ખંડ ૧૪

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાથી ભ્રૂણપોષ

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા

બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…

વધુ વાંચો >

બૉચિયોની, અમ્બર્તો

બૉચિયોની, અમ્બર્તો (જ. 19 ઑક્ટોબર 1882, રેજિયો ડિકેલાબિયા, ઇટાલી; અ. 16 ઑગસ્ટ 1916, વેરોના) : ફ્યૂચરિસ્ટ ઇટાલિયન શૈલીના ચિત્રકાર અને શિલ્પી. ઘનવાદથી પ્રારંભ કર્યા પછી આકાર અને સ્વરૂપોને ગતિમાન રૂપમાં આલેખવાના ધ્યેય તરફ તે આકર્ષાયા. હકીકતમાં આ ધ્યેય ફ્યૂચરિસ્ટ કલાનું એક સૌથી મહત્વનું અને અંતર્ગત પાસું હતું. શહેરના રસ્તા પર…

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બૉ, જૉયી

બૉ, જૉયી (જ. 772, સેન્સી પ્રાંત, ચીન; અ. 846) : કવિ, સરકારી અધિકારી અને હગઝોનના ગવર્નર. તેમના જીવનકાળ દરમિયાન જ તેઓ જાપાન અને કોરિયા જેવા દેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. જેમની કૃતિઓ મુદ્રિતરૂપે પ્રગટ થઈ (આ. 810) હોય તેવા એ કદાચ સૌપ્રથમ કવિ હતા. તેમની માતૃભાષામાં લખાયેલી પદ્ય અને ગદ્યની…

વધુ વાંચો >

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર

બોઝ-આઇન્સ્ટાઇન આંકડાશાસ્ત્ર (Bose-Einstein statistics) : વ્યક્તિગત ઊર્જાસ્તર ઉપર કણોના વિતરણ માટે કોઈ પ્રતિબંધ ન હોય તેવી ક્વૉન્ટમ પ્રણાલીનું આંકડાશાસ્ત્રીય વર્ણન. અહીં પાઉલીનો અપવર્જન(exclusion)નો નિયમ પળાતો નથી, માટે ગમે તેટલી સંખ્યામાં સમાન બોઝૉન કણો એક જ ઊર્જા અવસ્થામાં રહી શકે છે. પૂર્ણાંક પ્રચક્રણ (integral spin) ધરાવતા કણોને બોઝૉન કહે છે. ફોટૉન…

વધુ વાંચો >

બોઝ, આનંદમોહન

બોઝ, આનંદમોહન (જ. 23 સપ્ટેમ્બર 1847, જયસિદ્ધિ, મયમનસિંગ, બંગાળ; અ. 20 ઑગસ્ટ 1906, કૉલકાતા) : ભારતના પ્રથમ રૅંગ્લર, બ્રહ્મોસમાજના અગ્રણી, મવાળ કૉંગ્રેસી અને સમાજસુધારક. આનંદમોહનનો જન્મ ઉપલા મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો. માતા ઉમાકિશોરીદેવીનો તેમના ઉપર ઊંડો પ્રભાવ પડ્યો હતો. તેથી આનંદમોહન સર્વધર્મસમાનતામાં માનતા હતા. પોતાનાં સંતાનો સારી કેળવણી મેળવી…

વધુ વાંચો >

બોઝ, ખુદીરામ

બોઝ, ખુદીરામ (જ. 3 ડિસેમ્બર 1889, હબીબપુર, પશ્ચિમ બંગાળ; અ. 11 ઑગસ્ટ 1908, મુઝફ્ફરપુર, બિહાર) : ભારતીય ક્રાંતિકાર. તેમના પિતા ત્રૈલોક્યનાથ નારજોલ રાજની જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાની નોકરી કરતા હતા. તેમની માત્ર  છ વર્ષની ઉંમરે માતા લક્ષ્મીપ્રિયાદેવીનું અને પછીના વરસે પિતાનું અવસાન થયું હોવાથી તેમને મોટી બહેને ઉછેર્યા હતા. તેમણે ધોરણ…

