ખંડ ૧૧
પવયણસાર (પ્રવચનસાર)થી પૌરાણિક પરંપરા
પવયણસાર (પ્રવચનસાર)
પવયણસાર (પ્રવચનસાર) : જૈન ધર્મનાં તત્વ, દર્શન અને આચારની ચર્ચા કરતો ગ્રંથ. એ દિગંબર જૈનાચાર્ય કુંદકુંદે (ઈ. સ. 127-179) પ્રાકૃત ભાષામાં અને ગાથાઓમાં રચેલો છે. આ રચનામાં કર્તાની વિદ્વત્તા, તાર્કિકતા અને આચારનિષ્ઠા યથાર્થ રીતે દૃષ્ટિગોચર થાય છે. ‘પવયણસાર’ના બે પાઠ મળે છે. પહેલો પાઠ અમૃતચન્દ્રની ટીકા અનુસાર 275 ગાથાઓનો છે,…
વધુ વાંચો >પવાડુ / પવાડો
પવાડુ / પવાડો : વીરપ્રશસ્તિ-કાવ્ય. વીરોનાં પરાક્રમનું, વિદ્વાનોની બુદ્ધિમત્તાનું તથા એકાદ વ્યક્તિના સામર્થ્ય, ગુણ, કૌશલ્ય વગેરેના કાવ્યાત્મક વર્ણનને-પ્રશસ્તિ, સ્તુતિ કે સ્તોત્રને ‘પવાડુ’ કે ‘પવાડો’ કહે છે. આ શબ્દ સંસ્કૃત ‘પ્રવાદ’ પરથી આવ્યાનું એક અનુમાન છે તો સંસ્કૃત ‘પ્રવૃદ્ધ’ પરથી પ્રાકૃત ‘પવડઢ’ ને તે પરથી ‘પવાડુ’-‘પવાડો’ શબ્દ આવ્યાનું બીજું અનુમાન છે.…
વધુ વાંચો >પવાર લલિતા
પવાર, લલિતા (જ. 14 એપ્રિલ 1916, યેવલે, જિ. નાશિક, મહારાષ્ટ્ર; અ. 24 ફેબ્રુઆરી 1998, પુણે) : હિંદી અને મરાઠી ચલચિત્રોની પ્રસિદ્ધ અભિનેત્રી. સાત દાયકાની (1928-98) કારકિર્દી દરમિયાન 600થી વધુ ચિત્રોમાં નાયિકાથી માંડી, ખલનાયિકા અને ચરિત્ર-અભિનેત્રી જેવી અનેક ભૂમિકાઓમાં અભિનય કર્યો. ખાસ કરીને સામાજિક ચલચિત્રોમાં કર્કશા સાસુ તરીકેની તેમની ભૂમિકાઓ ખૂબ…
વધુ વાંચો >પવાર શરદ
પવાર, શરદ (જ. 12 ડિસેમ્બર 1940, કોરભાગી, તાલુકા બારામતી, જિ. પુણે) : મુખ્યત્વે મહારાષ્ટ્રના પરંતુ કેટલીક બાબતોમાં ભારતના સાહસિક રાજનીતિજ્ઞ. પિતાનું નામ ગોવિંદરાવ જેઓ બારામતી સરકારી ખેડૂત, ખરેદી-વિક્રી સંઘમાં નોકરી કરતા હતા અને માતાનું નામ શારદાબાઈ જેઓ કારેવાડી ખાતેના પરિવારની માલિકીના ખેતરની સારસંભાળ કરતાં હતાં. શરદ પવારનું પ્રાથમિક શિક્ષણ કારેવાડી…
વધુ વાંચો >પવિત્ર રોમન સામ્રાજ્ય
પવિત્ર રોમન સામ્રાજ્ય : મધ્યયુગનું જર્મન રાજ્ય. તેના ઉદભવ વિશે બે મત છે : એક મત પ્રમાણે ઈ. સ. 800માં શાર્લમૅન દ્વારા અને બીજા મત પ્રમાણે ઈ. સ. 962માં મહાન ઑટો દ્વારા તેની સ્થાપના થઈ. પ્રારંભિક સમ્રાટોની પોપને હાથે થયેલી તાજપોશી તથા સામ્રાજ્યનું સર્જન ઈશ્વરી યોજના હોવાના સમ્રાટોના દાવાને કારણે…
વધુ વાંચો >પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ
પશુપાલન અને ભારતીય ગ્રામસંસ્કૃતિ ભારતની કૃષિપ્રધાન ગ્રામસંસ્કૃતિને પોષક એવી પશુઓનાં પાલન અને સંવર્ધનની પ્રવૃત્તિ. વનસ્પતિના આહારથી પ્રાણીઓનું પોષણ કરીને તેમના દ્વારા પોષણક્ષમ ઉત્પાદન મેળવવાનું શાસ્ત્ર એટલે પશુપાલન. પશુપાલનનો પ્રારંભ જમીન પર ઊગતી વનસ્પતિનો ચરાણ તરીકે પશુઓ દ્વારા ઉપયોગ થયો ત્યારથી થયો. શરૂઆતમાં ચરાણની જમીન વિપુલ હતી, પરંતુ જેમ જેમ વિશ્વમાં…
વધુ વાંચો >પશુપાલન-પશુમાવજત
