સ્થાપત્યકલા
સુવર્ણમંદિર અમૃતસર
સુવર્ણમંદિર, અમૃતસર : શીખધર્મનું પવિત્ર મંદિર. પંજાબના અમૃતસરમાં તે આવેલું છે. તેનું મૂળ નામ હરિમંદિર સાહિબ છે. અર્થાત્, ઈશ્વરનું મંદિર. શીખોના પાંચમા ગુરુ અર્જુનદેવ(1581-1606)ના સમયમાં 1588માં મંદિરનું બાંધકામ શરૂ થયું અને 1601માં તે પૂરું થયું. અહમદશાહ અબદાલીએ આ મંદિર પર હુમલો કર્યો હતો તેથી 1760માં તેનું ફરીથી બાંધકામ કરવામાં આવ્યું.…
વધુ વાંચો >સૂર્યમંદિરો
સૂર્યમંદિરો : સૂર્યદેવની મૂર્તિ ધરાવતાં, તેની પૂજા માટેનાં મંદિરો. ભારતમાં પ્રથમ સૂર્યપૂજા ઉત્તર-પશ્ચિમ ભારતમાંસપ્તસિંધુમાં મૂર્તિના સ્વરૂપમાં સ્થાન પામી. ભારતમાં સૂર્યપૂજાના બે તબક્કા જણાય છે : પ્રથમ તબક્કામાં વૈદિક સૂર્યોપાસના પ્રચલિત હતી. બીજા તબક્કામાં ઈરાનની અસર નીચે મગ બ્રાહ્મણો દ્વારા શરૂ થયેલ સૂર્યપૂજા સમગ્ર ભારતમાં પ્રચલિત થઈ હોવાના પુરાવા પ્રાપ્ત થાય…
વધુ વાંચો >સોનકંસારીનાં મંદિરો
સોનકંસારીનાં મંદિરો : મૈત્રક-સૈંધવ કાલના ગુજરાતનાં મંદિરો. જામનગર જિલ્લામાં આવેલ ઘૂમલીમાં પ્રાચીન સમયમાં સૈંધવ રાજાઓ અને જેઠવા રાજાએ શાસન કર્યું હતું. અહીંના ચૌલુક્યકાલીન નવલખા મંદિરની પશ્ચિમે કંસારી નામના તળાવના કાંઠે આવેલાં મંદિરોનો સમૂહ સોનકંસારીનાં મંદિરો તરીકે ઓળખાય છે. અહીં આવેલાં મંદિરો પૈકી મંદિર નં. 1, 2, 3, 4, 5 અને…
વધુ વાંચો >સોમદેવસૂરિ
સોમદેવસૂરિ : ઈસવી સનની પંદરમી સદીમાં થઈ ગયેલ જૈન આચાર્ય. તેઓ શ્વેતામ્બર સંપ્રદાયના તપાગચ્છના આચાર્ય રત્નશેખરસૂરિના શિષ્ય હતા. આચાર્ય રત્નશેખરસૂરિએ સોમદેવસૂરિને રાણકપુરમાં આચાર્યપદ આપ્યું હતું. સોમદેવસૂરિ ઉત્તમ કવિ ઉપરાંત પ્રખર વાદી પણ હતા. એમની કાવ્યકળાથી મેવાડપતિ રાણો કુંભ આકર્ષિત થયો હતો. પાવાપુર–ચંપકનેરનો રાજા જયસિંહ અને જૂનાગઢનો રા’ મંડલિક 3જો (ઈ.…
વધુ વાંચો >સોમનાથ
સોમનાથ : જૂનાગઢ જિલ્લાના વેરાવળ તાલુકામાં આવેલું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન : તે 20° 53´ ઉ. અ. અને 70° 24´ પૂ. રે. પર વેરાવળથી માત્ર આઠ કિમી. દૂર અરબી સમુદ્રને કાંઠે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં આવેલું છે. ભારતનાં બાર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ ક્રમે આવતું જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે આવેલું હોવાથી હિન્દુઓનું પ્રખ્યાત…
વધુ વાંચો >સ્ટકો
સ્ટકો : શિલ્પો બનાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ. પથ્થર અથવા માટી પર ચૂના વગેરેનું પ્લાસ્ટર કરી તેમાં મૂર્તિઓ કોતરી કાઢવામાં આવે તેને સ્ટકો (Stucco) કહે છે. આ પ્રકારની મૂર્તિઓને ‘પ્રસ્તર’ મૂર્તિઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટકો શબ્દ ઇટાલિયનમાંથી અંગ્રેજીમાં 18મી સદીમાં પ્રચલિત થયો. વાસ્તવમાં સ્ટકોની પદ્ધતિ પ્રાચીન રોમનોએ છતના અલંકરણ…
વધુ વાંચો >સ્તંભાકાર સંરચના
સ્તંભાકાર સંરચના : જુઓ સાંધા.
વધુ વાંચો >સ્તૂપ
સ્તૂપ : બૌદ્ધ સ્થાપત્યનો એક પ્રકાર. ભગવાન બુદ્ધ કે તેમના શિષ્યો કે બૌદ્ધ ધર્મના આગળપડતા ધર્મોપદેશકોના કોઈ એક અવશેષ(જેવા કે વાળ, દાંત, અસ્થિ, રાખ, કોલસા વગેરે)ના સંરક્ષણ માટે બૌદ્ધો સ્મૃતિગૃહો બાંધતા. અવશેષોને ધાતુપાત્રમાં સંગ્રહી, પાત્રને પથ્થરના દાબડા(મંજૂષા કે સમુદગક)માં મૂકી, લેખ સાથે દાટવામાં આવતા અને તેની ઉપર અંડાકાર ઘાટનું ઈંટોનું…
વધુ વાંચો >સ્તૂપ બોરોબુદુર
સ્તૂપ બોરોબુદુર : જુઓ બોરોબુદુર.
વધુ વાંચો >સ્તૂપ સાંચી
સ્તૂપ સાંચી : જુઓ સાંચીનો સ્તૂપ.
વધુ વાંચો >