ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર, અજિત અનંતરાવ
પવાર, અજિત અનંતરાવ (જ. 22 જુલાઈ 1959, દેવળાલી (પ્રવરા), મહારાષ્ટ્ર; અ. 28 જાન્યુઆરી 2026, બારામતી, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી રહેલા નાયબ મુખ્યમંત્રી. મહારાષ્ટ્રના રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા ગણાતા અજિત પવાર ‘અજિતદાદા’ના હુલામણા નામે જાણીતા હતા. તેમણે લોકકલ્યાણની યોજના પર વિશેષ ધ્યાન આપ્યું હતું. તેમનું મૂળ વતન પુણે…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પોલૅન્ડ
પોલૅન્ડ : મધ્ય યુરોપના મેદાની પ્રદેશમાં બાલ્ટિક સમુદ્રની દક્ષિણે આવેલો દેશ. ભૌ. સ્થાન : તે લગભગ 49o 0’થી 54o 50′ ઉ. અ. અને 14o 07’થી 24o 08′ પૂ. રે. વચ્ચે પૂર્વ-પશ્ચિમ આશરે 704 કિમી. તથા ઉત્તર-દક્ષિણ આશરે 648 કિમી. લંબાઈ-પહોળાઈમાં વિસ્તરેલો છે. દેશનો કુલ વિસ્તાર લગભગ 3,12,677 ચોકિમી. જેટલો છે.…
વધુ વાંચો >પોલેરીમિતિ (polarimetry)
પોલેરીમિતિ (polarimetry) : પ્રકાશત: સક્રિય (optically active) સંયોજન ધરાવતા નમૂનામાંથી તલધ્રુવીભૂત (plane polarized) પ્રકાશ પસાર થાય ત્યારે ધ્રુવીભવનતલના પરિભ્રમણની દિશા અને તેના કોણના માપન ઉપર આધારિત રાસાયણિક વિશ્લેષણની રીત. પ્રકાશીય સમઘટકો(isomers)ના અન્વેષણ માટે, ખાસ કરીને શર્કરાઓના વિશ્લેષણ માટે તે એક અગત્યની પદ્ધતિ છે. પ્રકાશ એ વીજચુંબકીય તરંગસમૂહ ધરાવતું વિકિરણ છે.…
વધુ વાંચો >પોલેરૉન
પોલેરૉન : સંપૂર્ણ આયનિક સ્ફટિકના વહનપટ(conduction band)માં ઇલેક્ટ્રૉન દાખલ કરતાં મળતું ઇલેક્ટ્રૉન-આયન યુગ્મતંત્ર. આવું યુગ્મ તેની આસપાસની લૅટિસમાં ધ્રુવીભવન પ્રેરિત કરે છે અથવા લૅટિસની નજીક વિરૂપણ પેદા થાય છે. સંયોજનપટ(valence band)માં છિદ્ર (hole) વડે પોલેરૉન મળે છે. લૅટિસનાં ઘણાં સ્થાનો સુધી વિરૂપણ થતું હોય તો તેને ‘મોટો’ પોલેરૉન કહે છે.…
વધુ વાંચો >પોલો
પોલો : ‘હૉર્સ પોલો’ નામે ઓળખાતી અને દરેક ટુકડીમાં ચાર ઘોડેસવાર ખેલાડીઓ દ્વારા રમાતી મર્દાનગીભરી દડારમત. દરેક ટુકડી દડાને લાકડી વડે ફટકારી સામેની ટુકડીના ગોલમાં મોકલી, ગોલ કરવા પ્રયત્ન કરે છે. ખેલાડીઓ સામાન્યત: તેમના ઘોડાને ડાબા હાથ વડે નિયંત્રિત કરે છે; કારણ કે રમતની લાકડી જમણા હાથે પકડવાની હોય છે.…
વધુ વાંચો >પોલોનિયમ
પોલોનિયમ : આધુનિક આવર્ત કોષ્ટકના 16મા (VI A) સમૂહનું વિકિરણધર્મી (radioactive) રાસાયણિક તત્ત્વ. સંજ્ઞા Po. 1898માં મેરી અને પિયર ક્યૂરીએ યુરેનિયમના ખનિજ પિચબ્લેન્ડમાંથી આ તત્ત્વ છૂટું પાડ્યું અને માતૃભૂમિ પોલૅન્ડ ઉપરથી તેને ‘પોલોનિયમ’ નામ આપ્યું. Po કુદરતમાં યુરેનિયમ, થોરિયમ અને ઍક્ટિનિયમની વિકિરક-ક્ષય-પેદાશ રૂપે મળે છે. કુદરતમાં તે ઘણું અલ્પ પ્રાપ્ય…
