ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >પાયરોક્લૉર
પાયરોક્લૉર : માઇક્રોલાઇટ શ્રેણીનું ખનિજ. એલ્સવર્થાઇટ અને હૅચેટ્ટોલાઇટ તેના પ્રકારો છે. રાસા. બં.: (Na, Ca, U)2 (Nb, Ta, Ti)2O6 (OH, F). સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો ઑક્ટાહેડ્રલ, ક્યારેક (011), (113) કે (001) ફલકો સહિત. ખડકોમાં જડાયેલા કણો સ્વરૂપે પણ મળે; અનિયમિત દળદાર જથ્થા પણ મળે. યુગ્મતા (111)…
વધુ વાંચો >પાયરૉક્સિનાઇટ
પાયરૉક્સિનાઇટ : એક પ્રકારનો અલ્ટ્રાબેઝિક અગ્નિકૃત ખડક. આવશ્યકપણે માત્ર પાયરૉક્સિનથી બનેલા મધ્યમ કે સ્થૂળ દાણાદાર ખડકને પાયરૉક્સિનાઇટ કહેવાય. ઑલિવીન-વિહીન અન્ય લોહમૅગ્નેશિયન ખનિજોથી બનેલા પર્કનાઇટને પણ પાયરૉક્સિનાઇટ કહી શકાય. વધુ પડતા પાયરૉક્સિનથી બનેલો, ક્યારેક થોડા ઑલિવીન કે હૉર્નબ્લેન્ડ સહિતનો, વજનદાર, ઘેરા રંગવાળો દૃશ્ય સ્ફટિકોવાળો (phaneritic) અગ્નિકૃત ખડક. વધુ પડતા કે સંપૂર્ણ…
વધુ વાંચો >પાયરૉક્સિનૉઇડ (pyroxenoids)
પાયરૉક્સિનૉઇડ (pyroxenoids) : ખનિજોનો એક સામૂહિક પ્રકાર. રાસાયણિક રીતે પાયરૉક્સિન ખનિજવર્ગને સમાન એવાં સૂત્રો ધરાવતો, પરંતુ અણુરચનાત્મક દૃષ્ટિએ સંબંધ ન ધરાવતો ખનિજસમૂહ. આ સમૂહમાં સંકલિત SiO4 ચતુષ્ફલકોની એકાકી શૃંખલા હોય છે, જ્યારે પાયરૉક્સિન-સમૂહમાં આવી સાદી શૃંખલા નથી હોતી. કેટાયનનો વધુ મર્યાદિત ગાળો તેના માળખામાં ગોઠવાય છે અને Alથી થતું Siનું…
વધુ વાંચો >પાયરૉક્સીન (Pyroxene)
પાયરૉક્સીન (Pyroxene) : સમલક્ષણધારક ખનિજો માટે અપાયેલું સામૂહિક નામ. ખડકનિર્માણ સિલિકેટ ખનિજોનો એવો સમૂહ જેમાં Sio4 ટેટ્રાહેડ્રા(આયનોસિલિકેટ)ની લાક્ષણિક શૃંખલા એક પ્રકારનું માળખું રચે છે. તેનો એક એકમ (Sio3) ઝ્ સ્વરૂપનો હોય છે, પરંતુ રજૂઆતની અનુકૂળતા માટે તેને બદલે Si2O6 અથવા Si4O12 સામાન્યત: વધુ ઉપયોગમાં લેવાય છે. આમ ત્રિપરિમાણવાળું એક માળખું…
વધુ વાંચો >પાયરૉક્સીન વર્ગ (Pyroxene Family)
પાયરૉક્સીન વર્ગ (Pyroxene Family) : ખડકનિર્માણનાં ખનિજો પૈકીનો મહત્વનો ખનિજવર્ગ. ખડકોના બંધારણમાં રહેલાં વિવિધ ખનિજો પૈકી પાયરૉક્સીન સમૂહનાં ખનિજો અતિ મહત્વનો ખનિજવર્ગ બનાવે છે. રાસાયણિક બંધારણની દૃષ્ટિએ ઑલિવીન ખનિજોની તુલનામાં આ ખનિજો સિલિકાના વધુ પ્રમાણવાળાં હોય છે અને તેથી તે મેટાસિલિકેટ પ્રકારનાં ખનિજો ગણાય છે. વધુમાં તેમના બંધારણમાં Fe, Mg,…
વધુ વાંચો >પાયરોગૅલોલ
પાયરોગૅલોલ : પાયરોગૅલિક ઍસિડ; 1,2,3 – ટ્રાઇહાઇડ્રૉક્સી બેન્ઝીન C6H3(OH)3. ગૅલિક ઍસિડને તેનાથી ત્રણ ગણા પાણી સાથે ઑટોક્લેવમાં ગરમ કરવાથી તે બનાવી શકાય. તે ગૅલિક ઍસિડમાંથી સૌથી પ્રથમ 1786માં મેળવવામાં આવેલો. ગૅલિક ઍસિડ વિવિધ વૃક્ષોનાં વૃક્ષવ્રણ અને છાલમાંથી મેળવી શકાય છે. પાયરોગૅલોલના સ્ફટિકો ચળકતા અને રંગવિહીન હોય છે; પરંતુ પ્રકાશમાં તે…
વધુ વાંચો >પાયરોફાઇટા
પાયરોફાઇટા : દ્વિકશાધારી લીલ(ડાઇનોફ્લેજલેટ્સ)નો એક મોટો અને અત્યંત વિષમ વિભાગ. પ્રાણીશાસ્ત્રીઓ તેને પ્રજીવસમુદાયના ફાઇટોમૅસ્ટીગોફોરા વર્ગના ડાઇનોફ્લેજેલીટા ગોત્રમાં મૂકે છે. કેટલાક વર્ગીકરણ-શાસ્ત્રજ્ઞો તેને સ્વતંત્ર સૃદૃષ્ટિ-મધ્યકોષકેન્દ્રી(Mesokaryota)માં મૂકે છે. આ વિભાગમાં આવેલી લગભગ 1,2૦૦ જાતિઓને 18 ગોત્ર અને 54 કુળમાં વર્ગીકૃત કરવામાં આવી છે. મોટાભાગનાં સ્વરૂપો સૂક્ષ્મ હોય છે; પરંતુ બહુ ઓછાં સ્વરૂપોનો…
વધુ વાંચો >પાયરોફિલાઇટ
પાયરોફિલાઇટ : શંખજીરાને લગભગ મળતું આવતું અને તેની અવેજીમાં ઉપયોગમાં લેવાતું ખનિજ. રાસા. બં. : Al2O3 . 4SiO2. H2O. સિલિકા 66.7%, ઍલ્યુમિના 28.3% અને જળમાત્રા 5.00. સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક. સ્ફ. સ્વ. : પત્રબંધી રચનાવાળું, વિકેન્દ્રિત-પર્ણવx; અંશત: રેસાદાર; દળદાર, દાણાદારથી ઘનિષ્ઠ (સૂક્ષ્મ સ્ફટિકમય) સ્વરૂપે પણ મળે; આછા પારભાસકથી અપારદર્શક. સંભેદ…
વધુ વાંચો >પાયરોલ્યૂસાઇટ
પાયરોલ્યૂસાઇટ : મૅંગેનીઝ માટેનું આર્થિક મહત્વ ધરાવતું ખનિજ. રામ્સ્ડેલાઇટ સાથે વિરૂપતાધારક. રાસાયણિક બંધારણ : મૅંગેનીઝ ડાયૉક્સાઇડ MnO2. સ્ફટિકવર્ગ : ઑર્થોરૉમ્બિક; MnO2ના સુવિકસિત સ્ફટિકો-પોલિયેનાઇટ (સ્ફ. વર્ગ : ટેટ્રાગોનલ) કુદરતમાં ભાગ્યે જ મળે છે. પાયરોલ્યૂસાઇટ સામાન્ય રીતે તો વિકેન્દ્રિત રેસાદાર અથવા વૃક્કાકાર આચ્છાદન-સ્વરૂપમાં મળી આવે છે, પરંતુ ક્યારેક ટૂંકાથી લાંબા પ્રિઝમૅટિક સ્ફટિકો…
વધુ વાંચો >પાયાની સવલતો (infrastructure)
પાયાની સવલતો (infrastructure) : અર્થતંત્રમાં રહેલાં માળખાંમાંથી મળતી એવી સેવાઓ જે ખરીદનાર અને વેચનાર વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાઓના પ્રવાહને સરળ બનાવે છે. પાયાની સેવાઓમાં વિવિધ પ્રકારની સેવાઓનો સમાવેશ થાય છે. પહેલાં તેના માટે ‘સ્થિર સામાજિક મૂડી’ શબ્દ વપરાતો હતો. કેટલીક વખત પાયાની સેવાઓને આર્થિક અને સામાજિક – એવા બે વિભાગોમાં…
વધુ વાંચો >