અનંતનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં 14મા તીર્થંકર. વિનીતા નગરીના રાજા સિંહસેન અને તેમની પત્ની સુયશાના પુત્ર અનંતનાથનો જન્મ વૈશાખ વદ દસમના રોજ થયો હતો. તેઓ ચૈત્ર સુદ પાંચમના રોજ નિર્વાણ પામ્યા હતા. તેઓ 30 લાખ વર્ષ જીવ્યા હોવાનું જૈન અનુશ્રુતિ જણાવે છે. 15 લાખ વર્ષ રાજ કર્યા બાદ ત્રણ વર્ષ છૂપા વેશે વિહર્યા પછી તેમણે ઉપદેશ આપવાનું શરૂ કર્યું હતું.

હેમન્તકુમાર શાહ