પશુપાલન-પશુમાવજત આર્થિક લાભ મેળવવાના ઉદ્દેશથી પાલતુ પ્રાણીઓને ઉછેરવાં અને પાળવાં માટેનું વિજ્ઞાન. પાલતુ પ્રાણીઓમાં સંખ્યાબળ અને આર્થિક લાભની દૃષ્ટિએ ગાય, ભેંસ, ઘેટું, બકરી, ડુક્કર અને મરઘાં મુખ્ય છે; જ્યારે ઘોડો, ગધેડું, ઊંટ, ખચ્ચર, યાક, લામા ગૌણ છે. મોટાભાગનાં પાલતુ પ્રાણીઓ સસ્તન વર્ગનાં છે. માત્ર મરઘાં-બતકાંએ પક્ષીવર્ગનાં પ્રાણી છે. સંસ્કૃતિના ઉષ:કાળ…
વધુ વાંચો >પશુપોષણ
પશુપોષણ પાલતુ પશુઓના પોષણ માટે અપાતો આહાર, જે તેના સ્વાસ્થ્ય અને માવજત માટે હોય છે. પશુઓનો આહાર મુખ્યત્વે ઘાસચારો, દાણ અને ખોરાકને લગતી કેટલીક આડપેદાશોનો બનેલો હોય છે. ઘાસચારામાં કાર્બોદિતોનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે દાણ કે ખોરાકી આડપેદાશોમાં પ્રોટીનનું પ્રમાણ વિશેષ હોય છે. તેથી સમતોલ આહાર માટે ઘાસચારા ઉપરાંત…
વધુ વાંચો >પશુરોગો અને પશુચિકિત્સા
પશુરોગો અને પશુચિકિત્સા એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા. તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં…
વધુ વાંચો >પશુસંવર્ધન
પશુસંવર્ધન માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના…
વધુ વાંચો >પાઇરોપ (pyrope)
પાઇરોપ (pyrope) : ગાર્નેટ વર્ગનું ખનિજ. રસાયણિક બંધારણ : Mg3 Al2 (SiO4)z , સ્ફટિક વર્ગ : ક્યૂ બિક, સ્ફટિક, સ્વ. (રચના) – સ્ફટિકો જૂજ, પરંતુ તે ડોડેકા હેડ્રલ કે ટ્રેપેઝો હેડ્રલ સ્વરૂપના હોય છે. ક્યારેક ગોળાકારમાં પણ મળે કે ખડકોમાં જડાયેલા દાણા રૂપે મળે. પારદર્શકથી માંડી પારભાસક સ્વરૂપે, સંભેદ : નથી.…
વધુ વાંચો >પાઇલૉન
પાઇલૉન : એક પ્રકારનું ભવ્ય બાંધકામ. પ્રાચીન ગ્રીક સ્થાપત્ય મુજબ મંદિરના દરવાજાની બંને બાજુ ઊભા કરાયેલા લંબચોરસ પ્રકારના અને ઉપરથી બૂઠા જણાતા પિરામિડ પ્રકારના ટાવર જેવી રચના. બહુ પ્રચલિત અર્થમાં આ શબ્દ સુશોભન માટે કે હદ-રેખા નિશ્ર્ચિત કરવા ઊભી કરાયેલી કોઈ પણ વિશાળ અલાયદી ઇમારત માટે પણ વપરાય છે. રૂપલ…
વધુ વાંચો >પાઈ લ્યુસિયન
પાઈ, લ્યુસિયન : વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના અગ્રણી સિદ્ધાંતકાર. એક જમાનામાં રાજ્યશાસ્ત્ર પરંપરાગત અને ઔપચારિક બની ગયું હતું, તે ઘરેડમાંથી તેને બહાર કાઢનાર કેટલાક નવા સિદ્ધાંતોનો એક વ્યાપક પ્રવાહ દાખલ થયો, જે વર્તનલક્ષી રાજ્યશાસ્ત્ર યા તુલનાત્મક રાજ્યશાસ્ત્ર તરીકે ઓળખાયો. લ્યુસિયન પાઈ આ વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના સ્થાપક અને પ્રવર્તક હતા. વિકસતા દેશોની રાજકીય પ્રથાઓના…
વધુ વાંચો >પાઉન્ડ એઝરા વેસ્ટન લૂમિસ
પાઉન્ડ, એઝરા વેસ્ટન લૂમિસ (જ. 30 ઑક્ટોબર 1885, આઇડો, યુ.એસ.; અ. 1 નવેમ્બર 1972) : અમેરિકન કવિ અને વિવેચક. યુનિવર્સિટી ઑવ્ પેન્સિલ્વેનિયામાં શિક્ષણ લઈ, ઇન્ડિયાનામાં શિક્ષક તરીકે થોડો સમય કામ કરી, તેઓ 1908માં યુરોપ પહોંચ્યા; ત્યાં ઇટાલીથી તેમણે પોતાનાં કાવ્યોનો પ્રથમ સંગ્રહ, ‘અ લ્યૂમ સ્પેન્ટો’ (1908) પોતાને ખર્ચે પ્રસિદ્ધ કર્યો.…
