કૃષ્ણશતકમ

January, 2008

કૃષ્ણશતકમ (ચૌદમું શતક) : તેલુગુ વૈષ્ણવ કવિતામાં મહત્વનું સ્થાન ધરાવતું કાવ્ય. રચયિતા કવનલૈ ગોપન્ના. કાવ્ય સો શ્લોકોમાં રચાયેલું છે. એમાં બાળપણથી માંડીને વૈકુંઠ પ્રયાણ સુધીના શ્રીકૃષ્ણના જીવનના મહત્વના પ્રસંગો સંક્ષેપમાં નિરૂપાયા છે. અનેકાનેક પ્રસંગોમાંથી વિવેકપૂર્ણ ચયન કરીને, કાવ્યમાં સાતત્ય જળવાઈ રહે એ રીતે નિરૂપણ કરવું એ કઠિન કાવ્ય કવિ સફળતાથી પાર પાડી શક્યા છે. આજે પણ એ કાવ્ય કૃષ્ણમંદિરોમાં ઉત્સવ સમયે અને ભક્તોનાં ઘરમાં રોજ ગવાય છે.

પાંડુરંગ રાવ