ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અનંત ગુણાકાર
અનંત ગુણાકાર (infinite product) : (1 + a1) (1 + a2) (1 + a3) … (1 + an ) … સ્વરૂપની અનંત અવયવો ધરાવતી અભિવ્યક્તિ (expression). તેને સંકેતમાં (1 + an) લખાય છે. અસ્પષ્ટતાને અવકાશ ન હોય તે સંજોગોમાં તેને સંક્ષેપમાં એ રીતે પણ લખવામાં આવે છે. [અનંત ગુણાકાર માં કોઈ પણ…
વધુ વાંચો >અનંત દાસ
અનંત દાસ (ચૌદમી સદી) : મધ્યકાલીન ઊડિયા કવિ. મધ્યકાલીન ઊડિયા સાહિત્યનો ચૌદમી સદીના મધ્યથી સોળમી સદીના આરંભ સુધીનો યુગ પંચસખાયુગ કહેવાય છે, કારણ કે એ યુગમાં પાંચ મહાન ભક્ત કવિઓ થઈ ગયા. એ પાંચ કવિઓમાં અનંત દાસનું મહત્ત્વનું સ્થાન છે. ચૈતન્યની કૃષ્ણભક્તિથી પ્રભાવિત એ કૃષ્ણકીર્તનનાં પદો રચીને ભાવવિભોર બની ગાતા.…
વધુ વાંચો >અનંતનાગ (1)
અનંતનાગ (1) : શ્રીનગરની દક્ષિણપૂર્વમાં જેલમ નદીને કિનારે આવેલું શહેર અને કાશ્મીરની પ્રાચીન રાજધાની. ભૌગોલિક સ્થાન : 330 44′ ઉ. અ. અને 750 09′ પૂ. રે. ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના અનંતનાગ જિલ્લાનું મુખ્યમથક. અગાઉ આ શહેરનું નામ ‘ઇસ્લામાબાદ’ હતું તે બદલીને અનંતનાગ રાખવામાં આવ્યું છે. કાશ્મીર ખીણના જળવ્યવહારમાર્ગનું દક્ષિણમાં આવેલું આ…
વધુ વાંચો >અનંતનાગ (2)
અનંતનાગ (2) : આદિનાગ અથવા આદિશેષ અથવા અનંતનાગ શિલ્પ. વિષ્ણુધર્મોત્તર પુરાણના વર્ણન પ્રમાણે અનંતનાગને ચાર હાથ, સંખ્યાબંધ ફણા, મધ્ય ફણા ઉપર પૃથ્વીદેવીની મૂર્તિ, જમણા હાથમાં કમળ/મુસળ અને ડાબા હાથમાં શંખ હોય છે. અનંતનાગ વિષ્ણુનું આસન છે. રસેશ જમીનદાર
વધુ વાંચો >અનંતનાથ
અનંતનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં 14મા તીર્થંકર. વિનીતા નગરીના રાજા સિંહસેન અને તેમની પત્ની સુયશાના પુત્ર અનંતનાથનો જન્મ વૈશાખ વદ દસમના રોજ થયો હતો. તેઓ ચૈત્ર સુદ પાંચમના રોજ નિર્વાણ પામ્યા હતા. તેઓ 30 લાખ વર્ષ જીવ્યા હોવાનું જૈન અનુશ્રુતિ જણાવે છે. 15 લાખ વર્ષ રાજ કર્યા બાદ ત્રણ…
વધુ વાંચો >અનંતનાથ પુરાણ
અનંતનાથ પુરાણ (તેરમી સદી) : મધ્યકાલીન કન્નડ કવિ જન્નની પ્રસિદ્ધ કાવ્યકૃતિ. એમાં ચૌદમા તીર્થંકર અનંતનાથની કથા ચૌદ અધ્યાયોમાં ચમ્પૂશૈલીમાં-ગદ્યપદ્યમિશ્ર-કહેવાઈ છે. કાવ્યનું કથાનક સંસ્કૃત ‘ઉત્તરપુરાણ’, કન્નડ ‘ચાવુંડરાય પુરાણ’ અને ‘અનંતનાથ પુરાણ’માંથી લીધેલું છે. તેમાં કવિએ પોતાની રીતે થોડા ફેરફારો કર્યા છે. ચંમ્પૂકાવ્યમાં આવતાં અઢાર પ્રકારનાં વર્ણનો તથા જૈન પુરાણની અષ્ટાંગ રૂઢિઓને…
વધુ વાંચો >અનંતપુર
અનંતપુર : ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 14o 41´ ઉ. અ. અને 77o 36´ પૂ. રે. જિલ્લાનો વિસ્તાર : 19,130 ચોકિમી. અને વસ્તી 3,40,613 (2011) છે. જિલ્લાની ઉત્તરે કર્નૂલ, પૂર્વમાં કડાપ્પા, અગ્નિ દિશામાં ચિત્તુર જિલ્લાની તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ કર્ણાટક…
વધુ વાંચો >અનંતમૂર્તિ, યુ. આર.
અનંતમૂર્તિ, યુ. આર. (જ. 21 ડિસેમ્બર 1932, થીરથાહલ્લી, તા. શિમોગા, જિ. કર્ણાટક, અ. 22 ઑગસ્ટ 2014, બૅંગાલુરુ, કર્ણાટક) : આધુનિક કન્નડ લેખક. સ્વાતંત્ર્યોત્તર કાળના કન્નડ સાહિત્યમાં અનંતમૂર્તિનું આગવું સ્થાન છે. બૅંગ્લોરની મહારાજા કૉલેજમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.ની પદવી લીધી. પછી ઇંગ્લૅન્ડ જઈને પીએચ.ડી. થયા. એમણે નવલકથા, નાટક, કવિતા તથા વિવેચન…
વધુ વાંચો >અનંતમૂળ
અનંતમૂળ : જુઓ, ઉપલસરી.
વધુ વાંચો >અનંતશયન
અનંતશયન : વિષ્ણુનું એક પ્રતિમાસ્વરૂપ. આ સ્વરૂપમાં વિષ્ણુ શેષનાગ (અનંત) ઉપર સૂતેલા છે. નાગફેણથી શિરચ્છત્ર રચાયું છે. લક્ષ્મીજી ભગવાનના પગને ખોળામાં લઈ પાદસેવન કરે છે. વિષ્ણુની નાભિમાં પ્રગટેલા કમળમાં બ્રહ્મા વિરાજમાન છે. મધુ-કૈટભ દૈત્યો કમળદંડને વળગેલા છે. ચક્ર, ગદા, શંખ વિષ્ણુ પાસે પડેલાં છે. વિષ્ણુનો એક હાથ માથા હેઠળ અને…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >