ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

આગાખાન કપ

આગાખાન કપ : ખોજા મુસ્લિમોના ધર્મગુરુ અને જગવિખ્યાત ધનાઢ્ય આગાખાને હૉકીની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી હોકી સ્પર્ધા માટે ઈસવી સન 1896માં બૉમ્બે જિમખાનાને ભેટ આપેલો કપ. ઈસવી સન 1912માં ‘ચેશાયર રેજિમેન્ટ’ સતત ત્રણ વખત આ કપ જીતી ગઈ હોવાથી તેને તે કાયમ માટે સુપરત કરવામાં આવ્યો હતો. તે પછી…

વધુ વાંચો >

આગાના

આગાના : પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં આવેલા ગુઆમ ટાપુનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 13° 28´ ઉ. અ. અને 144° 45´ પૂ. રે. આ ટાપુ યુ. એસ.ના વર્ચસ હેઠળ છે. તે ગુઆમ ટાપુના પશ્ચિમ કિનારા પર મધ્યમાં આવેલું છે. 194૦માં 1૦,૦૦૦ની વસ્તી ધરાવતું આગાના બીજા વિશ્વયુદ્ધ(1939-45)માં સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. યુદ્ધ બાદ…

વધુ વાંચો >

આગાર

આગાર : જુઓ, સ્થાપત્યકલા

વધુ વાંચો >

આગિયો

આગિયો (firefly) : ઢાલપક્ષ શ્રેણીના લેમ્પિરિડી કુળનું અનાજને નુકસાન કરતું કીટક. તેનું શાસ્ત્રીય નામ Lampyris noctiluca છે. ઇયળ અવસ્થામાં ગોકળગાયના માંસ પર જીવે છે. પુખ્ત કીટક ખોરાક લેતું નથી. પુખ્ત કીટક(લંબાઈ 5થી 25 મિમી.)ના ઉદરપ્રદેશના છઠ્ઠા અને સાતમા ખંડની અને ઇયળોના આઠમા ખંડની નીચે પ્રકાશ પેદા કરનાર અંગ આવેલાં હોય…

વધુ વાંચો >

આગુપ્તાયિક

આગુપ્તાયિક (સંવત) : સાતમી સદીના મધ્યમાં ભારતના દખ્ખણ પ્રદેશમાં પ્રચલિત સંવત. રાષ્ટ્રકૂટ રાજા દેજ્જ મહારાજના ગોકાક તામ્રપત્રમાં ‘આગુપ્તાયિક રાજાઓનું વર્ષ 845’ આપવામાં આવ્યું છે. લિપિના મરોડ પરથી આ દાનશાસન સાતમી સદીના મધ્યનું લાગે છે. દેજ્જ મહારાજ પ્રાય: ચાલુક્ય રાજા પુલકેશી બીજાના મૃત્યુ (ઈ. સ. 642) અને વિક્રમાદિત્ય પહેલાના રાજ્યારોહણ (ઈ.…

વધુ વાંચો >

આગ્નેય પ્રક્રિયા

આગ્નેય પ્રક્રિયા (igneous activity) : મૅગ્મા કે લાવાની મોટા પાયા પરની અંતર્ભેદન કે પ્રસ્ફુટનની પ્રક્રિયા. પૃથ્વીના પેટાળમાં સંજોગો અનુસાર મૅગ્મા ઉત્પન્ન થાય છે, જે જુદાં જુદાં કારણોથી પૃથ્વીની સપાટી તરફ ગતિ કરે છે. જો તે પોપડાના ખડકોમાં પ્રવેશ પામી ઠરે તો વિવિધ અંતર્ભેદકો રચે છે અને લાવારૂપે બહાર આવે તો…

વધુ વાંચો >

આગ્નેય પ્રક્રિયાજળ

આગ્નેય પ્રક્રિયાજળ (juvenile water) : ભૂગર્ભીય મૅગ્માજન્ય ઉદભવસ્થાનમાંથી ઉત્પન્ન થતું ‘નૂતન’ (juvenile) જળ. juvenile પર્યાય નૂતન જળ કે નૂતન જળ કે નૂતન વાયુ માટે પ્રયોજાય છે. અગાઉ ક્યારેય પણ સપાટીજળ કે વર્ષાજળ તરીકે અસ્તિત્વ ધરાવતું ન હોય એવું, પૃથ્વીના પેટાળમાંથી પ્રાપ્ત થતું જળ. સામાન્યપણે એવું માનવામાં આવે છે કે ઘણી…

વધુ વાંચો >

આગ્રા

આગ્રા : ભારતના ઉત્તર પ્રદેશનો જિલ્લો, તેનું વડું મથક અને ઐતિહાસિક શહેર. ભૌગોલિક સ્થાન : 270 18’ ઉ. અ. અને 780 ૦1’ પૂ. રે. પર સ્થિત છે. વસ્તી (જિલ્લો) 43,80,793 (2011)છે. જિલ્લાનો વિસ્તાર 4027 ચોકિમી. આગ્રા જિલ્લો યમુના અને ચંબલ નદીના ફળદ્રુપ મેદાનોનો બનેલો છે.જિલ્લામાં નૈઋત્યે નાની ટેકરીઓ આવેલી છે.…

વધુ વાંચો >

આગ્રા ઘરાણું

આગ્રા ઘરાણું : હિંદુસ્તાની સંગીતનું ઘરાણું. તેરમા સૈકાથી તે અસ્તિત્વમાં છે. શરૂમાં આ ઘરાણાનું સંગીત ધ્રુપદ-ધમારની શૈલીનું હતું. આ ઘરાણાના ઘગ્ગે ખુદાબક્ષ નામના એક કલાકારે ગ્વાલિયર ઘરાણાના મશહૂર ગાયક નત્થન પીરબક્ષ પાસેથી ખયાલગાયકીની તાલીમ મેળવીને પોતાના ઘરાણાની ધ્રુપદગાયકી તથા ખયાલગાયકીનો સુમેળ કરીને હાલ પ્રચલિત આગ્રા ઘરાણાના સંગીતની શૈલીનો પ્રારંભ કર્યો.…

વધુ વાંચો >

આગ્રાસરુ

આગ્રાસરુ : અનાવૃત બીજધારી વિભાગના કૉનિફરેલ્સ ગોત્રમાં આવેલા ક્યુપ્રેસેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cupressus semipervirens Linn. (ગુ. આગ્રાસરુ; અં. Italian Cypress) છે. તેના ભારતમાં થતા સહસભ્યોમાં જ્યુનિપેરસ, કૅલાઇટ્રીસ, થુજા અને લાઇબોસીડ્રસનો સમાવેશ થાય છે. કુપ્રેસસનાં વૃક્ષો વિશાળ અને સદાહરિત. છાલ પાતળી, લીસી ઊભી તિરાડો ધરાવતી અને પટ્ટીઓમાં છૂટી…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસાઈ ચીન (લદ્દાખ)

Jan 1, 1989

અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´  પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >