૯.૧૦

દવે જુગતરામથી દહીંવાલા ગની

દવે, જુગતરામ

દવે, જુગતરામ (જ. 1 સપ્ટેમ્બર 1892, વઢવાણ; અ. 14 માર્ચ 1985, વેડછી) : ગાંધીવાદી રચનાત્મક કાર્યકર અને સ્વાતંત્ર્યસેનાની. સૌરાષ્ટ્રના ઝાલાવાડ(સુરેન્દ્રનગર જિલ્લો)ની ભૂમિમાં મૂળ વીરમગામથી લખતર જઈને વસેલા એક સંસ્કારી પરિવારમાં તેમનો જન્મ. પિતાનું નામ ચીમનલાલ અને માતાનું નામ ડાહીબહેન. જુગતરામભાઈના પિતા ઝાલાવાડથી મુંબઈ નોકરી માટે ગયેલા, ત્યાં પ્લેગનો રોગ ફાટી…

વધુ વાંચો >

દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર

દવે, જ્યોતીન્દ્ર હરિહરશંકર (જ. 21 ઑક્ટોબર 1901, સૂરત; અ. 11 સપ્ટેમ્બર 1980) : ગુજરાતના અદ્વિતીય હાસ્યકાર તથા સંસ્કૃત સાહિત્યના અને રસશાસ્ત્રના પ્રખર વિદ્વાન. એમનું પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચશિક્ષણ સૂરતમાં થયું. 1919માં મૅટ્ર્રિકની પરીક્ષા પસાર કર્યા પછી કૉલેજમાં સંસ્કૃત તથા ગુજરાતી વિષયો સાથે તેઓ 1923ની સાલમાં બી.એ. અને તે જ વિષયો…

વધુ વાંચો >

દવે, નાથાલાલ ભાણજી

દવે, નાથાલાલ ભાણજી (જ. 3 જૂન 1912, ભુવા, જિ. ભાવનગર; અ. 25 ડિસેમ્બર 1993, ભાવનગર) : અગ્રણી ગુજરાતી કવિ. ઉપનામ : સાદુળ ભગત, અધીરો ભગત. પિતા : ભાણજી કાનજી દવે. માતા : કસ્તૂરબા. પત્ની નર્મદાબહેન. પ્રાથમિક શિક્ષણ ભુવામાં, માધ્યમિક શિક્ષણ કુંડલા ખાતે અને ઉચ્ચ શિક્ષણ ભાવનગર (બી.એ. 1934, મુખ્ય અંગ્રેજી)…

વધુ વાંચો >

દવે, પ્રશાંત (સાંઈરામ)

દવે, પ્રશાંત (સાંઈરામ) (જ. 7 ફેબ્રુઆરી 1977, જામનગર) : ગુજરાતી લોકસંગીત અને લોકસાહિત્યના ક્ષેત્રે જાણીતા બનેલા કલાકાર અને રાષ્ટ્રભક્ત કવિ. સંગીત અને શિક્ષણનો વારસો પિતા પાસેથી મળ્યો. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બનવા માગતા આ કલાકારે વર્ષ 1997માં લોકકલાક્ષેત્રે પદાર્પણ કર્યું અને 31 વર્ષની ઉંમરે 31 જેટલા વિષયો પર હાસ્ય અને લોકસાહિત્યના ઑડિયો-વીડિયો…

વધુ વાંચો >

દવે, બાલમુકુંદ મણિશંકર

દવે, બાલમુકુંદ મણિશંકર (જ. 7 માર્ચ 1916, મસ્તપુરા, જિ. વડોદરા; અ. 28 ફેબ્રુઆરી 1993, અમદાવાદ) : ગુજરાતી કવિ. વડોદરાની શ્રી સયાજી હાઈસ્કૂલમાં મૅટ્રિક્યુલેશનનો અભ્યાસ પૂરો કરી અમદાવાદના સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં જોડાયા (1938). તે પછી નવજીવન કાર્યાલયમાં 30 વર્ષ સુધી સેવા આપી. ‘લોકજીવન’નું સંપાદન કર્યું. કવિતા માટે તેમને ‘કુમાર’ ચંદ્રક (1949)…

વધુ વાંચો >

દવે, ભરત બાલકૃષ્ણ

દવે, ભરત બાલકૃષ્ણ (જ. 16 ઑગસ્ટ 1948, અમદાવાદ) : નાટ્ય દિગ્દર્શક અને ટીવી નિર્માતા. ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે એમ.એ. (1971) તથા એલએલ.બી.(1972)ની પદવી મેળવી. મુંબઈના નાટ્યસંઘમાં નાટ્યવિદ્યાનો એક વર્ષનો ડિપ્લોમા અભ્યાસ (1973) કર્યા પછી દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં દિગ્દર્શનનો ત્રણ વર્ષનો ડિપ્લોમા અભ્યાસ કર્યો (1976). 1977માં અમદાવાદમાં ‘ઇન્ડિયન સ્પેસ…

