મધુસૂદન બક્ષી

ઑસ્ટિન, જે. એલ.

ઑસ્ટિન, જે. એલ. (જ. 28 માર્ચ 1911, લૅંકેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 8 ફેબ્રુઆરી 1960, ઑક્સફર્ડ) : બ્રિટિશ ફિલસૂફ. 1933માં ‘ઑલ સોલ્સ કૉલેજ’માં ફેલો તરીકે નિયુક્ત થયેલા. 1935થી તેમણે મેગડેલેન કૉલેજમાં સેવા આપેલી. 1952થી 1960 સુધી નૈતિક તત્વજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે તેમણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કામ કર્યું હતું. ઑસ્ટિનનું મુખ્ય પ્રદાન ભાષાના તત્વજ્ઞાનમાં જોઈ…

વધુ વાંચો >

કાન્ટ, ઇમાન્યુએલ

કાન્ટ, ઇમાન્યુએલ (જ. 1724, કૉનિગ્ઝસબર્ગ, પૂર્વ પ્રશિયા; અ. 1804) : આધુનિક પાશ્ચાત્ય તત્વચિન્તનના મહાન ફિલસૂફ. કાન્ટે સોળ વર્ષની વયે કૉનિગ્ઝસબર્ગની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને છ વર્ષ સુધી ત્યાં અભ્યાસ કર્યો. ત્યારપછી કેટલાંક વર્ષો કાન્ટે વિદ્યાર્થીઓને ખાનગી રાહે શિક્ષણ આપવાનું કાર્ય કર્યું. તેને એકત્રીસમા વર્ષે યુનિવર્સિટીમાં વિધિપુર:સર અધ્યાપક તરીકે નિયુક્તિ મળી. કાન્ટની…

વધુ વાંચો >

કારનાપ રુડૉલ્ફ

કારનાપ રુડૉલ્ફ (જ. 1891; અ. 1970) : પ્રસિદ્ધ જર્મન તત્વજ્ઞ. જર્મનીના રોન્સ ડૉર્ફમાં જન્મેલા કારનાપે 1910થી 1914 સુધી તત્વજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને ગણિતનો અભ્યાસ જર્મનીની જેના અને ફ્રાઇબર્ગ યુનિવર્સિટીઓમાં કર્યો હતો. 1910, 1913 અને 1914માં જેનામાં ફ્રેગેના તેઓ વિદ્યાર્થી હતા. ફ્રેગેના તર્કશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રનાં સંશોધનોએ વીસમી સદીના પ્રારંભમાં તર્કશાસ્ત્રને નવી જ…

વધુ વાંચો >

કિર્કગાર્ડ

કિર્કગાર્ડ (જ. 5 મે 1813, કૉપનહેગન; અ. 11 નવેમ્બર 1855, કૉપનહેગન) : યુરોપના 19મી સદીના મહાન ચિંતક.  પિતાએ કિર્કગાર્ડને ધર્મવિષયક/નૈતિકતાવિષયક અપરાધભાવ (guilt), પસ્તાવો, નિરાશા, વિષાદ, વ્યગ્રતા ચિન્તા વગેરે મનોભાવો તેમના પિતા માઇક્યેલ તરફથી જાણે કે વારસામાં મળ્યા હતા. જીવનના ઊંડા પ્રશ્નો પ્રત્યેના ચિન્તન સાથે સંકળાયેલા આ મનોભાવો કોઈ સાંસારિક/લૌકિક મૂંઝવણો…

વધુ વાંચો >

ગઝેલ, આનૉર્લ્ડ

ગઝેલ, આનૉર્લ્ડ (જ. 21 જૂન 1880, આલ્મા, વિસ્કૉન્સિન, અમેરિકા; અ. 29 મે 1961, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : નવજાત શિશુના માનસિક વિકાસના આદ્ય સંશોધક. બાળમનોવિજ્ઞાનના સ્થાપક સ્ટેનલી હૉલના વિદ્યાર્થી ગઝેલે અમેરિકાની ક્લાર્ક યુનિવર્સિટીમાંથી 1906માં મનોવિજ્ઞાનમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 1915માં તેમણે યેલ યુનિવર્સિટીમાંથી તબીબી ડિગ્રી પણ મેળવી હતી. તેમણે યેલ…

વધુ વાંચો >

ગોલ્ડસ્ટાઇન, કુર્ત

ગોલ્ડસ્ટાઇન, કુર્ત (જ. 6 નવેમ્બર 1878 [Kattowitz], પ્રોવિન્સ ઑવ્ સિલેશિયા, જર્મની; અ. 19 સપ્ટેમ્બર 1965, ન્યૂયૉર્ક) : જર્મનીના ન્યુરૉલૉજી અને સાઇકિયાટ્રીના વિદ્વાન. લોઅર સિલેસિયાની બ્રેસલાઉ યુનિવર્સિટીમાંથી તબીબી વિદ્યાશાખાની ડિગ્રી 1903માં મેળવ્યા બાદ તેમણે, ફ્રાંકફૂર્ત યુનિવર્સિટીના ‘ન્યુરૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ’માં ન્યુરૉલૉજી અને સાઇકિયાટ્રીના પ્રોફેસર તેમજ નિયામક તરીકે કામ કર્યું. પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન મગજની…

વધુ વાંચો >

ગ્રીક તત્વચિંતન

ગ્રીક તત્વચિંતન સૉક્રેટિસ પૂર્વેના પ્રાચીન ગ્રીસના ચિંતકોની, સૉક્રેટિસની પોતાની અને ગ્રીક સ્ટોઇકવાદી ચિંતકોની વિચારસરણી. આ વિચારસરણી પ્લેટો, ઍરિસ્ટોટલ, થિયોફ્રેસ્ટસ, હિપ્પોલિટસ, સેક્સ્ટસ, એમ્પિરિક્સ, વગેરેની રજૂઆતોને આધારે જ સમજી શકાય છે, કારણ કે આ ચિંતકોએ જ તેમનાં વાક્યખંડો, સૂત્રો, પંક્તિઓ કે ટૂંકા ફકરાઓને તેમની કૃતિઓમાં નોંધ્યાં છે. ઈ. સ. પૂ. પાંચમા સૈકામાં…

વધુ વાંચો >

ટર્મન, લ્યૂઇસ એમ.

ટર્મન, લ્યૂઇસ એમ. (જ. 15 જાન્યુઆરી 1877; અ. 21 ડિસેમ્બર 1956) : અમેરિકન મનોવિજ્ઞાની. ઇન્ડિયાના યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી લૉસ એન્જિલીઝ સ્ટેટ નૉર્મલ સ્કૂલમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. ચાર વર્ષ પછી તેઓ સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા હતા. ત્યાં માનસિક કસોટીઓ અને બક્ષિસવાળાં કે પ્રતિભાવાળાં બાળકો અંગેનાં સંશોધનો તેમણે કર્યાં…

વધુ વાંચો >

ટિચનર ઍડવર્ડ બ્રૅડફર્ડ

ટિચનર, ઍડવર્ડ બ્રૅડફર્ડ (જ. 11 જૂન 1867, ચિચિસ્ટર, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 3 ઑગસ્ટ 1927, ઇથાકા, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : અમેરિકામાં રચનાવાદને એક વિચારતંત્ર તરીકે પ્રસ્થાપિત કરનાર અંગ્રેજ મનોવિજ્ઞાની. ટિચનર ઑક્સફર્ડ યુનિવર્સિટીના સ્નાતક હતા. તેમણે જર્મનીમાં લાઇપઝિગ યુનિવર્સિટીમાં વિલ્હેલ્મ વૂન્ટની વિશ્વવિખ્યાત પ્રયોગશાળામાં 1890થી 1892 સુધી વૂન્ટના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી હતી. તાલીમ…

વધુ વાંચો >

તત્વમીમાંસા

તત્વમીમાંસા (metaphysics) : સત્ (being) એટલે કે હોવાપણાના સર્વસામાન્ય (general) સ્વરૂપનો અભ્યાસ. ઍરિસ્ટોટલે આવા અભ્યાસને ‘પ્રથમ ફિલસૂફી’ (first philosophy) તરીકે ઓળખાવ્યો હતો. સતનો સત્ તરીકેનો અભ્યાસ એટલે પ્રથમ ફિલસૂફી. ઍરિસ્ટોટલની કૃતિઓનું એન્ડ્રૉનિક્સે સંપાદન કર્યું હતું. તેમણે ફિલસૂફીને લગતી ઍરિસ્ટોટલની કૃતિઓને ઍરિસ્ટોટલના ‘ફિઝિક્સ’ પછી મૂકી હતી. તેને લીધે તે ફિલસૂફીને ‘ફિઝિક્સ’…

વધુ વાંચો >