ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >પંચોલી દલસુખ
પંચોલી, દલસુખ (જ. 1906, કરાંચી; અ. 10 ઑક્ટોબર 1959) : જાણીતા હિન્દી-પંજાબી ચલચિત્રોના ગુજરાતી ચલચિત્રસર્જક. પૂરું નામ દલસુખ મ. પંચોલી. દેશના ભાગલા પૂર્વે પંજાબ(હાલ પાકિસ્તાન)માં ચલચિત્રઉદ્યોગ ઊભો કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપેલું. મૂળ સૌરાષ્ટ્રના ઝાલાવાડના બ્રાહ્મણ પરિવારના દલસુખ પંચોલીના મોટા ભાઈ રેવાશંકર કરાંચીમાં ફિલ્મવિતરણનો વ્યવસાય કરતા. દલસુખને પણ તેમણે ત્યાં બોલાવી…
વધુ વાંચો >પંજાબ (પાકિસ્તાન)
પંજાબ (પાકિસ્તાન) : દક્ષિણ એશિયાનો લગભગ 7,00,000 ચોકિમી.નો વિશાળ મેદાની વિસ્તાર આવરી લેતો ભારત-પાકિસ્તાનમાં આવેલો પ્રદેશ. ‘પંજાબ’ નામ ધરાવતો પ્રાંત પાકિસ્તાનના ઈશાન ભાગમાં તથા એ જ નામ ધરાવતું રાજ્ય વાયવ્ય ભારતમાં જોડાજોડ એકબીજાની સરહદે આવેલાં છે. આ સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ છે. પાકિસ્તાનનો પંજાબ પ્રાંત ભારતના પંજાબ રાજ્યની પશ્ચિમ તરફ આવેલો…
વધુ વાંચો >પંજાબ (ભારત)
પંજાબ (ભારત) : ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : આ રાજ્ય આશરે 29o 32′ થી 32o 30′ ઉ. અ. અને 73o 53′ થી 77o 0′ પૂ. રે. વચ્ચેના લગભગ 50,362 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીર, પૂર્વમાં હિમાચલ પ્રદેશ તથા હરિયાણા, દક્ષિણમાં હરિયાણા તથા રાજસ્થાન…
વધુ વાંચો >પંજાબી ભાષા અને સાહિત્ય
પંજાબી ભાષા અને સાહિત્ય : પંજાબી ભાષા એટલે ઇન્ડો-આર્યન ભાષાકુલની એક આધુનિક ભારતીય ભાષા. લિપિ ગુરુમુખી. કેટલાક લોકો માત્ર અરબી લિપિનો ઉપયોગ કરે છે. તે ભારતના પંજાબ રાજ્ય અને પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પ્રમુખ ભાષા છે. ગઝનીના મેહમૂદે ઈ. સ.ની અગિયારમી સદીની શરૂઆતમાં પંજાબ ઉપર જીત મેળવી તે સમયથી પ્રચલિત ભાષા.…
વધુ વાંચો >પંડિત આનંદનારાયણ મુલ્લા
પંડિત, આનંદનારાયણ મુલ્લા (જ. 24 ઑક્ટોબર 1901, લખનૌ; અ. 12 જૂન 1997) : ઉર્દૂ ભાષાના ખ્યાતનામ કવિ તથા પ્રખર ન્યાયવિદ. તે કાશ્મીરી બ્રાહ્મણ હતા. તેમણે 1921માં બી. એ. તથા 1923માં એમ. એ. અને એલએલ.બી.ની પદવી મેળવી. 1926માં તેમણે લખનૌમાં વકીલાત શરૂ કરી. તે વિદ્યાર્થીકાળમાં અંગ્રેજીમાં કવિતા લખતા હતા, પરંતુ 1926થી…
વધુ વાંચો >પંડિત એકનાથ
પંડિત, એકનાથ (જ. 1870–1936; અ. 30 એપ્રિલ 1950, ગ્વાલિયર) : શાસ્ત્રીય સંગીતના જાણીતા ભારતીય ગાયક. એમના પિતા વિષ્ણુશાસ્ત્રી પંડિત જાણીતા કીર્તનકાર હતા. તેમના મોટા ભાઈ શંકર પંડિત પણ સુપ્રસિદ્ધ ગાયક હતા. પિતાએ બેઉ ભાઈઓને ગ્વાલિયર ઘરાણાના પ્રકાંડ ઉસ્તાદો હદ્દુખાં તથા હસ્સુખાં પાસેથી તાલીમ મળે એ માટેનો પ્રબંધ કર્યો હતો. ત્યારે…
વધુ વાંચો >પંડિત કૃપાશંકર બહેચરદાસ
પંડિત, કૃપાશંકર બહેચરદાસ (જ. 1877, લાડોલ, તા. વિજાપુર; અ. 4 એપ્રિલ 1970, અમદાવાદ) : સ્વદેશીના પ્રચારક, ક્રાંતિકાર અને શિલ્પી. વિસનગરા નાગર જ્ઞાતિના બહેચરદાસ આજીવિકા મેળવવા સતારા જિલ્લાના તાસગાંવમાં રહેતા હોવાથી કૃપાશંકરનો બાળપણનો ઉછેર ત્યાં થયો. તેમના મોસાળ ભુજમાં રહી અંગ્રેજી ચાર ધોરણ સુધી ભણી, ત્યાંના રાજકુમારોના શિક્ષક કેશવ હર્ષદ ધ્રુવની…
વધુ વાંચો >પંડિત કૃષ્ણરાવ શંકરરાવ
પંડિત, કૃષ્ણરાવ શંકરરાવ (જ. 26 જુલાઈ 1894, ગ્વાલિયર; અ. 22 ઑગસ્ટ 1989, ગ્વાલિયર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. પિતા શંકરરાવ વિષ્ણુ પંડિત ગ્વાલિયર ઘરાનાના જાણીતા ગાયક હતા અને તેથી માત્ર છ વર્ષની વયથી કૃષ્ણરાવે પિતા પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. બાલ્યાવસ્થાથી તેઓ પિતાની સાથે સંગીતના કાર્યક્રમોમાં હાજરી…
વધુ વાંચો >પંડિત કેશવદેવ
પંડિત, કેશવદેવ (જ. 1271; અ. 1309) : આયુર્વેદના વિદ્વાન ગ્રંથકાર. પંડિત કેશવદેવ વૈદ્ય હોવા ઉપરાંત દક્ષિણ ભારતના દેવગિરિના રાજાના પ્રધાન હતા. તેમનો પુત્ર બોપદેવ ‘શાર્ઙ્ગધરસંહિતા’નો પ્રખ્યાત ટીકાકાર હતો. પંડિત કેશવદેવે ‘સિદ્ધમંત્રપ્રકાશ’ નામનો એક વૈદકીય ગ્રંથ લખેલો છે. તેમાં તેમણે ઔષધદ્રવ્યોનું વર્ગીકરણ ગુણો અનુસાર કરેલું છે; જેમ કે વાતનાશક, પિત્તનાશક અને…
વધુ વાંચો >પંડિત ગટ્ટુલાલજી
પંડિત, ગટ્ટુલાલજી (જ. 1844, જૂનાગઢ; અ. 1898, ભાવનગર) : ભારતીય સંસ્કૃતિ અને શુદ્ધાદ્વૈતી પુષ્ટિમાર્ગના પ્રકાંડ વિદ્વાન. શતાવધાની દાર્શનિક, પ્રજ્ઞાચક્ષુ મહાપંડિત. મૂળ ગોકુળના તૈલંગ બ્રાહ્મણ. પિતા પંચનદી ઘનશ્યામ શર્મા કોટા-રાજસ્થાનમાં સ્થિર થયેલા. માતા લાડુબેટીજી જૂનાગઢના ગોસ્વામી વ્રજવલ્લભ મહારાજનાં પુત્રી. બાળપણનું નામ ગોવર્ધન શર્મા પણ સ્નેહથી સહુ ‘ગટ્ટુલાલ’ કહેતા, જે નામ પાછળથી…
વધુ વાંચો >