વધુ વાંચો >

દવે, મકરંદ વજેશંકર

દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની…

વધુ વાંચો >

દવે, મોહનલાલ ગોપાળજી

દવે, મોહનલાલ ગોપાળજી : હિંદી અને ગુજરાતી ચલચિત્રોના નોંધપાત્ર પટકથાલેખક. પડદા પર જેમનું નામ દર્શાવાયું હોય તેવા તે પહેલા પટકથાલેખક થયા. અન્ય કલાકારો કે ટૅકનિશિયનોમાંથી કોઈનું  નામ પ્રદર્શિત નહિ કરનાર કોહિનૂર ફિલ્મ કંપની(1918)એ તેના પ્રથમ નિર્માણ ‘ભક્ત વિદુર’(1921)ની પ્રચાર-પત્રિકામાં પણ ‘‘કથાનક : મોહનલાલ ગો. દવે’’ એવું છાપ્યું. મોહનભાઈએ હિસાબનીસ તરીકે…

વધુ વાંચો >

દવે, મોહનલાલ પાર્વતીશંકર

દવે, મોહનલાલ પાર્વતીશંકર (જ. 20 એપ્રિલ 1883, સૂરત; અ. 2 ફેબ્રુઆરી 1974, સૂરત) : ગુજરાતી વિવેચક અને નિબંધકાર. જ્ઞાતિએ વડનગરા નાગર. પિતા સારા હોદ્દાની નોકરી પર હોવાથી કુટુંબ આર્થિક ર્દષ્ટિએ સુખી. માતુશ્રી ઇંદિરાગૌરી દિનમણિશંકર શાસ્ત્રીનાં પુત્રી થતાં. રા. બ. કમળાશંકર ત્રિવેદીનાં પુત્રી દમનગૌરી સાથે તેમનાં લગ્ન થયેલાં. કેટલોક સમય અમદાવાદની…

વધુ વાંચો >

દવે, રણછોડભાઈ ઉદયરામ

દવે, રણછોડભાઈ ઉદયરામ (જ. 9 ઑગસ્ટ 1837, મહુધા, જિ. ખેડા; અ. 9 એપ્રિલ 1923) : ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા ગણાતા નાટ્યકાર. એમનું મૂળ વતન મહુધા. પ્રાથમિક શિક્ષણ વતનમાં. અંગ્રેજી શિક્ષણ માટે 1852માં નડિયાદ ગયા. 1857માં અમદાવાદ આવી કાયદાના વર્ગમાં જોડાયા. શરૂઆતમાં સરકારી ખાતામાં નોકરી. 1863માં મુંબઈમાં મેસર્સ લૉરેન્સ કંપનીમાં…

વધુ વાંચો >

દહન-ઉષ્મા

Mar 10, 1997

દહન-ઉષ્મા : કોઈ એક દબાણે પદાર્થના એક મોલ જથ્થાનું  વધુપડતા ઑક્સિજનમાં પૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા (સં.,  ΔH). જો આ દહન 25° સે. અને 1 વાતા. દબાણે થાય તો દહન-ઉષ્માને પ્રમાણભૂત દહન-ઉષ્મા કહેવામાં આવે છે અને તેને ΔH°298 એ રીતે દર્શાવવામાં આવે છે. દહનના ફળસ્વરૂપે પદાર્થ જે તત્વોનો બનેલો…

વધુ વાંચો >

દહિયો

Mar 10, 1997

દહિયો : કપાસને Ramularia arila નામની ફૂગથી થતો રોગ. તેને છારિયો પણ કહે છે. ભારતમાં તે દર વર્ષે દેશી જાતોમાં જોવા મળે છે. મહારાષ્ટ્ર રાજ્યમાં સંકર-4 અને જી.કોટ-10 જેવી અમેરિકન જાતોમાં પણ તે જોવા મળેલ છે. લાંબા ચોમાસાવાળાં ભેજવાળાં વર્ષોમાં તેમજ નીચાણવાળા પાણી ભરાઈ રહે તેવા વિસ્તારમાં આ રોગથી થતા…

વધુ વાંચો >

દહીં

Mar 10, 1997

દહીં : જુઓ, દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરીઉદ્યોગ.

વધુ વાંચો >

દહીંવાલા, ગની

Mar 10, 1997

દહીંવાલા, ગની (જ. 17 ઑગસ્ટ 1908, સૂરત; અ. 5 માર્ચ 1987, સૂરત) : ગુજરાતી ગઝલકાર. મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા. પ્રાથમિક શાળાનું ત્રણ ધોરણ સુધીનું શિક્ષણ લીધેલું. 1928ની આસપાસ થોડોક વખત અમદાવાદમાં રહેલા. ત્યારપછી કાયમ માટે સૂરતમાં જઈ વસ્યા. દરજીકામની દુકાન ચલાવતાં ચલાવતાં સારા ગઝલકાર બન્યા. એમણે ‘સ્વરસંગમ’ નામે સંગીતપ્રેમીઓની…

વધુ વાંચો >