તમિળ સાહિત્ય

નારણ, દુરૈક્કણ્ણન

નારણ, દુરૈક્કણ્ણન (જ. 1906, મયિલાનુર, ચેન્નાઈ; અ. 1990) : તમિળ લેખક. તખલ્લુસ ‘જીવા’. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચેન્નાઈમાં. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે ઉચ્ચ શિક્ષણ લઈ શક્યા નહિ અને મૅટ્રિક થઈને છાપખાનામાં પ્રૂફરીડર તરીકેનું કામ લીધું. પછી ધીમે ધીમે લેખન કરવા માંડ્યું. ઉત્તરોત્તર ‘આનંદબોધિની’, ‘પ્રચંડ વિકટન’ જેવી પત્રિકાઓ એમના…

વધુ વાંચો >

પણિક્કર, શંકર

પણિક્કર, શંકર (આશરે ચૌદમી સદીનો ઉત્તરાર્ધ અને પંદરમી સદીનો પૂર્વાર્ધ) : તમિળ કવિ. જે કણ્ણશ કૃતિઓ આજે ઉપલબ્ધ છે, તેમાં શંકર પણિક્કરનું કર્તૃત્વ નોંધપાત્ર છે. તેમની જન્મભૂમિ તિરુવલ્લા તાલુકાનો નિરણમ્ નામનો પ્રદેશ હતો. ‘મણિપ્રવાલમ્’ શૈલી તેમણે અપનાવી હતી. કણ્ણશ કૃતિઓમાં તેમની ‘ભારતમાલા’ મહત્ત્વની કૃતિ છે. તે કેવળ અનુવાદ નથી બલકે…

વધુ વાંચો >

પદ્માવતી

પદ્માવતી : તમિળના શરૂઆતના નવલકથાકાર તરીકે સુપ્રસિદ્ધ ડૉ. માધવૈયા(1874-1926)ની જાણીતી સામાજિક નવલકથા. આ કૃતિ ‘પદ્માવતી ચરિતિરમ્’ તરીકે પણ ઓળખાય છે. એમાં તમિળનાડુની તત્કાલીન સામાજિક પરિસ્થિતિનું તથા તે વખતે વ્યાપ્ત ક્રાન્તિની લહરનું  અસરકારક નિરૂપણ છે. એમાં નાગમૈયર, એની પત્ની શાલા, ભાઈ ગોપાલન, પદ્માવતી, સાવિત્રી, સીદૈ અમ્માળ, કલ્યાણી ઇત્યાદિ પુરુષ  તથા નારી…

વધુ વાંચો >

પરિપાડલ

પરિપાડલ (ઈ. સ. પૂ. ત્રીજી સદીથી બીજી સદી) : સમૂહગત રીતે રચાયેલી 8 પૈકીની એક તમિળ કૃતિ. જુદા જુદા કવિઓએ રચેલાં 70 પરિપાડલ પદોના સંકલનમાંથી ફક્ત 24 પદો અત્યારે ઉપલબ્ધ છે. એ પદો 25થી માંડીને 400  પંક્તિઓ સુધીનાં છે. આ પદોમાં વિષ્ણુ અને કાર્તિકેયની સ્તુતિ છે. કેટલાંક પદોમાં દેનૈ નદીનું…

વધુ વાંચો >

પળ્ળૂ

પળ્ળૂ : તમિળ નાટકનું પ્રાચીન સ્વરૂપ. વિદ્વાનોના મત પ્રમાણે ‘પન્નિરુ પાટ્ટિયલ’ નામના વ્યાકરણગ્રંથમાં જેનો ઉલ્લેખ છે તે ઉળત્તિપાટુ (કૃષિગીત) સમય જતાં પળ્ળૂ કહેવાયું. એમાં વિશેષત: ખેડૂતોના સામાજિક જીવનનું ચિત્રણ થયેલું હોય છે. એમાંની કથાની રૂપરેખા આવી હોય છે : ખેડૂત સ્ત્રીઓમાં અંદરઅંદર વિખવાદ અને ઉગ્ર બોલાચાલી થાય, જમીનદાર પાસે જઈને…

વધુ વાંચો >

પાર્થસારથિ એન.

પાર્થસારથિ, એન. (જ. 18 ડિસેમ્બર, 1932, નિધિકુડ્ડી, જિ. રામનાથપુરમ્; 13 ડિસેમ્બર, અ. 1988) : તમિળ લેખક. ‘મણિવાનન’, ‘પોનમુડી’, ‘વાલવન’, ‘કોડાલલાકન’ અને ‘હેમુ પૂવનન’ તખલ્લુસથી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને પત્રકારત્વવિષયક સાહિત્ય રચ્યું હતું. તેઓ થોડો સમય મદુરાઈ નજીક પાસુમાલાઇની શાળામાં શિક્ષક હતા. તેમની નવલકથા તથા વાર્તાઓની પશ્ર્ચાદ્ભૂ ત્યાંના સામાજિક વાતાવરણે પૂરી…

વધુ વાંચો >

પાંચાલીશપથમ્ (1912)

પાંચાલીશપથમ્ (1912) : તમિળ કૃતિ. વ્યાસના મહાભારતને આધારે દ્રૌપદીની પ્રતિજ્ઞાનો પ્રસંગ તમિળના વિખ્યાત કવિ ભારતીએ વર્ણવેલો છે. કવિએ એમાં સમકાલીન રંગ પૂર્યા છે અને અત્યંત સરળ ભાષાનો પ્રયોગ કરીને કૃતિને લોકભોગ્ય બનાવી છે. એનો પહેલો ભાગ 1912માં પ્રગટ થયો અને અત્યંત લોકપ્રિય થયો. બીજો ભાગ એમના મૃત્યુ પછી પ્રગટ થયો.…

વધુ વાંચો >

પિરાતપ મુદલિયારચરિતમ્ (1879)

પિરાતપ મુદલિયારચરિતમ્ (1879) : પ્રથમ તમિળ નવલકથા. તેના લેખક એસ. વેદનાયકમ્ પિલ્લાઈ (1826-1889) નામાંકિત ગદ્યલેખક ઉપરાંત નવલકથાકાર, કવિ તથા સક્રિય સમાજસુધારક હતા. આ કૃતિમાં કથાનાયક પિરાતપ મુદલિયારનાં પરાક્રમોનું આલેખન થયેલું છે. તેમની આ કૃતિ તમિળ સાહિત્યમાં એક સીમાચિહન લેખાય છે. વેદનાયકમ્ પિલ્લાઈએ પહેલી વાર નવલકથા જેવા પાશ્ચાત્ય સાહિત્યસ્વરૂપને તમિળમાં ઉતાર્યું.…

વધુ વાંચો >

પિળ્ળૈ તમિળ

પિળ્ળૈ, તમિળ : તમિળનો એક કાવ્યપ્રકાર. એમાં બાળકના જન્મ પછી ત્રીજા મહિનાથી એકવીસમા મહિના સુધીની વિવિધ ક્રીડાનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હોય છે; જેમ કે, કપ્પુ પ્રકારમાં બાળકના શિક્ષણ માટે ઈશ્વરપ્રાર્થના; ‘ચેકિરૈ’માં બાળક ભાખોડિયાં ભરે તેનું વર્ણન; તાલારટ્ટુમાં હાલરડાં; ચપ્પાણી-કોટ્ટુદલમાં બાળક તાળી પાડે છે તેનું વર્ણન; મુત્તપ્પરુરવમાં બાળકને મા અને…

વધુ વાંચો >

પુદુમૈપિત્તન

પુદુમૈપિત્તન (જ. 25 એપ્રિલ 1906, તિરૂનેલવેલી; અ. 5 મે 1948, તિરુવનંતપુરમ્) : તમિળ ટૂંકી વાર્તાના જાણીતા લેખક. સમાજનાં મોટા ભાગનાં વલણો પરત્વે તેમનો અભિગમ ક્રાંતિકારી હતો. બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે ‘દિનમણિ’ (1935થી 1941) તથા ‘દિનસારી’ (1942થી 1946)-એ બે દૈનિકોમાં સહાયક તંત્રી તરીકે કામગીરી બજાવી હતી. તેમણે કાવ્યો, સાહિત્યિક વિવેચન,…

વધુ વાંચો >