અગ્નિષોમૌ : વૈદિક દેવતાયુગ્મ. તેની પ્રશસ્તિ માટે અર્પિત એક જ ઋગ્વેદ-સૂક્ત(1, 93)માં નિરુદ્ધ જલસમૂહોની મુક્તિ, અભિશપ્ત નદીઓનું શુદ્ધીકરણ, પ્રકાશ-પ્રાપ્તિ, ગ્રહોની આકાશમાં સ્થાપના, પણિ પાસેથી ગાયોની ઉપલબ્ધિ, બૃસય નામના ભયંકર શત્રુનો નાશ જેવાં ‘બહુજનહિતાય’ પરાક્રમો નિરૂપાયાં છે. વૃષણા (‘બળવાન’) તરીકે તેમને સંબોધીને સ્તોતાઓ બલ, શર્મ, વ્રતરક્ષણ, સહાય, સુરક્ષા, સમૃદ્ધિ વગેરે પ્રાર્થે છે.

જયાનંદ દવે