ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >

પંચામૃત-લૌહ-ગૂગળ

Jan 3, 1999

પંચામૃત–લૌહ–ગૂગળ : માથા તેમજ મગજના રોગો પર વપરાતી આયુર્વેદિક ઔષધિ. તે ગોળીના સ્વરૂપમાં તૈયાર થાય છે. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, અભ્રકભસ્મ, સુવર્ણમાક્ષિકભસ્મ અને રૌપ્યભસ્મ  એ દરેક એક એક ભાગ, લૌહ ભસ્મ બે ભાગ તથા શુદ્ધ કરેલો ગૂગળ સાત ભાગ લઈ પ્રથમ પારદગંધકને લોખંડની ખરલમાં ઘૂંટી તેમાં બાકીની ભસ્મો મેળવીને ખૂબ…

વધુ વાંચો >

પંચાયતન (1)

Jan 3, 1999

પંચાયતન (1) : મંદિરોનો એક પ્રકાર. તેની રચનામાં મુખ્ય મંદિરના ચારેય ખૂણે એક એક નાના મંદિરની રચના કરાયેલ હોય છે. આ નાનાં મંદિરોમાં મુખ્ય મંદિરના આધારે દેવદેવીઓની પ્રતિમા સ્થપાયેલી હોય છે. ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ ભારતીય સ્થાપત્યમાં આવા પ્રકારનાં મંદિરો જોવા મળે છે. પશ્ચિમ ભારતમાં ઓસિયાનાં પ્રતિહાર-શૈલીનાં મંદિરો, ખજુરાહોનાં તથા…

વધુ વાંચો >

પંચાયતન (2)

Jan 3, 1999

પંચાયતન (2) : હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર પાંચ દેવોને ચોક્કસ સ્થાને મૂકીને કરાતી ધાર્મિક વિધિ. પંચાયતનમાં પંચ ઉપાસ્ય દેવોની ઉપાસના અને તે માટેની દીક્ષા અપેક્ષિત છે. ‘તંત્રસાર’ ગ્રંથ પ્રમાણે પંચાયતનમાં શક્તિ, વિષ્ણુ, શિવ, સૂર્ય અને ગણેશ – એ પાંચ દેવોનાં યંત્રો બનાવી તેમની પૂજા કરવાની હોય છે. આ યંત્રપૂજા માટેની દીક્ષાને…

વધુ વાંચો >

પંચાયત-પંચાયતી રાજ

Jan 3, 1999

પંચાયત-પંચાયતી રાજ : ભારતમાં ગામડાંનો વહીવટ કરતી સંસ્થા અને તેની વહીવટ-પદ્ધતિ. પ્રાચીન સમયથી છેક આધુનિક સમય સુધીના રાજ્યવહીવટના કેન્દ્રમાં હંમેશાં ગામડું રહ્યું છે અને તેનો વહીવટ કરતી સંસ્થાઓ પંચાયતો છે. ‘પંચાયત’ શબ્દના મૂળમાં સંસ્કૃત ભાષાના બે શબ્દો છે : पंच અને आयतनम्. ‘પંચ’ સંખ્યાસૂચક છે, જે પાંચની સંખ્યા દર્શાવે છે.…

વધુ વાંચો >

પંચારમ્

Jan 3, 1999

પંચારમ્ : મંદિરના શિખરની અંદરના મજલાની જગ્યા. આ શબ્દનો પ્રયોગ છત્રીઓના સંદર્ભમાં પણ કરાય છે. શિખરોની ઊંચાઈના પ્રમાણમાં અંદર મળતી જગ્યાનો ઘણી વાર નાના મજલા તરીકે ઉપયોગ કરાતો હોય છે અને તેમાં પ્રકાશ તથા હવા માટે સુંદર બારીઓ પણ રખાય છે. રવીન્દ્ર વસાવડા

વધુ વાંચો >

પંચાલ (ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદી)

