ખંડ ૧૧

પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા

પવયણસાર (પ્રવચનસાર)

પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…

વધુ વાંચો >

પવાડુ / પવાડો

પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…

વધુ વાંચો >

પવાર લલિતા

પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…

વધુ વાંચો >

પવાર શરદ

પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…

વધુ વાંચો >

પવિત્ર રોમન સામ્રાજ્ય

પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…

વધુ વાંચો >

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ

પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…

વધુ વાંચો >

પશુપાલન-પશુમાવજત

પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…

વધુ વાંચો >

પશુપોષણ

પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…

વધુ વાંચો >

પશુરોગો અને પશુચિકિત્સા

પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…

વધુ વાંચો >

પશુસંવર્ધન

પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…

વધુ વાંચો >

પાર્કિન્સનનો રોગ

Jan 8, 1999

પાર્કિન્સનનો રોગ : સ્નાયુઓના બળમાં ઘટાડો, આગળ નમીને લગભગ દોડતા હોય તેવી ચાલ અને કોઈ કાર્ય ન કરતા હોય ત્યારે થતી હાથની ધ્રુજારીવાળો રોગ. તેથી તેને સક્રિયક લકવો અથવા લકવાસમ પ્રકંપવા(paralysis agitans)ના નામે ઓળખવામાં આવે છે. 1817માં જેમ્સ પાર્કિન્સને તેને સૌપ્રથમ વર્ણવ્યો હતો. તેમણે એ વખતે નોંધ્યું હતું કે આ…

વધુ વાંચો >

પાર્કિન્સનનો સિદ્ધાંત

Jan 8, 1999

પાર્કિન્સનનો સિદ્ધાંત : કોઈ પણ કાર્ય પૂરું કરવા માટે જેટલો સમય ઉપલબ્ધ હોય તેના પ્રમાણમાં કાર્યનો વિસ્તાર થયા કરે છે તેવું પ્રતિપાદન કરતો સિદ્ધાંત, આ સિદ્ધાંતની રજૂઆત કરનાર સિરિલ નૉર્થકોટ પાર્કિન્સન ઇતિહાસના પ્રાધ્યાપક હતા. લંડનના પ્રખ્યાત સામયિક ‘ધી ઇકૉનૉમિસ્ટ’માં તેમણે પોતાનું નિરીક્ષણ લેખ-સ્વરૂપમાં 1957માં પ્રગટ કર્યું. તેમણે પોતાનો લેખ બ્રિટિશ…

વધુ વાંચો >

પાર્કિન્સન સી. નૉર્થકોટ

Jan 8, 1999

પાર્કિન્સન, સી. નૉર્થકોટ (જ. 30 જુલાઈ 1909, બર્નાર્ડ કેસલ, ડરહામ, ઇંગ્લૅંડ; અ. 11 માર્ચ 1993, ઇંગ્લૅંડ) : બ્રિટિશ ઇતિહાસકાર તથા ઐતિહાસિક નવલકથાકાર. વહીવટી તંત્રની વૃત્તિ-પ્રવૃત્તિ અંગે કટાક્ષભરી કૃતિઓના લેખક તરીકે તેઓ વિશેષ જાણીતા બન્યા હતા. તેમણે સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કર્યો તથા કિંગ્ઝ કૉલેજ, લંડન ખાતે…

વધુ વાંચો >

પાર્કિયા (ચંદુફળ)

Jan 8, 1999

પાર્કિયા (ચંદુફળ) : દ્વિદળી વર્ગના ફેબેસી કુળમાં આવેલ માઇમોસોઇડી ઉપકુળની એક પ્રજાતિ. તેનું વિતરણ ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં થયેલું છે. Parkia biglandulosa Wight & Arn (ગુ. ચંદુફળ) અને P. roxburghii G. Don. syn. P. javanica (Lam.) Merrill નામની બે જાતિઓ ભારતમાં થાય છે. P. biglandulosa સુંદર, ઊંચું અને સદાહરિત વૃક્ષ છે. તે…

વધુ વાંચો >

પાર્ટી (1984)

Jan 8, 1999

પાર્ટી (1984) : હિંદી ચલચિત્ર. નિર્માણસંસ્થા : નૅશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કૉર્પોરેશન. દિગ્દર્શન અને છબીકલા : ગોવિંદ નિહાલાની. કલાકારો : રોહિણી હટંગડી, મનોહરસિંહ, વિજયા મહેતા, દીપા શાહી, કે. કે. રૈના, સોની રઝદાન, શફી ઇનામદાર, ઓમ્ પુરી, અમરીશ પુરી, આકાશ ખુરાના, નસીરુદ્દીન શાહ, ગુલશન કૃપાલાની, પર્લ પદમશી. અવધિ 118 મિનિટ. એક સાહિત્યકારનું…

વધુ વાંચો >

પાર્થસારથિ એન.

