ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >પેજર
પેજર : આશરે 30થી 50 કિલોમીટર અંતરની મર્યાદામાં બહારથી આવતા, કોઈ વ્યક્તિને ટેલિફોન કરવા માટેની સૂચના કે તેના દ્વારા આપવામાં આવતા ટૂંકા સંદેશાને કાળા અક્ષરોવાળા લખાણમાં અંકિત કરતું એક નાનકડું આધુનિક ઇલેક્ટ્રૉનિક ઉપકરણ. તે ફક્ત એકતરફી કામ આપે છે, એેટલે કે પેજરધારક બહારથી આવતું સૂચન કે સંદેશો મેળવી શકે છે;…
વધુ વાંચો >પેટન્ટ
પેટન્ટ : પોતાની મૌલિક ઔદ્યોગિક શોધ જાહેર કરવાના બદલામાં સંશોધકને કાયદા અન્વયે તે શોધનો ઉપયોગ કરવા માટે અપાતો સંપૂર્ણ ઇજારો. ઔદ્યોગિક ઉપયોગમાં આવે એવી નવી શોધની બાબતમાં જ આવો હક્ક આપવામાં આવે છે. પેટન્ટ આપવાનો ઉદ્દેશ નવી ઔદ્યોગિક તકનીકને ઉત્તેજન આપવાનો અને ઔદ્યોગિક વિકાસ સાધવાનો છે. તે આપવાથી કેટલાક લાભ…
વધુ વાંચો >પેટર, વૉલ્ટર
પેટર, વૉલ્ટર (જ. 4 ઑગસ્ટ 1839, લંડન; અ. 30 જુલાઈ 1894, ઑક્સફર્ડ) : અંગ્રેજ વિવેચક અને નિબંધકાર. શૈલીની નજાકત માટે જાણીતા આ લેખક પર પ્રી-રૅફેલાઇટ્સ જૂથનો પ્રભાવ હતો. શાળાનો અભ્યાસ કિંગ્ઝ સ્કૂલ, કૅન્ટરબરીમાં તથા કૉલેજનો અભ્યાસ ક્વીન્સ કૉલેજ, ઑક્સફર્ડમાં. અભ્યાસ બાદ તે ઑક્સફર્ડમાં સ્થાયી થયા. 1864માં તે બ્રાસેનોઝ કૉલેજમાં સદસ્ય…
વધુ વાંચો >પૅટરસન, ફ્લૉઇડ
પૅટરસન, ફ્લૉઇડ (જ. 4 જાન્યુઆરી 1935, વૅકો, ટૅક્સાસ; અ. 11 મે 2006, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : અમેરિકાના વ્યવસાયી મુક્કાબાજ (boxer). તેમનો ઉછેર બ્રુકલિનમાં થયો હતો. ત્યાં માનસિક અસંતુલન ભોગવતાં બાળકોની શાળામાં રહેવાનું થયું; એ શાળામાં તેમણે મુક્કાબાજીમાં નિપુણતા મેળવી. નાનાં-મોટાં વિજેતાપદ મેળવ્યા બાદ, તેમણે 1952માં ઑલિમ્પિક રમતોમાં મિડલવેટ ક્લાસમાં સુવર્ણચંદ્રક મેળવ્યો.…
વધુ વાંચો >પૅટર્ન પોએટ્રી
પૅટર્ન પોએટ્રી : શબ્દોનું ભાવતત્ત્વ વ્યક્ત થાય એ રીતે ભૌતિક પદાર્થોના નિશ્ચિત આકાર અનુસાર ગોઠવાયેલી કાવ્યપંક્તિઓ. તે ‘શેપ્ડ’, ‘ક્યૂબિસ્ટ’ અને ‘કાક્રીટ’ કવિતા તરીકે પણ ઓળખાય છે. તેમાં ભૌમિતિક આકારો વિશેષ હોય છે; એ ઉપરાંત પાંખો, ઈંડાં અને ભાલો જેવા આકારો પણ પ્રયોજાય છે. તેનો ઉદ્ગમ પ્રાચીન મનાય છે. પૅટર્ન કવિતા…
વધુ વાંચો >પેટલાદ
