ખંડ ૧૫

મઅર્રી અબુલ આલાથી માળિયા-મિયાણા

મઅર્રી, અબુલ આલા

મઅર્રી, અબુલ આલા (જ. ડિસેમ્બર 973, મઅર્રહ, ઉત્તર સીરિયા; અ. 1057) : સીરિયાના તત્વજ્ઞાની. તેમનું પૂરું નામ અબુલ આલા મહંમદ ઇબ્ન અબ્દુલ્લા અલ-તનૂખી અલ-મઅર્રી. 4 વર્ષની નાની વયે શીતળાના રોગમાં તેમણે ર્દષ્ટિ ગુમાવી હતી. છતાં તે શિક્ષણ મેળવવામાં પાછા પડ્યા ન હતા. પોતાના પિતાની પાસે શિક્ષણની શરૂઆત કર્યા બાદ તેઓ…

વધુ વાંચો >

મઉ (મઉનાથભંજન)

મઉ (મઉનાથભંજન) : ઉત્તર પ્રદેશના પૂર્વ છેડા નજીક આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 17´ ઉ. અ. અને 81° 23´ પૂ. રે.ની આજુબાજુનો 1,727 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ગોરખપુર અને દેવરિયા, પૂર્વમાં બલિયા, દક્ષિણે ગાઝીપુર અને પશ્ચિમે…

વધુ વાંચો >

મકફેલ, ઍગ્નેસ

મકફેલ, ઍગ્નેસ (જ. 1890, ગ્રે કૉ, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1954) : સ્ત્રીમતાધિકારનાં હિમાયતી અને રાજકારણી. તેઓ કૅનેડાની પાર્લમેન્ટનાં સૌપ્રથમ મહિલા-સભ્ય બન્યાં. તેમણે શિક્ષિકા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પછી સ્ત્રી-મતાધિકારની ઝુંબેશમાં જોડાયાં અને 1921થી ’40 દરમિયાન ઑન્ટેરિયોના યુનાઇટેડ ફાર્મર્સ પક્ષ તરફથી એમ.પી. તરીકે ચૂંટાયાં. તેઓ ‘કો-ઑપરેટિવ કૉમનવેલ્થ ફેડરેશન ઑવ્ કૅનેડા’નાં હિમાયતી…

વધુ વાંચો >

મકબરો

મકબરો : મુસ્લિમ સંતો, ઓલિયા, પીર અને નામાંકિત વ્યક્તિઓની કબર પર કરેલી ઇમારત. તેને ‘દરગાહ’ કે ‘રોજો’ પણ કહેવામાં આવે છે. મકબરામાં મૂળ કબર જમીનમાં હોય છે, જ્યારે તેની ઉપરના ખંડમાં એક નકલી કબર કરેલી હોય છે. મકબરો મોટેભાગે ચોરસ તલમાનવાળી ઘુંમટદાર ઇમારત હોય છે. તેમાં કબરવાળા ખંડને ફરતી જાળીઓની…

વધુ વાંચો >

મકર રાશિ

મકર રાશિ : રાશિચક્રમાં દસમા નંબરની રાશિ. આનો આકાર મગર જેવો કલ્પેલો છે. આ રાશિમાં ઉત્તરાષાઢાનું ¾ ચરણ, શ્રવણનું 1 ચરણ અને ધનિષ્ઠાનું ½ ચરણ આવે છે. મકરરાશિમાં તેના નામ પ્રમાણે ગુણ નથી. સામાન્ય સમજ મુજબ મગર એ ભયંકર જળચર પ્રાણી છે. તેના નામ પ્રમાણે આ રાશિ ભયંકર ગણાવી જોઈએ;…

વધુ વાંચો >

મકરવૃત્ત

મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની…

વધુ વાંચો >

મકરસંક્રાન્તિ

મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય…

વધુ વાંચો >

મકરંદ

મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ…

વધુ વાંચો >

મકલૂર, (સર) રૉબર્ટ

મકલૂર, (સર) રૉબર્ટ (જ. 1807, વૅક્સફર્ડ, આયર્લૅન્ડ; અ. 1873) : નામી સાહસખેડુ સંશોધક. 1824માં તેઓ નૌકાદળમાં જોડાયા. 1836માં તેઓ ઉત્તર ધ્રુવ પ્રદેશના સાહસ-પ્રવાસ-અભિયાનમાં સહયોગી બન્યા. 1848–49માં તેઓ ફ્રૅન્કલિન સાહસ-પ્રવાસમાં જોડાયા; 1850માં તેઓ ફરીથી એ પ્રવાસમાં જોડાયા અને એક જહાજનું તેમણે નૌકા-સંચાલન સંભાળ્યું. આ જહાજે પૂર્વ દિશાએથી પગપેસારો કર્યો અને બૅન્ક્સલૅન્ડના…

