ખંડ ૧૦

નઈ તાલીમથી પવનશક્તિ

નઈ તાલીમ

નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…

વધુ વાંચો >

નઈ દુનિયા

નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…

વધુ વાંચો >

નકશાશાસ્ત્ર

નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…

વધુ વાંચો >

નકશો

નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…

વધુ વાંચો >

નકારનું પ્રમાણપત્ર (protest)

નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…

વધુ વાંચો >

નકુલ

નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…

વધુ વાંચો >

નક્સલવાદ

નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…

વધુ વાંચો >

નક્ષત્ર અને રાશિ

નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…

વધુ વાંચો >

નક્ષત્રજ્યોતિષ

નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…

વધુ વાંચો >

નક્ષત્રપટ

નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…

વધુ વાંચો >

નાયકર, રામસ્વામી

Jan 11, 1998

નાયકર, રામસ્વામી (જ. 17 સપ્ટેમ્બર 1879, ઈરોડે; અ. 24 ડિસેમ્બર 1973, વલાર) : દક્ષિણ ભારતના સમાજસુધારક અને દ્રવિડ આંદોલનના અગ્રણી નેતા. જન્મ કન્નડ નાયકર કોમના સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. તેમનાં માતા-પિતા ચિન્નથાઈ અમ્મલ અને વેન્કટપ્પા નાયકર રૂઢિચુસ્ત હિંદુ હતાં. તે રામસ્વામીનો ઉછેર રૂઢિચુસ્ત પ્રણાલી મુજબ કરવા માગતાં હતાં; પરંતુ તેમાં…

વધુ વાંચો >

નાયક, વાડીલાલ શિવરામ

Jan 11, 1998

નાયક, વાડીલાલ શિવરામ (જ. 1882, વડનગર; અ. 30 નવેમ્બર 1947, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી સંગીતશાસ્ત્રવિદ. નાટક, અભિનય અને સંગીતની ભૂમિકાવાળી ભોજક જ્ઞાતિમાં જન્મ. પિતા શિવરામ નાયક સારંગીવાદક હતા. નવી શરૂ થયેલી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં શિવરામ નાયક 1889માં જોડાયા અને સાથે પુત્ર વાડીલાલને મુંબઈ લઈ ગયા. એક વાર પિતાએ સાંભળેલી…

વધુ વાંચો >

નાયક, વિજયરાઘવ

Jan 11, 1998

નાયક, વિજયરાઘવ (સત્તરમી સદી) : તેલુગુ લેખક. તેમના પિતા રઘુનાથ તંજાવુર રાજ્યના રાજકવિ હતા. એટલે કાવ્યત્વ એમના લોહીમાં હતું. એમના પિતાના મૃત્યુ પછી એમની રાજકવિ તરીકે નિયુક્તિ થઈ હતી. યક્ષગાન એ આંધ્રપ્રદેશનું લોકનાટ્ય છે. વિજયરાઘવે અનેક યક્ષગાનો રચ્યાં છે. એમનાં યક્ષગાનો રાજાના દરબારમાં ભજવાતાં. વિજયરાઘવે રચેલાં યક્ષગાનો પૌરાણિક કૃતિઓ, વિશેષે…

વધુ વાંચો >

નાયક, હા. મા.

Jan 11, 1998

નાયક, હા. મા. (જ. 1931, હોસામાને, જિ. શિમોગા, કર્ણાટક; અ. 10 નવેમ્બર 2000, મૈસૂર) : કન્નડ ભાષાના વિદ્વાન વિવેચક, નિબંધકાર તથા કટારલેખક. તેમને ‘સંપ્રતિ’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. મહારાજા કૉલેજ, મૈસૂરમાંથી કન્નડમાં તથા કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. તેમજ ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે મૈસૂર યુનિવર્સિટી…

વધુ વાંચો >

નાયક, હેમા

Jan 11, 1998

નાયક, હેમા (જ. 1952, મારગાવ, ગોવા) : કોંકણી નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમની કૃતિ ‘ભોગદંડ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ કોંકણી ઉપરાંત મરાઠી, હિંદી અને અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. તેમણે 1975થી 1995 સુધી…

વધુ વાંચો >

નાયકા

Jan 11, 1998

નાયકા : ગુજરાતમાં વસતી એક આદિવાસી જાતિ. તે ‘નાયકા’ કે ‘નાયકડા’ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે પંચમહાલ, વડોદરા અને વલસાડ જિલ્લાઓમાં વસે છે. તેઓ મૂળે ભીલ જાતિનું એક પેટાજૂથ હશે તેમ મનાય છે. ચાંપાનેરના હિન્દુ રાજાના લશ્કરમાં તેઓ લશ્કરી ટુકડીના આગેવાનો – નાયક તરીકે કામ કરતા હતા તે પરથી તે…

વધુ વાંચો >

નાયગરા ધોધ

Jan 11, 1998

નાયગરા ધોધ : યુ.એસ. અને કૅનેડાની સરહદ પરની નાયગરા નદી પર આવેલો ધોધ. તેમજ અદભુત પ્રાકૃતિક પર્યટન સ્થળ. યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યમાં આવેલા નાયગરા ફૉલ્સ નગર તથા કૅનેડાના ઑન્ટારિયો પ્રાંતમાં આવેલા તે જ નામના નગર વચ્ચે, ઉત્તર અમેરિકાના ઈરી સરોવર તથા ઑન્ટારિયો સરોવરની બરોબર વચ્ચોવચ તે આવેલો છે. ભૌગોલિક સ્થાન :…

વધુ વાંચો >

નાયગામવાળા કાવસજી દાદાભાઈ

Jan 11, 1998

નાયગામવાળા, કાવસજી દાદાભાઈ : જુઓ, મહારાજા તખ્તસિંહજી વેધશાળા, પુણે.

વધુ વાંચો >

નાયડુ, સરોજિની

Jan 11, 1998

નાયડુ, સરોજિની (જ. 13 ફેબ્રુઆરી 1879, હૈદરાબાદ; અ. 2 માર્ચ 1949, લખનૌ) : અંગ્રેજી ભાષાનાં સમર્થ ભારતીય કવયિત્રી,  સ્વાતંત્ર્યસેનાની, પ્રથમ મહિલા રાજ્યપાલ. વૈજ્ઞાનિક અને કેળવણીકાર અઘોરનાથ ચટ્ટોપાધ્યાયના બ્રાહ્મણ કુટુંબમાં સરોજિની જન્મ્યાં હતાં. માતા વરદાસુંદરી કવયિત્રી હતાં. પિતાએ સંતાનોને હિંદુ કે બ્રાહ્મણ તરીકે નહિ, પરંતુ ભારતીય તરીકે ઉછેર્યાં હતાં અને ભારત…

વધુ વાંચો >

નાયડુ, સી. કે.

Jan 11, 1998

નાયડુ, સી. કે. (જ. 31 ઑક્ટોબર 1895, વિજયવાડા, આંધ્રપ્રદેશ; અ. 14 નવેમ્બર 1967, ઇંદોર, મધ્યપ્રદેશ) : ભારતીય ક્રિકેટના પ્રથમ ટેસ્ટ સુકાની, ઝડપી બૅટિંગ કરતા ખમીરવંતા બૅટધર અને ચપળ ક્ષેત્રરક્ષક. 1916થી મુંબઈમાં ખેલાતી ચતુરંગી સ્પર્ધામાં ખેલતા હતા. 1926–27માં પ્રવાસી એમ.સી.સી. ટીમ સામે રમતાં 11 છગ્ગા અને 13 ચોગ્ગા સાથે 100 મિનિટમાં…

વધુ વાંચો >