પેટલાદ : ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાનો તાલુકો અને શહેર. આ તાલુકો 22 21´ થી 22 40´ ઉ. અ. અને 72 40´ થી 72 56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે સમુદ્રસપાટીથી આશરે 32 મીટર ઊંચાઈ ધરાવે છે. આ તાલુકાનું ક્ષેત્રફળ 305 ચો.કિમી. છે. આ તાલુકાની ઉત્તરે માતર અને નડિયાદ તાલુકાઓ, દક્ષિણે ખંભાત અને બોરસદ…
વધુ વાંચો >પેટલીકર, ઈશ્વર મોતીભાઈ
પેટલીકર, ઈશ્વર મોતીભાઈ (જ. 9 મે 1916, પેટલી; અ. 22 નવેમ્બર 1983, અમદાવાદ) : જાણીતા ગુજરાતી લેખક અને સમાજચિંતક. મૂળ નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ; પરંતુ સાહિત્યજગતમાં ‘ઈશ્વર પેટલીકર’ તરીકે પ્રસિદ્ધ. નવલકથાઓ, વાર્તાઓ, ચરિત્રો, નિબંધો વગેરેના લેખક. વ્યવસાયે શિક્ષક અને પછી પત્રકાર. ગુજરાતના સામાજિક સેવાક્ષેત્રે પણ તેઓ પ્રવૃત્ત. તેમણે વર્ષો સુધી…
વધુ વાંચો >પેટુ (aneurysm)
પેટુ (aneurysm) : લોહીની નસમાં ફુગ્ગાની માફક ફૂલેલો ભાગ, જેમાં લોહી ભરાયેલું હોય. જન્મજાત કારણો કે કોઈ પાછળથી ઉદભવેલાં કારણથી લોહીની નસની દીવાલનો તે ભાગ નબળો પડી ગયેલો હોય છે. તેમાં ભરાયેલું લોહી ગંઠાઈ જાય છે અને તેથી ક્યારેક તેમાંથી લોહીના નાના ગઠ્ઠા છૂટા પડીને શરીરના કોઈ અન્ય ભાગમાં પહોંચી…
વધુ વાંચો >પેટ્રાર્ક, ફ્રાન્સિસ્કો
પેટ્રાર્ક, ફ્રાન્સિસ્કો (જ. 20 જુલાઈ 1304, અરેઝો, ઇટાલી; અ. 20 જુલાઈ 1374, આર્ક્યૂઆ પેટ્રાર્ક, ઇટાલી) : ઇટાલિયન અને પ્રોવિન્શ્યલ ભાષાના મહાન કવિ. મધ્યયુગીન યુરોપમાં રેનેસાંસના પુરોગામી માનવતાવાદના પુરસ્કર્તા કવિ, વિદ્વાન અને ખ્રિસ્તી-ધર્મવેત્તા. તેમના સમય વખતે પોપની રોમની ગાદીના વિરોધમાં સ્થપાયેલા ઍવીન્યોનની સંસ્થામાં ધર્માચાર્યની પદવી માટે સજ્જતા મેળવી. તેમની નવયુવાનીમાં માતાનું…
વધુ વાંચો >પેટ્રિયા
પેટ્રિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા વર્બિનેસી કુળની એક પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Petra volubilis Linn. (અં. Purple Wreth; ગુ. નીલપ્રભા) છે. તે એક મોટી વળવેલ છે. તેનાં પર્ણો સાદાં, સમ્મુખ, અંડાકાર, દીર્ઘવૃત્તીય (elliptic) અથવા લંબચોરસ, અખંડિત અને તરંગિત હોય છે. તે અણીદાર પર્ણાગ્ર ધરાવે છે. પુષ્પવિન્યાસ નમિત (drooping) કક્ષીય…
વધુ વાંચો >