જ્વરમુરારિરસ : આયુર્વેદનું ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, શુદ્ધ હિંગળોક, લવિંગ, મરી, ધતૂરાનાં શુદ્ધ બીજ તથા નસોતરના ચૂર્ણને દંતીમૂળના ક્વાથની 7 ભાવના આપી, એક એક રતીના માપની ગોળીઓ રૂપે તૈયાર કરવામાં આવે છે. તમામ પ્રકારના તાવ, શરીરની અક્કડતા, ગોળો, અમ્લપિત્ત, ખાંસી, ઉધરસ, ગૃધ્રસી, શોથ, જીર્ણજ્વર તથા ચામડીના રોગોમાં ઉપયોગી છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા