૯.૧૦
દવે જુગતરામથી દહીંવાલા ગની
દવે, જુગતરામ
દવે, જુગતરામ (જ. 1 સપ્ટેમ્બર 1892, વઢવાણ; અ. 14 માર્ચ 1985, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની. સૌરાષ્ટ્રના ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ની ભૂમિમાં મૂળ વીરમગામથી લખતર જઈને વસેલા એક સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ. પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ ડાહીબહેન. જુગતરામભાઈના પિતા ઝાલાવાડથી મુંબઈ નોકરી માટે ગયેલા, ત્યાં પ્લેગનો રોગ ફાટી…
વધુ વાંચો >દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર
દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર (જ. 21 ઑક્ટોબર 1901, સૂરત; અ. 11 સપ્ટેમ્બર 1980) : ગુજરાતના અદ્વિતીય હાસ્યકાર તથા સંસ્કૃત સાહિત્યના અને રસશાસ્ત્રના પ્રખર વિદ્વાન. એમનું પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચશિક્ષણ સૂરતમાં થયું. 1919માં મૅટ્ર્રિકની પરીક્ષા પસાર કર્યા પછી કૉલેજમાં સંસ્કૃત તથા ગુજરાતી વિષયો સાથે તેઓ 1923ની સાલમાં બી.એ. અને તે જ વિષયો…
વધુ વાંચો >દવે, નાથાલાલ ભાણજી
દવે, નાથાલાલ ભાણજી (જ. 3 જૂન 1912, ભુવા, જિ. ભાવનગર; અ. 25 ડિસેમ્બર 1993, ભાવનગર) : અગ્રણી ગુજરાતી કવિ. ઉપનામ : સાદુળ ભગત, અધીરો ભગત. પિતા : ભાણજી કાનજી દવે. માતા : કસ્તૂરબા. પત્ની નર્મદાબહેન. પ્રાથમિક શિક્ષણ ભુવામાં, માધ્યમિક શિક્ષણ કુંડલા ખાતે અને ઉચ્ચ શિક્ષણ ભાવનગર (બી.એ. 1934, મુખ્ય અંગ્રેજી)…
વધુ વાંચો >દવે, પ્રશાંત (સાંઈરામ)
દવે, પ્રશાંત (સાંઈરામ) (જ. 7 ફેબ્રુઆરી 1977, જામનગર) : ગુજરાતી લોકસંગીત અને લોકસાહિત્યના ક્ષેત્રે જાણીતા બનેલા કલાકાર અને રાષ્ટ્રભક્ત કવિ. સંગીત અને શિક્ષણનો વારસો પિતા પાસેથી મળ્યો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવા માગતા આ કલાકારે વર્ષ 1997માં લોકકલાક્ષેત્રે પદાર્પણ કર્યું અને 31 વર્ષની ઉંમરે 31 જેટલા વિષયો પર હાસ્ય અને લોકસાહિત્યના ઑડિયો-વીડિયો…
વધુ વાંચો >દવે, બાલમુકુંદ મણિશંકર
દવે, બાલમુકુંદ મણિશંકર (જ. 7 માર્ચ 1916, મસ્તપુરા, જિ. વડોદરા; અ. 28 ફેબ્રુઆરી 1993, અમદાવાદ) : ગુજરાતી કવિ. વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં મૅટ્રિક્યુલેશનનો અભ્યાસ પૂરો કરી અમદાવાદના સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાયા (1938). તે પછી નવજીવન કાર્યાલયમાં 30 વર્ષ સુધી સેવા આપી. ‘લોકજીવન’નું સંપાદન કર્યું. કવિતા માટે તેમને ‘કુમાર’ ચંદ્રક (1949)…
વધુ વાંચો >દવે, ભરત બાલકૃષ્ણ
દવે, ભરત બાલકૃષ્ણ (જ. 16 ઑગસ્ટ 1948, અમદાવાદ) : નાટ્ય દિગ્દર્શક અને ટીવી નિર્માતા. ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે એમ.એ. (1971) તથા એલએલ.બી.(1972)ની પદવી મેળવી. મુંબઈના નાટ્યસંઘમાં નાટ્યવિદ્યાનો એક વર્ષનો ડિપ્લોમા અભ્યાસ (1973) કર્યા પછી દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં દિગ્દર્શનનો ત્રણ વર્ષનો ડિપ્લોમા અભ્યાસ કર્યો (1976). 1977માં અમદાવાદમાં ‘ઇન્ડિયન સ્પેસ…
