૯.૧૦

દવે જુગતરામથી દહીંવાલા ગની

દવે, જુગતરામ

દવે, જુગતરામ (જ. 1 સપ્ટેમ્બર 1892, વઢવાણ; અ. 14 માર્ચ 1985, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની. સૌરાષ્ટ્રના ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ની ભૂમિમાં મૂળ વીરમગામથી લખતર જઈને વસેલા એક સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ. પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ ડાહીબહેન. જુગતરામભાઈના પિતા ઝાલાવાડથી મુંબઈ નોકરી માટે ગયેલા, ત્યાં પ્લેગનો રોગ ફાટી…

વધુ વાંચો >

દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર

દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર (જ. 21 ઑક્ટોબર 1901, સૂરત; અ. 11 સપ્ટેમ્બર 1980) : ગુજરાતના અદ્વિતીય હાસ્યકાર તથા સંસ્કૃત સાહિત્યના અને રસશાસ્ત્રના પ્રખર વિદ્વાન. એમનું પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચશિક્ષણ સૂરતમાં થયું. 1919માં મૅટ્ર્રિકની પરીક્ષા પસાર કર્યા પછી કૉલેજમાં સંસ્કૃત તથા ગુજરાતી વિષયો સાથે તેઓ 1923ની સાલમાં બી.એ. અને તે જ વિષયો…

વધુ વાંચો >

દવે, નાથાલાલ ભાણજી

દવે, નાથાલાલ ભાણજી (જ. 3 જૂન 1912, ભુવા, જિ. ભાવનગર; અ. 25 ડિસેમ્બર 1993, ભાવનગર) : અગ્રણી ગુજરાતી કવિ. ઉપનામ : સાદુળ ભગત, અધીરો ભગત. પિતા : ભાણજી કાનજી દવે. માતા : કસ્તૂરબા. પત્ની નર્મદાબહેન. પ્રાથમિક શિક્ષણ ભુવામાં, માધ્યમિક શિક્ષણ કુંડલા ખાતે અને ઉચ્ચ શિક્ષણ ભાવનગર (બી.એ. 1934, મુખ્ય અંગ્રેજી)…

વધુ વાંચો >

દવે, પ્રશાંત (સાંઈરામ)

દવે, પ્રશાંત (સાંઈરામ) (જ. 7 ફેબ્રુઆરી 1977, જામનગર) : ગુજરાતી લોકસંગીત અને લોકસાહિત્યના ક્ષેત્રે જાણીતા બનેલા કલાકાર અને રાષ્ટ્રભક્ત કવિ. સંગીત અને શિક્ષણનો વારસો પિતા પાસેથી મળ્યો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવા માગતા આ કલાકારે વર્ષ 1997માં લોકકલાક્ષેત્રે પદાર્પણ કર્યું અને 31 વર્ષની ઉંમરે 31 જેટલા વિષયો પર હાસ્ય અને લોકસાહિત્યના ઑડિયો-વીડિયો…

વધુ વાંચો >

દવે, બાલમુકુંદ મણિશંકર

દવે, બાલમુકુંદ મણિશંકર (જ. 7 માર્ચ 1916, મસ્તપુરા, જિ. વડોદરા; અ. 28 ફેબ્રુઆરી 1993, અમદાવાદ) : ગુજરાતી કવિ. વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં મૅટ્રિક્યુલેશનનો અભ્યાસ પૂરો કરી અમદાવાદના સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાયા (1938). તે પછી નવજીવન કાર્યાલયમાં 30 વર્ષ સુધી સેવા આપી. ‘લોકજીવન’નું સંપાદન કર્યું. કવિતા માટે તેમને ‘કુમાર’ ચંદ્રક (1949)…

વધુ વાંચો >

દવે, ભરત બાલકૃષ્ણ

દવે, ભરત બાલકૃષ્ણ (જ. 16 ઑગસ્ટ 1948, અમદાવાદ) : નાટ્ય દિગ્દર્શક અને ટીવી નિર્માતા. ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે એમ.એ. (1971) તથા એલએલ.બી.(1972)ની પદવી મેળવી. મુંબઈના નાટ્યસંઘમાં નાટ્યવિદ્યાનો એક વર્ષનો ડિપ્લોમા અભ્યાસ (1973) કર્યા પછી દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં દિગ્દર્શનનો ત્રણ વર્ષનો ડિપ્લોમા અભ્યાસ કર્યો (1976). 1977માં અમદાવાદમાં ‘ઇન્ડિયન સ્પેસ…

વધુ વાંચો >

દવે, મકરંદ વજેશંકર

દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની…

વધુ વાંચો >

દવે, મોહનલાલ ગોપાળજી

દવે, મોહનલાલ ગોપાળજી : હિંદી અને ગુજરાતી ચલચિત્રોના નોંધપાત્ર પટકથાલેખક. પડદા પર જેમનું નામ દર્શાવાયું હોય તેવા તે પહેલા પટકથાલેખક થયા. અન્ય કલાકારો કે ટૅકનિશિયનોમાંથી કોઈનું  નામ પ્રદર્શિત નહિ કરનાર કોહિનૂર ફિલ્મ કંપની(1918)એ તેના પ્રથમ નિર્માણ ‘ભક્ત વિદુર’(1921)ની પ્રચાર-પત્રિકામાં પણ ‘‘કથાનક : મોહનલાલ ગો. દવે’’ એવું છાપ્યું. મોહનભાઈએ હિસાબનીસ તરીકે…

વધુ વાંચો >

દવે, મોહનલાલ પાર્વતીશંકર

દવે, મોહનલાલ પાર્વતીશંકર (જ. 20 એપ્રિલ 1883, સૂરત; અ. 2 ફેબ્રુઆરી 1974, સૂરત) : ગુજરાતી વિવેચક અને નિબંધકાર. જ્ઞાતિએ વડનગરા નાગર. પિતા સારા હોદ્દાની નોકરી પર હોવાથી કુટુંબ આર્થિક ર્દષ્ટિએ સુખી. માતુશ્રી ઇંદિરાગૌરી દિનમણિશંકર શાસ્ત્રીનાં પુત્રી થતાં. રા. બ. કમળાશંકર ત્રિવેદીનાં પુત્રી દમનગૌરી સાથે તેમનાં લગ્ન થયેલાં. કેટલોક સમય અમદાવાદની…

વધુ વાંચો >

દવે, રણછોડભાઈ ઉદયરામ

દવે, રણછોડભાઈ ઉદયરામ (જ. 9 ઑગસ્ટ 1837, મહુધા, જિ. ખેડા; અ. 9 એપ્રિલ 1923) : ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા ગણાતા નાટ્યકાર. એમનું મૂળ વતન મહુધા. પ્રાથમિક શિક્ષણ વતનમાં. અંગ્રેજી શિક્ષણ માટે 1852માં નડિયાદ ગયા. 1857માં અમદાવાદ આવી કાયદાના વર્ગમાં જોડાયા. શરૂઆતમાં સરકારી ખાતામાં નોકરી. 1863માં મુંબઈમાં મેસર્સ લૉરેન્સ કંપનીમાં…

વધુ વાંચો >

દવે, રવીન્દ્ર

Mar 10, 1997

દવે, રવીન્દ્ર (જ. 16 એપ્રિલ 1919, કરાંચી; અ. 21 જુલાઈ 1992, મુંબઈ) : ગુજરાતી અને હિંદી ચલચિત્રોના પટકથાલેખક તથા દિગ્દર્શક. દલસુખ પંચોલીના વિશાળ ચિત્રસંકુલમાં છબીઘરના સંચાલક તરીકે જોડાયા. શૌકતહુસેન પાસે ચિત્રસંકલન શીખ્યા. 1941 સુધી પટકથાલેખન કર્યું. પ્રારંભે પંચોલીએ તેમનાં ચિત્રો ઉતાર્યાં. પચાસના દસકાનાં ચિત્રો પોલીસ ફાઈલનાં કથાનકો જેવાં હતાં; દા.…

