૧.૦૩

અગ્નિવીણાથી અચેતન મન

અઘેડો (મોટો અઘેડો)

અઘેડો (મોટો અઘેડો) : દ્વિદળી વર્ગના ઍમેરેન્થેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Achyranthes aspera L. (ઠ્ઠદ્વ. अपामार्ग; હિં. लटजीरा; चीरचीरा; મ. અઘાડા; ગુ. અઘેડો) છે. રુવાંટીવાળો એકવર્ષાયુ, 30થી 120 સેમી. ઊંચો જંગલી છોડ. ચાર ખૂણાવાળું ચોરસ પ્રકાંડ. પર્ણો અંડાકાર, પરસ્પર સન્મુખ. પુષ્પો આછાં લીલાં કે સફેદ, પુષ્પદંડ ઉપર નીચે વળેલાં.…

વધુ વાંચો >

અઘોનીબાઈ

અઘોનીબાઈ (1950) : અસમિયા ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. લેખક બિરંચિકુમાર બરુઆ; ‘બીના બરુઆ’ના તખલ્લુસથી તેમણે સાહિત્યિક રચનાઓ પ્રકાશિત કરી હતી. મુખ્ય વાર્તા ‘અઘોનીબાઈ’ ઉપરથી આ સુપ્રસિદ્ધ વાર્તાસંગ્રહને ઉપર્યુક્ત નામ મળેલું છે. ‘અઘોનીબાઈ’ ગ્રામીણ નારીની વાર્તા છે. એમાં કરુણ, હાસ્ય અને શાંતનું નિરૂપણ છે. પાત્રો દ્વારા માનવની સાહજિક નિર્બળતા ઉપસાવી આપી છે.…

વધુ વાંચો >

અઘોરપંથ

અઘોરપંથ : આમ જનસમાજમાં ‘ઔઘડપંથ’ નામે ઓળખાતો આ પંથ ક્યારેક ‘સરભંગ’ કે ‘અવધૂત’ પંથના નામે પણ ઓળખાય છે. આ મતનાં મૂળ અથર્વવેદમાં મનાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદમાં ‘याते ऱुद्र शिवातनूरधोरा पापनाशिनी’ જેવા મંત્રોમાં શિવ પરત્વે અઘોર શબ્દનો પ્રયોગ થયો છે. માર્કોપોલો, પ્લીની, એરિસ્ટોટલ વગેર પાશ્ચાત્ય વિદ્વાનોએ પણ અઘોરપંથની બાબતના સંકેત કર્યા…

વધુ વાંચો >

અચપલ

અચપલ : અઢારમી સદીના હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના પ્રસિદ્ધ ગાયક અને કવિ. તેઓ ઉચ્ચ કોટીના ગાયક હતા તથા અસાધારણ કવિત્વશક્તિ ધરાવતા હતા. તેઓ ‘અચપલ’ તખલ્લુસથી કાવ્યો લખતા અને પોતે રચેલાં ગીતોને શાસ્ત્રીય સંગીતની બંદિશોમાં ઢાળતા. ખયાલ ગાયક તરીકે તેમણે અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઉત્તર ભારતમાં ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેમની કવિતામાં…

વધુ વાંચો >

અચલપુર

અચલપુર : આ શહેર મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જિલ્લામાં આવેલું છે. આ શહેર એલિચપુર અને ઇલિયાચપુર તરીકે પણ ઓળખાતું હતું. તે વિદર્ભ પ્રદેશમાં આવેલું છે. ભૌગોલિક સ્થાન, પરિવહન અને વસ્તી : અચલપુર 21 16´ ઉ. અ. અને 77 31´ પૂ. રે. પર આવેલું છે. જેનો વિસ્તાર 35 ચો. કિમી. જેટલો છે. જ્યારે વસ્તી…

