તેલુગુ સાહિત્ય

આદિવિષ્ણુ

આદિવિષ્ણુ (જ. 1929, મછલીપટ્ટનમ્) : આધુનિક તેલુગુ લેખક. પૂરું નામ આદિવિષ્ણુ વિઘ્નેશ્વર રાવ છે. જન્મ ગણેશચતુર્થીને દિવસે થયો હોવાથી એમનું નામ વિઘ્નેશ્વર રાવ રાખેલું, મછલીપટ્ટનમની હિંદુ કૉલેજમાંથી સ્નાતક, રાજ્યના માર્ગવાહનવ્યવહારમાં હિસાબનીશ. પાછળથી તેમાં લોકસંપર્ક અધિકારી તરીકે પદોન્નતિ. કૉલેજજીવનમાં વાર્તાઓ લખવાનું શરૂ કરેલું. કૉલેજમાં ભણતા ત્યારે જ ‘અનંતમ્’ નાટકમાં ભાગ લીધેલો…

વધુ વાંચો >

આરુદ્ર

આરુદ્ર (જ. 31 ઑગસ્ટ 1925, વિશાખાપટનમ્; અ.4 જૂન 1998, ચેન્નાઈ) : તેલુગુ સાહિત્યકાર. મૂળ નામ બી. એસ. શાસ્ત્રી. ઉપનામ આરુદ્ર. તેમની કૃતિ ‘ગુરજાડ ગુરુપીઠમ્’ને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ વિશાખાપટનમ્ ખાતે થયું હતું. ‘ભારત છોડો’ આંદોલનના પરિણામ રૂપે તેમનું ઔપચારિક શિક્ષણ અધૂરું રહ્યું. થોડો…

વધુ વાંચો >

આલુરી બૈરાગી

આલુરી બૈરાગી (જ. 1936 ) : તેલુગુ લેખક. આલુરી બૈરાગીના કવિતાસંગ્રહ ‘આગમગીતિ’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1984 નો પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એમાં અર્વાચીન ભક્તિ-કાવ્યો છે. ભાવોના વૈવિધ્ય સાથે ભક્ત અને ભગવાનના વિવિધ સંબંધોને કારણે ભિન્ન ભિન્ન પ્રકારની ઊર્મિઓનું નિરૂપણ થયેલું છે. એમાં સખાભાવ, દાસ્યભાવ ને પ્રિયતમનો પણ ભાવ છે. મોટાભાગનાં કાવ્યો…

વધુ વાંચો >

આંજનેયુલુ-કુંદુતિ

આંજનેયુલુ, કુંદુતિ (જ. 16 ડિસેમ્બર 1922, ગંતુર; અ. 1982) : તેલુગુ કવિ અને ગદ્યકાર. જન્મ આંધ્રપ્રદેશના ગંતુર જિલ્લાના કોટાવરી પાલેયમાં. આંધ્રમાંથી જ બી.એ.ની ઉપાધિ મેળવી. 1946થી 1956 સુધી તે ગંતુર માર્કેટિંગ સમિતિના સુપરિન્ટેન્ડન્ટ હતા. તે પછી આંધ્રપ્રદેશના સૂચના અને જનસંપર્ક વિભાગમાં મુખ્ય અનુવાદક રહ્યા હતા. પ્રશિષ્ટ કવિતાથી પ્રગતિવાદ પ્રતિ જઈ…

વધુ વાંચો >

આંધ્રપુરાણુમુ

આંધ્રપુરાણુમુ (1954-1964) : અર્વાચીન તેલુગુ કાવ્ય. પ્રકાશનસાલ : પૂર્વાર્ધ ખંડ 1954; ઉત્તરાર્ધ 1964. મધુનાપંતુલ સત્યનારાયણ શાસ્ત્રીરચિત આ પુસ્તકમાં આંધ્રનો કાવ્યબદ્ધ ઇતિહાસ પુરાણશૈલીમાં આપ્યો છે. આ કૃતિને 1968નો આંધ્ર રાજ્ય અકાદમી ઍવૉર્ડ મળેલો. પૂર્વાર્ધમાં ઉદય પર્વ, સાતવાહન પર્વ, ચાલુક્ય પર્વ અને કાકતીય પર્વ છે; તો ઉત્તરાર્ધમાં પુન:પ્રતિષ્ઠા પર્વ, વિદ્યાનગર પર્વ, શ્રીકૃષ્ણદેવરાય…