Jan 3, 1999

પંચાલ (ઈ. પૂ. છઠ્ઠી-પાંચમી સદી) : ભારતનાં સોળ મહાજનપદોમાંનું એક. કુરુની પૂર્વે આવેલું આ જનપદ ગંગા નદી વડે બે ભાગમાં વહેંચાયેલું હતું. ઉત્તર પંચાલનું પાટનગર અહિચ્છત્ર અને દક્ષિણ પંચાલનું કામ્પિલ્ય. અહિચ્છત્ર એ હાલનું બરેલી જિલ્લાનું રામનગર અને કામ્પિલ્ય એ ફર્રુખાબાદ જિલ્લાનું કાંપિલ હોવાનું જણાય છે. કાન્યકુબ્જ (કનોજ) આ જનપદમાં આવેલું…

વધુ વાંચો >

પંચાલ જયકિશન

Jan 3, 1999

પંચાલ, જયકિશન (જ. 1929, સૂરત પાસેનું કોસંબા, વાગરા; અ. 12 સપ્ટેમ્બર 1971, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતમાં પ્રથમ પંક્તિના સંગીતકારોમાં સ્થાન ધરાવતી સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના એક. પિતા : ડાહ્યાભાઈ, માતા : અંબાબહેન. તેમનો જન્મ મૂળ ગૂર્જરસુથાર જ્ઞાતિના પરિવારમાં થયો હતો. તે 11 મહિનાના હતા ત્યારે પરિવાર કોસંબા-વાગરાથી વલસાડ જિલ્લાના વાંસદામાં સ્થાયી…

વધુ વાંચો >

પંચાસર

Jan 3, 1999

પંચાસર : પાટણની સ્થાપના પૂર્વેની ચાવડા વંશના રાજા જયશિખરીની રાજધાની. તાલુકામથક સમીથી તે 35 કિમી. અને ચાણસ્માથી 13 કિમી. દૂર વઢિયાર પ્રદેશમાં રૂપેણના કાંઠે આવેલું છે. ઈ. સ.ના સાતમા સૈકાના અંતભાગમાં ચાવડા વંશનો જયશિખરી અહીં રાજ કરતો હતો. ગુજરાતની સમૃદ્ધિનાં વખાણ સાંભળીને કલ્યાણકટકના રાજા ભૂવડના સામંત મિહિરે અને પછી ભૂવડે…

વધુ વાંચો >

પંચાસરા પાર્શ્વનાથનું મંદિર

Jan 3, 1999

પંચાસરા પાર્શ્વનાથનું મંદિર : ઈ. સ.ની નવમી સદીમાં વનરાજે બંધાવેલ પ્રસિદ્ધ મંદિર. અણહિલવાડ પાટણના સ્થાપક વનરાજે પોતાના ગુરુ શીલગુણસૂરિના આદેશથી પાટણમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, એ ઘટના ઇતિહાસ-પ્રસિદ્ધ છે. આ મંદિરનો વખતોવખત ર્જીણોદ્ધાર થયેલો છે. બાવન જિનાલય ધરાવતા આ ભવ્ય મંદિરનો સળંગસૂત્ર વૃત્તાન્ત સાહિત્ય અને ઉત્કીર્ણ લેખોમાં જે…

વધુ વાંચો >

પંચાંગ

Jan 3, 1999

પંચાંગ : હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ પાંચ અંગોની આખા વરસની માહિતી આપતું પોથીબધ્ધ લખાણ. વૈદિક શ્રૌતસૂત્રોમાં કહેલા યજ્ઞયાગો, ગૃહ્યસૂત્રોમાં કહેલા લગ્ન વગેરે ગૃહ્ય-સંસ્કારો તથા સ્મૃતિઓમાં કહેલાં ધાર્મિક અને સામાજિક પર્વો શુભ સમયે કરવાથી તેનું શુભ ફળ મળે છે, તેથી કયો સમય શુભ છે અને…

વધુ વાંચો >