વધુ વાંચો >

અચલા

અચલા : બંગાળી નવલકથાકાર શરદ્ચન્દ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘ગૃહદાહ’ની નાયિકા. એણે પિતાનો વિરોધ વહોરી, પોતે બ્રહ્મો સમાજી હોવા છતાં બ્રાહ્મણ મહિમ જોડે લગ્ન કર્યાં. લગ્ન પછી એને મહિમની તરફ પ્રેમ હોવા છતાં એ તેના મિત્ર સુરેશ પ્રત્યે પણ આકર્ષાઈ. સુરેશની ઉદ્દંડતાને કારણે સુરેશ એનો પ્રેમ પૂરો મેળવી ન શક્યો, પરંતુ અચલાએ…

વધુ વાંચો >

અચલાયતન

અચલાયતન (1911) : રવીન્દ્રનાથ ટાગોરનું નાટક. પરંપરાવાદી, રૂઢિચુસ્ત સમાજની જડતા પર પ્રહાર કરતું તે વ્યંગનાટક છે. એની કથા મૌલિક છે; પણ એનું તત્ત્વ, સમય અને વાતાવરણ આશ્ચર્યકારક રીતે વાસ્તવિક તેમજ ઐતિહાસિક છે. ઈ. સ.ની પ્રથમ શતાબ્દીના અંતિમ સૈકાઓમાં અને દ્વિતીય શતાબ્દીના આરંભમાં મહાયાન બૌદ્ધપંથનો વજ્રયાન અને મંત્રયાન સાધનાઓ રૂપે ખાસ…

વધુ વાંચો >

અચળ

અચળ (constant) : ચોક્કસ વસ્તુ, એકમ કે સંખ્યા. ચર્ચા દરમિયાન કે ગાણિતિક ક્રિયાઓના ક્રમિક અમલ દરમિયાન એક જ વસ્તુ કે સંખ્યાનું પ્રતિનિધિત્વ કરતો સંકેત. ફક્ત એક જ કિંમત ધારણ કરતી ચલરાશિ અચળ તરીકે ઓળખાય છે. ગણિત, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રનાં કેટલાંક સમીકરણો ઉકેલવામાં અચળાંક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉપયોગમાં લેવાતા વિભિન્ન…

વધુ વાંચો >

અચળ પ્રમાણનો નિયમ

અચળ પ્રમાણનો નિયમ (law of definite proportion) : રાસાયણિક સંયોજનનો એક નિયમ. ‘એક જ રાસાયણિક સંયોજનના બધા શુદ્ધ નમૂનાઓમાં એક જ પ્રકારનાં રાસાયણિક તત્ત્વો એક જ વજન પ્રમાણમાં જોડાયેલાં હોય છે. દા.ત., સિલ્વર ક્લોરાઇડને વિવિધ રીતે બનાવીએ તોપણ સિલ્વરનું વજન : ક્લોરિનનું વજન હંમેશાં 107.868 : 35.453 હોય છે. પ્રાઉસ્ટે…

વધુ વાંચો >

અચુત કુકીની મસ્જિદ (બીબી)

અચુત કુકીની મસ્જિદ (બીબી) : અમદાવાદમાં દૂધેશ્વર નજીક આવેલી એક ઉત્તમ મસ્જિદ. ઈ. સ. 1472માં મહમૂદ બેગડાના સમયમાં મલિક બહાઉદ્દીન સુલતાનીએ પોતાની બેગમ બીબી અચુતની યાદમાં બાંધી હતી. તેમાં હિંદુ અને ઇસ્લામી પ્રતીકોનું ઉત્તમ રીતે સંયોજન થયું છે. આ મસ્જિદને સાત મિનારા હતા. આ મસ્જિદના બંને મુખ્ય મિનારા હાલતા હતા…