વધુ વાંચો >દવે, મકરંદ વજેશંકર
દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની…
વધુ વાંચો >દવે, મોહનલાલ ગોપાળજી
દવે, મોહનલાલ ગોપાળજી : હિંદી અને ગુજરાતી ચલચિત્રોના નોંધપાત્ર પટકથાલેખક. પડદા પર જેમનું નામ દર્શાવાયું હોય તેવા તે પહેલા પટકથાલેખક થયા. અન્ય કલાકારો કે ટૅકનિશિયનોમાંથી કોઈનું નામ પ્રદર્શિત નહિ કરનાર કોહિનૂર ફિલ્મ કંપની(1918)એ તેના પ્રથમ નિર્માણ ‘ભક્ત વિદુર’(1921)ની પ્રચાર-પત્રિકામાં પણ ‘‘કથાનક : મોહનલાલ ગો. દવે’’ એવું છાપ્યું. મોહનભાઈએ હિસાબનીસ તરીકે…
વધુ વાંચો >દવે, મોહનલાલ પાર્વતીશંકર
દવે, મોહનલાલ પાર્વતીશંકર (જ. 20 એપ્રિલ 1883, સૂરત; અ. 2 ફેબ્રુઆરી 1974, સૂરત) : ગુજરાતી વિવેચક અને નિબંધકાર. જ્ઞાતિએ વડનગરા નાગર. પિતા સારા હોદ્દાની નોકરી પર હોવાથી કુટુંબ આર્થિક ર્દષ્ટિએ સુખી. માતુશ્રી ઇંદિરાગૌરી દિનમણિશંકર શાસ્ત્રીનાં પુત્રી થતાં. રા. બ. કમળાશંકર ત્રિવેદીનાં પુત્રી દમનગૌરી સાથે તેમનાં લગ્ન થયેલાં. કેટલોક સમય અમદાવાદની…
વધુ વાંચો >દવે, રણછોડભાઈ ઉદયરામ
દવે, રણછોડભાઈ ઉદયરામ (જ. 9 ઑગસ્ટ 1837, મહુધા, જિ. ખેડા; અ. 9 એપ્રિલ 1923) : ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા ગણાતા નાટ્યકાર. એમનું મૂળ વતન મહુધા. પ્રાથમિક શિક્ષણ વતનમાં. અંગ્રેજી શિક્ષણ માટે 1852માં નડિયાદ ગયા. 1857માં અમદાવાદ આવી કાયદાના વર્ગમાં જોડાયા. શરૂઆતમાં સરકારી ખાતામાં નોકરી. 1863માં મુંબઈમાં મેસર્સ લૉરેન્સ કંપનીમાં…
વધુ વાંચો >દશ-દ્વાર
દશ-દ્વાર : મનુષ્ય શરીરનાં દશ છિદ્રો. મુખનું એક છિદ્ર, નાસિકાનાં બે છિદ્રો, બે આંખો, બે કાન, એક પાયુ(ગુદા)નું છિદ્ર, એક ઉપસ્થનું છિદ્ર અને એક મસ્તક પરની મધ્યનું બ્રહ્મરંધ્ર. આ દશ દ્વારોને ‘પિંડસ્થદ્વાર’ કહેવામાં આવે છે. સંત સાહિત્યમાં જ્યાં એક મહેલને દસ દરવાજાનો ઉલ્લેખ કરે છે તેનું તાત્પર્ય પણ આ શરીરના…
વધુ વાંચો >દશમ ગ્રંથ
દશમ ગ્રંથ : શીખોના દસમા ગુરુ, શ્રી ગુરુ ગોવિંદસિંહજીની પ્રસિદ્ધ કાવ્યરચનાઓનો ગ્રંથ, જેના કેટલાક ભાગમાં ગુરુજીના દરબારી કવિઓની રચનાઓ પણ છે. ગુરુજીની પોતાની જે રચનાઓ છે, તેના ઉપર ‘શ્રી મુખ્યવાક્ પાતશાહી 10મીં’ લખેલ છે. અવતારો અને દેવીઓના વિષયની રચનાઓ, યુદ્ધવિષયક કાવ્યરચનાઓ તથા ‘સ્ત્રીચરિત્ર’વાળા ભાગો દરબારી કવિઓના છે. આ ગ્રંથ ગુરુમુખી…
વધુ વાંચો >દશમ સ્કંધ
દશમ સ્કંધ : શ્રીમદભાગવતના દશમ સ્કંધ પરથી મધ્યકાલીન ગુજરાતીમાં રચાયેલ કાવ્યગ્રંથ. મધ્યકાળના ગુજરાતી સાહિત્ય ઉપર શ્રીમદભાગવતની અસર પ્રબળ રૂપે જોવા મળે છે. એમાંયે તેના દશમ સ્કંધની તો કવિઓને લગની જ લાગેલી હોય એમ જણાય છે. કૃષ્ણની બાળલીલા, જસોદાનાં હાલરડાં, દાણ અને રાસલીલા, રાધા–કૃષ્ણનાં રૂસણાં અને મનામણાં વગેરેનું કાવ્યોમાં જે નિરૂપણ…
વધુ વાંચો >દશમૂલ ક્વાથ