વધુ વાંચો >

આંધ્ર મહાભારતમ્

આંધ્ર મહાભારતમ્ (11મીથી 13મી સદી) : મધ્યકાલીન તેલુગુ મહાકાવ્ય. તે તેલુગુની સર્વપ્રથમ કાવ્યકૃતિ મનાય છે. એની પૂર્વનું સાહિત્ય ગ્રંથાકારે ઉપલબ્ધ નથી. આ રચના નન્નય ભટ્ટુ, તિક્કન સોમયાજી તથા એરપ્રિગડ નામના ત્રણ કવિઓની સંયુક્ત રચના ગણાય છે. ત્રણમાં નન્નય ભટ્ટુ પ્રથમ હતા. તેમણે અગિયારમી સદીમાં આ કાવ્ય રચવાનો આરંભ કરેલો. એમણે…

વધુ વાંચો >

આંધ્ર વાગેયકાર ચરિત્રમુ

આંધ્ર વાગેયકાર ચરિત્રમુ : તેલુગુ લેખક બાલાન્તરપુ રજનીકાંત રાવની કૃતિ. તેને 1967નો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયેલો. એમાં તેલુગુ ગીતકારો તથા સ્વરકારોનાં રેખાચિત્રો તેમજ કવિતા તથા સંગીતના ક્ષેત્રમાં એમના પ્રદાનની મુલવણી કરવામાં આવી છે. વળી, પ્રત્યેક ગીતકાર પર એના પૂર્વસૂરિઓનો કેવો અને કેટલો પ્રભાવ છે અને એની મૌલિકતા ક્યાં…

વધુ વાંચો >

આંધ્રુલા સંઘિકે ચરિતમુ

આંધ્રુલા સંઘિકે ચરિતમુ (1949) : તેલુગુ લેખક સુરવરમ્ પ્રતાપ રેડ્ડી(1896-1955)નો સામાજિક ઇતિહાસનો ગ્રંથ. આ કૃતિને ભારતીય સાહિત્ય અકાદમીનો 1955ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો છે. રેડ્ડી તેલુગુ ભાષાના નામાંકિત વિદ્વાન અને અગ્રણી પત્રકાર હતા. આ પુસ્તકમાં આંધ્રવાસીઓનો સામાજિક ઇતિહાસ સાહિત્ય મારફત આલેખાયો છે અને તેલુગુમાં આ અભિગમ તદ્દન નવો – સર્વપ્રથમ છે.…

વધુ વાંચો >

ઇદા સ્વાતંત્ર્યમ્

ઇદા સ્વાતંત્ર્યમ્ (1953) : તેલુગુ નાટક. લેખક રામરાઉ પડવલ. આ નાટક રંગમંચ પર અનેક વાર અનેક સ્થળે ભજવાયું છે. તેમણે સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક, રાજકારણવિષયક અનેક નાટકો લખેલાં છે, પણ એ સર્વમાં ‘ઇદા સ્વાતંત્ર્યમ્’ શ્રેષ્ઠ ગણાયું છે. એને આંધ્ર સરકાર તરફથી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ નાટકમાં સ્વતંત્ર ભારતનું જે સ્વપ્ન…

વધુ વાંચો >

ઉન્નવ લક્ષ્મીનારાયણ

ઉન્નવ લક્ષ્મીનારાયણ (જ. 4 ડિસેમ્બર 1877, વેમુલૂરેપાડૂ, આંધ્રપ્રદેશ; અ. 25 સપ્ટેમ્બર 1958) : તેલુગુ લેખક. પ્રાથમિક શિક્ષણ ગામમાં અને માધ્યમિક તથા એમ.એ. સુધીની ઉચ્ચ કેળવણી ગુન્તુરમાં. 1913માં ઇંગ્લૅન્ડ જઈ બૅરિસ્ટર થઈ ભારત પાછા આવ્યા. થોડો સમય ચેન્નાઈમાં તેમજ ગુન્તુરમાં વકીલાત કરી. 1920માં ગાંધીજીની હાકલ થતાં વકીલાત છોડી રાષ્ટ્રીય આંદોલનમાં ઝંપલાવ્યું…

વધુ વાંચો >