વધુ વાંચો >

મકવાણા, કરમશી કાનજીભાઈ

મકવાણા, કરમશી કાનજીભાઈ (જ. 7 ઑક્ટોબર 1928, અડાળા, જિ. સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર; અ. 10 જુલાઈ 1997) : નિષ્ઠાવાન શિક્ષક, સમાજસેવક, કૉંગ્રેસ પક્ષના અગ્રણી નેતા તથા લેખક. તેમણે પ્રારંભિક શિક્ષણ લોકશાળા, ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલામાં લીધું હતું અને ‘વિનીત’ની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સમાજસેવા વિદ્યાશાખાના સ્નાતક થયા. બાલ્યાવસ્થાની દારુણ…

વધુ વાંચો >

મહાવીરાચાર્ય

Jan 16, 2002

મહાવીરાચાર્ય : ભારતીય ગણિતશાસ્ત્રી અને જૈન જ્યોતિષગણિતના લેખક. ગણિતશાસ્ત્રમાં ભારતીયોના પ્રદાનની વાત કરતાં ભાસ્કરાચાર્યની સાથોસાથ મહાવીરાચાર્યનું નામ પણ આપવું પડે તેવું તેમનું કાર્ય છે. તે જૈન ધર્મના અનુયાયી હતા. તેમના વિશે કોઈ ચોક્કસ જાણકારી પ્રાપ્ત થતી નથી. હાલના કર્ણાટક રાજ્યના એક ભાગમાં રાજ્ય કરતા રાષ્ટ્રકૂટ વંશના રાજા અમોઘવર્ષ નૃપતુંગે (ઈ.સ.…

વધુ વાંચો >

મહાશિવરાત્રિ

Jan 16, 2002

મહાશિવરાત્રિ : ભારતીય શિવભક્તોનું પવિત્ર પર્વ. દરેક માસની ચૌદશને શિવરાત્રિ કહે છે અને મહા માસની ચૌદશને મહાશિવરાત્રિ કહે છે. ચૌદમી તિથિના સ્વામી શિવ છે, તેથી શિવરાત્રિ દરેક મહિને આવી શકે. પરંતુ શિવરાત્રિ પાંચ પ્રકારની છે. દરેક રાત્રિને નિત્યશિવરાત્રિ કહે છે. દરેક સુદ ચૌદશની રાત્રિને પક્ષશિવરાત્રિ કહે છે. દરેક વદ ચૌદશની…

વધુ વાંચો >

મહાશ્વેતા કાદંબરી

Jan 16, 2002

મહાશ્વેતા કાદંબરી : કવિ ચિત્રકાર ફૂલચંદ માસ્તરે લખેલું ગુજરાતી નાટક. સંસ્કૃત ભાષાના કવિ બાણભટ્ટની ‘કાદંબરી’ના આધારે રચાયેલું આ નાટક 1910માં ‘મોરબી આર્યસુબોધ નાટક મંડળી’એ ભજવ્યું હતું. બાણભટ્ટની અટપટી અને આંટીઘૂંટીવાળી લાંબી કથાને નાટકમાં ઢાળતાં એમણે ઘણી કાપકૂપ કરી છે. નાટકો માટે સંસ્કૃત કથાને પસંદ કરી નવો અભિગમ અપનાવવાનું તેમનું ર્દષ્ટિબિંદુ…

વધુ વાંચો >

મહાશ્વેતાદેવી

Jan 16, 2002

મહાશ્વેતાદેવી (જ. 1926, ઢાકા, બંગાળ) : જાણીતાં બંગાળી વાર્તાકાર અને નવલકથાકાર – અભ્યાસી સર્જક. કલાપ્રેમી બંગાળી પરિવારમાં જન્મ. પિતા મનીષ ઘટક અને માતા ધરિત્રીદેવી. પિતા લેખકોના નવતર કલ્લોલ જૂથના સભ્ય. ફિલ્મ-નિર્દેશક ઋત્વિક ઘટકનાં તેઓ બહેન થાય. વિશ્વભારતીમાંથી 1946માં બી. એ., કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.; બંગાળી અને અંગ્રેજી ભાષા ઉપરાંત…

વધુ વાંચો >

મહાસાગર-સ્થિત ટાપુઓ

Jan 16, 2002

મહાસાગર-સ્થિત ટાપુઓ (Oceanic Islands) : ઊંડા સાગરતળમાંથી ઉદભવેલા અને સમુદ્રસપાટી પર બહાર દેખાતા ટાપુઓ. વિશાળ મહાસાગરથાળાની ધાર પર આવેલા સમુદ્રો અને અખાતોમાં જોવા મળતા મોટાભાગના ટાપુઓ તેમજ છીછરી ખંડીય છાજલીઓ પરના ટાપુઓ નજીક આવેલા ખંડોનાં ભૂસ્તરીય લક્ષણોવાળા હોય છે, તેથી તેમનો અહીં સમાવેશ થતો નથી. મહાસાગર-થાળાંઓમાંથી ઉદભવેલા, પરવાળાંના ખરાબાઓ સહિત…

વધુ વાંચો >

મહાસાગરીય (સામુદ્રિક) કોતરો

Jan 16, 2002

મહાસાગરીય (સામુદ્રિક) કોતરો : સમુદ્ર કે મહાસાગરતળમાં જોવા મળતાં સીધા ઢોળાવવાળાં, સાંકડાં, ઊંડાં ગર્ત. આ પ્રકારનાં ગર્ત ભૂમિસ્વરૂપોમાં જોવા મળતી ઊભી, સાંકડી V-આકારની ખીણોને સમકક્ષ હોય છે. તેમની દીવાલો છેક તેમના તળ સુધી વિસ્તરેલી હોય છે. આમ તો સમુદ્ર કે મહાસાગરનું તળ જાતજાતનાં વિવિધ લક્ષણો ધરાવતું હોય છે, પરંતુ આ…

વધુ વાંચો >

મહાસાગરો

Jan 16, 2002

મહાસાગરો : પૃથ્વીના ગોળા પર અખૂટ જળરાશિથી ભરાયેલાં રહેતાં અગાધ ઊંડાઈ ધરાવતાં વિશાળ થાળાં. આ મહાસાગરોનું જો વિહંગાવલોકન કરવામાં આવે તો તેમની વિશાળતાનો ખ્યાલ આવી શકે. મહાસાગર અને સમુદ્ર બંને સમાનાર્થી શબ્દો છે. તફાવત માત્ર વત્તીઓછી વિશાળતાનો જ છે, એટલે સમુદ્રોને મહાસાગરના પેટાવિભાગો તરીકે ઘટાવી શકાય. કેટલાક સમુદ્રો અંશત: કે…

વધુ વાંચો >

મહાસિદ્ધિ

Jan 16, 2002

મહાસિદ્ધિ : જુઓ અષ્ટસિદ્ધિ

વધુ વાંચો >

મહાસેનગુપ્ત

Jan 16, 2002

મહાસેનગુપ્ત : મગધનો ગુપ્ત વંશનો રાજા. મગધમાં ગુપ્ત સમ્રાટોની સત્તા અસ્ત પામી તે અરસામાં ત્યાં ઉત્તરકાલીન ગુપ્તોની રાજસત્તા પ્રવર્તતી હતી. એ વંશના પાંચમા રાજા દામોદરગુપ્ત મૌખરિ સેના સામે ઝઝૂમતાં મૂર્છા પામ્યા હતા. તેમના પછી તેમનો પુત્ર મહાસેનગુપ્ત ગાદીએ આવ્યો. મહાસેનગુપ્તે કામરૂપ(આસામ)ના રાજા સુસ્થિત વર્માને હરાવી પોતાની કીર્તિ લૌહિત્ય (બ્રહ્મપુત્ર) સુધી…

વધુ વાંચો >

મહાસ્તંભ

Jan 16, 2002

મહાસ્તંભ : વિજયનગર-શૈલીનાં મંદિરોમાં વિશાળ પથ્થરોને કોરીને કરવામાં આવેલા ભવ્ય કલાત્મક સ્તંભ. આમાં મંદિરની મધ્યમાં એક સ્તંભ અને ફરતી નાની સ્તંભાવલિઓ પર દેવી-દેવતા, મનુષ્ય, પશુ તેમજ મનુષ્ય-પશુનાં મિશ્ર વ્યાલ શિલ્પો તેમજ યોદ્ધાઓ, નર્તકીઓ વગેરેનાં જીવંત અને સુંદર શિલ્પો કંડારેલાં હોય છે. આ શિલ્પો સાધારણ રીતે સ્તંભની કુંભી અને દંડના નીચેના…

વધુ વાંચો >