વધુ વાંચો >

અગ્નિવીણા

Jan 3, 1989

અગ્નિવીણા (1922) : બંગાળના રવીન્દ્રોત્તર યુગના સુપ્રસિદ્ધ કવિ નઝરૂલ ઇસ્લામ(1899–1976)નો પ્રથમ તથા સર્વશ્રેષ્ઠ કાવ્યસંગ્રહ. સંગ્રહનાં કાવ્યોનો મુખ્ય સૂર વિદ્રોહનો છે. એ કાવ્યસંગ્રહ પ્રગટ થયો તે સમયે ગાંધીજીનું અસહકારનું તેમજ ખિલાફતનું એમ બંને આંદોલનો પુરવેગમાં ચાલતાં હતાં. એ વાતાવરણમાં આ સંગ્રહનાં ભાવવિભોર સૂરાવલિમાં ગવાતાં ગીતો બંગાળમાં ખૂબ જ લોકપ્રિય બનેલાં અને…

વધુ વાંચો >

અગ્નિવેશ

Jan 3, 1989

અગ્નિવેશ (ઈ. સ. પૂ. 1000થી 1500 આશરે) : આત્રેય ઋષિના શિષ્યોમાં અત્યંત બુદ્ધિમાન શિષ્ય તરીકે પ્રસિદ્ધ. તેને પ્રતાપે ગુરુશિષ્યના પ્રશ્ર્નોત્તર રૂપે ‘ચરકસંહિતા’નું નિર્માણ થયેલું છે. અગ્નિવેશે આત્રેય ઋષિનાં વ્યાખ્યાનોને એકત્ર કરીને ‘અગ્નિવેશતંત્ર’ની રચના કરેલી છે. મૂળ ‘અગ્નિવેશતંત્ર’ સંક્ષિપ્ત અને સૂત્રરૂપમાં હશે, તેનું ચરકે ભાષ્ય સાથે સંસ્કરણ કરેલું છે. ‘ચરકસંહિતા’ પછી…

વધુ વાંચો >

અગ્નિશમન

Jan 3, 1989

અગ્નિશમન (Fire Fighting) આગના શમન ઉપરાંત આગનું નિવારણ (prevention) તથા આગની પરખ (detection). શહેરોની ગીચ વસ્તી, ગગનચુંબી ઇમારતો, બાંધકામની કેટલીક સામગ્રીની દહનશીલતા, દહનશીલ પદાર્થોનો વધુ વપરાશ (રાંધણગૅસ, પ્લાસ્ટિક વગેરે), વીજળી વાપરતાં સાધનોનો રોજિંદો વપરાશ વગેરેને લીધે આગ લાગવાની શક્યતા વધી ગઈ છે. તેલના કૂવાઓનું શારકામ, ખનિજતેલનું શુદ્ધીકરણ, પેટ્રોલ જેવા અતિજ્વલનશીલ…

વધુ વાંચો >

અગ્નિષોમૌ

Jan 3, 1989

અગ્નિષોમૌ : વૈદિક દેવતાયુગ્મ. તેની પ્રશસ્તિ માટે અર્પિત એક જ ઋગ્વેદ-સૂક્ત(1, 93)માં નિરુદ્ધ જલસમૂહોની મુક્તિ, અભિશપ્ત નદીઓનું શુદ્ધીકરણ, પ્રકાશ-પ્રાપ્તિ, ગ્રહોની આકાશમાં સ્થાપના, પણિ પાસેથી ગાયોની ઉપલબ્ધિ, બૃસય નામના ભયંકર શત્રુનો નાશ જેવાં ‘બહુજનહિતાય’ પરાક્રમો નિરૂપાયાં છે. વૃષણા (‘બળવાન’) તરીકે તેમને સંબોધીને સ્તોતાઓ બલ, શર્મ, વ્રતરક્ષણ, સહાય, સુરક્ષા, સમૃદ્ધિ વગેરે પ્રાર્થે…

વધુ વાંચો >

અગ્નિષ્ટોમ

Jan 3, 1989

અગ્નિષ્ટોમ (અગ્નિ + સ્તોમ = સ્તુતિ કે પ્રશંસા) : એક પ્રકારનો શ્રૌતયાગ. એકમાંથી અનેક થવાની ભાવનાથી પ્રજાપતિએ પ્રવર્તાવેલ આ યાગ પાંચ દિવસે પૂરો થાય છે. હોતા, અધ્વર્યુ વગેરે સોળ ઋત્વિજોની સહાયથી વસંત ઋતુમાં આરંભાતા આ યાગમાં આરંભમાં યજમાન પોતાની પત્ની સાથે દીક્ષા લે છે. અહીં સોમ-લતાને ખરીદી તેને યજ્ઞશાળામાં લાવી…

વધુ વાંચો >

અગ્નિસંસ્કાર

Jan 3, 1989

અગ્નિસંસ્કાર : જુઓ, અંત્યેષ્ટિ.

