તમિળ સાહિત્ય

તિરુઅરુપ્પા

તિરુઅરુપ્પા (ઓગણીસમી શતાબ્દી) : તમિળ કવિ રામલિંગસ્વામીએ રચેલાં ભક્તિપ્રધાન પદોનો સંગ્રહ. રામલિંગસ્વામી તમિળનાડુના લોકપ્રિય શૈવમાર્ગી સંત હતા. શિવ અને સુબ્રહ્મણ્યસ્વામી (કાર્તિક) પ્રત્યે પારાવાર ભક્તિ હોવા છતાં, અન્ય સંપ્રદાયો પ્રત્યે તેમને ખૂબ આદર હતો. તેમણે લોકોમાં બધા ધર્મો અને સંપ્રદાયો તરફ સમભાવ  કેળવી અને એ ભાવના પર આધારિત ‘સમરસ શુદ્ધ સન્માર્ગમ્’…

વધુ વાંચો >

તિરુક્કુરળ

તિરુક્કુરળ (ઈ. સ.ની પહેલી સદી) : પ્રાચીન તમિળ સાહિત્યનો શ્રેષ્ઠ ગણાતો ગ્રંથ. એમ મનાય છે કે એની રચના ઈસુની પ્રથમ શતાબ્દીમાં થઈ હશે પણ એની પ્રશસ્તિ બીજી સદીથી થવા લાગી. એના રચયિતા મહાન મનીષી તિરુવળુવર હતા. ‘તિરુક્કુરળ’ શબ્દમાં ‘તિરુ’ શ્રીના જેવો આદરસૂચક શબ્દ છે અને ‘કુરળ’ દોઢ પંક્તિના તમિળ છંદનું…

વધુ વાંચો >

તિરુમૂલર

તિરુમૂલર (છઠ્ઠી સદી) : તમિળના 63 શૈવ સંતોમાંના અગ્રગણ્ય સંત-કવિ. એ રહસ્યવાદી કવિ હતા. એમણે રચેલાં લગભગ 3000 પદોનો સંગ્રહ ‘તિરુમંદિરમ્’ નામથી જાણીતો છે. શૈવસંતોએ રચેલાં પદોના ‘તિરુમુરૈ’ નામે પ્રગટ થયેલા સંગ્રહમાં તિરુમૂલરનાં સંખ્યાબંધ પદો છે. એમનાં પદોમાં લૌકિક જીવન-વિષયક તથા આધ્યાત્મિક અનુભૂતિના વર્ણનનાં પદો છે; કેટલાંક પદોમાં દાર્શનિક સિદ્ધાંતોનું…

વધુ વાંચો >

તિરુવલ્લુવર

તિરુવલ્લુવર : બે હજાર વર્ષ ઉપર થઈ ગયેલા દક્ષિણ ભારતના એક મહાન સંત. મૂળ નામ વલ્લુવર. તેમના વિશે કોઈ અંગત માહિતી ઉપલબ્ધ નથી. કિંવદન્તી મુજબ એ ભગવત નામના એક બ્રાહ્મણ તથા આદિ નામની હરિજન સ્ત્રીના પુત્ર હતા. એમના જીવન વિશે તમિળનાડુમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. કબીરની જેમ જન્મે–વ્યવસાયે આજીવન વણકર.…

વધુ વાંચો >

તિરુવાચગમ્

તિરુવાચગમ્ (નવમી સદી) : તમિળ કાવ્ય. મધ્યકાલીન તમિળ કવિ માણિક્કવાચગરની પ્રસિદ્ધ કાવ્યરચનાઓનો સંગ્રહ. ‘તિરુવાચગમ્’ શબ્દમાં ‘તિરુ’ એટલે પવિત્ર અને ‘વાચગમ્’ એટલે વચનો; એટલે ‘પવિત્ર વચનોનો સંગ્રહ’. એમાંનાં પદોમાં કવિએ આત્મા અને પરમાત્માની એકતા શી રીતે સધાય, એમાં કઈ કઈ અવસ્થામાંથી પસાર થવું પડે અને બ્રહ્મસાક્ષાત્કાર થાય ત્યાં સુધીની જુદી જુદી…

વધુ વાંચો >

તિરુ, વી. ક.

