૧૩.૦૭

બહાઈ પંથથી બહુજનીનિક વારસો

બહાઈ પંથ

બહાઈ પંથ : ઈરાન-ઇરાકમાં ઇસ્લામમાંથી અલગ પડીને સ્થપાયેલો એક પંથ. મૂળમાં બાબી પંથ તરીકે ઓળખાતો આ પંથ મહાત્મા બહાઉલ્લાહે (1817–1892) દેશવિદેશમાં તેનો પ્રચાર કર્યો તે કારણે તેમના નામ પરથી ‘બહાઈ પંથ’ તરીકે ઓળખાયો. ‘બહાઉલ્લાહ’ એ નામ નથી, પણ ઉપાધિ છે, જેનો અર્થ થાય છે ‘ઈશ્વરની જયોતિ’. ‘બહા’ (જ્યોતિ) પરથી ‘બહાઈ’…

વધુ વાંચો >

બહાદુરખાં

બહાદુરખાં (જ. 19 જાન્યુઆરી 1931, શિવપુર, બાંગ્લાદેશ) : ઉચ્ચકોટિના સરોદવાદક. પિતા ઉસ્તાદ આયતઅલીખાં સૂરબહારના સિદ્ધહસ્ત વાદક હતા. સંગીતની પ્રાથમિક તાલીમ બહાદુરખાંએ પાંચ વર્ષની વયે પોતાના પિતા પાસેથી અને ત્યારબાદ સાત વર્ષની વયે પોતાના કાકા અને મહિયર ઘરાનાના અલાઉદ્દીનખાં પાસેથી મેળવવાની શરૂઆત કરી. અને ઉપર્યુક્ત ઘરાનાની સંગીતશૈલી તેમણે ટૂંકસમયમાં જ આત્મસાત્…

વધુ વાંચો >

બહાદુર, નવાબ સૈયદ મુહંમદ

બહાદુર, નવાબ સૈયદ મુહંમદ (જ. –; અ. 12 ફેબ્રુઆરી 1919) : રાષ્ટ્રવાદી મુસ્લિમ, વિનીત રાજકીય આગેવાન. દક્ષિણ ભારતના શ્રીમંત મીર હુમાયૂં બહાદુર રાષ્ટ્રવાદી મુસ્લિમ હતા અને કૉંગ્રેસનાં શરૂઆતનાં વરસોમાં નાણાકીય સહાય કરતા હતા. મદ્રાસ(ચેન્નઈ)માં 1887માં કૉંગ્રેસની બેઠક મળી ત્યારે તેમણે આર્થિક મદદ કરી હતી. તેમના પુત્ર નવાબ સૈયદ મુહંમદે મદ્રાસમાં…

વધુ વાંચો >

બહાદુરશાહ ‘ઝફર’

બહાદુરશાહ ‘ઝફર’ (જ. 1775; અ. 2 નવેમ્બર 1862) : બાબરે ભારતમાં સ્થાપેલ મુઘલ વંશના છેલ્લા બાદશાહ. તેઓ બહાદુરશાહ બીજાના નામે જાણીતા હતા. તેમનું મૂળ નામ અબૂ ઝફર હતું. 1837માં ગાદી પર બેઠા પછી તેમનું નામ અબૂ ઝફર મુહમ્મદ સિરાજુદ્દીન બહાદુરશાહ ગાઝી રાખવામાં આવ્યું. બહાદુરશાહના જન્મ અને ઉછેર સંબંધી અધિકૃત વિગતો…

વધુ વાંચો >

બહાદુરશાહ સુલતાન

બહાદુરશાહ સુલતાન : ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો મહત્વનો સુલતાન. (શાસનકાળ 1526–1537). ગુજરાતના સર્વશ્રેષ્ઠ સુલતાન મહમૂદ બેગડાનો પૌત્ર અને સુલતાન મુઝફ્ફરશાહ બીજાની રાજપૂત પત્નીનો પુત્ર. મૂળનામ બહાદુરખાન. રાજકીય ખટપટોથી નારાજ થઈ નાની વયે ગુજરાત છોડી ડુંગરપુર, ચિતોડ, મેવાત તથા દિલ્હીના શાસકોની સેવામાં રહ્યો. પાણીપતના પ્રથમ યુદ્ધ (1526) વખતે ઇબ્રાહીમ લોદી સાથે…