વધુ વાંચો >પોલો માર્કો
પોલો, માર્કો (જ. 15 સપ્ટેમ્બર 1254, વેનિસ, ઇટાલી; અ. 8 જાન્યુઆરી 1324, વેનિસ) : ઇટાલીના વેનિસનો વેપારી, વિશ્ર્વપ્રવાસી તથા સંશોધક, જેનો એશિયાના પ્રવાસવર્ણનનો ગ્રંથ પ્રમાણભૂત માહિતી-સ્રોત મનાતો. પોલો કુટુંબ મધ્યપૂર્વ સાથે વેપાર કરીને સમૃદ્ધ બન્યું હતું. માર્કોના પિતા નિકોલો અને કાકા મેફિયો વેપારી તરીકે 1260-69 દરમિયાન ચીન ગયા હતા. ત્યાંથી…
વધુ વાંચો >પોલ્લાચી
પોલ્લાચી : તમિળનાડુ રાજ્યના કોઇમ્બતુર જિલ્લાનું એક નગર. ભૌગોલિક સ્થાન : 10o 40′ ઉ. અ. અને 77o 01′ પૂ. રે. તે કોઇમ્બતુરથી આશરે 40 કિમી.ને અંતરે અગ્નિ દિશામાં પેરામ્બિકુલમ્ જતા માર્ગ પર આવેલું છે. જિલ્લાનું તે ઘણું અગત્યનું વ્યાપારી મથક છે, પ્રવાસનું કેન્દ્ર છે તથા મહત્ત્વની દૃષ્ટિએ કોઇમ્બતુર પછી બીજા…
વધુ વાંચો >પૉવેલ જી. બી.
પૉવેલ, જી. બી. : આધુનિક તુલનાત્મક રાજનીતિશાસ્ત્રના પાયાના સિદ્ધાંતકાર. અમેરિકાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં રહી તેમણે વ્યાપક સંશોધન કર્યાં. 1968માં પીએચ.ડી. થયા. વિકસિત અને વિકાસશીલ દેશોની વિવિધ રાજકીય પ્રથાઓની તુલના કરવા માટે નવીન પ્રકારની વિશ્લેષણપદ્ધતિનું પ્રતિપાદન કર્યું. રાજકીય વ્યવસ્થાના પરિચાલનને સમજવા માટે તેમણે રજૂ કરેલી નિક્ષેપ (input) અન બહિ:ક્ષેપ(output)ની મૌલિક વિભાવના વ્યાપક…
વધુ વાંચો >પૉવેલ જૉન ઇનૉક
પૉવેલ, જૉન ઇનૉક (જ. 16 જૂન 1912, બર્મિંગહામ, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી, 1998) : નિર્ભીકપણે પોતાના જાતિવાદી વિચારો વ્યક્ત કરનાર બ્રિટિશ સાંસદ અને રાજદ્વારી નેતા. તેમના પિતા શાળા-શિક્ષક હતા. પૉવેલે ટ્રિનિટી કૉલેજ, ઑક્સફર્ડમાં અભ્યાસ કર્યો. ત્યાં જ ફેલો નિમાયા (1934-37). 25 વર્ષની વયે ઑસ્ટ્રેલિયાની ‘યુનિવર્સિટી ઑવ સિડની’માં ગ્રીક ભાષાના અધ્યાપક…
વધુ વાંચો >પૉવેલ જૉન વેઝલી
પૉવેલ, જૉન વેઝલી (જ. 24 માર્ચ 1834, માઉન્ટ મૉરિસ, ન્યૂયૉર્ક; અ. 23 સપ્ટેમ્બર 1902) : અમેરિકન ભૂતપૂર્વ મેજર. સિવિલ યુદ્ધમાં તેમણે એક હાથ ગુમાવેલો. તેઓ તે પછીથી ભૂસ્તરશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રી તરીકે વધુ જાણીતા બનેલા. 1865માં ઇલિનૉઇ યુનિવર્સિટીમાં અને 1867માં ઇલિનૉઇની નૉર્મલ કૉલેજમાં ભૂસ્તરશાસ્ત્રનું અધ્યાપનકાર્ય કર્યું. 1869માં તેમણે અન્ય 11 જણની…
વધુ વાંચો >