મધુસૂદન બક્ષી

નિત્શે, ફ્રેડરિક

નિત્શે, ફ્રેડરિક (જ. 15 ઑક્ટોબર 1844, જર્મની; અ. 25 ઑગસ્ટ 1900, જર્મની) : ઓગણીસમી સદીના ક્રાન્તિકારી જર્મન ફિલસૂફ. નિત્શેએ મનોવિશ્લેષક ફ્રૉઇડ તેમજ સમાજલક્ષી તત્વચિંતક કાર્લ માર્કસ ની જેમ જ નિરીશ્વરવાદી અભિગમ રજૂ કરીને પ્રચલિત ધાર્મિક, આધ્યાત્મિક, નૈતિક કે કલાવિષયક માન્યતાઓને પડકારી છે. પોતપોતાનાં ક્ષેત્રોમાં જોકે ફ્રૉઇડ કે માર્કસે વૈજ્ઞાનિક વસ્તુલક્ષી…

વધુ વાંચો >

નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય)

નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય) : ઈશ્વરવાદીઓના મત પ્રમાણે ઈશ્વર છે અને તે છે તેવું નિશ્ચિત રીતે જાણી શકાય છે. નિરીશ્વરવાદીઓ (atheists)ના મત પ્રમાણે ઈશ્વર નથી એટલું જ નહિ પણ ઈશ્વર નથી તે અંગેનું નિશ્ચિત જ્ઞાન મળી શકે છે. અજ્ઞેયવાદીઓ(agnostics)ની માન્યતા પ્રમાણે ઈશ્વર છે તેવું જાણી શકાય તેમ નથી અને ઈશ્વર નથી…

વધુ વાંચો >

પ્લેટો

પ્લેટો [જ. ઈ. પૂ. 427 (?) ઍથેન્સ; અ. ઈ. પૂ. 347 ?] : વિશ્વવિખ્યાત ગ્રીક તત્વચિંતક. પ્લેટો યુવાન અવસ્થામાં જ સૉક્રેટિસના પ્રભાવ હેઠળ આવ્યા હતા. સૉક્રેટિસે પોતે કશું લખ્યું નથી એટલે ઝેનોફોનના ‘મેમોરેબિલિયા’ને બાદ કરતાં પ્લેટોના પ્રારંભિક સંવાદોમાં આપણને સૉક્રેટિસની ચિંતનપદ્ધતિ અને જીવનશૈલી વિશે વિશ્વસનીય માહિતી મળે છે. સૉક્રેટિસ ઉપરાંત…

વધુ વાંચો >

ફ્રૉમ, ઍરિક

ફ્રૉમ, ઍરિક (જ. 23 માર્ચ 1900, ફ્રૅન્કફર્ટ, જર્મની; અ. 18 માર્ચ 1980) : અગ્રણી સમાજશાસ્ત્રી. મૂળે જર્મન ફ્રૉમ 1934થી અમેરિકામાં સ્થાયી થયા હતા. કાર્લ માર્ક્સ, ફ્રૉઇડ અને અસ્તિત્વવાદથી પ્રભાવિત થયેલા ફ્રૉમે વિશિષ્ટ માનવીય પરિસ્થિતિને કેન્દ્રમાં મૂકીને તેમનો મનોવૈજ્ઞાનિક ર્દષ્ટિકોણ વિકસાવ્યો છે. જર્મનીમાં હાયડલબર્ગ યુનિવર્સિટીમાંથી તેઓ સમાજશાસ્ત્રમાં 1922માં પીએચ.ડી. થયા હતા.…

વધુ વાંચો >

બર્કલી, જ્યૉર્જ

બર્કલી, જ્યૉર્જ (જ. 1695; અ. 1753) : આયર્લૅન્ડના ઍંગ્લિકન ચર્ચના બિશપ, આઇરિશ ફિલસૂફ. બર્કલી ડબ્લિનની ટ્રિનિટી કૉલેજમાંથી 19 વર્ષની વયે સ્નાતક થયા હતા. 1707માં તે જ સંસ્થામાં તેઓ ‘ફેલો’ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારપછીનાં છ વર્ષોમાં જ તેમણે તત્વજ્ઞાનમાં યુવાન વયે જ વિવિધ ગ્રંથો દ્વારા મહત્વનું યોગદાન કર્યું હતું. તેમનાં…

