અગ્રવાલ, ડી. પી.

January, 2001

અગ્રવાલ, ડી. પી. (જ. 15 માર્ચ 1933, અલ્મોડા, હાલનું ઉત્તરાખંડ) : જાણીતા પુરાતત્ત્વવિદ્. નામ ધરમપાલ. પુરાતત્ત્વવિદ્યાનો ડિપ્લોમા તથા એ વિષયમાં પીએચ.ડી. ઉપાધિ મેળવી મુંબઈની તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં જોડાયા. 1973માં અમદાવાદની ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા(Physical Research Laboratory)માં સ્થળાંતર કર્યું. એમણે પુરાતત્ત્વવિષયક છ પુસ્તકો લખ્યાં છે જેમાં મુખ્ય છે : ‘પ્રાચીન ભારતની તામ્રકાંસ્ય ટૅક્નૉલૉજી’; ‘વૈજ્ઞાનિક કાળગણના પદ્ધતિઓ’; ‘રાજસ્થાન અને કાશ્મીરનાં પ્રાચીન હવામાન’; ‘કૉપર બ્રૉન્ઝ એજ ઇન ઇન્ડિયા’ (1972) અને ‘ધ આર્કિયૉલૉજી ઑવ્ ઇન્ડિયા’ (1982).

સુમનબહેન પંડ્યા