વધુ વાંચો >

બહામા

બહામા : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો ટાપુસમૂહ, તથા ‘કૉમનવેલ્થ ઑવ્ બહામા’ના સત્તાવાર નામથી ઓળખાતો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ આશરે 20° 55´થી 27° 0´ ઉ. અ. અને 72° 30´થી 79° 30´ પ. રે. વચ્ચે પથરાયેલો છે. બહામા ટાપુ 26° 40´ ઉ. અ. અને 78° 30´ પ. રે. પર આવેલો…

વધુ વાંચો >

‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી

‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી (જ. 1887, મશહદ, ઈરાન; અ. –) : ‘બહાર’ તખલ્લુસથી જાણીતા ખુરાસાનના રાજકવિ અને વિદ્વાન. મિર્ઝા મુહમ્મદ કાઝિમ સુબૂહી કાશાનીના તેઓ પુત્ર હતા. તેમણે મશહદમાં પોતાના સમયના વિદ્વાનો પાસેથી ફારસી, અરબી અને પહેલવી ભાષાનું શિક્ષણ મેળવ્યું. 1904માં પિતાના અવસાન બાદ ખુરાસાનના ગવર્નર આસિફઉદ્દૌલા ગુલામરઝાખાનના દરબારમાં પ્રવેશ મેળવ્યો…

વધુ વાંચો >

બહિણાબાઈ

બહિણાબાઈ (જ. 1629, દેવગાવ; અ. 1700) : સત્તરમી સદીનાં મરાઠીનાં પારંપરિક સંત કવયિત્રી. પિતાનું નામ આઊજી અને માતાનું નામ જાનકી. પિતા વતન દેવગાવના મહેસૂલ-અધિકારી હતા. દેવું કરવાના ગુના હેઠળ તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો, પરંતુ એક રાત્રે તેઓ જેલમાંથી નાસી છૂટ્યા હતા અને રહિમતપુર ખાતે બે વર્ષ ભૂગર્ભ અવસ્થામાં રહ્યા…

વધુ વાંચો >

બહિર્ભૂત અગ્નિકૃત ખડકો

બહિર્ભૂત અગ્નિકૃત ખડકો : પૃથ્વીની સપાટી પર લાવામાંથી તૈયાર થતા અગ્નિકૃત ખડકો. પૃથ્વીના પોપડાના 10 કિમી.થી 100 કિમી. વચ્ચેની ઊંડાઈના વિભાગમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ પ્રકારના બંધારણવાળા ખડકો જો પેટાળના 800°થી 1200° સે. તાપમાને પીગળી જાય તો તેમાંથી તૈયાર થતા ભૂરસને મૅગ્મા કહે છે. આ મૅગ્મા જો સંજોગોવશાત્ પોપડાના અંદરના…

વધુ વાંચો >

બહિર્મુખતા

બહિર્મુખતા (convexity) : અવકાશમાં ઉપગણ B એવો હોય કે જેથી તેની અંદર આવેલાં કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ Bમાં જ સમાયેલો હોય તો ગણ Bને બહિર્મુખ ગણ [આકૃતિ 1(a)] અને આવા ગુણધર્મને બહિર્મુખતા કહેવામાં આવે છે. આ ઉપરાંત રેખાખંડ, કિરણ, રેખા, સમતલ, અર્ધતલ, ખૂણાનો અંદરનો ભાગ, ત્રિકોણનો અંદરનો ભાગ,…

વધુ વાંચો >

બહાઈ પંથ

Jan 7, 2000

બહાઈ પંથ : ઈરાન-ઇરાકમાં ઇસ્લામમાંથી અલગ પડીને સ્થપાયેલો એક પંથ. મૂળમાં બાબી પંથ તરીકે ઓળખાતો આ પંથ મહાત્મા બહાઉલ્લાહે (1817–1892) દેશવિદેશમાં તેનો પ્રચાર કર્યો તે કારણે તેમના નામ પરથી ‘બહાઈ પંથ’ તરીકે ઓળખાયો. ‘બહાઉલ્લાહ’ એ નામ નથી, પણ ઉપાધિ છે, જેનો અર્થ થાય છે ‘ઈશ્વરની જયોતિ’. ‘બહા’ (જ્યોતિ) પરથી ‘બહાઈ’…

વધુ વાંચો >

બહાદુરખાં

Jan 7, 2000

બહાદુરખાં (જ. 19 જાન્યુઆરી 1931, શિવપુર, બાંગ્લાદેશ) : ઉચ્ચકોટિના સરોદવાદક. પિતા ઉસ્તાદ આયતઅલીખાં સૂરબહારના સિદ્ધહસ્ત વાદક હતા. સંગીતની પ્રાથમિક તાલીમ બહાદુરખાંએ પાંચ વર્ષની વયે પોતાના પિતા પાસેથી અને ત્યારબાદ સાત વર્ષની વયે પોતાના કાકા અને મહિયર ઘરાનાના અલાઉદ્દીનખાં પાસેથી મેળવવાની શરૂઆત કરી. અને ઉપર્યુક્ત ઘરાનાની સંગીતશૈલી તેમણે ટૂંકસમયમાં જ આત્મસાત્…

વધુ વાંચો >

બહાદુર, નવાબ સૈયદ મુહંમદ

Jan 7, 2000

બહાદુર, નવાબ સૈયદ મુહંમદ (જ. –; અ. 12 ફેબ્રુઆરી 1919) : રાષ્ટ્રવાદી મુસ્લિમ, વિનીત રાજકીય આગેવાન. દક્ષિણ ભારતના શ્રીમંત મીર હુમાયૂં બહાદુર રાષ્ટ્રવાદી મુસ્લિમ હતા અને કૉંગ્રેસનાં શરૂઆતનાં વરસોમાં નાણાકીય સહાય કરતા હતા. મદ્રાસ(ચેન્નઈ)માં 1887માં કૉંગ્રેસની બેઠક મળી ત્યારે તેમણે આર્થિક મદદ કરી હતી. તેમના પુત્ર નવાબ સૈયદ મુહંમદે મદ્રાસમાં…

વધુ વાંચો >

બહાદુરશાહ ‘ઝફર’

Jan 7, 2000

બહાદુરશાહ ‘ઝફર’ (જ. 1775; અ. 2 નવેમ્બર 1862) : બાબરે ભારતમાં સ્થાપેલ મુઘલ વંશના છેલ્લા બાદશાહ. તેઓ બહાદુરશાહ બીજાના નામે જાણીતા હતા. તેમનું મૂળ નામ અબૂ ઝફર હતું. 1837માં ગાદી પર બેઠા પછી તેમનું નામ અબૂ ઝફર મુહમ્મદ સિરાજુદ્દીન બહાદુરશાહ ગાઝી રાખવામાં આવ્યું. બહાદુરશાહના જન્મ અને ઉછેર સંબંધી અધિકૃત વિગતો…

વધુ વાંચો >

બહાદુરશાહ સુલતાન

Jan 7, 2000

બહાદુરશાહ સુલતાન : ગુજરાતની સ્વતંત્ર સલ્તનતનો છેલ્લો મહત્વનો સુલતાન. (શાસનકાળ 1526–1537). ગુજરાતના સર્વશ્રેષ્ઠ સુલતાન મહમૂદ બેગડાનો પૌત્ર અને સુલતાન મુઝફ્ફરશાહ બીજાની રાજપૂત પત્નીનો પુત્ર. મૂળનામ બહાદુરખાન. રાજકીય ખટપટોથી નારાજ થઈ નાની વયે ગુજરાત છોડી ડુંગરપુર, ચિતોડ, મેવાત તથા દિલ્હીના શાસકોની સેવામાં રહ્યો. પાણીપતના પ્રથમ યુદ્ધ (1526) વખતે ઇબ્રાહીમ લોદી સાથે…

વધુ વાંચો >

બહામા

Jan 7, 2000

બહામા : વેસ્ટ ઇન્ડિઝમાં આવેલો ટાપુસમૂહ, તથા ‘કૉમનવેલ્થ ઑવ્ બહામા’ના સત્તાવાર નામથી ઓળખાતો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : આ ટાપુસમૂહ આશરે 20° 55´થી 27° 0´ ઉ. અ. અને 72° 30´થી 79° 30´ પ. રે. વચ્ચે પથરાયેલો છે. બહામા ટાપુ 26° 40´ ઉ. અ. અને 78° 30´ પ. રે. પર આવેલો…

વધુ વાંચો >

‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી

Jan 7, 2000

‘બહાર’ – મલિકુશ્શુઅરા–મુહમ્મદે તકી (જ. 1887, મશહદ, ઈરાન; અ. –) : ‘બહાર’ તખલ્લુસથી જાણીતા ખુરાસાનના રાજકવિ અને વિદ્વાન. મિર્ઝા મુહમ્મદ કાઝિમ સુબૂહી કાશાનીના તેઓ પુત્ર હતા. તેમણે મશહદમાં પોતાના સમયના વિદ્વાનો પાસેથી ફારસી, અરબી અને પહેલવી ભાષાનું શિક્ષણ મેળવ્યું. 1904માં પિતાના અવસાન બાદ ખુરાસાનના ગવર્નર આસિફઉદ્દૌલા ગુલામરઝાખાનના દરબારમાં પ્રવેશ મેળવ્યો…

વધુ વાંચો >

બહિણાબાઈ

Jan 7, 2000

બહિણાબાઈ (જ. 1629, દેવગાવ; અ. 1700) : સત્તરમી સદીનાં મરાઠીનાં પારંપરિક સંત કવયિત્રી. પિતાનું નામ આઊજી અને માતાનું નામ જાનકી. પિતા વતન દેવગાવના મહેસૂલ-અધિકારી હતા. દેવું કરવાના ગુના હેઠળ તેમને જેલવાસ ભોગવવો પડ્યો હતો, પરંતુ એક રાત્રે તેઓ જેલમાંથી નાસી છૂટ્યા હતા અને રહિમતપુર ખાતે બે વર્ષ ભૂગર્ભ અવસ્થામાં રહ્યા…

વધુ વાંચો >

બહિર્ભૂત અગ્નિકૃત ખડકો

Jan 7, 2000

બહિર્ભૂત અગ્નિકૃત ખડકો : પૃથ્વીની સપાટી પર લાવામાંથી તૈયાર થતા અગ્નિકૃત ખડકો. પૃથ્વીના પોપડાના 10 કિમી.થી 100 કિમી. વચ્ચેની ઊંડાઈના વિભાગમાં અસ્તિત્વ ધરાવતા કોઈ પણ પ્રકારના બંધારણવાળા ખડકો જો પેટાળના 800°થી 1200° સે. તાપમાને પીગળી જાય તો તેમાંથી તૈયાર થતા ભૂરસને મૅગ્મા કહે છે. આ મૅગ્મા જો સંજોગોવશાત્ પોપડાના અંદરના…

વધુ વાંચો >

બહિર્મુખતા

Jan 7, 2000

બહિર્મુખતા (convexity) : અવકાશમાં ઉપગણ B એવો હોય કે જેથી તેની અંદર આવેલાં કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ Bમાં જ સમાયેલો હોય તો ગણ Bને બહિર્મુખ ગણ [આકૃતિ 1(a)] અને આવા ગુણધર્મને બહિર્મુખતા કહેવામાં આવે છે. આ ઉપરાંત રેખાખંડ, કિરણ, રેખા, સમતલ, અર્ધતલ, ખૂણાનો અંદરનો ભાગ, ત્રિકોણનો અંદરનો ભાગ,…

વધુ વાંચો >