ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નાઇમેય (Niamey)
નાઇમેય (Niamey) : પશ્ચિમ આફ્રિકામાં આવેલ નાઇજર પ્રજાસત્તાકનું પાટનગર, મુખ્ય શહેર તથા નદીબંદર. નાઇમેય તે જ નામ ધરાવતા પ્રાંતનું પણ પાટનગર છે. ભૌગોલિક સ્થાન : 13° 31´ ઉ. અ. અને 2° 07´ પૂ. રે.. તે નાઇજર નદી પર દેશના નૈર્ઋત્ય ખૂણામાં રણની સરહદ પર વસેલું છે. તેનું સરેરાશ તાપમાન 35°…
વધુ વાંચો >નાઇલ
નાઇલ : આફ્રિકા ખંડમાં આવેલી દુનિયાની સૌથી લાંબી નદી. તેની કુલ લંબાઈ 6671 કિમી. છે, જે પૈકી 2700 કિમી. જેટલો પ્રવાહપથ રણવિસ્તારમાંથી પસાર થાય છે, જ્યારે 3200 કિમી. જેટલો પ્રવાહપથ નૌકાવ્યવહાર માટે અનુકૂળ બની રહે છે. મધ્યપૂર્વ આફ્રિકામાં વિષુવવૃત્ત નજીક આવેલું વિક્ટોરિયા સરોવર આ નદીનું ઉદગમસ્થાન ગણાય છે અને નદીને…
વધુ વાંચો >નાઇસ
નાઇસ : વિકૃત ખડકનો એક પ્રકાર. એવો સ્થૂળદાણાદાર ખડક કે જેમાં દાણાદાર ખનિજઘટકોથી બનેલા પટ્ટા વારાફરતી શિસ્ટોઝ સંરચનાવાળા પટ્ટાઓ સાથે ગોઠવાયેલા જોવા મળે છે. આવી ગોઠવણી મોટેભાગે વ્યવસ્થિત હોય છે. આ પ્રકારની ગોઠવણીને કે દેખાવને નાઇસિક, નાઇસોઇડ કે નાઇસોઝ સંરચના કહેવાય છે. આ સંરચના મિશ્ર પ્રકારની હોવાથી તેના ખનિજીય બંધારણ…
વધુ વાંચો >નાઇસ-સંરચના
નાઇસ-સંરચના : જુઓ, નાઇસ.
વધુ વાંચો >નાઉરૂ
નાઉરૂ : મધ્ય પ્રશાંત મહાસાગરમાં વિષૃવવૃત્તની તદ્દન નજીક દક્ષિણે આવેલો નાનકડો ટાપુ તથા દુનિયાનું સૌથી નાનું સ્વતંત્ર પ્રજાસત્તાક રાજ્ય. દુનિયાના નાના દેશો પૈકી તે ત્રીજા ક્રમે આવે છે, માત્ર વેટિકન શહેર અને મોનેકો જ તેનાથી નાનાં છે. ભૌગોલિક સ્થાન : 0° 32´ દ. અ. અને 166° 55´ પૂ. રે. તેની…
વધુ વાંચો >નાક-છીંકણી
નાક-છીંકણી : દ્વિદળી વર્ગના ઍસ્ટરેસી કુળની બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Centipeda minima (Linn.) A. Br. & Aschers. Syn. C. Orbicularis Lour (સં. છિક્કા, ચિક્કણી; હિં નાક-ચિકની : મ. નાક શિંકણી, ભૂતાકેશી; બં. મેચિત્તા; અં. સ્નીઝવર્ટ) છે. તે ભારત અને શ્રીલંકાનાં સપાટ મેદાનોમાં અને નીચી ટેકરીઓ પર ભેજવાળાં સ્થાનોએ…
વધુ વાંચો >નાકર
નાકર (કવનકાળ ઈ. સ. 1516–1568) : સોળમી સદીનો પ્રમુખ આખ્યાનકવિ. વડોદરાનો વતની અને જ્ઞાતિએ દશાવાળ વણિક. આખ્યાનો રચીને વડોદરાના નાગર-બ્રાહ્મણ મદનને કે એના પુત્ર(સંભવત: ન્હાન)ને પુણ્ય વિસ્તારવા માટે લોકોને ગાઈ સંભળાવવા આપી દેતો હતો. એની કૃતિઓમાંથી એનું નિ:સ્પૃહી અને નમ્ર વ્યક્તિત્વ ઊપસી આવે છે. આખ્યાન-કવિતા એનું ઐતિહાસિક પ્રદાન છે. ભાલણ…
વધુ વાંચો >નાકાબંધી
નાકાબંધી : યુદ્ધમાં સંડોવાયેલા દેશનાં યુદ્ધજહાજો દ્વારા શત્રુના કિનારા પરના બંદરમાં અન્યનો પ્રવેશ તથા ત્યાંથી બહાર થતા પ્રસ્થાનને અટકાવવા માટે કરાતી યુદ્ધની કાર્યવાહી. તે લશ્કરી અથવા વ્યાપારી બંને પ્રકારના હેતુ માટે હાથ ધરવામાં આવે છે. લશ્કરી નાકાબંધી સામાન્ય રીતે વિશિષ્ટ લશ્કરી હેતુ સિદ્ધ કરવા માટે હાથ ધરવામાં આવી હોય છે;…
વધુ વાંચો >નાકામુરા, શૂજી
નાકામુરા, શૂજી (Nakamura, Shuji) (જ. 22 મે 1954, ઈકાતા, એહિમ, જાપાન) : વાદળી પ્રકાશ ઉત્સર્જિત કરતા ડાયૉડ(LED)ની શોધ માટે 2014નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને ઈસામુ આકાસાકી તથા હિરોશી અમાનો સાથે સંયુક્ત રીતે મળ્યો હતો. નાકામુરાએ જાપાનમાં આવેલી યુનિવર્સિટી ઑવ્ ટોકુશિમામાંથી 1977માં ઇલેક્ટ્રૉનિક ઇજનેરીમાં સ્નાતકની પદવી પ્રાપ્ત…
વધુ વાંચો >નાકાસોને, યાશુહિરો
નાકાસોને, યાશુહિરો (જ. 27 મે 1918, તાકાસાકી, જાપાન; 29 નવેમ્બર 2019, ટોકિયો, જાપાન) : જાપાની રાજકીય નેતા, મુત્સદ્દી અને વડાપ્રધાન (1982). ધનિક વ્યાપારીના પુત્ર નાકાસોનેએ ટોકિયો યુનિવર્સિટીમાંથી કાયદાના વિષયમાં સ્નાતકપદ મેળવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લેફ્ટનન્ટ તરીકે જાપાની નૌકાદળમાં સેવાઓ આપી. હિરોશીમા પર ઝીંકવામાં આવેલ અણુબૉમ્બના તેઓ દૂરના સાક્ષી રહ્યા. 1947માં…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >