાશ, તેડેલું બાળક અને અંકુશ હોય છે. દિગંબર સંપ્રદાય પ્રમાણે એ સિંહ પર આરૂઢ થયેલી અને તેના બે હાથમાં આંબાની…

વધુ વાંચો >

અંબિકા (નદી)

Feb 1, 1989

અંબિકા (નદી) : દક્ષિણ ગુજરાતની એક મહત્વની નદી. ડાંગ જિલ્લામાં સાપુતારાની ટેકરીઓમાંથી નીકળીને આ નદી વઘઈ અને ચીખલીની ઉત્તરે થઈ ગણદેવી નજીક ખંભાતના અખાતને મળે છે. આ નદીની લંબાઈ આશરે 64.36 કિમી. જેટલી છે. ધરમપુરના ડુંગરમાંથી નીકળતી ખરેરા નદી બીલીમોરા પાસે આ નદીને મળે છે. દક્ષિણ ગુજરાતના ડાંગર અને શેરડી…

વધુ વાંચો >

અંબિકાપુર

Feb 1, 1989

અંબિકાપુર : ભારતના મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 230 07’ ઉ. અ. અને 830 12’ પૂ. રે. તે સરગુજા અને વિશ્રામપુર  એ બે નામોથી પણ પ્રસિદ્ધ છે. મધ્ય પ્રદેશના સરગુજા જિલ્લાનું આ મુખ્ય મથક હોવાથી તેનો સ્વાભાવિક વિકાસ થયો છે. રસ્તાથી તે ધર્મજયગૃહ અને પટણા સાથે જોડાયેલું છે.…

વધુ વાંચો >