તિરુ, વી. ક. (જ. 1883, ચેન્નાઈ; અ. 1953) : વીસમી શતાબ્દીના અગ્રગણ્ય તમિળ લેખક. એમનું મૂળ નામ કલ્યાણસુંદરમ્ છે પણ ‘તિરુ વી. ક.’ તખલ્લુસથી લખતા હોવાથી એ નામથી જ તમિળનાડુમાં એ જાણીતા છે. શિક્ષણ ચેન્નાઈમાં. વેસ્લી કૉલેજમાં ભણતા હતા ત્યારે કૉલેજમાં તમિળના પ્રાધ્યાપક શ્રી. ના. કાર્દિનેર પિળ્ળૈનો એમના પર પ્રબળ…

વધુ વાંચો >

તોળકાપ્પિયમ્

તોળકાપ્પિયમ્ (ઈ. સ. પૂ. બીજી સદી) : તમિળનો પ્રાચીનતમ  પ્રથમ ઉપલબ્ધ ગ્રંથ. એના રચયિતા તોળકાપ્પિવર હતા. કેટલાક વિદ્વાનોના મતાનુસાર એ પ્રસિદ્ધ વ્યાકરણાચાર્ય અગસ્ત્યના શિષ્ય હતા. એ ગ્રંથ મુખ્ય તો વ્યાકરણગ્રંથ છે. એમાં તમિળ ભાષાનું સ્વરૂપ,  વ્યાકરણ, નિયમો, અર્થાલંકારો, વિવિધ છંદો, જનપદો અને નગરોનાં વર્ણનો, જીવનપ્રણાલી, સાંસ્કૃતિક વિકાસ, પ્રેમ, સંયોગ, વિયોગ,…

વધુ વાંચો >

દુહુ

દુહુ : પ્રાચીન તમિળ છંદ. એમાં 2, 4 અને 12 માત્રાની દોઢ પંક્તિઓ હોય છે. ઈસવી સનની બીજી કે ત્રીજી સદીમાં તિરુવલ્લુવરે રચેલો ગ્રંથ તિરુક્કુરળ એ છંદમાં રચાયો છે. એ છંદનું અન્ય નામ વેણ્વા છે. તિરુક્કુરળમાંએ છંદના 1330 દુહુ છે. તિરુતક્કદૈવરનું મહાકાવ્ય ’જિવગ ચિંતામણિ’ પણ આ છંદમાં રચાયું છે. આદિકાળ…

વધુ વાંચો >

દેશિંગ, વિનાયકમ્ પિલ્લે

દેશિંગ, વિનાયકમ્ પિલ્લે (જ. 27 જુલાઈ 1876, કન્યાકુમારી; અ. 26 સપ્ટેમ્બર 1954) : તમિળ લેખક. આધુનિક તમિળ સાહિત્યના અગ્રગણ્ય કવિ. વતન તેરુરમાં પ્રાથમિક શિક્ષણ ને કોટ્ટારુમાં માધ્યમિક શિક્ષણ લીધું. તે પછી તિરુવનંતપુરમમાં તમિળ અને સંસ્કૃતના વિદ્વાન પંડિત શાંતલિંગ તંપિરાન પાસે પ્રાચીન તમિળ ગ્રંથો તથા સંસ્કૃતનું અધ્યયન કર્યું. તિરુવનંતપુરમમાં પહેલાં શાળાશિક્ષક…

વધુ વાંચો >

નરિણૈ

નરિણૈ (રચનાકાળ : ઈ. સ. પૂ. બીજી સદીથી ઈ. સ. બીજી સદી સુધી) : આ તમિળ સંઘકાલીન અષ્ટપદ્યસંગ્રહો(એટ્ટુતોગૈ)માં બધા કરતાં પ્રાચીન તથા મુખ્ય ગ્રંથ છે. એમાં નવ પંક્તિઓથી માંડીને બાર પંક્તિઓનાં પદો છે. એમાં 187 કવિઓની રચનાઓ સંગૃહીત છે. એમાં આંતરિક જીવનનું વર્ણન હોવાથી એની ગણના ‘અહમ્’ કાવ્યોમાં કરવામાં આવી…

વધુ વાંચો >