તેલુગુ સાહિત્ય

ઉમર અલીશા

ઉમર અલીશા (જ. 28 ફેબ્રુઆરી 1885 પેથાપુરમ્; અ. 23 ફેબ્રુઆરી 1945 નરસાપુરમ્) : તેલુગુ લેખક. મોહિઉદ્દીન અને ચાંદબીબીના પુત્ર. તેમની માતૃભાષા ઉર્દૂ હોવા છતાં તેમણે તેલુગુમાં લગભગ પચાસ પુસ્તકો લખ્યાં છે. સોળ વર્ષની ઉંમરથી જ તેમણે લેખનની શરૂઆત કરેલી અને અઢાર વર્ષની વયે તેમનું ‘મણિમાલા’ નાટક પ્રગટ થયું હતું. તે…

વધુ વાંચો >

એકાન્ત સેવા

એકાન્ત સેવા (વીસમી સદીનો ત્રીજો દશકો) : તેલુગુ કાવ્યસંગ્રહ. તેલુગુ ભક્તકવિ વ્યંકટ પરવતીશ્વર ક્વુલુ (1881–1974) તથા વોલેતાં પર્વતીસમ(1882–1955)ના સંયુક્ત કર્તૃત્વનાં આ ઊર્મિકાવ્યોમાં મહદંશે વિપ્રલંભ શૃંગારનું નિરૂપણ છે. બાહ્ય ર્દષ્ટિએ માનવપ્રણયનાં વિરહકાવ્યો લાગે, પણ એમાં જીવાત્માની પરમાત્માના મિલન માટેની વ્યાકુળતા તથા વિરહની અસહ્ય વેદનાનું આલેખન થયું છે. આ સંગ્રહનાં 62 ગીતોમાં…

વધુ વાંચો >

કન્યાશુલ્કમુ

કન્યાશુલ્કમુ (1897) : સામાજિક તેલુગુ નાટક. તેના લેખક ગુરજાડા અપ્પારાવ આધુનિક તેલુગુ સાહિત્યના પ્રવર્તક વીરેશલિંગમ્ જેવા સુધારક હતા. આ નાટકની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં, સમાજસુધારાના આંદોલનને શક્તિશાળી બનાવવા અને તેલુગુ ભાષાના નાટકની રચનાને સાર્થક ઠરાવવા, આ નાટકની રચના કરવામાં આવી છે એવું જણાવ્યું હતું. આ નાટકમાં વૃદ્ધ વર સાથે નાની વયની…

વધુ વાંચો >

કાલીપટનમ્ રામારાવ

કાલીપટનમ્ રામારાવ (જ. 1924, મુરપકા, આંધ્ર પ્રદેશ) : આંધ્ર પ્રદેશના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘યજ્ઞમ્ તો તોમ્મિદી’ માટે 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ વિશાખાપટ્ટનમ્ની એક શાળામાં 30 કરતાં વધુ વર્ષોથી અધ્યાપનકાર્ય કરી રહ્યા છે. તેમની પ્રથમ વાર્તા ‘પ્લૅટફૉર્મ’ 1943માં પ્રગટ થઈ.…

વધુ વાંચો >

કુન્દુર્તી આંજનેયુલુ

કુન્દુર્તી આંજનેયુલુ (જ. 1922, કોટાવરિપાલેમ, ગંતુર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ. ગંતુરની આંધ્ર ક્રિશ્ચિયન કૉલેજમાંથી અર્થશાસ્ત્રનો વિષય લઈને 1940માં બી.એ. થયા. 1946થી 1956 સુધી ગંતુરની ટૉબેકો માર્કેટિંગ કમિટીના સુપરિન્ટેન્ડેન્ટ તરીકે કામ કર્યું. તે પછી આંધ્રપ્રદેશની સરકારમાં માહિતી અને જનસંપર્ક ખાતામાં સેવા આપી. એ આધુનિક તેલુગુ કવિતાના શ્રીગણેશ કરનારાઓમાંના એક હતા. ‘નયાગરા’…

