ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >પાબુજીનો પટ્ટ અથવા પાબુજીનો પડ
પાબુજીનો પટ્ટ અથવા પાબુજીનો પડ : રાજસ્થાનની વીંટા કે પટ્ટ દ્વારા ચિત્રકથા પ્રસ્તુત કરવાની લોકકલાનો જાણીતો પ્રકાર. ચિત્રિત તંબૂની કપડા કે કાગળના વીંટાવાળી દીવાલ પર ચિત્રો દોરાયેલાં હોય છે. વીંટો ક્રમે ક્રમે સામે ઉઘાડવામાં આવે છે અને એ રીતે પ્રેક્ષકો ચિત્રકાર-કથાકારની કહેણીની મદદથી એક પછી એક, આંખ સામે આવતાં ચિત્રો…
વધુ વાંચો >પાબ્ના
પાબ્ના : બાંગ્લાદેશનો એક જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. 4,936 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતો, ‘રાજશાહી’ વહીવટી વિભાગમાં આવેલો આ જિલ્લો પદ્મા (ગંગા નદીનો વિભાગ) અને જમુના (બ્રહ્મપુત્ર નદીનો વિભાગ) નદીના સંગમથી રચાતા ખૂણા પર વિસ્તરેલો છે. આ જિલ્લામાં ઘણી નદીઓ જાળ રૂપે ફેલાયેલી હોવાથી વર્ષાઋતુમાં અહીંનાં ઘણાં ગામો વચ્ચે…
વધુ વાંચો >પામ (તાડ)
પામ (તાડ) : એકદળી વર્ગના એરિકેસી કુળની વૃક્ષસ્વરૂપ ધરાવતી વનસ્પતિ. તેની પ્રત્યેક જાતિની આગવી વિશિષ્ટતા હોય છે. કેટલીક જાતિઓ બગીચામાં શોભાની વનસ્પતિ તરીકે તો કેટલીક ફળ અથવા રસ માટે ઉગાડવામાં આવે છે. તાડની કેટલીક જાતિઓ નીચે મુજબ છે : (1) રૉયલ અથવા બૉટલ પામ : તેનું વૈજ્ઞાનિક નામ Roystonea regia…
વધુ વાંચો >પામ-ઑઇલ
પામ–ઑઇલ : પામ-ઑઇલ એ ઑઇલપામ નામના તાડ-કુળના વૃક્ષના (family palmae) ફળના મૃદુ મધ્યભાગ(mesocarp)માંથી મેળવવામાં આવતું ખાદ્યતેલ છે. આ તેલ દુનિયાનું સૌથી વધુ વપરાતું ખાદ્યતેલ છે. આને પામોલીન કહેવામાં આવે છે. ઑઇલ-પામના ફળની ગોટલીમાં પણ સારા પ્રમાણમાં તેલ હોય છે, જે પામ કરનલ ઑઇલ તરીકે ઓળખાય છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ…
વધુ વાંચો >પામિટિક ઍસિડ (હેક્ઝાડેનૉઇક ઍસિડ)
પામિટિક ઍસિડ (હેક્ઝાડેનૉઇક ઍસિડ) : સિટાઇલિક ઍસિડ CH3(CH2)14COOH. તે એક સંતૃપ્ત ચરબીજ ઍસિડ છે. કુદરતી (વનસ્પતિજ તથા પ્રાણિજ) તેલ તથા ચરબીમાં તેના ગ્લિસરાઇડ વ્યાપક રૂપે મળે છે. ગ્લિસરાઇડ રૂપે મોટાભાગના વ્યાપારી કક્ષાના સ્ટીઅરિક ઍસિડમાં પણ આ ઍસિડ હોય છે. તેની ઘનતા ૦.8414 (8૦/4C) ગ.બિં. 630 સે. અને ઉ.બિં. 351.150 સે.…