વધુ વાંચો >

બોઝ, જગદીશચંદ્ર (સર)

બોઝ, જગદીશચંદ્ર (સર) (જ. 30 ઑક્ટોબર 1858, માયમેનસીંગ; અ. 23 નવેમ્બર, 1937, ગિરિડિહનગર) :  બિનતારી (wireless) સંદેશાવ્યવહાર પ્રણાલીના પ્રથમ શોધક, જગપ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી અને વનસ્પતિ-દેહવિદ્યાના નિષ્ણાત. કૉલકાતાની સેંટ ઝેવિયર્સ કૉલેજ તથા ઇંગ્લૅન્ડના કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. 1879માં તેમણે બી.એ. (વિજ્ઞાન સાથે) અને બી.એસસી. લંડન યુનિવર્સિટીમાંથી પાસ કરી. 1885માં કૉલકાતાની પ્રેસિડેંસી…

વધુ વાંચો >

બોઝ, દેવકી

બોઝ, દેવકી (જ. 25 નવેમ્બર 1898; અ. 11 નવેમ્બર 1971, કૉલકાતા) : બંગાળી અને હિન્દી ચલચિત્રોના નિર્માતા અને દિગ્દર્શક. તે અનોખા ફિલ્મસર્જક સાથે એક પત્રકાર પણ હતા. સાપ્તાહિક પત્ર ‘શક્તિ’માં કામ કરતા હતા. તેમણે ઉચ્ચ શિક્ષણ કૉલકાતામાં મેળવ્યું હતું. 1921માં અસહકાર આંદોલન દરમિયાન તેઓ શિક્ષણ છોડી સંઘર્ષમાં સામેલ થઈ ગયા.…

વધુ વાંચો >

બોઝ, નંદલાલ

બોઝ, નંદલાલ (જ. 3 ડિસેમ્બર 1882, ખડ્ગપુર; અ. 16 એપ્રિલ 1966, શાંતિનિકેતન) : બંગાળ કલાશૈલીના સૌથી વધુ પ્રભાવશાળી અને યુગપ્રવર્તક ચિત્રકાર તથા કલાગુરુ. તેઓ અવનીન્દ્રનાથ ટાગોર, રવીન્દ્રનાથ ટાગોર, ઈ. બી. હૅવેલ અને ભગિની નિવેદિતાના ખાસ પ્રીતિપાત્ર હતા. 1903માં સુધીરાદેવી સાથે લગ્ન કર્યા બાદ 1905માં તેઓ કૉલકાતાની ‘ગવર્નમેન્ટ સ્કૂલ ઑવ્ આર્ટ’માં…

વધુ વાંચો >

બ્યૂમૉં, વિલિયમ

Jan 4, 2001

બ્યૂમૉં, વિલિયમ (જ. 1785, લેબેનૉકી – કૉનેક્ટિકટ; અ. 1853, સેંટ લૂઇ, મૉન્ટાના) : માનવીના જઠરમાં ખોરાક પર થતી પાચનક્રિયાનો અભ્યાસ સૌપ્રથમ કરનાર અમેરિકન લશ્કરી ડૉક્ટર. ઈ. સ. 1822માં 19 વર્ષની ઉંમરના એક યુવાન સેંટ માર્ટિનના પેટમાં બંદૂકની ગોળી વાગતાં તેનો ઉપચાર કરવા વિલિયમ બ્યૂમૉંને આદેશ આપવામાં આવ્યો. ગોળીને લીધે સેંટ…

વધુ વાંચો >

બ્રતોં, આન્દ્રે

Jan 4, 2001

બ્રતોં, આન્દ્રે (જ. 1896, તિન્ચ્રેબે, ફ્રાન્સ; અ. 1966) : ફ્રેંચ કવિ, સિદ્ધાંતસ્થાપક, નિબંધકાર તથા પરાવાસ્તવવાદ(surrealism)ના સ્થાપક. 1924માં પૅરિસમાં અસ્તિત્વમાં આવેલી પરાવાસ્તવવાદી ચળવળનું શ્રેય બ્રતોંને મળે છે અને તે તેમનું ચિરસ્મરણીય પ્રદાન મનાય છે. પ્રાગૈતિહાસિક કલા, આદિમ (primitive) કલા તેમજ ફિલસૂફી, મધ્યયુગીન રસાયણવિજ્ઞાન, અધ્યાત્મ, રહસ્યવાદ, રોમૅન્ટિસિઝમ, પ્રતીકવાદ, અરાજકતાવાદ, દાદાવાદ, અભિવ્યક્તિવાદ, ફ્યૂચરિઝમ…

વધુ વાંચો >

બ્રન્ટલૅન્ડ, ગ્રૉ હાર્લેન

Jan 4, 2001

બ્રન્ટલૅન્ડ, ગ્રૉ હાર્લેન (જ. 1939, ઑસ્લો) : નૉર્વેનાં રાજકારણી તેમજ પ્રથમ મહિલા વડાપ્રધાન. તેમણે ઑસ્લો તથા હાર્વર્ડ ખાતે તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1960માં તેમણે વિરોધી રૂઢિચુસ્ત પક્ષના નેતા અર્ને ઑલેય સાથે લગ્ન કર્યાં. તેઓ મજૂર પક્ષમાં જોડાયાં અને 1969માં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો. 1974 –’79 દરમિયાન તેઓ પર્યાવરણના પ્રધાન…

વધુ વાંચો >

બ્રસેલ્સ

Jan 4, 2001

બ્રસેલ્સ : બેલ્જિયમનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 50° 50´ ઉ. અ. અને 4° 20´ પૂ. રે. બેલ્જિયમમાં તે પાંચમા ક્રમે આવતું (વસ્તી : 1,37,738–1991) મોટું શહેર છે, પરંતુ તેનાં તમામ પરાં-વિસ્તારોને સાથે લેતાં તે દેશનું સૌથી મોટું (વસ્તી : 9,89,877–1991) મહાનગર બની રહે છે. તે આંતરરાષ્ટ્રીય આર્થિક અને રાજકીય પ્રવૃત્તિઓનું…

વધુ વાંચો >

બ્રહ્મગિરિ

Jan 4, 2001

બ્રહ્મગિરિ : ભારતમાં કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લામાં આવેલું પુરાતત્વીય મહત્વનું સ્થળ. અહીં તેમજ નજીકના સિદ્દાપુર અને જતિંગ-રામેશ્વરમાંથી બી. એલ. રાઇસને 1882માં મૌર્ય સમ્રાટ અશોકના એક ગૌણ શૈલલેખની ત્રણ નકલો મળી આવી હતી. મોર્ટિમર વ્હિલરની દેખરેખ નીચે 1947થી બ્રહ્મગિરિમાં ભારતીય પુરાતત્ત્વખાતા દ્વારા ઉત્ખનન અને પુનરુત્ખનન હાથ ધરાયાં. એમાંથી ત્રણ સંસ્કૃતિઓના અવશેષો…

વધુ વાંચો >

બ્રહ્મગુપ્ત

Jan 4, 2001

બ્રહ્મગુપ્ત (ઈ. સ. 598–665) : ભારતીય જ્યોતિષ અને ગણિતના વિદ્વાન લેખક. મૂળ વતન રાજસ્થાનમાં શ્રીમાળ–ભિન્નમાળ. પિતાનું નામ જિષ્ણુ. એ સમયમાં ગુજરાત છેક શ્રીમાળ–ભિન્નમાળ સુધી વિસ્તરેલ હોઈ લગભગ ગુજરાતી કહી શકાય તેવા આ જ્યોતિર્વિદે ભરયુવાનીમાં ત્રીસમે વર્ષે 24 અધ્યાયોનો બનેલો જ્યોતિષ અને ગણિતને ચર્ચતો ‘બ્રહ્મસ્ફુટ-સિદ્ધાંત’ નામનો અપૂર્વ ગ્રંથ રચ્યો છે. શાકલ્યોક્ત…