વધુ વાંચો >

કુંદુર્તી ક્રુતુલુ

કુંદુર્તી ક્રુતુલુ (1975) : તેલુગુ કાવ્યસંગ્રહ. ‘વાચનકવિતા’ તરીકે ઓળખાતી કુંદુર્તી આંજનેયુલુએ રચેલી અત્યાધુનિક કવિતાનો આ છઠ્ઠો સંગ્રહ છે. તેને માટે એમને 1977નો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વાચનકવિતાનું આંદોલન એમણે જ શરૂ કરેલું. એ આંદોલનનો ઉદ્દેશ પ્રણાલિકાભંગ હતો. આ કાવ્યસંગ્રહનું નામકરણ એમના ગામના નામ પરથી થયેલું છે. એમાંનાં…

વધુ વાંચો >

કૃષ્ણમાચારી ધર્માવવિરમ્

કૃષ્ણમાચારી ધર્માવવિરમ્ (જ. 1853, વેલ્લરી; અ. 1913) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના તેલુગુ ભાષાના ખ્યાતનામ નાટકકાર. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વેલ્લરીમાં, ઉચ્ચશિક્ષણ હૈદરાબાદમાં. એમણે તેલુગુ નાટ્યસાહિત્યને એક નવો જ વળાંક આપ્યો. એમણે એમનાં નાટકોમાં યક્ષગાન શૈલીનો પ્રયોગ કર્યો અને નાટકમાં પ્રસંગાનુરૂપ ગીતોનો પણ સમાવેશ કર્યો. એમણે ચૌદ પૌરાણિક નાટકો લખ્યાં છે,…

વધુ વાંચો >

કૃષ્ણમાચાર્યુલુ

કૃષ્ણમાચાર્યુલુ (ચૌદમી સદી) : તેલુગુ લેખક, પ્રસિદ્ધ યાત્રાધામ સિંહાચલના નિવાસી. તે તેલુગુમાં ‘વચન સાહિત્ય’ના પ્રવર્તક ગણાય છે. ‘વચન વાઙ્મય’ કન્નડમાં જાણીતું છે, પરંતુ તેલુગુમાં તેનો ખાસ પ્રચાર ન હતો. આ સાહિત્યપ્રકારથી આંધ્રભારતી-તેલુગુ સાહિત્યને અલંકૃત કરવાનું શ્રેય આ કવિને છે. કાકતીય સમ્રાટ દ્વિતીય પ્રતાપરુદ્ર- (1295-1326)ના તે સમકાલીન ગણાય છે. સિંહાચલના સ્વામી…

વધુ વાંચો >

કૃષ્ણશતકમ

કૃષ્ણશતકમ (ચૌદમું શતક) : તેલુગુ વૈષ્ણવ કવિતામાં મહત્વનું સ્થાન ધરાવતું કાવ્ય. રચયિતા કવનલૈ ગોપન્ના. કાવ્ય સો શ્લોકોમાં રચાયેલું છે. એમાં બાળપણથી માંડીને વૈકુંઠ પ્રયાણ સુધીના શ્રીકૃષ્ણના જીવનના મહત્વના પ્રસંગો સંક્ષેપમાં નિરૂપાયા છે. અનેકાનેક પ્રસંગોમાંથી વિવેકપૂર્ણ ચયન કરીને, કાવ્યમાં સાતત્ય જળવાઈ રહે એ રીતે નિરૂપણ કરવું એ કઠિન કાવ્ય કવિ સફળતાથી…

વધુ વાંચો >

કૃષ્ણશાસ્ત્રી ડી. વી.

કૃષ્ણશાસ્ત્રી ડી. વી. (જ. 1897, પિથાપુરમ્, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્ર; અ. ?) : તેલુગુ લેખક અને કવિ. ઉચ્ચ શિક્ષણ ચેન્નાઇમાં લીધું. ત્યાંથી 1918માં બી.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં મેળવી. તે પછી ઉચ્ચ માધ્યમિક શાળામાં શિક્ષકની નોકરી કરી અને 1925માં કાકીનાડા કૉલેજમાં તેલુગુના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. ઘણાં વર્ષ સુધી ‘આકાશવાણી’ હૈદરાબાદ…

વધુ વાંચો >