૮.૦૪

જ્યૉર્જિયોથી ઝવેરી બહેનો

જ્યૉર્જિયો

જ્યૉર્જિયો : સોવિયેત સંઘના વિઘટન પછી સ્થપાયેલ ‘કૉમનવેલ્થ ઑવ્ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ’ પૈકીનું એક રાજ્ય. ભૌગોલિક સ્થાન 42° ઉ. અ. અને 44° પૂ. રે. તેણે 1991માં પોતાને સ્વતંત્ર જાહેર કર્યું હતું. તે કાળા સમુદ્રની પૂર્વ તરફ આવેલ છે. આ રાજ્યનું જ્યૉર્જિયા નામ અરબી અને ઈરાની ગુર્જી તેમજ રશિયન ગુર્ઝીઆ કે ગ્રુઝીઆ…

વધુ વાંચો >

જ્વર (આયુર્વિજ્ઞાન)

જ્વર (આયુર્વિજ્ઞાન) : તાવ આવવો તે શરીરના રોજના સામાન્ય તાપમાનમાં થતા ફેરફારોથી તાપમાનના પ્રમાણમાં વધારો થવો તે. દર્દીઓની સૌથી વધુ તકલીફોમાંની તે એક છે. મોટા ભાગના દર્દીઓમાં તે કોઈ ચેપ(infection)ને કારણે હોય છે અને તેમાં પણ વિષાણુજન્ય (viral) ચેપ સૌથી મોખરે હોય છે અને તેથી ઘણા કિસ્સાઓમાં તે જાતે શમી…

વધુ વાંચો >

જ્વર (આયુર્વેદ)

જ્વર : (આયુર્વેદ) (તાવ) શરીરનું તાપમાન (temperature) વધવા સાથે શરીરમાં બેચેની, અંગતૂટ, ગ્લાનિ, પરસેવો ન થવો, આખું અંગ જકડાઈ જવું, કોઈ વાતમાં મન ન લાગવું અને શરીરનાં અંગો પોતાનાં નિયત કાર્યો ક્ષમતાપૂર્વક ન કરી શકે, આવાં લક્ષણો દેખાય તેવી શરીરની સ્થિતિ. શરીરનું તાપમાન 37° સે.થી વધારે હોય ત્યારે તાવ આવ્યો…

વધુ વાંચો >

જ્વર, અજ્ઞાતમૂલ

જ્વર, અજ્ઞાતમૂલ : જુઓ, જ્વર (આયુર્વિજ્ઞાન).

વધુ વાંચો >

જ્વર-ઉગ્ર રુમેટિક

જ્વર-ઉગ્ર રુમેટિક (acute rheumatic fever) : સ્ટ્રેપ્ટોકોકસ પાયોજીન્સ નામના જીવાણુની ચોક્કસ જાતના ચેપ દ્વારા ઉત્તેજિત થયેલી પોતાની જ પેશીની સામેની ઍલર્જીથી થતો રોગ, પોતાના કોષો સામેની ઍલર્જીને પ્રતિ-સ્વઍલર્જી (autoallergy) કહે છે. બીટા હીમોલાયટિક સ્ટ્રેપ્ટોકોકાઈ નામના જીવાણુથી જ્યારે ચેપ લાગે ત્યારે તેની સામે પ્રતિદ્રવ્યો (antibodies) બને છે. આ પ્રતિદ્રવ્યો વ્યક્તિની પોતાની…

વધુ વાંચો >

જ્વરઘ્ની વટી

જ્વરઘ્ની વટી : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શૈલેય, લીંડીપીપર, હીમજ, અક્કલકરો, સરસિયા તેલમાં શુદ્ધ કરેલ ગંધક અને ઇંદ્રવારુણીનાં ફળને ખરલમાં એકત્ર કરી ઇંદ્રવારુણીના રસમાં ઘૂંટીને અડદના દાણાના માપની ગોળીઓ બનાવાય છે. તાવમાં 1થી 2 ગોળી ગળોના રસ અથવા ક્વાથ સાથે લેવાથી લાભ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા

વધુ વાંચો >

જ્વર, ડેન્ગ્યૂ

જ્વર, ડેન્ગ્યૂ (Dengue fever) : ટોગા વિષાણુ(ડેન્ગ્યૂ-પ્રકાર1-4)થી થતો તાવ અને લોહી વહેવાનો વિકાર. તેના વિષાણુનો મુખ્ય આશ્રયદાતા માણસ છે. તે એડીઝ ઇજિપ્તી નામના મચ્છરથી ફેલાય છે. ખાસ કરીને તે ઉષ્ણકટિબંધીય અને સમશીતોષ્ણકટિબંધીય વિસ્તારોમાં જોવા મળે છે. વિવિધ અભ્યાસોમાં તેનાથી થતું મૃત્યુનું પ્રમાણ 0 %થી 10 % છે. ગરમીની ઋતુમાં મચ્છરનો…

વધુ વાંચો >

જ્વરમુરારિરસ

જ્વરમુરારિરસ : આયુર્વેદનું ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, શુદ્ધ હિંગળોક, લવિંગ, મરી, ધતૂરાનાં શુદ્ધ બીજ તથા નસોતરના ચૂર્ણને દંતીમૂળના ક્વાથની 7 ભાવના આપી, એક એક રતીના માપની ગોળીઓ રૂપે તૈયાર કરવામાં આવે છે. તમામ પ્રકારના તાવ, શરીરની અક્કડતા, ગોળો, અમ્લપિત્ત, ખાંસી, ઉધરસ, ગૃધ્રસી, શોથ, જીર્ણજ્વર તથા ચામડીના રોગોમાં…

વધુ વાંચો >

જ્વાલામંદકો

જ્વાલામંદકો (flame retarders) : દહનશીલ પદાર્થોના જ્વલનનો દર ઓછો કરવા માટે ઉપયોગમાં લેવાતા રાસાયણિક પદાર્થો. કાગળ, ફાઇબરબોર્ડ, કાપડ, લાકડું વગેરે પદાર્થો દહનશીલ છે પણ તેમના ઉપર ચોક્કસ પ્રકારની પ્રક્રિયા કરવાથી આગમાં તે લાંબા સમય સુધી ટકી શકે છે. આવી પ્રક્રિયા દ્વારા આગ પ્રસરતી રોકાય છે અને આગ લગાડનાર સંજોગો (igniting…

વધુ વાંચો >

જ્વાળામુખી

જ્વાળામુખી : પૃથ્વીના પોપડાની આરપાર ઊંડાઈથી સપાટી સુધી ખુલ્લા થયેલા નાળ આકારના કે ફાટ આકારના ભાગમાંથી મૅગ્મા કે મૅગ્માજન્ય વાયુઓ કે બંને બહાર આવવાની પ્રક્રિયા. મૅગ્મા બહાર નીકળવાની ક્રિયા એટલે લાવા-પ્રસ્ફુટન અથવા વાયુ-પ્રસ્ફુટન. પ્રસ્ફુટન આમ બે પ્રકારે થઈ શકે. નળી દ્વારા થાય તે શંકુ-પ્રસ્ફુટન, તેનાથી જ્વાળામુખી પર્વતરચના થાય; ફાટ દ્વારા…

વધુ વાંચો >

ઝબકાર

Jan 4, 1997

ઝબકાર (twinkling) : કૅલ્સાઇટ અને તેના જેવાં ખનિજો દ્વારા દર્શાવાતો ઝડપી ર્દશ્ય-ફેરફાર. કૅલ્સાઇટ દ્વિવક્રીભવનનો પ્રકાશીય ગુણધર્મ દર્શાવતું લાક્ષણિક ખનિજ છે. તેનો ખનિજછેદ પારગત (transmitted) પ્રકાશમાં લંબચોરસ કંપન દિશાઓ ધરાવે છે. માઇક્રોસ્કોપ પીઠિકા પર રાખી ફેરવતાં તેનો ખનિજછેદ એક સ્થિતિમાં કરકરા કણર્દશ્યવાળી સપાટી, સ્પષ્ટ સીમાઓ અને સ્પષ્ટ સંભેદ-રેખાઓ બતાવે છે. બીજી…

વધુ વાંચો >

ઝમખશરી

Jan 4, 1997

ઝમખશરી (જ. 19 માર્ચ 1075, ઝમખશર, ઉઝબેકિસ્તાન; અ. 1143–44) : ભાષાશાસ્ત્ર તથા હદીસશાસ્ત્રના વિદ્વાન. મૂળ નામ અબુલ કાસિમ મહમૂદ અલ-ઝમખ્શરી. તેમને ‘ફખ્રે ખ્વારઝમ’ અને ‘જારુલ્લાહ’ના નામથી પણ ઓળખવામાં આવે છે. ઝમખશરીનો સંબંધ ‘‘મો’તઝિલા’’ કહેવાતા બુદ્ધિવાદી વર્ગ સાથે હતો. તે ઈશ્વર તથા ધર્મને અધ્યાત્મને બદલે બુદ્ધિની કસોટી ઉપર રાખીને સમજવાનો પ્રયત્ન…

વધુ વાંચો >

ઝરથુષ્ટ્ર

Jan 4, 1997

ઝરથુષ્ટ્ર : પ્રાચીન ઝરથોસ્તી ધર્મના આદ્યપુરુષ. ઝરથુષ્ટ્રને ઝરથુસ્ત્ર કે જરથોસ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. એક મત મુજબ તેમનો સમય ઈ. સ. પૂ. આશરે 7000 ગણાય છે. બીજા મત મુજબ તે વૈદિક યુગની લગભગ સમાંતર છે. તેના આધારે ઝરથુષ્ટ્ર આશરે ઈ. સ. પૂર્વે 3000 સુધીમાં થયા હોવા જોઈએ. શહેનશાહી પંથી…

વધુ વાંચો >

ઝરો

Jan 4, 1997

ઝરો : ભૂપૃષ્ઠના વિવૃત ખડકોમાંથી કે ભૂમિમાંથી બહાર ફૂટી નીકળતું પાણી. તે જો તદ્દન ઓછા પ્રમાણમાં થતું હોય તો સ્રાવસ્થાનની આજુબાજુ ફેલાઈને સ્થાનિક પંકવિસ્તાર રચે છે, જો તેનું પ્રમાણ વધુ હોય તો વહી જાય છે અને નજીકની નદીને જઈ મળે છે. આ પ્રકારે ફૂટી નીકળતા જળને જલસ્રાવ (seepage) નામ આપી…

વધુ વાંચો >

ઝર્કોન

Jan 4, 1997

ઝર્કોન : ઝર્કોનિયમ નામનું રાસાયણિક તત્ત્વ ધરાવતું સિલિકેટ ખનિજ. રાસા. બં. : ZrSiO4 અથવા ZrO2·SiO2 જેમાં ZrO2 67.2% અને SiO2 32.8% છે. પ્રકાર : સિર્ટોલાઇટ, સ્ફ. વર્ગ : ટેટ્રાગોનલ, સ્ફ. સ્વ. : નાના-મોટા પ્રિઝમ સ્વરૂપે; દ્વિપિરામિડ ફલકોથી બંધાયેલા; બાણના ભાથા જેવા, વિકેન્દ્રિત રેસાદાર જૂથના સ્વરૂપે તેમજ અનિયમિત દાણાદાર સ્વરૂપે. યુગ્મતા…

વધુ વાંચો >

ઝર્કોનિયમ

Jan 4, 1997

ઝર્કોનિયમ : આવર્તક કોષ્ટકના 4થા (અગાઉના IVA) સમૂહમાં આવેલું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Zr. જર્મન રાસાયણવિદ ક્લેપ્રોથે 1789માં તેની શોધ કરી હતી. હાલ ઝર્કોન તરીકે ઓળખાતા કીમતી પથ્થર માટેના અરબી શબ્દ zargun (સોનેરી રંગનું) ઉપરથી ઝર્કોનિયમ નામ પડ્યું છે. 1824માં બર્ઝેલિયસે અશુદ્ધ અને 1914માં લેલી અને હૅમ્બર્ગરે ~100 % શુદ્ધ ઝર્કોનિયમ…

વધુ વાંચો >

ઝર્નિક ફ્રિટ્ઝ

Jan 4, 1997

ઝર્નિક, ફ્રિટ્ઝ (Zernike, Frits) (જ. 16 જુલાઈ 1888, એમ્સટર્ડમ, નેધરલૅન્ડ્ઝ; અ. 10 માર્ચ 1966, એમર્સફૂટ, નેધરલૅન્ડ્ઝ) : પ્રાવસ્થા વ્યતિરેક (phase contrast) કાર્યપદ્ધતિ અને વિશેષ રૂપે 1953નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ફ્રિટ્ઝ ઝેર્નિકનાં માતા-પિતા બંને ગણિતના શિક્ષક હતાં. પિતાના ભૌતિકશાસ્ત્ર પ્રત્યેના વિશેષ લગાવને કારણે ઝેર્નિકની તે વિષયમાં રુચિ કેળવાઈ. તેમણે યુનિવર્સિટી…

વધુ વાંચો >

ઝવેરાત

Jan 4, 1997

ઝવેરાત હીરા, રત્નો વગેરે જડીને બનાવેલાં સોનું, ચાંદી અને અન્ય કીમતી ધાતુઓનાં આભૂષણો. આ આભૂષણો તૈયાર કરવા માટેનો ઉદ્યોગ તે ઝવેરાત–ઉદ્યોગ. ઝવેરાતનો ઉપયોગ માનવી પોતાની જાતને શણગારવા અને વધુ આકર્ષક બનાવવા ઉપરાંત ધાર્મિક અથવા તાંત્રિક કારણોસર તેમજ પોતાની સંપત્તિ અને શ્રીમંતાઈ દર્શાવવા પણ કરતો આવ્યો છે. મોટાભાગનું ઝવેરાત સોનું, પ્લૅટિનમ,…

વધુ વાંચો >

ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ

Jan 4, 1997

ઝવેરી, કૃષ્ણલાલ મોહનલાલ (જ. 30 ડિસેમ્બર 1868, ભરૂચ; અ. 15 જૂન 1957, મુંબઈ) : ગુજરાતી સાક્ષર અને મુંબઈ સ્મૉલ કૉઝ કોર્ટના વડા ન્યાયમૂર્તિ. તેમણે ફારસીનો ઊંડો અભ્યાસ કરેલો. તેને પરિણામે એમણે ‘દયારામ અને હાફેઝ’ – એ  બે કવિઓનો તુલનાત્મક અભ્યાસ દર્શાવતો ગ્રંથ લખ્યો. ગુજરાતીમાં તે તુલનાત્મક સાહિત્યનું પ્રથમ પુસ્તક છે.…

વધુ વાંચો >

ઝવેરી બહેનો

Jan 4, 1997

ઝવેરી બહેનો : મણિપુરી નર્તનક્ષેત્રની કલાકાર બહેનો. ઝવેરી બહેનોમાં સૌથી નાનાં તે દર્શના (જ. 1939). બીજી 3 બહેનોનાં નામ નયના (1927–1986), રંજના (1930–) તથા સુવર્ણા (1935). ચારેય બહેનો નાની વયમાં મણિપુરી નૃત્યશૈલીની સુકુમારતા, મૃદુતા તથા ભક્તિસભરતાથી પ્રભાવિત થઈ તેના પ્રત્યે આકર્ષાઈ. એવામાં સર્જક પ્રતિભાવાળા ગુરુ બિપિનસિંહને ગુરુ રૂપે મેળવવા તેઓ…

વધુ વાંચો >