ખંડ ૧

અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ

આચાર્ય, રાયપ્રોલુ સુભારાવ

આચાર્ય, રાયપ્રોલુ સુભારાવ (જ. 13 માર્ચ, 1892 આંધ્રપ્રદેશ, અ. 30 જૂન,  1984 સિકંદરાબાદ, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેલુગુમાં રાષ્ટ્રપ્રેમની કવિતા રચનાર પ્રથમ રાયપ્રોલુ હતા. એમણે ગાંધીજીના સત્યાગ્રહ આંદોલન સમયે અભ્યાસ છોડી સ્વાતંત્ર્યયુદ્ધમાં ઝંપલાવેલું. તેમની કવિતામાં પ્રચંડ ઊર્મિવેગ જોવા મળે છે. એમનાં કાવ્યોમાં પ્રાચીન અને અર્વાચીન ચિંતનનો સમન્વય તેમજ છંદ અને…

વધુ વાંચો >

આચાર્ય, વલ્લભજી હરિદત્ત

આચાર્ય, વલ્લભજી હરિદત્ત (જ. 26 જૂન 184૦, જૂનાગઢ; અ. 17 જાન્યુઆરી 1911) : રાજકોટના વૉટ્સન મ્યુઝિયમના વિદ્વાન ક્યૂરેટર. જન્મ જૂનાગઢના વડનગરા નાગર બ્રાહ્મણ હરિદત્ત મોહનજી આચાર્યને ત્યાં થયો હતો. 1854થી તેમણે શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર અભ્યાસ કર્યો અને 186૦માં સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ કર્યો. 1864માં જૂનાગઢની કન્યાશાળામાં શિક્ષક થયા અને 1867માં જૂનાગઢના…

વધુ વાંચો >

આચાર્ય, વાસુ

આચાર્ય, વાસુ (જ.  11 જાન્યુઆરી 1944, બિકાનેર, રાજસ્થાન; અ. 14 ફેબ્રુઆરી 2015) : રાજસ્થાનના જાણીતા દ્વિભાષી કવિ. તેમને તેમના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ ‘સીર રો ઘર’ માટે 1999ના વર્ષ માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેઓએ એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ બિકાનેરના રાજકીય માધ્યમિક વિદ્યાલયમાં મુખ્ય અધ્યાપક તરીકે કામગીરી બજાવી…

વધુ વાંચો >

આચાર્ય, શાન્તનુકુમાર

આચાર્ય, શાન્તનુકુમાર (જ. 15 મે 1933, મોમિનપુર કોલકાત્તા) : ઓરિસાના જાણીતા વાર્તાકાર, નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘ચલન્તિ ઠાકુર’ માટે 1993ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે કટકની રાવેનશૉ કૉલેજમાંથી રસાયણશાસ્ત્ર સાથે એમ. એસસી.ની પદવી મેળવી (1956). ત્યારબાદ કૉલેજ અધ્યાપક, સીનિયર વહીવટી અધિકારી અને આચાર્ય તરીકે કામગીરી કરી.…

વધુ વાંચો >

આચાર્ય, શાંતિદેવ

આચાર્ય, શાંતિદેવ (જ. 650 લગભગ, સુરઠ, સૌરાષ્ટ્ર; અ. 763) : ગુજરાતના વિશ્વવિખ્યાત બૌદ્ધ આચાર્ય. તે રાજકુમાર હતા. તેઓ શ્રી હર્ષના પુત્ર શીલના સમકાલીન હોવાના ઉલ્લેખો મળે છે. તેમના પિતાનાં ભિન્ન ભિન્ન નામો મળે છે : શીલ, કલ્યાણવર્મા, મંજુવર્મા આદિ. સમકાલીન રાજા ધરસેન શ્રી હર્ષનો દૌહિત્ર હતો; પણ શ્રી હર્ષ અપુત્ર…

વધુ વાંચો >

આચાર્ય, હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’

આચાર્ય, હરિનારાયણ ગિરધરલાલ, ‘વનેચર’ ( જ. 25 ઑગસ્ટ 1897; વિરમગામ; અ. 23 મે 1984, અમદાવાદ) : ગુજરાતના પક્ષીવિદ અને પ્રાણીવિદ લેખક. ઊંઝાના વતની. માધ્યમિક શિક્ષણ પાટણ-સિદ્ધપુરમાં. 1914માં મૅટ્રિક. ગુજરાત કૉલેજમાંથી 1919માં સંસ્કૃત સાથે બી. એ. થયા. અસહકારના આંદોલનમાં જોડાયા એ સાથે રાષ્ટ્રીય શાળાઓમાં ને તે પછી ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કર્યું.…

