૧.૦૩

અગ્નિવીણાથી અચેતન મન

અગ્રભૂમિ

અગ્રભૂમિ (foreland) : જળ, ભૂમિ કે પર્વતીય વિસ્તારમાં ધસી ગયેલી ભૂમિજિહ્વા. ‘અગ્રભૂમિ’ પ્રવર્તનના જુદા જુદા પાંચ પ્રકાર જોવા મળે છે. સમુદ્રની અંદર સુધી ધસી ગયેલી ઊંચી ભૂશિર; ભૂમિનો પૃથક્ રીતે સમુદ્ર તરફ આગળ વધી પ્રવેશેલો ભાગ. આ પ્રકારનું ભૂમિસ્વરૂપ આકાર લે તે માટેના પ્રારંભિક તબક્કામાં સમુદ્રજળપ્રવિષ્ટ ભૂમિની ત્રણ બાજુઓ પર…

વધુ વાંચો >

અગ્રવર્ગ

અગ્રવર્ગ (Elite) લઘુમતીમાં હોવા છતાં બહુમતીના અંકુશથી પર હોય અને બહુમતી પાસે પોતાના નિર્ણયોનું પાલન કરાવે તે વર્ગ. આ અંગેના અભ્યાસની શરૂઆત લાસવેલના ‘Influentials’થી થઈ. 1950ના દસકામાં ઍટલાંટા, શિકાગો, ન્યૂયૉર્ક, ન્યૂહેવન વગેરે સ્થળોના અભ્યાસોમાં આ સિદ્ધાંત વિશેષ રૂપે ઊપસી આવ્યો. અગ્રવર્ગનો સિદ્ધાંત માનવજાતની કુદરતી અસમાનતાના પ્રશિષ્ટ સિદ્ધાંત પર આધાર રાખે…

વધુ વાંચો >

અગ્રવાલ, કેદારનાથ

અગ્રવાલ, કેદારનાથ (જ. 1911, કમસિન, જિ. બાંદા, ઉ. પ્ર.) : હિન્દીમાં જાણીતા કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘અપૂર્વ’ માટે 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. રાયબરેલી અને કટની ખાતે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યા પછી તેમણે આગ્રા યુનિવર્સિટીમાંથી કાયદાશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી મેળવી. તે…

વધુ વાંચો >

અગ્રવાલ, ડી. પી.

અગ્રવાલ, ડી. પી. (જ. 15 માર્ચ 1933, અલ્મોડા, હાલનું ઉત્તરાખંડ) : જાણીતા પુરાતત્ત્વવિદ્. નામ ધરમપાલ. પુરાતત્ત્વવિદ્યાનો ડિપ્લોમા તથા એ વિષયમાં પીએચ.ડી. ઉપાધિ મેળવી મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં જોડાયા. 1973માં અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(Physical Research Laboratory)માં સ્થળાંતર કર્યું. એમણે પુરાતત્ત્વવિષયક છ પુસ્તકો લખ્યાં છે જેમાં મુખ્ય છે : ‘પ્રાચીન…

વધુ વાંચો >

અગ્રવાલ, ભારતભૂષણ

અગ્રવાલ, ભારતભૂષણ (જ. 3 ઑગસ્ટ 1919, મથુરા, ઉત્તરપ્રદેશ; અ. 23 જૂન 1975, સિમલા, હિમાચલપ્રદેશ)  : હિન્દી કવિ, નાટકકાર અને નિબંધકાર. આગ્રા યુનિવર્સિટીના અંગ્રેજી વિષય સાથે એમ.એ. (1941) અને દિલ્હી યુનિવર્સિટીના પીએચ.ડી. (1968). ‘હિન્દી નવલકથા પર પાશ્ચાત્ય પ્રભાવ’ એ તેમના મહાનિબંધનો વિષય. 1941માં કૉલકાતાથી પ્રકાશિત ‘સમાજસેવા’ પત્રના સંપાદક. 1948થી 1959 સુધી…

વધુ વાંચો >

અગ્રવાલ, વાસુદેવશરણ

અગ્રવાલ, વાસુદેવશરણ (જ. 7 ઑગસ્ટ 1904, ખેડા ગ્રામ, મેરઠ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1966, વારાણસી) : ભારતીય પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ, પ્રાચ્યવિદ્યા અને પુરાતત્ત્વના ખ્યાતનામ પંડિત. લખનૌના વણિક પરિવારમાં જન્મેલા પણ સ્વભાવે વિદ્યાપ્રેમી વાસુદેવશરણજી લખનૌ યુનિવર્સિટીમાંથી 1929માં એમ.એ. થયા. બનારસ વિશ્વવિદ્યાલયમાં વધુ અભ્યાસ અર્થે જોડાયા. 1940માં તેમની મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયના ક્યૂરેટર…

વધુ વાંચો >

અગ્રવાલ, શ્રીમન્નારાયણ

અગ્રવાલ, શ્રીમન્નારાયણ (જ. 17 જુલાઈ 1912, ઇટાવા; અ. 3 જાન્યુઆરી 1978, ગ્વાલિયર) : રાજકીય નેતા અને ગાંધીવિચારના અર્થશાસ્ત્રી. તેઓ અર્થશાસ્ત્ર અને અંગ્રેજી વિષયો સાથે એમ.એ. થયા હતા. વર્ધામાં ઘણો સમય ગાંધીજી સાથે કાર્ય કર્યા બાદ 1942માં ‘ભારત છોડો’ની લડતમાં જોડાયેલા. તેમણે વર્ધામાં સક્સેરિયા કૉલેજની સ્થાપના કરેલી અને તે કૉલેજના આચાર્ય…

વધુ વાંચો >

અગ્રાહી આત્માર કાહિની

અગ્રાહી આત્માર કાહિની (1969) : અસમિયા નવલકથા. લેખક સૈયદ અબદુલ મલિક. તેને સાહિત્ય અકાદમીનો 1972નો પુરસ્કાર મળેલો. એમાં સાંપ્રતકાળમાં મધ્યમ વર્ગના કુટુંબની વીતકકથા આલેખાઈ છે. એનાં મુખ્ય પાત્રો ત્રણ છે : શશાંક, નિરંજન અને અપરા. ત્રણેય ગૃહ વિનાનાં, સંગી-સાથી વિનાનાં, લગભગ જીવનમાંથી ફેંકાઈ ગયેલાં. એક રીતે તે આધુનિક માનવીનાં પ્રતીક…

વધુ વાંચો >

અગ્લાઇઆ

અગ્લાઇઆ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા મેલીએસી  કુળની એક પ્રજાતિ. તે ક્ષુપ અથવા નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવે છે. તેનું વિતરણ ઇંડો-મલેશિયન પ્રદેશ, ચીન, ઉષ્ણકટિબંધીય ઑસ્ટ્રેલિયા અને પૅસિફિક દ્વીપોમાં થયેલું છે. ભારતમાં તેની 23 જેટલી જાતિઓ થાય છે. તેના સહ-સભ્યો લીમડો, રોહીડો, તુન, મહોગની છે. આ પ્રજાતિની જાણીતી કેટલીક જાતિઓમાં Aglaia…

વધુ વાંચો >

અઘેડી (કાળી)

અઘેડી (કાળી) : દ્વિદળી વર્ગના ઍકેન્થેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Peristrophe bicalyculata Nees. [સં. अपामार्ग, काकजंघा, नदीक्रान्ता; હિં. अत्रीलाल, चीरचीरा; ગુ. અઘેડી (કાળી)] છે. પડતર જમીન ઉપર અથવા વાડ તથા ઝાંખરાં પર ચડતા 1થી 1.5 મી. ઊંચા, ચારથી છ ખૂણાવાળા, ફેલાતા છોડવાઓ. સાદાં રુવાંટીવાળાં અંડાકાર ઘટ્ટ પર્ણો. ગુલાબી…

વધુ વાંચો >

અગ્નિવીણા

Jan 3, 1989

અગ્નિવીણા (1922) : બંગાળના રવીન્દ્રોત્તર યુગના સુપ્રસિદ્ધ કવિ નઝરૂલ ઇસ્લામ(1899–1976)નો પ્રથમ તથા સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ. સંગ્રહનાં કાવ્યોનો મુખ્ય સૂર વિદ્રોહનો છે. એ કાવ્યસંગ્રહ પ્રગટ થયો તે સમયે ગાંધીજીનું અસહકારનું તેમજ ખિલાફતનું એમ બંને આંદોલનો પુરવેગમાં ચાલતાં હતાં. એ વાતાવરણમાં આ સંગ્રહનાં ભાવવિભોર સૂરાવલિમાં ગવાતાં ગીતો બંગાળમાં ખૂબ જ લોકપ્રિય બનેલાં અને…

વધુ વાંચો >

અગ્નિવેશ

Jan 3, 1989

અગ્નિવેશ (ઈ. સ. પૂ. 1000થી 1500 આશરે) : આત્રેય ઋષિના શિષ્યોમાં અત્યંત બુદ્ધિમાન શિષ્ય તરીકે પ્રસિદ્ધ. તેને પ્રતાપે ગુરુશિષ્યના પ્રશ્ર્નોત્તર રૂપે ‘ચરકસંહિતા’નું નિર્માણ થયેલું છે. અગ્નિવેશે આત્રેય ઋષિનાં વ્યાખ્યાનોને એકત્ર કરીને ‘અગ્નિવેશતંત્ર’ની રચના કરેલી છે. મૂળ ‘અગ્નિવેશતંત્ર’ સંક્ષિપ્ત અને સૂત્રરૂપમાં હશે, તેનું ચરકે ભાષ્ય સાથે સંસ્કરણ કરેલું છે. ‘ચરકસંહિતા’ પછી…

વધુ વાંચો >

અગ્નિશમન

Jan 3, 1989

અગ્નિશમન (Fire Fighting) આગના શમન ઉપરાંત આગનું નિવારણ (prevention) તથા આગની પરખ (detection). શહેરોની ગીચ વસ્તી, ગગનચુંબી ઇમારતો, બાંધકામની કેટલીક સામગ્રીની દહનશીલતા, દહનશીલ પદાર્થોનો વધુ વપરાશ (રાંધણગૅસ, પ્લાસ્ટિક વગેરે), વીજળી વાપરતાં સાધનોનો રોજિંદો વપરાશ વગેરેને લીધે આગ લાગવાની શક્યતા વધી ગઈ છે. તેલના કૂવાઓનું શારકામ, ખનિજતેલનું શુદ્ધીકરણ, પેટ્રોલ જેવા અતિજ્વલનશીલ…

વધુ વાંચો >

અગ્નિષોમૌ

Jan 3, 1989

અગ્નિષોમૌ : વૈદિક દેવતાયુગ્મ. તેની પ્રશસ્તિ માટે અર્પિત એક જ ઋગ્વેદ-સૂક્ત(1, 93)માં નિરુદ્ધ જલસમૂહોની મુક્તિ, અભિશપ્ત નદીઓનું શુદ્ધીકરણ, પ્રકાશ-પ્રાપ્તિ, ગ્રહોની આકાશમાં સ્થાપના, પણિ પાસેથી ગાયોની ઉપલબ્ધિ, બૃસય નામના ભયંકર શત્રુનો નાશ જેવાં ‘બહુજનહિતાય’ પરાક્રમો નિરૂપાયાં છે. વૃષણા (‘બળવાન’) તરીકે તેમને સંબોધીને સ્તોતાઓ બલ, શર્મ, વ્રતરક્ષણ, સહાય, સુરક્ષા, સમૃદ્ધિ વગેરે પ્રાર્થે…