વધુ વાંચો >

બર્ગસાં, હેન્રી

બર્ગસાં, હેન્રી (જ. 1859; અ. 1941) : સાહિત્ય માટેના 1927ના નોબેલ પારિતોષિક વિજેતા ફ્રેંચ ફિલસૂફ. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં તે યુરોપના પ્રખર ચિંતક તરીકે જાણીતા થયા હતા. ઍંગ્લો-પોલિશ યહૂદી પરિવારમાં જન્મેલા બર્ગસાં ગણિત અને વિજ્ઞાનમાં આગળ વધવાની શક્તિ ધરાવતા હતા, પરંતુ તેમણે સાહિત્ય અને તત્વચિંતનમાં વિશેષ અભિરુચિ દર્શાવી હતી. પ્રારંભમાં Ecole…

વધુ વાંચો >

મન અને દેહનો સંબંધ

મન અને દેહનો સંબંધ તત્વજ્ઞાનની એક શાખા : આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં મન અને શરીરની સમસ્યાનો વિચાર મનવિષયક તત્વજ્ઞાન નામની તત્વજ્ઞાનની એક શાખામાં કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે પીડા (pain), ભાવસ્થિતિ (mood), વિચાર, કલ્પના, સ્મૃતિ, સ્વપ્ન, ભ્રમ, વિભ્રમ, મનોવલણો, ઇચ્છાઓ, ઇરાદાઓ વગેરેને માનસિક ક્રિયાઓ કે અવસ્થાઓ ગણીએ છીએ અને સ્નાયુઓની…

વધુ વાંચો >

મનોવિજ્ઞાન

મનોવિજ્ઞાન મનોવિજ્ઞાનની શાખાઓ (મનોવિજ્ઞાનનું ક્ષેત્ર) એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે મનોવિજ્ઞાનનો જન્મ વુંટે ઈ. સ. 1879માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં પ્રયોગશાળા સ્થાપી ત્યારથી થયો એમ ગણવામાં આવે છે. મનોવિજ્ઞાનની એક વિજ્ઞાન તરીકેની જન્મભૂમિ યુરોપ હતી પરંતુ તેની કર્મભૂમિ અમેરિકા (US) જ બની ગઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકામાં મનોવિજ્ઞાન વિષયના વિકાસને ખૂબ…

વધુ વાંચો >

માર્લો-પૉન્તી, મૉરિસ

માર્લો-પૉન્તી, મૉરિસ (જ. 14 માર્ચ 1908, રૉકફર્ડ, ફ્રાન્સ; અ. 4 મે 1961, પૅરિસ) : ફ્રેન્ચ તત્વચિંતક. પૉન્તીએ પ્રત્યક્ષાનુભવ(perception)ના નિરૂપણને અને શરીરવિષયક વિચારણાને તેમના તત્વચિંતનમાં ખૂબ મહત્વનું સ્થાન આપ્યું છે. પૉન્તીના પિતા પ્રથમ વિશ્વયુદ્ધમાં માર્યા ગયા હતા. બીજા વિશ્વયુદ્ધમાં પૉન્તીએ ફ્રૅન્ચ પાયદળ(ઇનફન્ટ્રી)માં સેવાઓ આપી હતી. જર્મનોએ તે સમયે તેમને શારીરિક અને…

વધુ વાંચો >

મિશેલ ફૂકો

મિશેલ ફૂકો (જ. 15 ઑક્ટોબર 1926, પૉલિટીવ્સ(Politievs), ફ્રાન્સ; અ. 25 જૂન 1984, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેન્ચ ફિલસૂફ. મિશેલ ફૂકોએ 1946થી 1952 સુધી પૅરિસમાં e’cole normale sup’erieureમાં તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. 1955થી 1958 સુધી સ્વીડનની ઉપાસલા યુનિવર્સિટીમાં તેમણે અધ્યાપનકાર્ય કર્યું હતું. 1958માં વૉરસોમાં ફ્રેન્ચ સેન્ટરના નિર્દેશક તરીકે તેમણે સેવાઓ…

વધુ વાંચો >