અંબષ્ઠ : પ્રાચીન કાળમાં પંજાબમાં સ્થિર થયેલી એક પ્રજા. તે સમય જતાં બંગાળ અને બિહારમાં પ્રસરી. આ પ્રજાનો સૌપ્રથમ ઉલ્લેખ ઐતરેય બ્રાહ્મણમાં આવે છે. મહાભારત, પુરાણો અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તેમજ ટૉલેમીની ભૂગોળમાં પણ તેના ઉલ્લેખો છે. અંબષ્ઠ નામના રાજવીના નામ પરથી પ્રજા અંબષ્ઠ નામથી ઓળખાઈ. પુરાણો અંબષ્ઠ પ્રજાને ક્ષત્રિય તરીકે ઓળખાવે છે અને તેની ઉત્પત્તિ ઉશીનર નામના રાજવીમાંથી થઈ હોવાનું માને છે. સિકંદરના આક્રમણ વખતે આ પ્રજા તેનો સામનો કરી શકી ન હતી.

ચીનુભાઈ નાયક