Jan 8, 1999

પાર્થસારથિ, એન. (જ. 18 ડિસેમ્બર, 1932, નિધિકુડ્ડી, જિ. રામનાથપુરમ્; 13 ડિસેમ્બર, અ. 1988) : તમિળ લેખક. ‘મણિવાનન’, ‘પોનમુડી’, ‘વાલવન’, ‘કોડાલલાકન’ અને ‘હેમુ પૂવનન’ તખલ્લુસથી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને પત્રકારત્વવિષયક સાહિત્ય રચ્યું હતું. તેઓ થોડો સમય મદુરાઈ નજીક પાસુમાલાઇની શાળામાં શિક્ષક હતા. તેમની નવલકથા તથા વાર્તાઓની પશ્ર્ચાદ્ભૂ ત્યાંના સામાજિક વાતાવરણે પૂરી…

વધુ વાંચો >

પાર્થસારથિ ગોપાલસ્વામી

Jan 8, 1999

પાર્થસારથિ, ગોપાલસ્વામી (જ. 7 જુલાઈ 1912, ચેન્નઈ; અ. 1 ઑગસ્ટ 1995, નવી દિલ્હી) : ભારતીય ઉદ્દામવાદી પત્રકાર, શિક્ષણકાર. પિતા ન. ગોપાલસ્વામી આયંગર જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં પ્રધાન હતા. એવા બ્રાહ્મણ પરિવારમાં તમિળનાડુના ચેન્નઈમાં તેમનો જન્મ થયો. કાકા રંગસ્વામી આયંગર અંગ્રેજી દૈનિક ‘હિન્દુ’ના તંત્રી હતા. તેમનાથી પ્રભાવિત ગોપાલે લંડનમાં શિક્ષણ પૂરું કરી…

વધુ વાંચો >

પાર્થિયા

Jan 8, 1999

પાર્થિયા : એશિયામાં કાસ્પિયન સમુદ્રની અગ્નિ દિશામાં આવેલું એક પ્રાચીન રાજ્ય. અત્યારે એ પ્રદેશ ઈરાનમાં ખોરાસાન તરીકે ઓળખાય છે. ઈ. સ. પૂ. 520માં એકેમેનિયન રાજા દરાયસ પહેલાના બિસિટૂન અભિલેખમાં તેનો ઉલ્લેખ ‘પાર્થવ’ તરીકે થયો છે. પાર્થિયનો સાદું જીવન જીવતા અને યોદ્ધાઓ તરીકે જાણીતા હતા. શરૂઆતમાં પાર્થિયા સ્વતંત્ર હતું. પરંતુ ઈરાનના…

વધુ વાંચો >

પાર્થિવ ગ્રહો

Jan 8, 1999

પાર્થિવ ગ્રહો (terrestrial planets) : સૂર્યમંડળમાં સૂર્યની નજીકના બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ જેવા નાના શૈલયુક્ત (rocky) ગ્રહો. પાર્થિવ ગ્રહોને અંદરના ગ્રહો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગ્રહો ઘન-સ્વરૂપના પથરાળ છે. તે બધા લગભગ એકસરખાં લક્ષણો ધરાવે છે. પ્રત્યેક ગ્રહ જ્વાળામુખી-ઉદભવ અથવા ઉલ્કાપિંડના મારાને લીધે પૃષ્ઠ અપક્ષરણ (erosion) જેવી…

વધુ વાંચો >

પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial intelligence)

Jan 8, 1999

પાર્થિવેતર જીવસૃષ્ટિ (extraterrestrial intelligence) : પૃથ્વી સિવાય અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિનું સંભવત: અસ્તિત્વ. પૃથ્વી ઉપર માણસ, પશુ-પંખીઓ, વનસ્પતિ સહિતની જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવે છે, પણ અન્ય ગ્રહ ઉપર આવી જીવસૃષ્ટિ અસ્તિત્વ ધરાવતી હોય એવી કોઈ પ્રતીતિ થઈ નથી કે કોઈ ચોક્કસ પ્રમાણ મળ્યું નથી. તે છતાં, કોઈ અન્ય ગ્રહ ઉપર જીવસૃષ્ટિની…

વધુ વાંચો >