વધુ વાંચો >

બ્રહ્મચર્ય

Jan 4, 2001

બ્રહ્મચર્ય : બ્રહ્મનો સાક્ષાત્કાર કરવા માટેનું વ્રત. ધર્મશાસ્ત્ર મુજબ વેદનો અભ્યાસ કરનારે સ્ત્રીસંગ વગેરેથી દૂર રહેવા માટે પાળવાના નિયમો. ભારતીય વેદાભ્યાસીની સંયમથી જીવવાની રીત અનુસાર તેણે સ્ત્રીસંગ વગેરેથી દૂર રહેવાના નિયમોનું પાલન કરવું પડે છે. બ્રહ્મચર્ય એટલે શરીર, મન અને વાણી દ્વારા વેદ કે ઈશ્વરની સેવા કરવી એવી વ્યાખ્યા મહાભારતના…

વધુ વાંચો >

બ્રહ્મચર્યાશ્રમ

Jan 4, 2001

બ્રહ્મચર્યાશ્રમ : વિદ્યા ભણવાનો, બ્રહ્મચર્યનું પાલન કરવાનો અને શિસ્ત તેમજ ખડતલપણું કેળવવાનો ગાળો. પાંચથી આઠ વર્ષની ઉંમરે શરૂ થતો વિદ્યાભ્યાસ લગભગ પચ્ચીસ વર્ષે પૂરો થાય છે. આ સમગ્ર ગાળો બ્રહ્મચર્યાશ્રમનો છે. બ્રહ્મચર્યાશ્રમી કે વિદ્યાર્થીના ધર્મોનો ખ્યાલ મેળવવામાં મનુસ્મૃતિમાંથી લીધેલા નીચેનાં અવતરણો ઉપયોગી થશે. : ‘બ્રહ્મચારીએ મદ્ય, માંસ, સુગંધી દ્રવ્યો, માળાઓ,…

વધુ વાંચો >

બ્રહ્મચારી

Jan 4, 2001

બ્રહ્મચારી : હિન્દી અને મરાઠી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1938. નિર્માણસંસ્થા : હંસ પિક્ચર્સ. દિગ્દર્શક : વિનાયક દામોદર કર્ણાટકી. કથા તથા ગીતો : પ્રહલાદ કે. અત્રે. છબીકલા : પાંડુરંગ નાયક. સંગીત : દાદા ચાંદેકર; કલાકારો : માસ્ટર વિનાયક, મીનાક્ષી, વી. જી. જોગ, સાળવી, દામુ અણ્ણા માલવણકર, જાવડેકર. સરળ સિદ્ધાંતો પરત્વે આત્યંતિક…

વધુ વાંચો >

બ્રહ્મદત્ત

Jan 4, 2001

બ્રહ્મદત્ત : પુરાણો અનુસાર કાશી જનપદનો પ્રતાપી રાજા. આવા જનપદના રાજાઓ બ્રહ્મદત્તો તરીકે પણ ઓળખાતા. રાજોવાદ જાતક અનુસાર કાશી અને કોસલનાં રાજ્યો રાજા બ્રહ્મદત્ત અને મલ્લિકની સત્તા હેઠળ શક્તિશાળી બન્યાં હતાં. કુરુપ્રદેશ(ઇન્દ્રપ્રસ્થ)ની પૂર્વે આવેલા દક્ષિણ પંચાલમાં એક મહત્વનો રાજા પણ બ્રહ્મદત્ત નામનો હતો. એ નીપ વંશના રાજા અનુહ અને શુક-પુત્રી…

વધુ વાંચો >