ભૂગોળ
શેબ્સી પર્વતો
શેબ્સી પર્વતો : પૂર્વ નાઇજિરિયામાં આવેલી પર્વતમાળા. બેન્યુ અને તરાબા નદીઓ વચ્ચે તે આશરે 160 કિમી. જેટલી લંબાઈમાં વિસ્તરેલી છે. તેનું દિમલાન્ગ (વૉજેલ) શિખર નાઇજિરિયાનું ઊંચામાં ઊંચું શિખર ગણાય છે; તેની ઊંચાઈ 2,042 મીટરની છે અને તે હારમાળાના મધ્ય ભાગમાં આવેલું છે. ભરપૂર વનરાજીવાળા તેના ઉપરના ઢોળાવો પરથી કૅમ, ફૅન,…
વધુ વાંચો >શેલ્ડ નદી (Schelde River)
શેલ્ડ નદી (Schelde River) : બેલ્જિયમમાં આવેલી નદી. યુરોપના મહત્વના ગણાતા વેપારી જળમાર્ગો પૈકીના એક જળમાર્ગ તરીકે આ નદી વધુ જાણીતી છે. ભૌગોલિક સ્થાન : 51° 22´ ઉ. અ. અને 4° 15´ પૂ. રે.. તે ફ્રાન્સના લીલી(Lille)ના અગ્નિકોણમાંથી નીકળે છે અને બેલ્જિયમમાં થઈને ઈશાન તરફ વહે છે. એન્ટવર્પ ખાતે તે…
વધુ વાંચો >શોણ (નદી)
શોણ (નદી) : છત્તીસગઢ રાજ્યના બિલાસપુર જિલ્લામાં વહેતી નદી. ગંગાની સહાયક નદીઓ પૈકીની એક. દક્ષિણ તરફથી નીકળીને શરૂઆતમાં તે માનપુર નજીકથી પસાર થાય છે ત્યારે તેનો પ્રવાહપથ ઉત્તર તરફનો રહે છે, પરંતુ પછીથી તે રેવા જિલ્લાને વીંધે છે ત્યારે તે ઈશાનતરફી વળાંક લે છે. આ નદી કૈમુર પર્વતમાળાને કોતરીને આગળ…
વધુ વાંચો >શોણિતપુર
શોણિતપુર : આસામ રાજ્યનો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 26° 37´ ઉ. અ. અને 92° 48´ પૂ. રે.ની આજુબાજુનો 5,324 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તારની દૃષ્ટિએ રાજ્યમાં તે બીજા ક્રમે આવે છે. તેની ઉત્તરે અરુણાચલ પ્રદેશ, પૂર્વે લખીમપુર અને જોરહટ જિલ્લા, દક્ષિણે મારિયાગાંવ, નાગાંવ અને ગોલાઘાટ જિલ્લા તથા…
વધુ વાંચો >શ્કોદ્ર (Shkodra)
શ્કોદ્ર (Shkodra) : આલ્બેનિયાનું વસ્તીની દૃષ્ટિએ તિરાના પછી બીજા ક્રમે આવતું શહેર. ભૌગોલિક સ્થાન : 43° 05´ ઉ. અ. અને 19° 30´ પૂ. રે.. તે બ્યુના અને દ્રિની નદીઓના સંગમ નજીક, સ્કુતારી સરોવરના અગ્નિ છેડે વસેલું છે. આ શહેર રોમન કૅથલિક ધર્મગુરુનું મથક પણ છે. અહીં કેથીડ્રલ, મસ્જિદો અને ખ્રિસ્તી…
વધુ વાંચો >શ્યોક (Shyok)
શ્યોક (Shyok) : જમ્મુ-કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં આવેલી નદી. સિયાચીન હિમનદીમાંથી નીકળતી નુબ્રા નદીના મેળાપ પછી તૈયાર થતી નદી. રીમો હિમનદીમાંથી તેમજ તેરિમ કાંગરી શિખર(ઊંચાઈ 7,500 મીટર)માંથી તેને જળપુરવઠો મળી રહે છે. તે કારાકોરમની દક્ષિણે ગિલગીટના ખીણ-વિસ્તારમાંથી શિગાર નદી સહિત પસાર થાય છે અને કાશ્મીરના વાયવ્ય ભાગમાં થઈને વહે છે. ટ્રાન્સ-હિમાલયન…
વધુ વાંચો >શ્રીકંઠ દેશ
શ્રીકંઠ દેશ : ઉત્તર ભારતમાં, હર્ષવર્ધનના (ઈ. સ. 7મી સદી) પાટનગર થાણેશ્વરની આસપાસનો પ્રદેશ. કવિ બાણે ‘હર્ષચરિત’માં જણાવ્યા પ્રમાણે શ્રીકંઠ દેશમાં થાણેશ્વર શહેર અને જિલ્લો આવેલાં હતાં. બાણના જણાવ્યા મુજબ તે પ્રદેશમાં ઘઉં, ચોખા અને શેરડીનો પાક થતો હતો. જયકુમાર ર. શુક્લ
વધુ વાંચો >શ્રીકાકુલમ્
શ્રીકાકુલમ્ : આંધ્રપ્રદેશના ઈશાન છેડે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 18° 21´થી 19° 10´ ઉ.અ. અને 83° 30´ થી 84° 50´ પૂ.રે. વચ્ચેનો 5,837 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ ઓરિસા રાજ્યની સીમા, પૂર્વ અને દક્ષિણમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમ અને વાયવ્યમાં…
વધુ વાંચો >શ્રીનગર
શ્રીનગર : જમ્મુ-કાશ્મીર રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 34° 05´ ઉ. અ. અને 74° 49´ પૂ. રે. આજુબાજુનો 2,228 ચોકિમી. (રાજ્યનો આશરે 10 % વિસ્તાર) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમ, વાયવ્ય અને ઉત્તર તરફ બારામુલા, ઈશાનમાં કારગીલ, અગ્નિકોણમાં અનંતનાગ, દક્ષિણે પુલવામા તથા નૈર્ઋત્યમાં બડગામ…
વધુ વાંચો >શ્રીપુર (શરભપુર)
શ્રીપુર (શરભપુર) : હાલના મધ્યપ્રદેશના રાયપુર જિલ્લામાં આવેલ પ્રાચીન નગર, જે પાછળથી શરભપુરિયા વંશના રાજાઓનું પાટનગર હતું. તે રાજાઓ પોતાને ‘પરમ ભાગવત’ કહેવડાવતા હતા. જુદા જુદા લેખકોએ તેને માટે સંબલપુર, સરનગઢ, સરપગઢ વગેરે નામ આપ્યાં છે. રાજા શરભ અને તેનો પુત્ર નરેન્દ્ર પાંચમી સદીનાં છેલ્લાં વરસોમાં થઈ ગયા. છઠ્ઠી સદીનાં…
વધુ વાંચો >