દુહુ : પ્રાચીન તમિળ છંદ. એમાં 2, 4 અને 12 માત્રાની દોઢ પંક્તિઓ હોય છે. ઈસવી સનની બીજી કે ત્રીજી સદીમાં તિરુવલ્લુવરે રચેલો ગ્રંથ તિરુક્કુરળ એ છંદમાં રચાયો છે. એ છંદનું અન્ય નામ વેણ્વા છે. તિરુક્કુરળમાંએ છંદના 1330 દુહુ છે. તિરુતક્કદૈવરનું મહાકાવ્ય ’જિવગ ચિંતામણિ’ પણ આ છંદમાં રચાયું છે. આદિકાળ પછીના મધ્યકાળમાં એ છંદનો પ્રયોગ થયેલો જણાતો નથી.

ચન્દ્રકાન્ત મહેતા