સિંધી સાહિત્ય

પરમાનંદ મેવારામ

પરમાનંદ મેવારામ (જ. 1865, હૈદરાબાદ, સિંધ; અ. 1938, હૈદરાબાદ) : અર્વાચીન સિંધી સાહિત્યના એક અગ્રણી લેખક. સિંધી ભાષાને સાહિત્યિક સ્વરૂપ આપવામાં અને તેના ગદ્યસાહિત્યનો પાયો નાખવામાં પરમાનંદ મેવારામનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. તેમણે ખ્રિસ્તી શાળામાં અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તે પછી સરકારી નોકરી ઉપરાંત શિક્ષક તરીકે પણ તેમણે સેવા…

વધુ વાંચો >

પલ પલ જો પલૉઉ (1977)

પલ પલ જો પલૉઉ (1977) : સિંધી કવિ હરિ દરિયાણી ‘દિલગીર’- રચિત કાવ્યસંગ્રહ. 1979માં તેને કેન્દ્રીય સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ મળ્યો છે. કવિએ પારંપરિક સિંધી કવિતા અને લલિતપદ, દોહા, રુબાઈઓ, ગઝલો ઉપરાંત અછાંદસ કવિતાના પ્રયોગો કરેલ છે. કવિના કથનાનુસાર અસ્તિત્વવાદના પાયે રચાયેલ નવી અછાંદસ નિરાશાવાદી કવિતાના સ્થાને તેમણે આશાવાદી અછાંદસ રચનાઓનો…

વધુ વાંચો >

પ્યાર જી પ્યાસ (1972)

પ્યાર જી પ્યાસ (1972) : જાણીતા સિંધી નવલકથાકાર ને રંગભૂમિના ઉપાસક ગોવિંદ માલ્હીકૃત સિંધી નવલકથા. તેને સાહિત્ય અકાદમીનો 1973ના વર્ષનો એવૉર્ડ મળ્યો હતો. આ ‘પ્યાર જી પ્યાસ’ નવલકથાની નાયિકા, સાચકલા પ્રેમની પ્રાપ્તિની ઝંખનામાં વિભિન્ન પુરુષોના સંપર્કમાં આવે છે. તેની વાસનાની તૃપ્તિ થાય છે, પરંતુ તેની પ્રેમતૃષા તો અતૃપ્ત જ રહી…

વધુ વાંચો >

ફૂલનિ મુઠિ (1927)

ફૂલનિ મુઠિ (1927) : સિંધી નિબંધસંગ્રહ. અર્વાચીન સિંધી સાહિત્યના ઉત્થાનકાળના પ્રારંભિક નિબંધ-સંગ્રહોમાં આ સંગ્રહ વિશેષ મહત્વનો છે. આમાંના નિબંધો આ અગાઉ પ્રગટ થયેલા નહોતા, પરંતુ રચયિતા લાલચંદ અમરડિનોમસ(1885–1954)ની રોજનીશીમાંથી તે સંગૃહીત કરાયા છે. લાલચંદ એમના રોજિંદા વિચારો અને અનુભવોને વિસ્તારથી પોતાની ડાયરીમાં નોંધી લેતા હતા. તેમાં તેમની અંગત શિવ-ભાવનાઓનો સ્પર્શ…

વધુ વાંચો >

બલવાણી, હુંદરાજ

બલવાણી, હુંદરાજ (ડૉ.) [જ. 9 જાન્યુઆરી 1946, લાડકાણા, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર, વાર્તાકાર, નાટ્યકાર અને પત્રકાર. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી સિંધી–હિંદીમાં એમ.એ.; મુંબઈ યુનિવર્સિટીમાંથી સિંધી બાલસાહિત્યમાં પીએચ.ડી., ગુજરાત યુનિવર્સિટીમાંથી હિંદી–અંગ્રેજીમાં બી.એડ. અને રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો ડિપ્લોમા પ્રાપ્ત કર્યા છે. તેમણે સાહિત્યની તમામ શાખાઓમાં લેખનકાર્ય કર્યું છે. સિંધીમાં બાળકોના માસિક…

વધુ વાંચો >

બાબાણી, કીરત ચોઇથરામ

બાબાણી, કીરત ચોઇથરામ [જ. 3 જાન્યુઆરી 1956, મોરોબાખો, જિ. નવાબશાહ, સિંધ (હાલ પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએલ.બી.ની ડિગ્રી અને એસ.ટી.સી.નો ડિપ્લોમા પ્રાપ્ત કર્યાં હતાં. તેમને તેમની કૃતિ ‘ધર્તી-અ-જો સડુ’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો. તેઓ અખિલ ભારત સિંધી બોલી ઐં સાહિત્ય સભાના…

વધુ વાંચો >

બેવસ

બેવસ (જ. 25 ફેબ્રુઆરી 1885, લારખાના, સિંધ [હાલ પાકિસ્તાન]; અ. 23 સપ્ટેમ્બર 1947) : આધુનિક સમયના પ્રમુખ સિંધી કવિ. તેમનું મૂળ નામ કિશનચંદ્ર તીરથદાસ ખત્રી. મુખ્ય શિક્ષક તરીકે નોકરી સ્વીકારી નામના પામ્યા. તેઓ હોમિયોપૅથિક વૈદ્ય બન્યા. તેમણે સૂફી તત્વજ્ઞાન અને વેદાંતનો અભ્યાસ કર્યો. તેઓ સ્વભાવે અતિ મૃદુ અને નમ્ર હતા.…

વધુ વાંચો >

ભાટિયા, લક્ષ્મણ (‘કોમલ’)

ભાટિયા, લક્ષ્મણ (‘કોમલ’) (જ. 26 માર્ચ 1936, કંડિયારો, સિંધ) : સિંધી ભાષાના જાણીતા કવિ. કૉમર્સ ગ્રૅજ્યુએટ થઈને પત્રકારત્વમાં ડિપ્લોમા કર્યો અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ દૈનિકમાં જોડાયા અને ચીફ સબ-એડિટર તરીકે નિવૃત્ત થયા. લક્ષ્મણ ભાટિયાએ 12 વર્ષની ઉંમરમાં એક નાનકડી રચના લખી, જે તે વખતના સુપ્રસિદ્ધ બાલસામયિક ‘ગુલિસ્તાન’માં છપાઈ. તે પછી…

વધુ વાંચો >

મન જા ચહબૂક

મન જા ચહબૂક (1926) : સિંધી કાવ્યસંગ્રહ. રચયિતા દયારામ ગિદુમલ શરાણી (1857–1927). ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં નવચેતનાના પ્રારંભિક કાળે તેમનું યોગદાન અનન્ય રહ્યું હતું. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક કક્ષાની પદવી મેળવેલી. તે પછી અંગ્રેજ સરકાર દ્વારા ન્યાયાધીશપદે નિમાયા હતા. સામાજિક સુધારાઓના કાર્યમાં પ્રવૃત્ત રહેવાની સાથે તેમણે સાહિત્ય દ્વારા ભારતીય દર્શનશાસ્ત્રનો…

વધુ વાંચો >

મલકાણી, નારાયણ રતનમલ

મલકાણી, નારાયણ રતનમલ (જ. 1890; અ. 18 ફેબ્રુઆરી 1974, ગાંધીધામ, કંડલા) : નિષ્ઠાવાન દેશસેવક અને સિંધી ભાષાના કથા-વાર્તા સિવાયના ગદ્યસાહિત્યના લેખક. બિહારની સરકાર-માન્ય કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1915માં ગાંધીજીનું ભક્તિપૂર્ણ સ્વાગત કરવાના પરિણામે તેમને નોકરી છોડવી પડી. અસહકારના દિવસોમાં તેઓ કૃપાલાની સાથે અમદાવાદ ખાતે ગૂજરાત વિદ્યાપીઠમાં…

વધુ વાંચો >