વધુ વાંચો >

દવે, રવીન્દ્રભાઈ હરગોવિંદદાસ

Mar 10, 1997

દવે, રવીન્દ્રભાઈ હરગોવિંદદાસ (જ. 6 જાન્યુઆરી 1929, વીરમગામ) : વિશ્વમાન્ય શિક્ષણવિદ અને શિક્ષણજગતના ઘણા ઉચ્ચ હોદ્દાઓ ભોગવી ચૂકેલા સન્નિષ્ઠ કેળવણીકાર. વતન ગામ પીંપળ, જિ. પાટણ. માતા મંગળાબહેન, પિતા હરગોવિંદદાસ. 1954માં વિમળાબહેન સાથે લગ્ન થયાં. પ્રાથમિક માધ્યમિક, સ્નાતક (બી.એસસી. ઑનર્સ) તથા એમ. એડ. સુધીનું શિક્ષણ અમદાવાદમાં લીધું. પ્રોફેસર બૅન્જામિન બ્લૂમની રાહબરી…

વધુ વાંચો >

દવે, વજુભાઈ જટાશંકર

Mar 10, 1997

દવે, વજુભાઈ જટાશંકર (જ. 12 મે 1899, વઢવાણ; અ. 30 માર્ચ 1972, અમદાવાદ) : કેળવણીકાર. વજુભાઈના પિતાનું નામ જટાશંકર. માતા ચંચળબા. પિતાનું એમના જન્મવર્ષમાં જ મૃત્યુ. એમનો ઉછેર એમના નાના કાળિદાસને ત્યાં થયો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણમાં થયું. 1914માં લગ્ન થયું અને 1916માં હળવદની શાળામાં શિક્ષક બન્યા. ચાર વર્ષ બાદ વઢવાણની…

વધુ વાંચો >

દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી)

Mar 10, 1997

દવે, વિષ્ણુપ્રસાદ (પ્રસાદજી) (જ. 3 નવેમ્બર 1952, ઉપલેટા, જિલ્લો રાજકોટ) : પ્રાચીન સંતવાણીના જાણીતા ભજનિક. મૂળ વતન જેતપુર તાલુકાનું અમરનગર ગામ. શિક્ષણ એમ.એ., બીએડ્. સુધીનું. વ્યવસાયે શિક્ષક. વર્ષ 1972માં આકાશવાણી, રાજકોટ દ્વારા પ્રાચીન ભજનિક તરીકે માન્યતા મળી. અત્યાર સુધીની 35 વર્ષની ભજનયાત્રામાં અમદાવાદ, રાજકોટ અને ભુજના આકાશવાણી કેન્દ્ર પરથી તેમના…

વધુ વાંચો >

દવે, શાંતિ સોમનાથ

Mar 10, 1997

દવે, શાંતિ સોમનાથ (જ. 25 સપ્ટેમ્બર 1931, બાદપુરા, ઉત્તર ગુજરાત) : આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર ગુજરાતના ચિત્રકાર. મૅટ્રિક થતાં અગાઉ જાહેરાતનાં પાટિયાં તથા બૅનરનાં ચિત્રકામ વડે કારકિર્દીનો પ્રારંભ કર્યો. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાંથી ચિત્રકળાનો અનુસ્નાતક ડિપ્લોમા (1956) મેળવ્યો. એ જ સંસ્થામાં અધ્યાપક તરીકે જોડાયા. 1957માં ભારત…

