ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મઅર્રી, અબુલ આલા

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >

મંખક

Jan 19, 2002

મંખક (ઈ.સ.ની 12મી સદી) : સંસ્કૃત ભાષાના મહાકવિ અને આલંકારિક. કાશ્મીરના વતની. પ્રસિદ્ધ આલંકારિક રાજાનક રુય્યકના શિષ્ય અને ‘શ્રીકંઠચરિત’ મહાકાવ્યના રચયિતા. તેઓ કાશ્મીરના રાજા જયસિંહના દરબારમાં વિરાજતા હતા. ઈ. સ. 1135થી 1145માં ‘શ્રીકંઠચરિત’ રચાયું હોવાનું લગભગ નિશ્ચિત છે અને જયસિંહનો સમય પણ ઈ. સ. ની બારમી સદીનો પૂર્વાર્ધ છે. એટલે…

વધુ વાંચો >

મંખલિ ગોશાલક

Jan 19, 2002

મંખલિ ગોશાલક : પ્રાચીન ભારતમાં આજીવિક સંપ્રદાયનો સ્થાપક. મંખલિપુત્ર ગોશાલકનો ઉલ્લેખ મુખ્યત્વે જૈન આગમો અને બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. ભગવતીસૂત્ર અનુસાર ગોશાલક મંખલિ નામના મંખનો પુત્ર હતો. ભગવાન મહાવીરની કીર્તિથી પ્રભાવિત થઈને તેણે મહાવીર પાસે વિનંતીપૂર્વક શિષ્યત્વ મેળવ્યું હતું. છ વર્ષના અંતેવાસ દરમિયાન તેણે ઘણી વાર અવિવેકી વર્તન કર્યું હતું.…

વધુ વાંચો >

મંગરોલી, ખુશતર

Jan 19, 2002

મંગરોલી, ખુશતર (જ. 1892, માંગરોળ, જૂનાગઢ) : સૌરાષ્ટ્ર–કાઠિયાવાડના એક વખતના જાણીતા અને લોકપ્રિય ઉર્દૂ માસિક ‘ઝબાન’ના તંત્રી તથા માલિક. તેમનું મૂળ નામ અબ્દુરરહેમાન બિન મુહમ્મદ બિન મુહસિન છે. તેઓ ‘ખુશતર’ના ઉપનામથી જાણીતા છે. તેમની 9 વર્ષની નાની વયે જ તેમના પિતાનું અવસાન થયું. પ્રાથમિક શિક્ષણ જૂનાગઢના મહાબત મદરેસા (હાલ નરસિંહ…

વધુ વાંચો >

મંગલેશ

Jan 19, 2002

મંગલેશ (રાજ્યકાલ ઈ. સ. 597–611) : દખ્ખણના વાતાપી અથવા બાદામી(બીજાપુર જિલ્લો)ના ચાલુક્ય વંશનો રાજા. તે ‘મંગલરાજા’, ‘મંગલીશ’, ‘મંગલેશ્વર’ તરીકે પણ ઓળખાતો હતો. તે પુલકેશિન પ્રથમ(રાજ્યકાલ ઈ. સ. 535–566)નો પુત્ર અને કીર્તિવર્મન્ પહેલા- (ઈ. સ. 566–597)નો નાનો ભાઈ હતો. કીર્તિવર્મનના અવસાન-સમયે તેનાં સંતાનો સગીર હોવાથી તેણે રાજગાદી સંભાળી. મહાકૂટ સ્તંભલેખમાં જણાવ્યા…

વધુ વાંચો >

મંગળ

Jan 19, 2002

મંગળ : સૂર્યમંડળના ગ્રહોમાં બુધ, શુક્ર અને પૃથ્વી પછીનો ગ્રહ. તેની સપાટી પર વિશેષ પ્રમાણમાં આવેલ ફેરિક ઑક્સાઇડ-(Fe2O3)નાં સંયોજનોને કારણે તે રાતા રંગે પ્રકાશતો જણાય છે અને તેના આ રક્તવર્ણને કારણે તેને યુદ્ધદેવતાનું પ્રતીક માનવામાં આવ્યો છે. સૂર્યથી સરેરાશ 23 કરોડ કિલોમિટર અંતરે આવેલ આ ગ્રહ, સૂર્ય ફરતું તેનું કક્ષાભ્રમણ…

વધુ વાંચો >

મંગળની શોધયાત્રા (અંતરીક્ષવિજ્ઞાન)

Jan 19, 2002

મંગળની શોધયાત્રા (અંતરીક્ષવિજ્ઞાન) : મંગળ ગ્રહનાં અંતરીક્ષ-અન્વેષણો માટેનો સોવિયેત સંઘ અને યુ.એસ.નો કાર્યક્રમ. અંતરીક્ષ-યુગ શરૂ થયો તે પછી સૌરમંડળના ગ્રહોના અન્વેષણ-કાર્યક્રમમાં મંગળ ગ્રહના સર્વગ્રાહી અન્વેષણ માટે સોવિયેત સંઘ (હવે રશિયા) તથા અમેરિકાએ ઘણાં અંતરીક્ષયાનો પ્રક્ષેપિત કર્યાં છે. સોવિયેત સંઘનાં અંતરીક્ષયાનોનાં પરિણામો વિશે બહુ જ ઓછી માહિતી મળી છે, પરંતુ અમેરિકાના…

વધુ વાંચો >

મંગેશકર, દીનાનાથ

Jan 19, 2002

મંગેશકર, દીનાનાથ (જ. 29 ડિસેમ્બર 1900, મંગેશી, ગોવા; અ. 24 એપ્રિલ 1942, પુણે) : મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયક-અભિનેતા. મૂળ અટક અભિષેકી; પરંતુ વતનના નામ પરથી મંગેશકર અટક પ્રચલિત બની. મરાઠી રંગભૂમિના વર્તુળમાં તેઓ માસ્ટર દીનાનાથ નામથી ખ્યાતનામ બન્યા. શિક્ષણ નહીંવત્; પરંતુ બાળપણમાં બ્રાહ્મણોના મંત્રપાઠ સાંભળીને વાણી અને વર્તનમાં સુસંસ્કૃત બન્યા.…

વધુ વાંચો >

મંગેશકર, લતા

Jan 19, 2002

મંગેશકર, લતા (જ. 28 સપ્ટેમ્બર 1929, ઇન્દોર, મધ્યપ્રદેશ, અ. 6 ફેબ્રુઆરી 2022, મુંબઈ) : દંતકથા બની ગયેલાં ભારતીય સ્વરસમ્રાજ્ઞી. જરા અમથું પણ ઔપચારિક શિક્ષણ ન લેનાર લતાએ પિતા દીનાનાથ મંગેશકર પાસેથી ચાર-પાંચ વર્ષની ઉંમરથી જ શાસ્ત્રીય સંગીત શીખવું શરૂ કર્યું હતું. સાત વર્ષની ઉંમરે તો તેમણે સંગીતનો પ્રથમ જાહેર કાર્યક્રમ…

વધુ વાંચો >

મંગેશકર, સુમન

Jan 19, 2002

મંગેશકર, સુમન (જ. 7 માર્ચ 1934, નંદુરબાર, મહારાષ્ટ્ર) : વિખ્યાત નર્તક અને નિર્દેશક. ગરીબ કુટુંબમાં જન્મ. 1956થી રાજકોટ આવી ત્યાંથી બી.એ. થયા. સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાં કથક નૃત્ય શીખવાનું શરૂ કર્યું. તેમણે કથક નૃત્યના જયપુર ઘરાનાના કનૈયાલાલજી જીવડા પાસેથી તાલીમ મેળવીને નૃત્યવિશારદની ઉપાધિ પ્રાપ્ત કરી. આ ઉપરાંત તેમણે સુંદરલાલજી, કુંદનલાલજી,…

વધુ વાંચો >

મંગેશકર, હૃદયનાથ

Jan 19, 2002

મંગેશકર, હૃદયનાથ (જ. 15 સપ્ટેમ્બર 1937, સાંગલી, મહારાષ્ટ્ર) : શાસ્ત્રીય અને સુગમ સંગીતના ગાયક અને મરાઠી સુગમ તથા ચલચિત્ર ક્ષેત્રના અગ્રણી સ્વરકાર. પિતા માસ્ટર દીનાનાથ (1900–1942) મરાઠી રંગભૂમિના વિખ્યાત ગાયકનટ હતા. માતાનું મૂળ નામ નર્મદા; પરંતુ લગ્ન પછી તેમનું નામ શ્રીમતી પાડવામાં આવ્યું હતું. પરિવારની મૂળ અટક અભિષેકી; પરંતુ વતનનું…

વધુ વાંચો >