કૃષ્ણમાચાર્યુલુ

January, 2008

કૃષ્ણમાચાર્યુલુ (ચૌદમી સદી) : તેલુગુ લેખક, પ્રસિદ્ધ યાત્રાધામ સિંહાચલના નિવાસી. તે તેલુગુમાં ‘વચન સાહિત્ય’ના પ્રવર્તક ગણાય છે. ‘વચન વાઙ્મય’ કન્નડમાં જાણીતું છે, પરંતુ તેલુગુમાં તેનો ખાસ પ્રચાર ન હતો. આ સાહિત્યપ્રકારથી આંધ્રભારતી-તેલુગુ સાહિત્યને અલંકૃત કરવાનું શ્રેય આ કવિને છે. કાકતીય સમ્રાટ દ્વિતીય પ્રતાપરુદ્ર- (1295-1326)ના તે સમકાલીન ગણાય છે. સિંહાચલના સ્વામી વરાહ નરસિંહનાં ગુણગાન ગાતાં આ કવિએ વચનો અને ચૂર્ણિકાઓ (વિશેષ છંદ) તેમજ ભજન-સંકીર્તનનાં અનેક ગીતો રચ્યાં. પ્રસિદ્ધ ગીતકાર અન્નમાચાર્યુલુએ તેમની ખૂબ પ્રશંસા કરી છે.

કૃષ્ણવદન જેટલી