૧૯.૨૨

વહાણવટા ઉદ્યોગથી વંશી, બળદેવ (ડૉ.)

વહાણવટા ઉદ્યોગ

વહાણવટા ઉદ્યોગ વહાણનો ઉદભવ ક્યાંથી, ક્યારે અને કેવી રીતે થયો હશે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. અનુમાન કરી શકાય કે પ્રાગ્-ઐતિહાસિક સમયમાં ઠેર ઠેર ભટકતા માનવે કુતૂહલતાને વશ થઈ ઝાડના તરતા થડ પર સવારી કરી જળસહેલગાહનો આનંદ માણ્યો હશે. ત્યારબાદ વાંસ અને વૃક્ષની ડાળીઓ કે થડ બાંધીને તરાપા બનાવ્યા હશે.…

વધુ વાંચો >

વહાબી આંદોલન (1820-1870)

વહાબી આંદોલન (1820-1870) : રાયબરેલીના સૈયદ અહમદ બરેલવી(1786-1831)એ ઇસ્લામ ધર્મમાં સુધારા કરવા માટે ભારતમાં શરૂ કરેલ આંદોલન. પાછળથી તે પંજાબમાંથી શીખોને અને બંગાળમાંથી અંગ્રેજોને દૂર કરીને મુસ્લિમ સત્તા સ્થાપવા માટેનું રાજકીય આંદોલન બન્યું હતું. ઇસ્લામ ધર્મમાં સુધારા કરવાના ઇરાદાથી અરબસ્તાનમાં અઢારમી સદીના છેલ્લાં વરસોમાં અબ્દુલ વહાબે આ આંદોલન શરૂ કર્યું…

વધુ વાંચો >

વહીદખાં

વહીદખાં (જ. 1895, ઇટાવા; અ. ?) : સૂરબહાર અને સિતારના પ્રસિદ્ધ કલાકાર. તેમના પિતા ઉસ્તાદ ઇમદાદખાં પણ સૂરબહાર અને સિતારના ઉચ્ચ કલાકાર હતા. ઇનાયતખાંસાહેબ તેમના નાના ભાઈ હતા. વહીદખાંએ શરૂઆતમાં ધ્રુપદ, ખયાલ તથા ઠૂમરીની તાલીમ લઈ, પછી સિતાર અને સૂરબહારની તાલીમ પોતાના પિતા પાસેથી પ્રાપ્ત કરી. ત્રણ વર્ષ સુધી તેઓ…

વધુ વાંચો >

વહીદખાં

વહીદખાં (જ. ?; અ. 1949) : શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક અને ઉચ્ચ કોટિના સંગીત-શિક્ષક. પોતાના શિષ્યોને તેઓ દિલથી શીખવતા. તેમનું બાળપણ તેમના કાકા ઉસ્તાદ હૈદરખાં (જેઓ કોલ્હાપુરના જાણીતા સારંગીવાદક હતા.) પાસે કોલ્હાપુરમાં વ્યતીત થયું. હૈદરખાંએ બીનકાર બન્દેઅલીખાં પાસેથી અનેક ઘરાણેદાર ચીજોની તાલીમ મેળવી હતી. આ બધી ચીજો તેમણે પોતાના ભત્રીજા…

વધુ વાંચો >

વહીવટી કાયદો

વહીવટી કાયદો વહીવટી સત્તામંડળોની સત્તાઓ અને ફરજોનું બયાન કરતો તથા તેની કાર્યરીતિ અને પરિણામોમાંથી ઉદભવતી સમસ્યાઓના ઉપાયો પર પ્રકાશ પાડતો કાયદો. વીસમી સદીમાં જેમ જેમ સરકારની જવાબદારીઓમાં અને તેના કાર્યક્ષેત્રમાં વધારો થતો ગયો અને સમાજકલ્યાણ, ઔદ્યોગિક સંબંધો, આવશ્યક વસ્તુઓનાં ઉત્પાદન અને વહેંચણી, ઝૂંપડપટ્ટીઓની સુધારણા, પ્રજાનું સ્વાસ્થ્ય, બાળકોનું શિક્ષણ વગેરે ક્ષેત્રોમાં…

વધુ વાંચો >

વહીવંચા બારોટ

વહીવંચા બારોટ : યજમાનના કુળની વ્યક્તિઓનાં નામ અને તેમનાં જીવનકાર્યની મહત્વની વિગતોની પોતાના ચોપડામાં વિધિપૂર્વક ઉચિત નોંધ રાખી અને યથાસમય તેનું વાચન કરતી વ્યાવસાયિક કુળ-ધર્મ ધરાવતી બારોટ કોમની વ્યક્તિઓ. બારોટ સૂત કે ભાટ નામની જ્ઞાતિમાંથી આવ્યા છે અને વિવિધ જ્ઞાતિઓની વિગતો પરંપરાગત વહી(ચોપડો)માં નોંધવી – એ એમનો મુખ્ય વ્યવસાય રહ્યો…

વધુ વાંચો >

વહેલ (whale)

વહેલ (whale) : માછલી જેવા આકારનું, કદમાં મોટું એવું એક દરિયાઈ સસ્તન પ્રાણી. જોકે થોડીક વહેલ નદીઓમાં પણ વસતી હોય છે. દુનિયામાં વસતા સૌથી મોટા કદનું પ્રાણી વાદળી વહેલ (Blue whale), 30 મીટર જેટલું લાંબું અને 200 ટન વજનવાળું હોય છે; પરંતુ બેલુગૅસ વહેલની લંબાઈ માત્ર 3થી 5 મીટર જેટલી…

વધુ વાંચો >

વહોરા

વહોરા : શિયા પંથની મુખ્યત્વે ગુજરાતમાં વસેલી કોમ. ઈ. સ. 1539માં ઇસ્લામના 24મા દાઈ તુર્કોને કારણે ભારતમાં આવ્યા અને તેમણે સિદ્ધપુરમાં ગાદી સ્થાપી. તેમના પુત્ર પચીસમા દાઈ સૈયદ જમાલુદ્દીને અમદાવાદમાં ગાદી ફેરવી. ઈ. સ. 1590માં દાઉદી અને સુલેમાની ફિરકા અસ્તિત્વમાં આવ્યા. તેઓની વસ્તી ગુજરાતમાં સિદ્ધપુર, અમદાવાદ, દાહોદ, નડિયાદ વગેરે સ્થળોએ…

વધુ વાંચો >

વળિતુનૈવાન, એમ.

વળિતુનૈવાન, એમ. (જ. 1 જૂન 1936, વેલ્લોર, જિ. નૉર્થ આર્કોટ, તામિલનાડુ) : તમિળ લેખક. તેઓ સંચાર-વિભાગના મુખ્ય સેક્શન-સુપરવાઇઝર તરીકે સેવાનિવૃત્ત થયા. સાથોસાથ તેમણે લેખનકાર્ય પણ કર્યું. અત્યાર સુધીમાં તેમણે તમિળમાં 3 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘તિરુવલ્લુવર’ (1968) તેમનો ઉત્તમ નાટ્યસંગ્રહ છે. ‘તેન્કુમારી દૈવમ્’ (1974) તેમની લોકપ્રિય નવલકથા છે. ‘તિરુવલ્લુવર’ બે…

વધુ વાંચો >

વંગ

વંગ : પ્રાચીન તથા મધ્યકાલમાં પૂર્વ અને દક્ષિણ બંગાળનું રાજ્ય. તેની સરહદો નિશ્ચિત નહોતી, પરંતુ વખતોવખત બદલાતી રહેતી હતી. ઈ. સ.ની ચોથી સદીમાં ગુપ્તવંશના મહાન વિજેતા સમ્રાટ સમુદ્રગુપ્તને ખંડણી ભરતાં સરહદનાં રાજ્યોમાં વંગનો સમાવેશ થતો હતો. ઈસુની છઠ્ઠી શતાબ્દીમાં વંગના રાજાઓએ ગુપ્તોનું આધિપત્ય ફગાવી દીધું અને તેને સ્વતંત્ર રાજ્ય તરીકેનું…

વધુ વાંચો >

વંજી

Jan 22, 2005

વંજી : પ્રાચીન કાલમાં દક્ષિણ ભારતના ચેર (ચેરા) રાજાઓનું પાટનગર. વંજી પેરિયાર નદીના કિનારે, પશ્ચિમ ઘાટના છેડે કોચીન પાસે આવેલું હતું. તેના સ્થાન વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક વિદ્વાનો તેને ત્રિચિનોપલ્લી પાસે કારુરના સ્થાને મૂકે છે; જ્યારે બીજા કેટલાક વિદ્વાનો પશ્ચિમ કિનારે આવેલ હાલના તિરુવંજીકુલમના સ્થાને મૂકે છે. આ બીજો…

વધુ વાંચો >

વંથળી

Jan 22, 2005

વંથળી : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો, તાલુકામથક અને એક નગર. ભૌગોલિક સ્થાન : તે 21° 35´ ઉ. અ. અને 70° 25´ પૂ. રે.ની આજુબાજુનો 393.3 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ તાલુકામાં વંથળી અને શાપુર નામનાં બે શહેરો અને 45 જેટલાં ગામ આવેલાં છે. વંથળીનાં પ્રાચીન નામો ‘વામનસ્થળી’,…

વધુ વાંચો >

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન

Jan 22, 2005

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન : ભારતની સુરક્ષિત અને આધુનિક સગવડતા ધરાવતી ઝડપી ટ્રેન. ભારતના લોકો ઝડપી મુસાફરી કરી શકે એ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો આ સ્વપ્ન પ્રોજેક્ટ છે એટલે એમણે અત્યાર સુધી શરૂ થયેલી તમામ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપસ્થિત રહી પ્રસ્થાન કરાવ્યું છે. 15 ફેબ્રુઆરી…

વધુ વાંચો >

વંદો (Cockroach)

Jan 22, 2005

વંદો (Cockroach) : ઘરમાં ઉપદ્રવ કરનારો એક જાણીતો કીટક. સરળ-પક્ષ (Orthoptera) શ્રેણીના બ્લૅટિડી કુળમાં તેનો સમાવેશ થાય છે. Periplaneta americana અને Blatta orientalisના શાસ્ત્રીય નામે ઓળખાતી વંદાની બે જાતો માનવ-વસવાટના સાંનિધ્યમાં સર્વત્ર વસે છે. ભારતીય વંદો : બહુભક્ષી ભારતીય વંદો (Polyphaga indica, walker) : સમુદાય – સંધિપાદી, વર્ગ – કીટક,…

વધુ વાંચો >

વંધ્યત્વ

Jan 22, 2005

વંધ્યત્વ : જુઓ ટેસ્ટટ્યૂબ બેબી.

વધુ વાંચો >

વંશ બ્રાહ્મણ

Jan 22, 2005

વંશ બ્રાહ્મણ : પ્રાચીન ભારતીય બ્રાહ્મણગ્રંથ. કૌથુમ શાખાના સામવેદના આઠ બ્રાહ્મણો છે : (1) પંચવિંશ, (2) ષડ્વિંશ, (3) સામવિધાન, (4) આર્ષેય, (5) મંત્ર, (6) દેવતાધ્યાય, (7) વંશ, (8) સંહિતોપનિષદ. આમાંથી ‘વંશ બ્રાહ્મણ’નું સૌપ્રથમ સંપાદન એ. વેબરે કર્યું છે. (Ladische Studien, Vol. IV, pp. 271-386) ત્યારપછી એ. સી. બર્નેલે ઈ. સ.…

વધુ વાંચો >

વંશાવળી-નકશા (pedigree maps)

Jan 22, 2005

વંશાવળી-નકશા (pedigree maps) : મનુષ્યની આનુવંશિકતાના અભ્યાસની એક પદ્ધતિ. કુટુંબની આનુવંશિક માહિતીઓનું વિશ્ર્લેષણ નિયંત્રિત પ્રજનન-પ્રયોગો (controlled breeding) માટેની એકમાત્ર અવેજી છે. તે નિશ્ચિત લક્ષણ આનુવંશિક બન્યું કે કેમ, તે જાણવામાં અને કોઈ એક લક્ષણના સંતતિઓમાં થતા સંચારણના પથને આલેખવામાં મદદરૂપ થાય છે. હવે વંશાવળી-નોંધોની યોગ્ય જાળવણી કરવામાં આવે છે. મનુષ્યનાં…

વધુ વાંચો >

વંશી, બળદેવ (ડૉ.)

Jan 22, 2005

વંશી, બળદેવ (ડૉ.) [જ. 1 જૂન 1938, મુલતાન શહેર (હાલ પાકિસ્તાન)] : હિંદી કવિ અને વિવેચક. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ. અને ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવેલી. તેમણે હિંદીમાં અધ્યાપનકાર્ય કર્યું. તેઓ અખિલ ભારતીય ભાષાસંસ્કરણ સંગઠનના સ્થાપક-પ્રમુખ; દિલ્હી રાઇટર્સ ફોરમના કન્વીનર રહ્યા. તેમની માતૃભાષા પંજાબી છે, છતાં તેમણે અત્યાર…

વધુ વાંચો >