વધુ વાંચો >

અગ્નિષ્ટોમ

Jan 3, 1989

અગ્નિષ્ટોમ (અગ્નિ + સ્તોમ = સ્તુતિ કે પ્રશંસા) : એક પ્રકારનો શ્રૌતયાગ. એકમાંથી અનેક થવાની ભાવનાથી પ્રજાપતિએ પ્રવર્તાવેલ આ યાગ પાંચ દિવસે પૂરો થાય છે. હોતા, અધ્વર્યુ વગેરે સોળ ઋત્વિજોની સહાયથી વસંત ઋતુમાં આરંભાતા આ યાગમાં આરંભમાં યજમાન પોતાની પત્ની સાથે દીક્ષા લે છે. અહીં સોમ-લતાને ખરીદી તેને યજ્ઞશાળામાં લાવી…

વધુ વાંચો >

અગ્નિસંસ્કાર

Jan 3, 1989

અગ્નિસંસ્કાર : જુઓ, અંત્યેષ્ટિ.

વધુ વાંચો >

અગ્નિસાક્ષી

Jan 3, 1989

અગ્નિસાક્ષી : પ્રસિદ્ધ મલયાળમ લેખિકા લલિતાંબિકા અન્તર્જનમની સાહિત્ય અકાદમી પુરસ્કૃત (1977) નવલકથા. એ પાત્રપ્રધાન નવલકથા છે. એની નાયિકા દેવકી નામની નાંબુદ્રી બ્રાહ્મણ સ્ત્રી છે, જે સ્વપ્રયત્નથી સમાજસેવિકા તથા રાષ્ટ્રીય કાર્યકર બને છે તો બીજી તરફ યોગિની પણ બને છે. એ રીતે એમાં આધુનિકતા તથા પરંપરા બંનેનો સમન્વય સધાયો છે. એનાં…

વધુ વાંચો >

અગ્નિહોત્ર

Jan 3, 1989

અગ્નિહોત્ર : જીવન પર્યંત આચરવાનું અગ્નિવ્રત. ઉપનયન પછી બ્રહ્મચારીનું અગ્નિવ્રત આરંભાય છે. સમાવર્તન પછી વિવાહ સુધીના સમયમાં આ વ્રતનો સ્પષ્ટ નિર્દેશ નથી. અગ્નિહોત્ર વ્રત વિવાહ પછી ગૃહસ્થે આચરવાનું હોય છે. અગ્નિહોત્ર જરામર્થ દીર્ઘસત્ર કહેવાય છે. જરાજીર્ણ ગૃહસ્થને તેમાંથી મુક્તિ મળે કે મરણથી મુક્તિ મળે. અગ્નિહોત્ર સાત પાક્ યજ્ઞોમાંનો એક યજ્ઞ…

વધુ વાંચો >

અગ્રઊંડાણ

Jan 3, 1989

અગ્રઊંડાણ (fore-deep) : ગેડવાળા વિશાળ પર્વતીય પટ્ટાના સીમાન્ત ભાગની ધાર પર દ્વીપચાપ(island arc)ની બાહ્યગોળ બાજુએ, સામાન્યત: સમુદ્રીય ઢોળાવ તરફ વિસ્તરેલી ખાઈ. આવાં ખાઈ કે ગર્ત લાંબાં, સાંકડાં, ઊંડાં તથા સળ સ્વરૂપનાં હોઈ શકે છે. ઊર્ધ્વ વાંકમાળા(anticlinorium)ના કે અધોવાંકમાળા(synclinorium)ના લાક્ષણિક, મધ્યવિભાગીય વિસ્તારોને પણ એક રીતે અગ્રઊંડાણ તરીકે લેખી શકાય, કારણ કે…

વધુ વાંચો >

અગ્રકલિકાનો સડો

Jan 3, 1989

અગ્રકલિકાનો સડો (ફળનો સડો) : નાળિયેરીમાં ફાયટોફ્થોરા પામીવોરા નામની ફૂગથી થતો રોગ. રોગની શરૂઆતમાં ટોચનું પાન ચીમળાઈ કથ્થઈ રંગનું થઈ સુકાઈ જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે. પાન પર્ણદંડથી ભાંગી છૂટું પડી જાય છે. અગ્રકલિકાનો ભાગ કોહવાતાં દુર્ગંધ મારે છે. કેટલીક વખતે ફળ ઉપર પણ આ રોગ લાગતાં ફળની…

વધુ વાંચો >