દશમૂલ ક્વાથ : આયુર્વેદિક ઔષધ. શાલિપર્ણી, પૃશ્નિપર્ણી, ઊભી ભોરીંગણી, બેઠી ભોરીંગણી, ગોખરુ, બીલી, અરણિ, શ્યોનાક, કાળીપાટ તથા ગંભારી એ દશ ઔષધિઓનાં મૂળ પાણીથી ધોઈ સાફ કરી સૂકવી, ખાંડણીદસ્તા વડે ખાંડીને અધકચરો ભૂકો તૈયાર કરવામાં આવે છે. આ ભૂકામાંથી 25 ગ્રામ જેટલો ભૂકો લઈ તેમાં 16 ગણું પાણી નાખી ઉકાળવામાં આવે…
વધુ વાંચો >દશરથ રાજા
દશરથ રાજા : પ્રાચીન ભારતના પ્રતાપી સૂર્યવંશી રાજા. સૂર્યથી ઉત્પન્ન થયેલા વૈવસ્વત મનુના પુત્ર ઇક્ષ્વાકુના નામ પરથી ‘ઇક્ષ્વાકુ વંશ’ પ્રચલિત થયો. તે પ્રથમ એવો સૂર્યવંશી રાજા હતો, જેણે અયોધ્યામાં શાસન કર્યું. આ ઇક્ષ્વાકુના કુળમાં દિલીપ રાજા પછી રઘુ નામે પ્રતાપી રાજા થયો અને તે વંશ રઘુવંશ તરીકે ઓળખાવા લાગ્યો. રઘુનો…
વધુ વાંચો >દશરૂપક
દશરૂપક : દશમી સદીના અંતભાગમાં ધનંજયે રચેલો રૂપકના 10 પ્રકારની ચર્ચા કરતો સંસ્કૃત ગ્રંથ. રાજા મુંજ(974થી 995)ના દરબારમાં આદર પામેલા લેખક ધનંજયે 300 જેટલી કારિકાઓ રચેલી છે, જ્યારે તેના ભાઈ ધનિકે તેના પર ઘણાં ઉદાહરણો આપી વૃત્તિ રચેલી છે. ભરતમુનિના નાટ્યશાસ્ત્રના 20મા અધ્યાયનું નામ દશરૂપવિધાન કે દશરૂપવિકલ્પન એવું છે તેના…
વધુ વાંચો >દશશ્લોકી
દશશ્લોકી : શંકરાચાર્યે ભુજંગપ્રયાત છંદમાં રચેલા દશ સંસ્કૃત શ્લોકોનો સમૂહ. અંતિમ શ્લોક સિવાય તમામ શ્લોકોનું અંતિમ ચરણ સમાન છે. ‘तदेकोडवशिष्ट: शिव: केवलोडहम्’ આ અંતિમ ચરણમાં ‘હું તેમાં એક જ બાકી રહેલો કેવળ શિવ છું’ એમ કહેવામાં આવ્યું છે. આગલાં ત્રણ ચરણોમાં ‘હું જુદી જુદી વસ્તુઓ નથી’ એવું વિધાન કરવામાં આવ્યું…
વધુ વાંચો >દશાપદ્ધતિ
દશાપદ્ધતિ : જ્યોતિષશાસ્ત્ર અનુસાર જાતક એટલે જન્મેલા માણસને જીવનનાં ચોક્કસ વર્ષોમાં ચોક્કસ ગ્રહની અસરોથી સારું કે ખરાબ ફળ મળે તેની ગણતરી માટેની રીત. હજારો વર્ષો પૂર્વેથી ભારતમાં ખગોળવિજ્ઞાનનો વિકાસ અને અધ્યયન થતાં આવ્યાં છે. તેના પાયાના સિદ્ધાંતોને જ્યોતિષશાસ્ત્ર અનુસરે છે. તે મુજબ ગ્રહો, નક્ષત્રો અને એની કક્ષા, પરિભ્રમણના અંશો વગેરેની…
વધુ વાંચો >દશાર્ણ દેશ
દશાર્ણ દેશ : પ્રાચીન સોળ મોટાં જનપદો પૈકીનું એક જનપદ. કાલિદાસે મેઘદૂત(શ્લો. 24)માં આનું વર્ણન કર્યું છે. અગ્નિમિત્રના સમય સુધી વિદિશા દશાર્ણ દેશની રાજધાની હતી. મહાભારતમાં દશાર્ણ નામના બે પ્રદેશ કહ્યા છે – નકુલે વિજયયાત્રામાં જીત્યો તે પશ્ચિમ વિભાગ. તેમાં ભોપાલ રાજ્ય સહિત પૂર્વ માળવાનો સમાવેશ થાય છે. પૂર્વ દશાર્ણ…
વધુ વાંચો >દશાવતારી નાટક
દશાવતારી નાટક : મહારાષ્ટ્રના પારંપરિક નાટ્યસાહિત્યનો પ્રકાર. તેને દશાવતારી ખેળે કહે છે. આ પ્રકારનાં નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં લોકપ્રિય છે. નવો પાક ઊતર્યા પછી હોળી સુધી વિવિધ ગામોમાં યોજાતી મંદિરોની યાત્રામાં દશાવતારી નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં ભજવાતાં. આ પ્રકારનાં નાટકોમાં વિષ્ણુના દશ અવતારોની રજૂઆત થાય છે અને એ…
વધુ વાંચો >