વધુ વાંચો >પાઉલીનો અપવર્જનનો નિયમ (Pauli’s exclusion principle)
પાઉલીનો અપવર્જનનો નિયમ (Pauli’s exclusion principle) : ‘એક જ ક્વૉન્ટમ-અવસ્થા(state)માં બે ઇલેક્ટ્રૉન અસ્તિત્વ ધરાવી શકે નહિ’, – એવું દર્શાવતો પાઉલી નામના વિજ્ઞાનીએ આપેલો નિયમ. આમ પરમાણુમાં કોઈ પણ બે ઇલેક્ટ્રૉનના બધા જ ક્વૉન્ટમ-અંક (number) – n, l, ml અને ms – એકસરખા હોઈ શકે નહિ. અર્થાત્ કોઈ પણ બે ઇલેક્ટ્રૉન…
વધુ વાંચો >પાઉલી વુલ્ફગૅંગ (Pauli Wolfgang)
પાઉલી, વુલ્ફગૅંગ (Pauli Wolfgang) (જ. 25 એપ્રિલ 1900, વિયેના; અ. 15 ડિસેમ્બર 1958, ઝુરિચ) : પાઉલી અપવર્જન (બાકાતી) સિદ્ધાંત(Pauli Exclusion Principle)ની શોધ માટે 1945ના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિક વિજેતા. 20 વર્ષની નાની વયે વિશ્વકોશ માટે સાપેક્ષવાદના સિદ્ધાંત (theory of relativity) ઉપર 200 પાનનો વ્યાપ્તિલેખ લખ્યો હતો. 1923માં હૅમબર્ગની યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા બન્યા…
વધુ વાંચો >પાક (crops)
પાક (crops) ભારતના સંદર્ભમાં ગુજરાત પ્રદેશમાં થતી વિવિધ કૃષિનીપજની માહિતી. ગુજરાત રાજ્યનો ભૌગોલિક વિસ્તાર 1,95,984 કિમી. છે, જે દેશના કુલ વિસ્તારના 7 % ગણાય. જુદા જુદા પાક હેઠળનો કુલ વિસ્તાર એક કરોડ સાત લાખ હેક્ટર છે, જે દેશના પાક હેઠળના વિસ્તારના 6 % જેટલો છે. રાજ્યની કુલ વસ્તી 4 કરોડ…
વધુ વાંચો >પાક-દેહધર્મવિદ્યા
પાક–દેહધર્મવિદ્યા : પેશીરચના અને તેને અનુરૂપ ચયાપચયની આંતરિક પ્રક્રિયાનો પરસ્પર સંબંધ તથા બીજના સ્ફુરણથી માંડી તબક્કાવાર વૃદ્ધિ અને વિકાસ દ્વારા નવા બીજના નિર્માણ સુધીની તમામ આંતરિક પ્રક્રિયાઓનું જ્ઞાન. માનવીની ખોરાક અને કપડાંની પ્રાથમિક જરૂરિયાત વનસ્પતિ પૂરી પાડે છે. કોલસો, ખનિજ-તેલ, ગૅસ વગેરે વનસ્પતિના અશ્મીભૂત સ્તરોને આભારી છે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા…
વધુ વાંચો >પાકસંવર્ધન
પાકસંવર્ધન : પાકસંવર્ધન એટલે પાકનાં આનુવંશિક ગુણોમાં સુધારણાનું વિજ્ઞાન. તેના દ્વારા ઉપયોગી સુધરેલી જાત ઉત્પન્ન કરી શકાય છે. સુધારણામાં વધુ ઉત્પાદકતા, ઊંચી ગુણવત્તા અને/અથવા અન્ય ખાસ અનુકૂળતા કે સુવિધાઓ આવરી લઈ શકાય. આવી અનુકૂળતા કે સુવિધાઓમાં પાક વહેલો થાય એવું કરવું; પાકની ઉત્પાદકતા આદિ ઉપર સાનુકૂળ અસર (response to applied…
વધુ વાંચો >પાકશાળા
પાકશાળા : મકાનનો રસોઈ સાથે સંકળાયેલો ભાગ. સ્થાપત્યની પરિભાષામાં શાળા એટલે મકાનના વિવિધ ભાગમાં આવેલી જગ્યા; તે દરેકનો આગવો ઉપયોગ હોય છે. ચારે બાજુ દીવાલોથી અને ઉપરના ભાગમાં છતથી આવરી લેવાયેલ જગ્યાને શાળા કહેવામાં આવે છે. તે મકાનના માપનો પણ ખ્યાલ આપે છે; જેમ કે એકશાળા, દ્વિશાળા, ત્રિશાળા વગેરે. મકાનમાં…
વધુ વાંચો >