વધુ વાંચો >

અગ્નિસાક્ષી

Jan 3, 1989

અગ્નિસાક્ષી : પ્રસિદ્ધ મલયાળમ લેખિકા લલિતાંબિકા અન્તર્જનમની સાહિત્ય અકાદમી પુરસ્કૃત (1977) નવલકથા. એ પાત્રપ્રધાન નવલકથા છે. એની નાયિકા દેવકી નામની નાંબુદ્રી બ્રાહ્મણ સ્ત્રી છે, જે સ્વપ્રયત્નથી સમાજસેવિકા તથા રાષ્ટ્રીય કાર્યકર બને છે તો બીજી તરફ યોગિની પણ બને છે. એ રીતે એમાં આધુનિકતા તથા પરંપરા બંનેનો સમન્વય સધાયો છે. એનાં…

વધુ વાંચો >

અગ્નિહોત્ર

Jan 3, 1989

અગ્નિહોત્ર : જીવન પર્યંત આચરવાનું અગ્નિવ્રત. ઉપનયન પછી બ્રહ્મચારીનું અગ્નિવ્રત આરંભાય છે. સમાવર્તન પછી વિવાહ સુધીના સમયમાં આ વ્રતનો સ્પષ્ટ નિર્દેશ નથી. અગ્નિહોત્ર વ્રત વિવાહ પછી ગૃહસ્થે આચરવાનું હોય છે. અગ્નિહોત્ર જરામર્થ દીર્ઘસત્ર કહેવાય છે. જરાજીર્ણ ગૃહસ્થને તેમાંથી મુક્તિ મળે કે મરણથી મુક્તિ મળે. અગ્નિહોત્ર સાત પાક્ યજ્ઞોમાંનો એક યજ્ઞ…

વધુ વાંચો >

અગ્રઊંડાણ

Jan 3, 1989

અગ્રઊંડાણ (fore-deep) : ગેડવાળા વિશાળ પર્વતીય પટ્ટાના સીમાન્ત ભાગની ધાર પર દ્વીપચાપ(island arc)ની બાહ્યગોળ બાજુએ, સામાન્યત: સમુદ્રીય ઢોળાવ તરફ વિસ્તરેલી ખાઈ. આવાં ખાઈ કે ગર્ત લાંબાં, સાંકડાં, ઊંડાં તથા સળ સ્વરૂપનાં હોઈ શકે છે. ઊર્ધ્વ વાંકમાળા(anticlinorium)ના કે અધોવાંકમાળા(synclinorium)ના લાક્ષણિક, મધ્યવિભાગીય વિસ્તારોને પણ એક રીતે અગ્રઊંડાણ તરીકે લેખી શકાય, કારણ કે…

વધુ વાંચો >

અગ્રકલિકાનો સડો

Jan 3, 1989

અગ્રકલિકાનો સડો (ફળનો સડો) : નાળિયેરીમાં ફાયટોફ્થોરા પામીવોરા નામની ફૂગથી થતો રોગ. રોગની શરૂઆતમાં ટોચનું પાન ચીમળાઈ કથ્થઈ રંગનું થઈ સુકાઈ જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે. પાન પર્ણદંડથી ભાંગી છૂટું પડી જાય છે. અગ્રકલિકાનો ભાગ કોહવાતાં દુર્ગંધ મારે છે. કેટલીક વખતે ફળ ઉપર પણ આ રોગ લાગતાં ફળની…

વધુ વાંચો >