વધુ વાંચો >

આચ્છાદન-સીમા

આચ્છાદન-સીમા (ecotone) : એકમેકમાં ભળતા બે જુદા જુદા વનસ્પતિ-સમાજોની સીમારેખા. દરેક વનસ્પતિ-સમાજમાં કેટલીક જાતિઓ પાણી, પ્રકાશ અને પોષક પદાર્થો જેવા પર્યાવરણના ઘટકો પર નિયંત્રણ ધરાવે છે. આવી જાતિઓ તેના સમાજના બંધારણમાં અસરકારક ભાગ ભજવે છે. ઉપરાંત વનસ્પતિ-સમાજ પોતાના વસવાટને અનુકૂળ થઈને વિકસતો હોય છે. આમ, ભૌગોલિક રીતે પર્યાવરણ પર આધારિત…

વધુ વાંચો >

આજી

આજી : સૌરાષ્ટ્રની મુખ્ય પાંચ નદીઓ (ભાદર, મચ્છુ, શેત્રુંજી, સુકભાદર અને આજી) પૈકી એક. રાજકોટ જિલ્લાનાં સરધાર અને ત્રંબા ગામ વચ્ચે આવેલી સરધારી ધારમાંથી આ નદી નીકળીને ઉત્તરમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં થઈ કચ્છના અખાતને મળે છે. રાજકોટ નજીક આ નદી ઉપર આજી ડૅમ બાંધવામાં આવેલ છે. તેના દ્વારા રાજકોટ…

વધુ વાંચો >

આજીર માનુર

આજીર માનુર (1952) : અસમિયા ભાષાની સામાજિક નવલકથા. લેખક હિતેશ ડેકા. કથાનાયક પ્રતાપ સુશિક્ષિત યુવક છે અને એનાં પ્રેમાળ ભાઈ-ભાભી જોડે રહે છે. ઘરમાં પ્રતાપની ભાભીની બહેન નીલિમા પણ રહે છે. પ્રતાપ અને નીલિમા બંને એકબીજાંને ચાહતાં હોવા છતાં એકબીજાંની સામે પ્રેમનો એકરાર કરી શકતાં નથી. ભાઈભાભીના આગ્રહથી પ્રતાપને એક…

વધુ વાંચો >

આજીવિક

આજીવિક : શ્રમણ પરંપરાની એક શાખા. જેમ જૈન અને બૌદ્ધ શ્રમણ પરંપરાની શાખાઓ છે, તેમ આજીવિક પણ શ્રમણ પરંપરાની શાખા છે. તે પણ જૈન-બૌદ્ધ શાખાઓ જેટલી પ્રાચીન છે. બુદ્ધ-મહાવીરના સમયમાં તે બહુ જાણીતી હતી અને તેના અનુયાયીઓ પણ ઘણા હતા – ખાસ કરીને મગધ અને કોસલમાં, રાજપુરુષો સહિત સમાજના વિવિધ…

વધુ વાંચો >

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો

Jan 1, 1989

અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…

વધુ વાંચો >

અકનન્દુન

Jan 1, 1989

અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…

વધુ વાંચો >

અકનાનૂરુ

Jan 1, 1989

અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…

વધુ વાંચો >

અકબર

Jan 1, 1989

અકબર (જલાલુદ્દીન મુહમ્મદ અકબર) (જ. 15 ઑક્ટોબર 1542; અ. 27 ઑક્ટોબર 1605) (શાસનકાળ : 1556-1605) : મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન, સુપ્રસિદ્ધ શહેનશાહ. અનેક લશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્રથિત કર્યો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર પ્રગતિ સાધી. શેરશાહની સામે કનોજના યુદ્ધમાં…

વધુ વાંચો >

અકબરનામા

Jan 1, 1989

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અકમ્

Jan 1, 1989

અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…

વધુ વાંચો >

અકલંક

Jan 1, 1989

અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…

વધુ વાંચો >

અકસ્માતનો વીમો

Jan 1, 1989

અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…

વધુ વાંચો >

અકાર્બનિક ઔષધરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…

વધુ વાંચો >

અકાર્બનિક જીવરસાયણ

Jan 1, 1989

અકાર્બનિક જીવરસાયણ  (Inorganic Biochemistry or Bioinorganic Chemistry) અકાર્બનિક રસાયણના સિદ્ધાંતોનો જીવરસાયણના પ્રશ્નો પરત્વે વિનિયોગ એ આ શાખાનો મુખ્ય ઉદ્દેશ. જીવરસાયણ એટલે સજીવ સૃષ્ટિનું કાર્બનિક રસાયણ એવી માન્યતા દૃઢ હતી. આથી અકાર્બનિક જીવરસાયણ, રસાયણશાસ્ત્રનું અત્યાધુનિક વિસ્તરણ ગણી શકાય. હાડકાંમાં કૅલ્શિયમ, રક્તમાં હીમોગ્લોબિન રૂપે લોહ, ક્લોરોફિલમાં મૅગ્નેશિયમ વગેરે જાણીતાં છે. સોડિયમ, પોટૅશિયમ,…

વધુ વાંચો >