વધુ વાંચો >પામિરનો ઉચ્ચસપાટપ્રદેશ (Pamir Plateau)
પામિરનો ઉચ્ચસપાટપ્રદેશ (Pamir Plateau) : દુનિયાનો સૌથી વધુ ઊંચો ઉચ્ચસપાટપ્રદેશ. હિમાલય પર્વતમાળા અને હિન્દુકુશ, કારાકોરમ, ક્યુએન લુન, તિયેન શાન અને ટ્રાન્સ અલાઈ જેવી મધ્ય એશિયાની અન્ય ઊંચી હારમાળાઓને જોડતો પામિરનો મોટો વિસ્તાર જે ઉચ્ચસપાટપ્રદેશનું ભૂમિસ્વરૂપ છે તે ‘દુનિયાના છાપરા’ (roof of the world) તરીકે જગપ્રસિદ્ધ છે. ફારસી ભાષામાં `પામિર'(પા-ઈ-મીર)નો અર્થ…
વધુ વાંચો >પામુક ફેરિટ ઓરહાન
પામુક, ફેરિટ ઓરહાન (જ. 7 જૂન 1952, ઇસ્તંબૂલ, તુર્કી) : 2૦૦6ના સાહિત્ય માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તુર્કી નવલકથાકાર. ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્યના પ્રાધ્યાપક. તુર્કી ભાષા અને સાહિત્યમાં નોબેલ પુરસ્કાર મેળવનાર તેઓ સૌપ્રથમ લેખક છે. ધીમે ધીમે ઘસાતા જતા, અમીર અને મજૂર વર્ગ વચ્ચેના બુઝર્વા વર્ગના કુટુંબમાં જન્મ. શિક્ષણ ઇસ્તંબૂલની…
વધુ વાંચો >પાયથાગોરાસ
પાયથાગોરાસ [જ. આશરે ઈ. પૂ. 58૦, સેમોસ, આયોનિયા (હાલનું એશિયા માઇનોર); અ. : આશરે ઈ. પૂ. 5૦૦, મેટાપોન્ટમ લ્યુકેનિયા, દક્ષિણ ઇટાલી] : ગ્રીક ફિલસૂફ અને ગણિતશાસ્ત્રી. તેઓ પ્રખ્યાત ગણિતશાસ્ત્રી થેઇલ્સના શિષ્ય હતા. થેઇલ્સના સૂચનથી તેમણે ઇજિપ્ત અને બીજા દેશોની મુલાકાત લઈ ઘણું જ્ઞાન સંપાદન કર્યું હતું. તેમને ઘણા શિષ્યો હતા.…
વધુ વાંચો >પાયદળ
પાયદળ : પગપાળા સૈનિકોવાળી લશ્કરની પાંખ. સદીઓ સુધી વિશ્વના દરેક દેશના લશ્કરમાં આ પાંખમાં ભરતી કરાયેલા સૈનિકોની સંખ્યા અન્ય પાંખોના સૈનિકોની સંખ્યા કરતાં ઘણી વધારે રાખવામાં આવતી. યુદ્ધની ભૂમિ પર તેમનું સ્થાન પ્રથમ હરોળમાં હોવાને કારણે દુશ્મનના આક્રમણનો પહેલો આઘાત તેમના પર પડતો હોય છે અને તેને લીધે સૌથી વધારે…
વધુ વાંચો >પાયરાઇટ
પાયરાઇટ (Pyrite) : લોહમાક્ષિક, લોહ સલ્ફાઇડ (Fe2S) બંધારણ ધરાવતું ધાતુખનિજ. આ પાયરાઇટ ‘લોહ પાયરાઇટ’ અથવા ‘પાયરાઇટ’ નામથી વધુ જાણીતું છે. તદ્દન શુદ્ધ પાયરાઇટમાં લોહ 46.6% અને સલ્ફર (ગંધક) 53.4% રહેલું છે. જ્યારે તેને બાળવામાં આવે છે ત્યારે તેમાં રહેલી ગંધક માત્રાને કારણે દહનશીલ બની રહે છે. પાયરાઇટને – ‘મૂર્ખાઓનું સોનું’…
વધુ વાંચો >