વધુ વાંચો >

દવે, સુરેશચંદ્ર જમિયતરામ

Mar 10, 1997

દવે, સુરેશચંદ્ર જમિયતરામ (જ. 31 ઑગસ્ટ 1933, ઉમરેઠ, જિ. આણંદ) : સંસ્કૃત સાહિત્યના વિદ્વાન પ્રાધ્યાપક. સંસ્કૃતનું પ્રાથમિક શિક્ષણ પિતામહ પં. જેશંકર મૂળજીભાઈ દવે (ઋગ્વેદી) પાસેથી મળ્યું. 1954માં બી.એ. સંસ્કૃત સાથે પ્રથમ શ્રેણીમાં યુનિવર્સિટીમાં અને 1956માં એમ.એ. 63.5 % સાથે દ્વિતીય શ્રેણીમાં ઉત્તીર્ણ થયા. તે પછી સાહિત્યાચાર્ય અને શિક્ષાશાસ્ત્રી થયા. સાહિત્યશાસ્ત્ર,…

વધુ વાંચો >

દવે, સોમનાથ પ્રભાશંકર

Mar 10, 1997

દવે, સોમનાથ પ્રભાશંકર (જ. 18 ઑક્ટોબર 1906, રાણપુર; અ. 5 જાન્યુઆરી 1959, મુંબઈ) : ગુજરાતના મજૂર સંગઠન મજૂર મહાજનના ગાંધીવાદી કાર્યકર. વિ. સં. 1963ના બેસતા વર્ષના દિવસે નબળા દેહ સાથે જન્મ. સૌની ચિંતા દૂર કરતાં મોટાબાપા નારણજીએ તેમના વિશે ઊજળી ભવિષ્યવાણી ભાખેલી. તેમનું બાળપણ વિકટ સંજોગોમાં પસાર થયું. માતા મરકીનો…

વધુ વાંચો >

દવે, હરીન્દ્ર જયંતીલાલ

Mar 10, 1997

દવે, હરીન્દ્ર જયંતીલાલ (જ. 19 સપ્ટેમ્બર 1930, ખંભરા, કચ્છ; અ. 29 માર્ચ 1995, મુંબઈ) : ગુજરાતના અગ્રણી કવિ અને નવલકથાકાર. માતા સવિતાબહેન. ભાવનગરથી 1947માં મૅટ્રિક, મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. (1951) અને એમ.એ. (1961). દરમિયાન, 1951થી 1962 ‘જનશક્તિ’ના ઉપતંત્રી. 1962થી 1968 ‘સમર્પણ’ના સંપાદક. 1968થી 1973 યુસિસ(મુંબઈ)માં ગુજરાતી વિભાગના તંત્રી.…

વધુ વાંચો >

દવે, હંસા

Mar 10, 1997

દવે, હંસા (જ. 18 જાન્યુઆરી 1946, અમદાવાદ) : ગુજરાતી સુગમ સંગીતનાં જાણીતાં ગાયિકા. પિતાનું નામ જિતેન્દ્રલાલ અને માતાનું નામ યમુનાબહેન. શૈશવમાં બાળમંદિરની પ્રાર્થનાથી એમની સંગીતયાત્રાનો આરંભ થયો. નાગર-પરિવારમાં ઉછેર હોવાને કારણે સંગીત પ્રત્યે બાળપણથી જ લગાવ ધરાવતાં આ ગાયિકાએ પદ્ધતિસરનો સંગીત-અભ્યાસ મોડો મોડો કર્યો. અમદાવાદની સુગમ સંગીતની જાણીતી સંસ્થા ‘શ્રુતિ’ના…

વધુ વાંચો >

દશકુમારચરિત

Mar 10, 1997

દશકુમારચરિત : સંસ્કૃત કથા. કથા કે આખ્યાયિકાના ચુસ્ત માળખામાં ન બંધાતી, ગદ્યકાર દંડીની આ રચના છે. શાસ્ત્રગ્રંથ ‘કાવ્યાદર્શ’ના રચયિતા દંડીએ, પ્રો. આપ્ટે નિર્દેશે છે તેમ, ઈ. સ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં આ ગ્રંથ રચ્યો હશે. તેમાં માલવ પ્રદેશના રાજવી માનસાર સાથેના યુદ્ધમાં રાજહંસ હારી ગયો. તેની આપન્નસત્વા રાણીને વિંધ્યવનમાં મોકલી દેવાઈ.…

વધુ વાંચો >